કેન્દ્રીય આરોગ્ય મંત્રી Mansukh Mandaviyaએ વધતા Heart Attackના કિસ્સાઓને લઈ આપ્યું નિવેદન, કહ્યું જો કોરોના થયો હોય તો....


  • Published By :
  • Published Date : 2023-10-29 18:27:07

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. પ્રતિદિન એવા સમાચાર સામે આવે છે જેમાં એક નહીં પરંતુ અનેક યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓએ સરકારની ચિંતા વધારી છે. ગુજરાતમાં તો અનેક યુવાનોના મોત હાર્ટ એટેક આવવાને કારણે થયા છે. અનેક લોકો એવું કહેતા હોય છે કે કોરોના વેક્સિનને કારણે યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. આ બધા વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ વધતા હાર્ટ એટેક અંગે પ્રતિક્રિયા આપી છે.  

હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે 

યુવાનોમાં વધતા હાર્ટ એટેકને કારણે ન માત્ર રાજ્ય સરકારની પરંતુ કેન્દ્ર સરકારની ચિંતા પણ વધી છે. કોરોના બાદ યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. અનેક યુવાનોનો ભોગ હાર્ટ એટેકે લીધો છે. ગુજરાતમાં પણ પ્રતિદિન એવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે જેમાં યુવાનો તો ઠીક પરંતુ શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. કોઈ ગરબા કરતા કરતા તો કોઈ યોગા કરતા કરતા મોતને ભેટી રહ્યા છે. નવરાત્રી દરમિયાન 36 જેટલા લોકોના મોત આને કારણે થયા છે. નવરાત્રી પહેલા અને નવરાત્રી પછી પણ અનેક લોકો મૃત્યુ પામ્યા છે કારણ કે તેમના હૃદયના ધબકારા બંધ પડી ગયા. યુવાનોમાં વધતા હાર્ટ એટેકને કારણે રાજ્ય સરકારે નિષ્ણાત ડોક્ટરોની કમિટી બનાવી છે જે યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ પર સ્ટડી કરશે. વધતા હાર્ટ એટેકના કિસ્સાઓનું એનાલિસીસ કરશે.. 

Heart Attack ના સંકેત પહેલા જ મળી જાય છે, શ્વાસની તકલીફ, થાક, ગભરાહટ જેવા  લક્ષણો ના કરો ઇગ્નોર | Health News in Gujarati

વધતા હાર્ટ એટેકને લઈ મનસુખ માંડવિયાએ આપ્યું નિવેદન

આ બધા વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મહત્વનું નિવેદન હાર્ટ એટેકને લઈ આપ્યું છે. એક કાર્યક્રમ માટે ભાવનગર તેઓ પહોંચ્યા હતા અને તે વખતે જ્યારે તેમને આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે આઈસીએમઆરએ હમણા એક ડિટેલ્ટ સ્ટડી કર્યો છે, એ સ્ટડીમાં સામે આવ્યું છે કે જેમને સિવિયર કોવિડ થયો હતો અને તેને વધારે સમય ન થયો હોય, આવી સ્થિતિની અંદર  આવા લોકોએ વધારે પરિશ્રમ ન કરવો જોઈએ. તેઓ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. વધુમાં તેમણે કહ્યું કે કોવિડમાંથી બહાર આવેલા લોકોએ સખત મહેનત અને કસરતથી પણ એક ચોક્કસ સમય સુધી એટલે કે એક કે બે વર્ષ સુધી દૂર રહેવું જોઈએ. જેથી હાર્ટ એટેતની ઘટનાથી બચી શકાય. 

  Heart Attack: More 3 person died due to heart attack in diamond city Surat Heart Attack: સુરતમાં હાર્ટએટેકના હાહાકાર, વધુ 3નાં મોત

સુરતમાં જ આજે ત્રણ લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા 

મહત્વનું છે કે હાર્ટ એટેકના એટલા બધા કિસ્સાઓ વધી રહ્યા છે કે વ્યક્તિની અંતિમ ક્ષણ કઈ હશે તે જાણવું મુશ્કેલ છે. આપણી સામે સાજો ઉભેલો વ્યક્તિ ક્યારે મોતને ભેટે છે તેની ખબર નથી પડતી. કોઈ કિસ્સાઓ એવા પણ હોય છે જેમાં ઉંઘતા ઉંઘતા લોકોના મોત થઈ રહ્યા છે. આજે પણ અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં એકલા સુરતમાં જ ત્રણ લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.