કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 10:50:15

ગુજરાતમાં જેમ જેમ ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ ગુજરાતના પ્રવાસે દિગ્ગજ નેતાઓ આવી રહ્યા છે.  ત્યારે ભાજપના ચાણક્ય તરીકે જાણીતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક જગ્યાઓની મુલાકાત લેવાના છે ઉપરાંત અનેક જનસભાઓમાં ભાગ લઈ ભાજપનો પ્રચાર કરવાના છે. 

Amit Shah's meetings giving sleepless nights to BJP MLAs

અનેક કાર્યક્રમોમાં અમિત શાહ રહેશે હાજર 

અમિત શાહ પોતાના 2 દિવસ પ્રવાસ દરમિયાન આશરે 13 કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. અનેક કામોનું લોકાર્પણ તેમજ ખાતમૂહુર્ત તેમના હસ્તે થવાનું છે.  અમિત શાહ વિરોચનનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવાના છે. ઉપરાંત ઔડા નિર્મિત ભાડજ ઓવરબ્રિજનું લોકાર્પણ કરવાના છે. નવરાત્રી હોવાથી તેઓ મેલડી માતાજીના દર્શન કરવાના છે. 2140EWS આવાસોનું તેમજ શકરી તળાવ નવીનીકરણ પ્રકલ્પનું તેઓ ખાતમૂહુર્ત કરવાના છે. તેઓ રૂપાલ મંદિરમાં સુવર્ણજડિત ગર્ભગૃહના દરવાજાનું ઉદ્ધાટન થવાનું છે. આ કાર્યક્રમમાં તેઆ હાજરી આપવાના છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવશે ગુજરાતના પ્રવાસે


PM Modi's birthday today: Wishes pour in; Rahul Gandhi, Tharoor's messages  | Latest News India - Hindustan Times


વિધાનસભા ચૂંટણી નજીક આવતાની સાથે અનેક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે નવરાત્રી દરમિયાન તેઓ ફરી એક વખત માદરે વતન આવવાના છે. 29 અને 30 સપ્ટેમ્બરના રોજ તેઓ ગુજરાતના પ્રવાસે આવી, અનેક વિકાસના કામોનું લોકાર્પણ કરવાના છે. માં અંબાજીના દર્શન કરવા પણ તેઓ જવાના છે. તેમના પ્રવાસને લઈ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.