કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 10:50:15

ગુજરાતમાં જેમ જેમ ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ ગુજરાતના પ્રવાસે દિગ્ગજ નેતાઓ આવી રહ્યા છે.  ત્યારે ભાજપના ચાણક્ય તરીકે જાણીતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક જગ્યાઓની મુલાકાત લેવાના છે ઉપરાંત અનેક જનસભાઓમાં ભાગ લઈ ભાજપનો પ્રચાર કરવાના છે. 

Amit Shah's meetings giving sleepless nights to BJP MLAs

અનેક કાર્યક્રમોમાં અમિત શાહ રહેશે હાજર 

અમિત શાહ પોતાના 2 દિવસ પ્રવાસ દરમિયાન આશરે 13 કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. અનેક કામોનું લોકાર્પણ તેમજ ખાતમૂહુર્ત તેમના હસ્તે થવાનું છે.  અમિત શાહ વિરોચનનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવાના છે. ઉપરાંત ઔડા નિર્મિત ભાડજ ઓવરબ્રિજનું લોકાર્પણ કરવાના છે. નવરાત્રી હોવાથી તેઓ મેલડી માતાજીના દર્શન કરવાના છે. 2140EWS આવાસોનું તેમજ શકરી તળાવ નવીનીકરણ પ્રકલ્પનું તેઓ ખાતમૂહુર્ત કરવાના છે. તેઓ રૂપાલ મંદિરમાં સુવર્ણજડિત ગર્ભગૃહના દરવાજાનું ઉદ્ધાટન થવાનું છે. આ કાર્યક્રમમાં તેઆ હાજરી આપવાના છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવશે ગુજરાતના પ્રવાસે


PM Modi's birthday today: Wishes pour in; Rahul Gandhi, Tharoor's messages  | Latest News India - Hindustan Times


વિધાનસભા ચૂંટણી નજીક આવતાની સાથે અનેક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે નવરાત્રી દરમિયાન તેઓ ફરી એક વખત માદરે વતન આવવાના છે. 29 અને 30 સપ્ટેમ્બરના રોજ તેઓ ગુજરાતના પ્રવાસે આવી, અનેક વિકાસના કામોનું લોકાર્પણ કરવાના છે. માં અંબાજીના દર્શન કરવા પણ તેઓ જવાના છે. તેમના પ્રવાસને લઈ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"