મહિલાને આવકનો દાખલો ન મળતા કેન્દ્રીય મંત્રી દેવુ સિંહ વિફર્યા, અધિકારીઓની ઝાટકણી કાઢી


  • Published By :
  • Published Date : 2023-11-20 19:27:27

ગુજરાતમાં ઉચ્ચ અધિકારીઓને લઈને ફરિયાદો વધી રહી છે, ભાજપના ધારાસભ્યો પણ અનેક વખત આ મુદ્દે તેમને આક્રોશ વ્યક્ત કરી ચુક્યા છે. ધારાસભ્યોના ફોન ન ઉપાડવા કે પછી ધારાસભ્યોના પ્રજાહિતના પ્રશ્નોનો જવાબ પણ ન આપવા સહિતની ફરિયાદો ઉઠી છે. પ્રજાના કામો કરવામાં આનાકાની કરતા ઉચ્ચ આઈએએસ અધિકારીઓ પર રાજ્ય સરકારનું કોઈ નિયંત્રણ રહ્યું નથી તેવા પણ સવાલો થઈ રહ્યા છે. કેન્દ્રીય મંત્રી દેવુ સિંહ ચૌહાણને પણ અધિકારીઓનો આવો જ માઠો અનુભવ થયો હતો. જો કે તેમણે આજે એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કલેક્ટરથી લઈને તલાટી સુધીના અધિકારીઓને આકરી ઝાટકણી કાઢી હતી.


શું હતો સમગ્ર મામલો?


ખેડાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ આજે નર્મદાના નાંદોદ તાલુકાના જિઓરપાટી ગામે પહોંચ્યા હતા. તેમની મુલાકાત દરમિયાન એક મહિલાએ મંત્રી દેવુસિંહને તેની વ્યથા-કથા વર્ણવી હતી, મહિલાએ કહ્યું કે ગામના તલાટી એક મહિનાથી આવકનો દાખલો નથી આપી રહ્યા, આ સાંભળી દેવુસિંહ ચૌહાણ ગુસ્સે થયા હતા અને તેમણે મંચ પરથી જ તલાટીને તતડાવ્યા હતા. તેમણે કલેક્ટરનો પણ વારો લીધો હતો અને પુછ્યું હતું તમે ફોલોઅપ લો છે કે નહીં. ગઈકાલે ટંકારી ગામમાં આયોજિત કાર્યક્રમમાં કલેક્ટર અને DDO હાજર રહ્યા ન હતા. જેને લઈ દેવુસિંહ ચૌહાણે ટકોર કરતાં આજે બંને અધિકારી હાજર રહ્યા હતા. ઉલ્લેખનિય છે કે ટંકારી ગામમાં કેન્દ્ર સરકારનો કાર્યક્રમ હતો અને તેમા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ જ રહ્યા ન હતા ત્યારે પણ મંત્રી દેવુસિંહ ચૌહાણ ગઈકાલે બગડ્યા હતા. 


નર્મદામાં નિકળી છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા 


કેન્દ્ર અને રાજ્ય સરકારની લોક કલ્યાણકારી યોજનાઓની માહિતી અને લાભ નર્મદા જિલ્લાના વંચિત આદિવાસી જનસમુદાય સુધી પહોંચે અને તેમની જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન આવે તેવા ધ્યેયમંત્ર સાથે માટે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ રથ ગામેગામ ભ્રમણ કરી રહ્યો છે. આ રથના માધ્યમથી ગ્રામજનોને આરોગ્ય, શિક્ષણ, પોષણ, રોજગાર, ખેતી-પશુપાલન, નારી શક્તિ સહિત ગ્રામીણ વિકાસ સાથે દેશની ઉત્તરોતર પ્રગતિની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ બતાવવામાં આવે છે. નર્મદા જિલ્લામાં 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' સાથે કેન્દ્રીય મંત્રી દેવુ સિંહ ચૌહાણ પણ જોડાયા હતા અને  બીજા દિવસે આજે નાંદોદ તાલુકાના જીઓર પાટી ગામેથી રથને પ્રસ્થાન કરાવ્યું હતું. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.