મહિલાને આવકનો દાખલો ન મળતા કેન્દ્રીય મંત્રી દેવુ સિંહ વિફર્યા, અધિકારીઓની ઝાટકણી કાઢી


  • Published By :
  • Published Date : 2023-11-20 19:27:27

ગુજરાતમાં ઉચ્ચ અધિકારીઓને લઈને ફરિયાદો વધી રહી છે, ભાજપના ધારાસભ્યો પણ અનેક વખત આ મુદ્દે તેમને આક્રોશ વ્યક્ત કરી ચુક્યા છે. ધારાસભ્યોના ફોન ન ઉપાડવા કે પછી ધારાસભ્યોના પ્રજાહિતના પ્રશ્નોનો જવાબ પણ ન આપવા સહિતની ફરિયાદો ઉઠી છે. પ્રજાના કામો કરવામાં આનાકાની કરતા ઉચ્ચ આઈએએસ અધિકારીઓ પર રાજ્ય સરકારનું કોઈ નિયંત્રણ રહ્યું નથી તેવા પણ સવાલો થઈ રહ્યા છે. કેન્દ્રીય મંત્રી દેવુ સિંહ ચૌહાણને પણ અધિકારીઓનો આવો જ માઠો અનુભવ થયો હતો. જો કે તેમણે આજે એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કલેક્ટરથી લઈને તલાટી સુધીના અધિકારીઓને આકરી ઝાટકણી કાઢી હતી.


શું હતો સમગ્ર મામલો?


ખેડાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ આજે નર્મદાના નાંદોદ તાલુકાના જિઓરપાટી ગામે પહોંચ્યા હતા. તેમની મુલાકાત દરમિયાન એક મહિલાએ મંત્રી દેવુસિંહને તેની વ્યથા-કથા વર્ણવી હતી, મહિલાએ કહ્યું કે ગામના તલાટી એક મહિનાથી આવકનો દાખલો નથી આપી રહ્યા, આ સાંભળી દેવુસિંહ ચૌહાણ ગુસ્સે થયા હતા અને તેમણે મંચ પરથી જ તલાટીને તતડાવ્યા હતા. તેમણે કલેક્ટરનો પણ વારો લીધો હતો અને પુછ્યું હતું તમે ફોલોઅપ લો છે કે નહીં. ગઈકાલે ટંકારી ગામમાં આયોજિત કાર્યક્રમમાં કલેક્ટર અને DDO હાજર રહ્યા ન હતા. જેને લઈ દેવુસિંહ ચૌહાણે ટકોર કરતાં આજે બંને અધિકારી હાજર રહ્યા હતા. ઉલ્લેખનિય છે કે ટંકારી ગામમાં કેન્દ્ર સરકારનો કાર્યક્રમ હતો અને તેમા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ જ રહ્યા ન હતા ત્યારે પણ મંત્રી દેવુસિંહ ચૌહાણ ગઈકાલે બગડ્યા હતા. 


નર્મદામાં નિકળી છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા 


કેન્દ્ર અને રાજ્ય સરકારની લોક કલ્યાણકારી યોજનાઓની માહિતી અને લાભ નર્મદા જિલ્લાના વંચિત આદિવાસી જનસમુદાય સુધી પહોંચે અને તેમની જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન આવે તેવા ધ્યેયમંત્ર સાથે માટે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ રથ ગામેગામ ભ્રમણ કરી રહ્યો છે. આ રથના માધ્યમથી ગ્રામજનોને આરોગ્ય, શિક્ષણ, પોષણ, રોજગાર, ખેતી-પશુપાલન, નારી શક્તિ સહિત ગ્રામીણ વિકાસ સાથે દેશની ઉત્તરોતર પ્રગતિની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ બતાવવામાં આવે છે. નર્મદા જિલ્લામાં 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' સાથે કેન્દ્રીય મંત્રી દેવુ સિંહ ચૌહાણ પણ જોડાયા હતા અને  બીજા દિવસે આજે નાંદોદ તાલુકાના જીઓર પાટી ગામેથી રથને પ્રસ્થાન કરાવ્યું હતું. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.