મહિલાને આવકનો દાખલો ન મળતા કેન્દ્રીય મંત્રી દેવુ સિંહ વિફર્યા, અધિકારીઓની ઝાટકણી કાઢી


  • Published By :
  • Published Date : 2023-11-20 19:27:27

ગુજરાતમાં ઉચ્ચ અધિકારીઓને લઈને ફરિયાદો વધી રહી છે, ભાજપના ધારાસભ્યો પણ અનેક વખત આ મુદ્દે તેમને આક્રોશ વ્યક્ત કરી ચુક્યા છે. ધારાસભ્યોના ફોન ન ઉપાડવા કે પછી ધારાસભ્યોના પ્રજાહિતના પ્રશ્નોનો જવાબ પણ ન આપવા સહિતની ફરિયાદો ઉઠી છે. પ્રજાના કામો કરવામાં આનાકાની કરતા ઉચ્ચ આઈએએસ અધિકારીઓ પર રાજ્ય સરકારનું કોઈ નિયંત્રણ રહ્યું નથી તેવા પણ સવાલો થઈ રહ્યા છે. કેન્દ્રીય મંત્રી દેવુ સિંહ ચૌહાણને પણ અધિકારીઓનો આવો જ માઠો અનુભવ થયો હતો. જો કે તેમણે આજે એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કલેક્ટરથી લઈને તલાટી સુધીના અધિકારીઓને આકરી ઝાટકણી કાઢી હતી.


શું હતો સમગ્ર મામલો?


ખેડાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ આજે નર્મદાના નાંદોદ તાલુકાના જિઓરપાટી ગામે પહોંચ્યા હતા. તેમની મુલાકાત દરમિયાન એક મહિલાએ મંત્રી દેવુસિંહને તેની વ્યથા-કથા વર્ણવી હતી, મહિલાએ કહ્યું કે ગામના તલાટી એક મહિનાથી આવકનો દાખલો નથી આપી રહ્યા, આ સાંભળી દેવુસિંહ ચૌહાણ ગુસ્સે થયા હતા અને તેમણે મંચ પરથી જ તલાટીને તતડાવ્યા હતા. તેમણે કલેક્ટરનો પણ વારો લીધો હતો અને પુછ્યું હતું તમે ફોલોઅપ લો છે કે નહીં. ગઈકાલે ટંકારી ગામમાં આયોજિત કાર્યક્રમમાં કલેક્ટર અને DDO હાજર રહ્યા ન હતા. જેને લઈ દેવુસિંહ ચૌહાણે ટકોર કરતાં આજે બંને અધિકારી હાજર રહ્યા હતા. ઉલ્લેખનિય છે કે ટંકારી ગામમાં કેન્દ્ર સરકારનો કાર્યક્રમ હતો અને તેમા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ જ રહ્યા ન હતા ત્યારે પણ મંત્રી દેવુસિંહ ચૌહાણ ગઈકાલે બગડ્યા હતા. 


નર્મદામાં નિકળી છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા 


કેન્દ્ર અને રાજ્ય સરકારની લોક કલ્યાણકારી યોજનાઓની માહિતી અને લાભ નર્મદા જિલ્લાના વંચિત આદિવાસી જનસમુદાય સુધી પહોંચે અને તેમની જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન આવે તેવા ધ્યેયમંત્ર સાથે માટે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ રથ ગામેગામ ભ્રમણ કરી રહ્યો છે. આ રથના માધ્યમથી ગ્રામજનોને આરોગ્ય, શિક્ષણ, પોષણ, રોજગાર, ખેતી-પશુપાલન, નારી શક્તિ સહિત ગ્રામીણ વિકાસ સાથે દેશની ઉત્તરોતર પ્રગતિની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ બતાવવામાં આવે છે. નર્મદા જિલ્લામાં 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' સાથે કેન્દ્રીય મંત્રી દેવુ સિંહ ચૌહાણ પણ જોડાયા હતા અને  બીજા દિવસે આજે નાંદોદ તાલુકાના જીઓર પાટી ગામેથી રથને પ્રસ્થાન કરાવ્યું હતું. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.