"ભારત જ્યાંથી ઈચ્છે ત્યાંથી ખનીજ તેલ ખરીદશે" : પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 14:56:59

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે તે ભારત સરકારની નૈતિક ફરજ છે કે તે તેના નાગરિકોને ઉર્જા પ્રદાન કરે અને તે ગમે ત્યાથી ખનીજ તેલ ખરીદવાનું ચાલુ રાખશે. પુરીએ વધુમાં કહ્યું કે વિશ્વના કોઈપણ દેશે ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવા કહ્યું નથી. અત્રે ઉલ્લેખનિય છે કે યુક્રેન અને રશિયા વચ્ચે એક વર્ષ સુધી ચાલેલા યુદ્ધની વચ્ચે પશ્ચિમી દેશો અને અમેરિકાએ રશિયા વિરુદ્ધ આર્થિક પ્રતિબંધોની જાહેરાત કરી હતી. જે બાદ ભારત પર રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ન ખરીદવા માટે દબાણ થઈ રહ્યું છે.


   પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ શું કહ્યું 


હરદીપ પુરીએ કહ્યું હતું કે, "ભારત જ્યાંથી ઇચ્છે ત્યાંથી તેલ ખરીદશે, તેનું સીધુ કારણ એ છે કે આ પ્રકારની ચર્ચાઓને ભારતની વપરાશ કરતી વસ્તી સુધી લઈ જઈ શકાય નહીં. ભારતની પ્રાથમિકતા તેના લોકોને ઉર્જા પૂરી પાડવાની છે."


રશિયા પાસેથી આયાત એપ્રિલથી 50 ગણી વધી


ભારતની રશિયામાંથી ક્રૂડ ઓઈલની આયાત એપ્રિલથી 50 ગણી વધી ગઈ છે. હવે તે વિદેશમાંથી ખરીદાયેલા તમામ ક્રૂડના 10 ટકા જેટલો હિસ્સો છે. યુક્રેન યુદ્ધ પહેલા ભારત રશિયા પાસેથી કુલ આયાતના માત્ર 0.2 ટકા ક્રૂડ ઓઈલ આયાત કરતું હતું.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.