"ભારત જ્યાંથી ઈચ્છે ત્યાંથી ખનીજ તેલ ખરીદશે" : પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 14:56:59

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે તે ભારત સરકારની નૈતિક ફરજ છે કે તે તેના નાગરિકોને ઉર્જા પ્રદાન કરે અને તે ગમે ત્યાથી ખનીજ તેલ ખરીદવાનું ચાલુ રાખશે. પુરીએ વધુમાં કહ્યું કે વિશ્વના કોઈપણ દેશે ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવા કહ્યું નથી. અત્રે ઉલ્લેખનિય છે કે યુક્રેન અને રશિયા વચ્ચે એક વર્ષ સુધી ચાલેલા યુદ્ધની વચ્ચે પશ્ચિમી દેશો અને અમેરિકાએ રશિયા વિરુદ્ધ આર્થિક પ્રતિબંધોની જાહેરાત કરી હતી. જે બાદ ભારત પર રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ન ખરીદવા માટે દબાણ થઈ રહ્યું છે.


   પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ શું કહ્યું 


હરદીપ પુરીએ કહ્યું હતું કે, "ભારત જ્યાંથી ઇચ્છે ત્યાંથી તેલ ખરીદશે, તેનું સીધુ કારણ એ છે કે આ પ્રકારની ચર્ચાઓને ભારતની વપરાશ કરતી વસ્તી સુધી લઈ જઈ શકાય નહીં. ભારતની પ્રાથમિકતા તેના લોકોને ઉર્જા પૂરી પાડવાની છે."


રશિયા પાસેથી આયાત એપ્રિલથી 50 ગણી વધી


ભારતની રશિયામાંથી ક્રૂડ ઓઈલની આયાત એપ્રિલથી 50 ગણી વધી ગઈ છે. હવે તે વિદેશમાંથી ખરીદાયેલા તમામ ક્રૂડના 10 ટકા જેટલો હિસ્સો છે. યુક્રેન યુદ્ધ પહેલા ભારત રશિયા પાસેથી કુલ આયાતના માત્ર 0.2 ટકા ક્રૂડ ઓઈલ આયાત કરતું હતું.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .