કેન્દ્રીય મંત્રી Prahlad Patelની ગાડી બાઈક સાથે અથડાઈ, એકનું મોત જ્યારે અનેક લોકો ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-11-08 11:18:34

થોડા દિવસ પહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાફલાને અકસ્માત નડ્યો હતો. વિજય રૂપાણીના કાફલા સાથે રહેતી પોલીસની ગાડીએ અકસ્માત સર્જ્યો હતો. એ અકસ્માતમાં એક દાદાને ઈજા પહોંચી હતી ત્યારે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલને મંગળવારે અકસ્માતનો સામનો કરવો પડ્યો છે. આ અકસ્માતમાં કેન્દ્રીય મંત્રીનો આબાદ બચાવ થયો હતો પરંતુ આ અકસ્માતમાં બાઈક સવારનું મોત થઈ ગયું છે તેવી માહિતી સામે આવી છે. ઉપરાંત ત્રણ લોકો આ અકસ્માતને કારણે ઘાયલ થયા છે. 

union minister Prahlad Singh Patel Accident

પ્રચાર માટે જઈ રહ્યા હતા કેન્દ્રીયમંત્રી 

દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. મિઝોરમ અને છત્તીસગઢમાં પ્રથમ તબક્કા માટેનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. બાકી રહેલા રાજ્યો માટે ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. રાજકીય પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે. ત્યારે મધ્યપ્રદેશનમાં પ્રચાર કરવા માટે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલ જઈ રહ્યા હતા ત્યારે તેમને અકસ્માતનો સામનો કરવો પડ્યો હતો. મળતી માહિતી અનુસાર મંત્રીનો કાફલો છિંદવાડાથી નરસિંહપુર તરફ જઈ રહ્યો હતો તે વખતે બાઈક સાથે ટક્કર થઈ ગઈ. ઘટના સર્જાતા મંત્રીનું વાહન રોડ પરથી નીચે ઉતરી ગયું. એવી માહિતી પણ સામે આવી છે કે વાહનચાલકને બચાવવા જતા આ અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી અનુસાર બાઈક રોંગ સાઈડ પર આવી રહી હતી.


બાઈક સવારનું થયું મોત   

મીડિયા રિપોર્ટ અનુસાર જે વ્યકિતનું મોત થયું છે તેમનું નામ નિરંજન ચંદ્રવંશી છે. તે ટિચર છે અને તે ભૂરા મોહગાંવના રહેવાસી છે. જે વખતે અકસ્માત સર્જાયો ત્યારે બાઈક પર તેમની સાથે ત્રણ બાળકો પણ હતા. તે બાળકોને સ્કૂલે મૂકવા જઈ રહ્યા હતા. આ ઘટનામાં બાળકોને ઈજાઓ પહોંચી છે અને હોસ્પિટલ તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.     



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.