કેન્દ્રીય મંત્રી Prahlad Patelની ગાડી બાઈક સાથે અથડાઈ, એકનું મોત જ્યારે અનેક લોકો ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-11-08 11:18:34

થોડા દિવસ પહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાફલાને અકસ્માત નડ્યો હતો. વિજય રૂપાણીના કાફલા સાથે રહેતી પોલીસની ગાડીએ અકસ્માત સર્જ્યો હતો. એ અકસ્માતમાં એક દાદાને ઈજા પહોંચી હતી ત્યારે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલને મંગળવારે અકસ્માતનો સામનો કરવો પડ્યો છે. આ અકસ્માતમાં કેન્દ્રીય મંત્રીનો આબાદ બચાવ થયો હતો પરંતુ આ અકસ્માતમાં બાઈક સવારનું મોત થઈ ગયું છે તેવી માહિતી સામે આવી છે. ઉપરાંત ત્રણ લોકો આ અકસ્માતને કારણે ઘાયલ થયા છે. 

union minister Prahlad Singh Patel Accident

પ્રચાર માટે જઈ રહ્યા હતા કેન્દ્રીયમંત્રી 

દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. મિઝોરમ અને છત્તીસગઢમાં પ્રથમ તબક્કા માટેનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. બાકી રહેલા રાજ્યો માટે ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. રાજકીય પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે. ત્યારે મધ્યપ્રદેશનમાં પ્રચાર કરવા માટે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલ જઈ રહ્યા હતા ત્યારે તેમને અકસ્માતનો સામનો કરવો પડ્યો હતો. મળતી માહિતી અનુસાર મંત્રીનો કાફલો છિંદવાડાથી નરસિંહપુર તરફ જઈ રહ્યો હતો તે વખતે બાઈક સાથે ટક્કર થઈ ગઈ. ઘટના સર્જાતા મંત્રીનું વાહન રોડ પરથી નીચે ઉતરી ગયું. એવી માહિતી પણ સામે આવી છે કે વાહનચાલકને બચાવવા જતા આ અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી અનુસાર બાઈક રોંગ સાઈડ પર આવી રહી હતી.


બાઈક સવારનું થયું મોત   

મીડિયા રિપોર્ટ અનુસાર જે વ્યકિતનું મોત થયું છે તેમનું નામ નિરંજન ચંદ્રવંશી છે. તે ટિચર છે અને તે ભૂરા મોહગાંવના રહેવાસી છે. જે વખતે અકસ્માત સર્જાયો ત્યારે બાઈક પર તેમની સાથે ત્રણ બાળકો પણ હતા. તે બાળકોને સ્કૂલે મૂકવા જઈ રહ્યા હતા. આ ઘટનામાં બાળકોને ઈજાઓ પહોંચી છે અને હોસ્પિટલ તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.     



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે