કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવાલેની વિવાદિત ટ્વિટ, આંબેડકરની 22 પ્રતિજ્ઞાના સમર્થનમાં હોવાની કરી વાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 12:14:42

થોડા સમય પહેલા દિલ્હીના પૂર્વ નેતા રાજેન્દ્ર ગૌતમનો એક વીડિયો વાયરલ થયો હતો. ધર્માંતરણનો વીડિયો વાયરલ થતા રાજનીતિ ગરમાઈ ગઈ હતી. વીડિયોમાં પૂર્વ નેતા બાબા સાહેબ દ્વારા ઘડાયેલી 22 પ્રતિજ્ઞાની શપથ લેતા નજરે પડે છે. વીડિયો વાયરલ થયા બાદ રાજેન્દ્ર ગૌતમે રાજીનામું આપી દેવું પડ્યું હતું. પરંતુ આ વખતે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવાલે પોતે 22 પ્રતિજ્ઞાનું સમર્થન કરતા નજરે પડયા છે. પોતાના ટ્વિટર અકાઉન્ટ પર તેમણે ટ્વિટ કરી હતી કે બૌદ્ધ હોવાને નાતે હું આ 22 પ્રતિજ્ઞાનું સમર્થન કરું છું. આ 22 પ્રતિજ્ઞાઓ પર મને ગર્વ છે અને બધાએ પોતાના જીવનમાં આ સ્વીકારવું જોઈએ.

રામદાસ આઠવાલે આવ્યા 22 પ્રતિજ્ઞાઓના સમર્થનમાં  

આપણા દેશમાં ધર્મને લઈ હમેશાં રાજનીતિ ગરમાતી રહે છે. કોઈને કોઈ કારણોસર ધર્મને લઈ દેશમાં રાજનીતિ થઈ રહે છે. થોડા સમય પહેલા ધર્મનો વિવાદ છેડાતા દિલ્હીના મંત્રી રાજેન્દ્ર પાલને રાજીનામું આપી દેવું પડ્યું હતું. વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ બૌદ્ધ ધર્મમાં માનનાર ડો. બાબા સાહેબ આંબેડકર દ્વારા કરવામાં આવેલી 22 પ્રતિજ્ઞા લેતા નજરે પડ્યા હતા. જે બાદ આમ આદમી પાર્ટીને હિંદુ વિરોધી પાર્ટી ગણાવામાં આવી હતી. પરંતુ હવે 22 પ્રતિજ્ઞાના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી રામદાસ અઠવાલે આવ્યા છે.

      

શું કેન્દ્રીય મંત્રીનું લેવાશે રાજીનામું?

ત્યારે હવે એક સવાલ થવો સ્વાભાવિક થઈ છે કે જેમ આપ નેતાના વીડિયો બાદ ધર્મની રાજનીતિ શરૂ થઈ ગઈ હતી. આમ આદમી પાર્ટી પર અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા. હિંદુત્વના ઠેકેદાર બની અનેક સંગઠનોએ આ વાતનો વિરોધ કર્યો હતો. આ ઘટનાના પડઘા ગુજરાતમાં પણ પડ્યા હતા. વિવાદ ઉગ્ર બનતા નેતાએ પોતાના પડ ઉપરથી રાજીનામું આપી દેવું પડ્યું હતું ત્યારે શું હવે પણ આ વસ્તુ થશે. પોતાને હિંદુ ધર્મના ઠેકેદાર માનતા લોકો અથવા સંગઠનો આનો વિરોધ કરશે? શું કેન્દ્રીય મંત્રીનું રાજીનામું લેવામાં આવશે? વીડિયો વાયરલ થયા આમ આદમી પાર્ટીને હિંદુ વિરોધી પાર્ટી ગણી દેવામાં આવતી હોય તો શું આ ટ્વિટને લઈ વિવાદ નહીં છેડાય?              



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .