કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવાલેની વિવાદિત ટ્વિટ, આંબેડકરની 22 પ્રતિજ્ઞાના સમર્થનમાં હોવાની કરી વાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 12:14:42

થોડા સમય પહેલા દિલ્હીના પૂર્વ નેતા રાજેન્દ્ર ગૌતમનો એક વીડિયો વાયરલ થયો હતો. ધર્માંતરણનો વીડિયો વાયરલ થતા રાજનીતિ ગરમાઈ ગઈ હતી. વીડિયોમાં પૂર્વ નેતા બાબા સાહેબ દ્વારા ઘડાયેલી 22 પ્રતિજ્ઞાની શપથ લેતા નજરે પડે છે. વીડિયો વાયરલ થયા બાદ રાજેન્દ્ર ગૌતમે રાજીનામું આપી દેવું પડ્યું હતું. પરંતુ આ વખતે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવાલે પોતે 22 પ્રતિજ્ઞાનું સમર્થન કરતા નજરે પડયા છે. પોતાના ટ્વિટર અકાઉન્ટ પર તેમણે ટ્વિટ કરી હતી કે બૌદ્ધ હોવાને નાતે હું આ 22 પ્રતિજ્ઞાનું સમર્થન કરું છું. આ 22 પ્રતિજ્ઞાઓ પર મને ગર્વ છે અને બધાએ પોતાના જીવનમાં આ સ્વીકારવું જોઈએ.

રામદાસ આઠવાલે આવ્યા 22 પ્રતિજ્ઞાઓના સમર્થનમાં  

આપણા દેશમાં ધર્મને લઈ હમેશાં રાજનીતિ ગરમાતી રહે છે. કોઈને કોઈ કારણોસર ધર્મને લઈ દેશમાં રાજનીતિ થઈ રહે છે. થોડા સમય પહેલા ધર્મનો વિવાદ છેડાતા દિલ્હીના મંત્રી રાજેન્દ્ર પાલને રાજીનામું આપી દેવું પડ્યું હતું. વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ બૌદ્ધ ધર્મમાં માનનાર ડો. બાબા સાહેબ આંબેડકર દ્વારા કરવામાં આવેલી 22 પ્રતિજ્ઞા લેતા નજરે પડ્યા હતા. જે બાદ આમ આદમી પાર્ટીને હિંદુ વિરોધી પાર્ટી ગણાવામાં આવી હતી. પરંતુ હવે 22 પ્રતિજ્ઞાના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી રામદાસ અઠવાલે આવ્યા છે.

      

શું કેન્દ્રીય મંત્રીનું લેવાશે રાજીનામું?

ત્યારે હવે એક સવાલ થવો સ્વાભાવિક થઈ છે કે જેમ આપ નેતાના વીડિયો બાદ ધર્મની રાજનીતિ શરૂ થઈ ગઈ હતી. આમ આદમી પાર્ટી પર અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા. હિંદુત્વના ઠેકેદાર બની અનેક સંગઠનોએ આ વાતનો વિરોધ કર્યો હતો. આ ઘટનાના પડઘા ગુજરાતમાં પણ પડ્યા હતા. વિવાદ ઉગ્ર બનતા નેતાએ પોતાના પડ ઉપરથી રાજીનામું આપી દેવું પડ્યું હતું ત્યારે શું હવે પણ આ વસ્તુ થશે. પોતાને હિંદુ ધર્મના ઠેકેદાર માનતા લોકો અથવા સંગઠનો આનો વિરોધ કરશે? શું કેન્દ્રીય મંત્રીનું રાજીનામું લેવામાં આવશે? વીડિયો વાયરલ થયા આમ આદમી પાર્ટીને હિંદુ વિરોધી પાર્ટી ગણી દેવામાં આવતી હોય તો શું આ ટ્વિટને લઈ વિવાદ નહીં છેડાય?              



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે