TET-TAT પાસ ઉમેદવારોનો અનોખો વિરોધ! પહેલા ડિગ્રીની આરતી ઉતારી અને હવે સરકાર સુધી અવાજ પહોંચાડવા માટે નાટક કર્યું, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-25 10:18:06

ભાવિ શિક્ષકો છેલ્લા ઘણા સમયથી માગ કરી રહ્યા છે કે જ્ઞાન સહાયક યોજનાને રદ્દ કરવામાં આવે અને કાયમી શિક્ષકોની ભરતી થાય. કરાર આધારિત ભરતીનો ટેટ-ટાટ પાસ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. તેમની માગ છે કે શાળામાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે ટેટ પાસ ઉમેદવારો હવે અનોખા પ્રકારના આંદોલનો કરી રહ્યા છે. ભિન્ન ભિન્ન પ્રકારથી તેઓ વિરોધ કરી રહ્યા છે અને સરકારને કાયમી ભરતી કરવા માંગ કરી રહ્યા છે. ઉમેદવારોએ એક નાટકનો વીડિયો બનાવ્યો છે અને સોશિયલ મીડિમાં શેર કર્યો છે .

કાયમી શિક્ષકોની ભરતી થાય તે ટેટ-ટાટ પાસ ઉમેદવારોની માગ

ગુજરાતમાં અનેક શાળાઓ એવી છે જ્યાં શિક્ષકોની ઘટ છે. વિદ્યાર્થીઓ છે પરંતુ શિક્ષકો નથી તેવી અનેક શાળાઓ છે. ત્યારે ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે કે ગુજરાતમાં કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવે. કાયમી શિક્ષકોની ભરતીની માગ સાથે ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. સરકાર સામે છેલ્લા કેટલાય સમયથી ટેટ ટાટ પાસ ઉમેદવારો શાળાઓમાં કાયમી શિક્ષક તરીકે તેમની ભરતી થાય તે માટે લડી રહ્યા છે. કરાર આધારિત ભરતી જ્ઞાનસહાયક યોજના રદ કરવા અને કાયમી ભરતી અંગે આંદોલન કરી રહ્યા છે.


અલગ અલગ પ્રકારે ઉમેદવારો કરી રહ્યા છે વિરોધ 

ગાંધીનગર ખાતે પણ વિરોધ કરવાનો પ્રયત્ન ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ કર્યો હતો. ગાંધીનગરમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારો વિરોધ કરવા પહોંચે તે પહેલા જ તેમને રોકી દેવામાં આવતા. તો હવે આ ઉમેદવારો સોશિયલ મીડિયાનો સહારો લઇ રહ્યા છે. અને વિડિઓ બનાવી સરકારને વિનંતી કરી રહ્યા છે કે અમારી કાયમી ભરતી કરો. થોડા સમય પહેલા પણ આવો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેઓ પોતાની માગ કરતા દેખાયા હતા. ત્યારે સરકાર તેમનો આ અવાજ સાંભળે છે કે નહીં તે જોવું રહ્યું.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.