TET-TAT પાસ ઉમેદવારોનો અનોખો વિરોધ! પહેલા ડિગ્રીની આરતી ઉતારી અને હવે સરકાર સુધી અવાજ પહોંચાડવા માટે નાટક કર્યું, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-25 10:18:06

ભાવિ શિક્ષકો છેલ્લા ઘણા સમયથી માગ કરી રહ્યા છે કે જ્ઞાન સહાયક યોજનાને રદ્દ કરવામાં આવે અને કાયમી શિક્ષકોની ભરતી થાય. કરાર આધારિત ભરતીનો ટેટ-ટાટ પાસ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. તેમની માગ છે કે શાળામાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે ટેટ પાસ ઉમેદવારો હવે અનોખા પ્રકારના આંદોલનો કરી રહ્યા છે. ભિન્ન ભિન્ન પ્રકારથી તેઓ વિરોધ કરી રહ્યા છે અને સરકારને કાયમી ભરતી કરવા માંગ કરી રહ્યા છે. ઉમેદવારોએ એક નાટકનો વીડિયો બનાવ્યો છે અને સોશિયલ મીડિમાં શેર કર્યો છે .

કાયમી શિક્ષકોની ભરતી થાય તે ટેટ-ટાટ પાસ ઉમેદવારોની માગ

ગુજરાતમાં અનેક શાળાઓ એવી છે જ્યાં શિક્ષકોની ઘટ છે. વિદ્યાર્થીઓ છે પરંતુ શિક્ષકો નથી તેવી અનેક શાળાઓ છે. ત્યારે ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે કે ગુજરાતમાં કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવે. કાયમી શિક્ષકોની ભરતીની માગ સાથે ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. સરકાર સામે છેલ્લા કેટલાય સમયથી ટેટ ટાટ પાસ ઉમેદવારો શાળાઓમાં કાયમી શિક્ષક તરીકે તેમની ભરતી થાય તે માટે લડી રહ્યા છે. કરાર આધારિત ભરતી જ્ઞાનસહાયક યોજના રદ કરવા અને કાયમી ભરતી અંગે આંદોલન કરી રહ્યા છે.


અલગ અલગ પ્રકારે ઉમેદવારો કરી રહ્યા છે વિરોધ 

ગાંધીનગર ખાતે પણ વિરોધ કરવાનો પ્રયત્ન ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ કર્યો હતો. ગાંધીનગરમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારો વિરોધ કરવા પહોંચે તે પહેલા જ તેમને રોકી દેવામાં આવતા. તો હવે આ ઉમેદવારો સોશિયલ મીડિયાનો સહારો લઇ રહ્યા છે. અને વિડિઓ બનાવી સરકારને વિનંતી કરી રહ્યા છે કે અમારી કાયમી ભરતી કરો. થોડા સમય પહેલા પણ આવો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેઓ પોતાની માગ કરતા દેખાયા હતા. ત્યારે સરકાર તેમનો આ અવાજ સાંભળે છે કે નહીં તે જોવું રહ્યું.  



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.