Amreliના Babraમાં યોજાયા અનોખા લગ્ન, પૌત્રએ દાદા દાદીનું સ્ટેચ્યું બનાવ્યું, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-11 09:51:31

આજની જનરેશનને આપણે મોર્ડન જનરેશન કહીએ છીએ.એવું કહેતા હોઈએ છીએ કે આજની જનરેશન પારિવારીક સંબંધોમાં ઓછું માને છે. પરિવારના સભ્યો સાથે તેમનું આછું બને છે વગેરે વગેરે. માતા-પિતાની ઈજ્જત આજની જનરેશન નથી કરતી તેવી વાતો આપણે સાંભળી હશે, કદાચ આપણામાંથી કોઈએ આ વાક્યનો ઉપયોગ પણ કર્યો હશે. પરંતુ આજની પેઢીમાં પણ અનેક લોકો એવા હોય છે જે સંબંધોનું સન્માન કરે છે. આનું ઉદાહરણ અમરેલીથી સામે આવ્યું છે જેમાં પૌત્રએ પોતાના લગ્નમાં દાદા-દાદીની પ્રતિમા બનાવડાઈ કારણ કે લગ્નમાં તેમની ગેરહાજરી વર્તાઈ રહી હતી. 

લગ્નમાં બા-દાદાની પ્રતિમા બનાવડાઈ!

આ જનરેશનની વાત થાય ત્યારે આપણે ઘણી વખત સાંભળ્યું હશે કે નવી પેઢીને સંબંધોની કદર નથી. વડીલોનું આદર નથી કરતા. તેમનું સન્માન નથી જાળવતા વગેરે વગેરે... એવો એક વર્ગ પણ હશે પરંતુ અનેક વખત એવા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે જે આ વિચારધારાને ખોટી સાબિત કરે છે! આ જનરેશનમાં અનેક લોકો એવા હશે જે દાદા-દાદી તો ઠીક પણ માતા-પિતાને પણ સાથે રાખવા તૈયાર નથી હોતા, એવા અનેક કિસ્સાઓ આપણી સામે છે પરંતુ અનેક લોકો એવા પણ હોય છે જેમને દાદા-દાદી પ્રત્યે પ્રેમ હોય છે. ત્યારે આજે એક યુવકની વાત કરવી છે જેણે લગ્નમાં બા દાદાની ગેરહાજરી ન વર્તાય તે માટે તેમની પ્રતિમા બનાવડાઈ. 



સ્ટેજની આગળ પ્રતિમા મૂકવામાં આવી!

આપણે ત્યાં કહેવાય છે કે મૂડી કરતા વ્યાજ વધારે વ્હાલું હોય છે. મતલબ દાદા-દાદી પૌત્ર-પોત્રીને એટલો પ્રેમ કરે છે જેટલો પ્રેમ કદાચ તે પોતાના સંતાનોને નહીં કરતા હોય. અનેક પૌત્ર-પૌત્રીઓ પણ હોય છે જેમને બા દાદા સાથે વધારે ફાવતું હોય છે. ત્યારે અમરેલીના બાબરામાં એક યુવકે પોતાના લગ્નમાં દાદા-દાદીના ગેરહાજરી વર્તાતા બંનેની પ્રતિમા બનાવડાવી છે અને જ્યારે લગ્ન થયા ત્યારે સ્ટેજની સામે તેમને બેસાડ્યા અને તેઓ સાક્ષાત હાજર હોય તેવી અનુભૂતિ થઈ.   

વરરાજાની ઈચ્છા હતી કે તેમની હાજરીમાં લગ્ન થાય પરંતુ... 

અમરેલીના બાબરાના પોપટ પરિવારના મોભી નંદલાલભાઈ પોપટ અને તેમના પત્નીનું થોડા વર્ષો પહેલા અવસાન થયું હતું. બા દાદાના ગયા બાદ નિકુંજના લગ્ન લેવાયા. વરરાજાની ઈચ્છા હતી કે બા-દાદા જીવતા હોય ત્યારે તેમની હાજરીમાં લગ્ન કરવા. પરંતુ તે વખતે મેળ ન પડ્યો. તેમના નિધન બાદ તેમની ગેરહાજરી ન વર્તાય માટે એક અનોખો પ્રયાસ પરિવાર દ્વારા કરવામાં આવ્યો. દાદા-દાદીની હયાતીનો અહેસાસ થાય તે માટે સ્ટેચ્યુ રખાયા. બા-દાદાની પ્રતિમા બનાવડાવી લગ્નના સ્ટેજની સામે જ બેસાડ્યાં હતા.  


બા-દાદા પ્રત્યે પૌત્રનો પ્રેમ દેખાઈ આવ્યો!

નિકુંજના બા-દાદાની આ પ્રતિમા એવી અદ્ભુત રીતે તૈયાર કરવામાં આવી કે લગ્નમાં આવનારને લાગે કે તે પોતે જ બેઠા હોય. પોપટ પરિવારે પણ તેમના આશીર્વાદ મેળવ્યા. બા-દાદાની પ્રતિમા જોઈ પોપટ પરિવારના સભ્યો ભાવુક પણ થઈ ગયા હતા. દાદા-દાદી પ્રત્યે આવો પ્રેમ જોઈ તમે શું કહેશો?   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.