Amreliના Babraમાં યોજાયા અનોખા લગ્ન, પૌત્રએ દાદા દાદીનું સ્ટેચ્યું બનાવ્યું, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-11 09:51:31

આજની જનરેશનને આપણે મોર્ડન જનરેશન કહીએ છીએ.એવું કહેતા હોઈએ છીએ કે આજની જનરેશન પારિવારીક સંબંધોમાં ઓછું માને છે. પરિવારના સભ્યો સાથે તેમનું આછું બને છે વગેરે વગેરે. માતા-પિતાની ઈજ્જત આજની જનરેશન નથી કરતી તેવી વાતો આપણે સાંભળી હશે, કદાચ આપણામાંથી કોઈએ આ વાક્યનો ઉપયોગ પણ કર્યો હશે. પરંતુ આજની પેઢીમાં પણ અનેક લોકો એવા હોય છે જે સંબંધોનું સન્માન કરે છે. આનું ઉદાહરણ અમરેલીથી સામે આવ્યું છે જેમાં પૌત્રએ પોતાના લગ્નમાં દાદા-દાદીની પ્રતિમા બનાવડાઈ કારણ કે લગ્નમાં તેમની ગેરહાજરી વર્તાઈ રહી હતી. 

લગ્નમાં બા-દાદાની પ્રતિમા બનાવડાઈ!

આ જનરેશનની વાત થાય ત્યારે આપણે ઘણી વખત સાંભળ્યું હશે કે નવી પેઢીને સંબંધોની કદર નથી. વડીલોનું આદર નથી કરતા. તેમનું સન્માન નથી જાળવતા વગેરે વગેરે... એવો એક વર્ગ પણ હશે પરંતુ અનેક વખત એવા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે જે આ વિચારધારાને ખોટી સાબિત કરે છે! આ જનરેશનમાં અનેક લોકો એવા હશે જે દાદા-દાદી તો ઠીક પણ માતા-પિતાને પણ સાથે રાખવા તૈયાર નથી હોતા, એવા અનેક કિસ્સાઓ આપણી સામે છે પરંતુ અનેક લોકો એવા પણ હોય છે જેમને દાદા-દાદી પ્રત્યે પ્રેમ હોય છે. ત્યારે આજે એક યુવકની વાત કરવી છે જેણે લગ્નમાં બા દાદાની ગેરહાજરી ન વર્તાય તે માટે તેમની પ્રતિમા બનાવડાઈ. 



સ્ટેજની આગળ પ્રતિમા મૂકવામાં આવી!

આપણે ત્યાં કહેવાય છે કે મૂડી કરતા વ્યાજ વધારે વ્હાલું હોય છે. મતલબ દાદા-દાદી પૌત્ર-પોત્રીને એટલો પ્રેમ કરે છે જેટલો પ્રેમ કદાચ તે પોતાના સંતાનોને નહીં કરતા હોય. અનેક પૌત્ર-પૌત્રીઓ પણ હોય છે જેમને બા દાદા સાથે વધારે ફાવતું હોય છે. ત્યારે અમરેલીના બાબરામાં એક યુવકે પોતાના લગ્નમાં દાદા-દાદીના ગેરહાજરી વર્તાતા બંનેની પ્રતિમા બનાવડાવી છે અને જ્યારે લગ્ન થયા ત્યારે સ્ટેજની સામે તેમને બેસાડ્યા અને તેઓ સાક્ષાત હાજર હોય તેવી અનુભૂતિ થઈ.   

વરરાજાની ઈચ્છા હતી કે તેમની હાજરીમાં લગ્ન થાય પરંતુ... 

અમરેલીના બાબરાના પોપટ પરિવારના મોભી નંદલાલભાઈ પોપટ અને તેમના પત્નીનું થોડા વર્ષો પહેલા અવસાન થયું હતું. બા દાદાના ગયા બાદ નિકુંજના લગ્ન લેવાયા. વરરાજાની ઈચ્છા હતી કે બા-દાદા જીવતા હોય ત્યારે તેમની હાજરીમાં લગ્ન કરવા. પરંતુ તે વખતે મેળ ન પડ્યો. તેમના નિધન બાદ તેમની ગેરહાજરી ન વર્તાય માટે એક અનોખો પ્રયાસ પરિવાર દ્વારા કરવામાં આવ્યો. દાદા-દાદીની હયાતીનો અહેસાસ થાય તે માટે સ્ટેચ્યુ રખાયા. બા-દાદાની પ્રતિમા બનાવડાવી લગ્નના સ્ટેજની સામે જ બેસાડ્યાં હતા.  


બા-દાદા પ્રત્યે પૌત્રનો પ્રેમ દેખાઈ આવ્યો!

નિકુંજના બા-દાદાની આ પ્રતિમા એવી અદ્ભુત રીતે તૈયાર કરવામાં આવી કે લગ્નમાં આવનારને લાગે કે તે પોતે જ બેઠા હોય. પોપટ પરિવારે પણ તેમના આશીર્વાદ મેળવ્યા. બા-દાદાની પ્રતિમા જોઈ પોપટ પરિવારના સભ્યો ભાવુક પણ થઈ ગયા હતા. દાદા-દાદી પ્રત્યે આવો પ્રેમ જોઈ તમે શું કહેશો?   



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી