Amreliના Babraમાં યોજાયા અનોખા લગ્ન, પૌત્રએ દાદા દાદીનું સ્ટેચ્યું બનાવ્યું, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-11 09:51:31

આજની જનરેશનને આપણે મોર્ડન જનરેશન કહીએ છીએ.એવું કહેતા હોઈએ છીએ કે આજની જનરેશન પારિવારીક સંબંધોમાં ઓછું માને છે. પરિવારના સભ્યો સાથે તેમનું આછું બને છે વગેરે વગેરે. માતા-પિતાની ઈજ્જત આજની જનરેશન નથી કરતી તેવી વાતો આપણે સાંભળી હશે, કદાચ આપણામાંથી કોઈએ આ વાક્યનો ઉપયોગ પણ કર્યો હશે. પરંતુ આજની પેઢીમાં પણ અનેક લોકો એવા હોય છે જે સંબંધોનું સન્માન કરે છે. આનું ઉદાહરણ અમરેલીથી સામે આવ્યું છે જેમાં પૌત્રએ પોતાના લગ્નમાં દાદા-દાદીની પ્રતિમા બનાવડાઈ કારણ કે લગ્નમાં તેમની ગેરહાજરી વર્તાઈ રહી હતી. 

લગ્નમાં બા-દાદાની પ્રતિમા બનાવડાઈ!

આ જનરેશનની વાત થાય ત્યારે આપણે ઘણી વખત સાંભળ્યું હશે કે નવી પેઢીને સંબંધોની કદર નથી. વડીલોનું આદર નથી કરતા. તેમનું સન્માન નથી જાળવતા વગેરે વગેરે... એવો એક વર્ગ પણ હશે પરંતુ અનેક વખત એવા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે જે આ વિચારધારાને ખોટી સાબિત કરે છે! આ જનરેશનમાં અનેક લોકો એવા હશે જે દાદા-દાદી તો ઠીક પણ માતા-પિતાને પણ સાથે રાખવા તૈયાર નથી હોતા, એવા અનેક કિસ્સાઓ આપણી સામે છે પરંતુ અનેક લોકો એવા પણ હોય છે જેમને દાદા-દાદી પ્રત્યે પ્રેમ હોય છે. ત્યારે આજે એક યુવકની વાત કરવી છે જેણે લગ્નમાં બા દાદાની ગેરહાજરી ન વર્તાય તે માટે તેમની પ્રતિમા બનાવડાઈ. 



સ્ટેજની આગળ પ્રતિમા મૂકવામાં આવી!

આપણે ત્યાં કહેવાય છે કે મૂડી કરતા વ્યાજ વધારે વ્હાલું હોય છે. મતલબ દાદા-દાદી પૌત્ર-પોત્રીને એટલો પ્રેમ કરે છે જેટલો પ્રેમ કદાચ તે પોતાના સંતાનોને નહીં કરતા હોય. અનેક પૌત્ર-પૌત્રીઓ પણ હોય છે જેમને બા દાદા સાથે વધારે ફાવતું હોય છે. ત્યારે અમરેલીના બાબરામાં એક યુવકે પોતાના લગ્નમાં દાદા-દાદીના ગેરહાજરી વર્તાતા બંનેની પ્રતિમા બનાવડાવી છે અને જ્યારે લગ્ન થયા ત્યારે સ્ટેજની સામે તેમને બેસાડ્યા અને તેઓ સાક્ષાત હાજર હોય તેવી અનુભૂતિ થઈ.   

વરરાજાની ઈચ્છા હતી કે તેમની હાજરીમાં લગ્ન થાય પરંતુ... 

અમરેલીના બાબરાના પોપટ પરિવારના મોભી નંદલાલભાઈ પોપટ અને તેમના પત્નીનું થોડા વર્ષો પહેલા અવસાન થયું હતું. બા દાદાના ગયા બાદ નિકુંજના લગ્ન લેવાયા. વરરાજાની ઈચ્છા હતી કે બા-દાદા જીવતા હોય ત્યારે તેમની હાજરીમાં લગ્ન કરવા. પરંતુ તે વખતે મેળ ન પડ્યો. તેમના નિધન બાદ તેમની ગેરહાજરી ન વર્તાય માટે એક અનોખો પ્રયાસ પરિવાર દ્વારા કરવામાં આવ્યો. દાદા-દાદીની હયાતીનો અહેસાસ થાય તે માટે સ્ટેચ્યુ રખાયા. બા-દાદાની પ્રતિમા બનાવડાવી લગ્નના સ્ટેજની સામે જ બેસાડ્યાં હતા.  


બા-દાદા પ્રત્યે પૌત્રનો પ્રેમ દેખાઈ આવ્યો!

નિકુંજના બા-દાદાની આ પ્રતિમા એવી અદ્ભુત રીતે તૈયાર કરવામાં આવી કે લગ્નમાં આવનારને લાગે કે તે પોતે જ બેઠા હોય. પોપટ પરિવારે પણ તેમના આશીર્વાદ મેળવ્યા. બા-દાદાની પ્રતિમા જોઈ પોપટ પરિવારના સભ્યો ભાવુક પણ થઈ ગયા હતા. દાદા-દાદી પ્રત્યે આવો પ્રેમ જોઈ તમે શું કહેશો?   



પીએમ મોદી ગઈકાલથી ગુજરાતમાં છે. ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદીએ પ્રચાર કર્યો છે. ત્યારે જામનગરમાં તેમણે પ્રચાર કર્યો હતો. સભા પહેલા તે જામસાહેબને મળવા પહોંચ્યા હતા.

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટિકીટ આપવામાં આવી છે તો ઈન્ડિયા ગઠબંધન દ્વારા ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. ત્યારે જમાવટની ટીમે બંને ઉમેદવારને ફોન કરવામાં આવ્યો અને તેમનું વિઝન જાણવાની કોશિશ કરી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમય આપણે એટલો બધો વિતાવીએ છીએ કે આપણને ખબર નથી હોતી. મોબાઈલમાં આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે આપણને આસપાસ શું થાય છે તેની ખબર નથી હોતી. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સોશિયલ મીડિયાની દુનિયાને સમર્પિત રચના..

ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.. ત્યારે રાજ્યના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.. પોરબંદર, ભાવનગર, દીવ, કચ્છ, વલસાડ, કચ્છ, મોરબી, જામનગર સહિતના ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.