અમેરિકામાં થયેલા સ્ટડીએ સૌને ચોંકાવ્યા, સ્ત્રી નામવાળા ચક્રવાત કેટરિના,નરગીસ, સેન્ડી વધુ ખતરનાક અને જીવલેણ સાબિત થયા


  • Published By :
  • Published Date : 2023-06-16 18:49:07

ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વિનાસ વેરનારા ભીષણ વાવાઝોડું બિપોરજોય રાજસ્થાન તરફ આગળ વધી ગયું છે. જો કે આ દરમિયાન અમેરિકામાં પ્રકાશિત થયેલો રસપ્રદ સ્ટડી લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસના નેશનલ એકેડેમી ઓફ સાયન્સના સંશોધકોએ કરેલા આ સંસોધનમાં અમેરિકામાં (1950-2012) દરમિયાન ત્રાટકેલા 10 જેટલા વાવાઝોડાનો સ્ટડી કરવામાં આવ્યો હતો. આ સ્ટડીના અંતે જાણવા મળ્યું કે નારીવાચક વાવાઝોડાઓ વધુ ખતરનાક અને જીવલેણ સાબિત થયા હતા.


60 વર્ષમાં આવેલા ચક્રવાતનો સ્ટડી


અમેરિકાની નેશનલ એકેડેમી ઓફ સાયન્સ દ્વારા 2014માં ચક્રવાતના પુરુષ અને સ્ત્રી આધારિત નામો અંગે એક સંશોધન કરવામાં આવ્યું હતું. જેમાં છેલ્લા 60 વર્ષમાં આવેલા ચક્રવાતનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. સ્ટડીના સંશોધકો દ્વારા કરાયેલા એક સંસોધનમાં, સહભાગીઓએ 10 વાવાઝોડાનો અભ્યાસ કર્યો હતો જેમાં પાંચ સ્ત્રી નામો સાથે અને પાંચ પુરુષ નામો ધરાવતા ચક્રવાત હતા. તેમાં એવું બહાર આવ્યું છે કે અમેરિકામાં, પુરુષોના નામ પર આવેલા ચક્રવાતને કારણે સરેરાશ 15.15 મૃત્યુ થયા હતા, જ્યારે સ્ત્રીઓના નામ પર આવેલા ચક્રવાતને કારણે સરેરાશ 41.84 મૃત્યુ થયા હતા. આ સંશોધન અમેરિકાની નેશનલ એકેડમી ઓફ સાયન્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું.


આ વાવાઝોડા ખતરનાક સાબિત થયા


હરિકેન કેટરિના: 2005માં લ્યુસિયાનામાં ત્રાટકનાર કેટરીના કેટેગરી 5નું હરિકેન હતું. આ ચક્રવાતી તોફાનમાં 1800 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા અને અબજો ડોલરનું નુકસાન થયું.


હરિકેન સેન્ડી: 2012 માં, હરિકેન સેન્ડીએ ન્યુ જર્સીમાં તબાહી મચાવી હતી, તે શ્રેણી 2 નું તોફાન હતું. આ દરમિયાન લગભગ 125 લોકોના મોત થયા હતા અને અબજો ડોલરનું નુકસાન થયું હતું.


ચક્રવાત નરગીસ: તે કેટેગરી 4નું તોફાન હતું જે 2008માં આવ્યું હતું. આમાં એક લાખથી વધુ લોકો માર્યા ગયાની પુષ્ટિ થઈ હતી, આ સિવાય હજારો લોકો તેમના સ્થાનેથી વિસ્થાપિત થયા હતા.


શા માટે Feminine-named hurricanes વધુ ભયાનક?

 

મહિલાઓ સામે પૂર્વગ્રહો સર્વત્ર અસ્તિત્વ ધરાવે છે, પછી ભલે તે વાવાઝોડાઓના નામકરણની વાત પણ કેમ ન હોય. એક સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે નારીવાચક નામ ધરાવતા ચક્રવાત વધુ ઘાતક સાબિત થયા છે. સંશોધકોની એક ટીમે પ્રોસીડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સમાં લખ્યું હતું કે "સ્ત્રી-નામવાળા વાવાઝોડાની તુલનામાં (વિ. પુરૂષવાચી-નામવાળા વાવાઝોડા) નોંધપાત્ર રીતે વધુ મૃત્યુનું કારણ બને છે, દેખીતી રીતે જ તેનું મુખ્ય કારણ એ છે કે તેનું ઓછું આંકવામાં આવતું જોખમ અને પરિણામે તેને લઈ ઓછી તૈયારીઓ છે". 


સ્ટડીના લેખકે શું કહ્યું?


આ સ્ટડીના સહ-લેખક અને અર્બના-કેમ્પેઈન ખાતે યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસના માર્કેટિંગના પ્રોફેસર, શેરોન શવિટ્ટે એક નિવેદનમાં જણાવ્યું કે "તોફાનની તીવ્રતાનું મૂલ્યાંકન કરતી વખતે, પુરુષો અને સ્ત્રીઓ કેવી રીતે વર્તે છે તે વિશે લોકો તેમની માન્યતાઓને લાગુ કરતા જોવા મળે છે," તેમણે વધુમાં જણાવ્યું કે "આનાથી સ્ત્રી-નામવાળું વાવાઝોડું, ખાસ કરીને બેલે અથવા સિન્ડી સ્ત્રીના નામ ધરાવતું વાવાઝોડું નમ્ર અને ઓછું હિંસક લાગતું હતું પણ તેનાથી વિપરીત થયું હતું"  હરિકેન કેટરિના, હરિકેન સેન્ડી, ચક્રવાત નરગીસ આ બાબતના ઉદાહરણો છે. વાવાઝોડાનું નામ સ્ત્રી હોય કે પુરુષ, તમામ ચેતવણીઓને ગંભીરતાથી લઈને તૈયારીઓ કરવી જોઈએ, જેથી મોટી જાનહાનિ ટાળી શકાય.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .