Gujarat પર ઘેરાતા કમોસમી વરસાદના વાદળ! હવામાન વિભાગે કરી માવઠાની આગાહી! જાણો કઈ તારીખે આવી શકે છે મુસીબતનું માવઠું?


  • Published By :
  • Published Date : 2024-01-04 15:41:36

ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનો અહેસાસ થવાનો શરૂ થઈ ગયો છે. અનેક જગ્યાઓનું તાપમાન 15 ડિગ્રીની નીચે પહોંચી ગયું છે. દેશના અનેક ભાગોમાં હિમવર્ષા થઈ રહી છે જેને કારણે ગુજરાતમાં પણ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. તાપમાનનો પારો ગગડતા ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી જેને કારણે વિઝિબિલીટી ઓછી થઈ ગઈ હતી. નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે તેવું લાગી રહ્યું હતું પરંતુ હવામાન વિભાગે કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી છે. ગુજરાતના અનેક ભાગોમાં છુટો છવાયો વરસાદ થઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 

આ જગ્યાઓ પર આવી શકે છે મુસીબતનું માવઠું  

છેલ્લા થોડા દિવસોથી ગુલાબી ઠંડીનો નહીં પરંતુ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઠંડા પવનના સુસવાટા વહી રહ્યા છે. વહેલી સવારે તેમજ રાત્રે તાપમાનનો પારો ગગડી રહ્યો છે. આવનાર દિવસોમાં ઠંડી વધી શકે છે તેવું અનુમાન હતું પરંતુ આવનાર દિવસોમાં કમોસમી વરસાદ આવી શકે છે રાજ્યના અનેક વિસ્તારોમાં તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 8 જાન્યુઆરીએ જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, ડાંગ સહિતના વિસ્તારોમાં માવઠું વરસી શકે છે. તો 9 તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, દાહોદ, અરવલ્લી, રાજકોટ, અમરેલી સહિતના વિસ્તારોમાં માવઠું આવી શકે છે.


જગતના તાતનું વધ્યું ટેન્શન 

ડિસેમ્બરના શરૂઆતમાં જ કમોસમી વરસાદને કારણે જગતનો તાત ચિંતિત બન્યો હતો. પાક બળી ગયા હતા, ખેતરમાં પાણી ભરાઈ ગયા હતા જેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો હતો. વરસાદ જોઈએ ત્યારે સમયસર આવતો નથી અને કમોસમી વરસાદથી ખેડૂતોનું ટેન્શન વધ્યું છે. ત્યારે વરસાદને લઈ કરવામાં આવેલી આગાહી સાચી પડે છે કે નહીં તે જોવું રહ્યું   



સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.

ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.