Gujarat પર ઘેરાતા કમોસમી વરસાદના વાદળ! હવામાન વિભાગે કરી માવઠાની આગાહી! જાણો કઈ તારીખે આવી શકે છે મુસીબતનું માવઠું?


  • Published By :
  • Published Date : 2024-01-04 15:41:36

ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનો અહેસાસ થવાનો શરૂ થઈ ગયો છે. અનેક જગ્યાઓનું તાપમાન 15 ડિગ્રીની નીચે પહોંચી ગયું છે. દેશના અનેક ભાગોમાં હિમવર્ષા થઈ રહી છે જેને કારણે ગુજરાતમાં પણ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. તાપમાનનો પારો ગગડતા ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી જેને કારણે વિઝિબિલીટી ઓછી થઈ ગઈ હતી. નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે તેવું લાગી રહ્યું હતું પરંતુ હવામાન વિભાગે કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી છે. ગુજરાતના અનેક ભાગોમાં છુટો છવાયો વરસાદ થઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 

આ જગ્યાઓ પર આવી શકે છે મુસીબતનું માવઠું  

છેલ્લા થોડા દિવસોથી ગુલાબી ઠંડીનો નહીં પરંતુ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઠંડા પવનના સુસવાટા વહી રહ્યા છે. વહેલી સવારે તેમજ રાત્રે તાપમાનનો પારો ગગડી રહ્યો છે. આવનાર દિવસોમાં ઠંડી વધી શકે છે તેવું અનુમાન હતું પરંતુ આવનાર દિવસોમાં કમોસમી વરસાદ આવી શકે છે રાજ્યના અનેક વિસ્તારોમાં તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 8 જાન્યુઆરીએ જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, ડાંગ સહિતના વિસ્તારોમાં માવઠું વરસી શકે છે. તો 9 તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, દાહોદ, અરવલ્લી, રાજકોટ, અમરેલી સહિતના વિસ્તારોમાં માવઠું આવી શકે છે.


જગતના તાતનું વધ્યું ટેન્શન 

ડિસેમ્બરના શરૂઆતમાં જ કમોસમી વરસાદને કારણે જગતનો તાત ચિંતિત બન્યો હતો. પાક બળી ગયા હતા, ખેતરમાં પાણી ભરાઈ ગયા હતા જેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો હતો. વરસાદ જોઈએ ત્યારે સમયસર આવતો નથી અને કમોસમી વરસાદથી ખેડૂતોનું ટેન્શન વધ્યું છે. ત્યારે વરસાદને લઈ કરવામાં આવેલી આગાહી સાચી પડે છે કે નહીં તે જોવું રહ્યું   



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.