Unseasonal Rain : ખેડૂતોના હાલ બેહાલ! માવઠાને કારણે પાકને થયું વ્યાપક નુકસાન, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-27 09:37:19

ખેડૂતોની ચિંતા વરસાદને કારણે વધી છે. આ વખતનું ચોમાસું એકદમ અનિયમિત અને અનિશ્ચિત હતું જેને કારણે જગતનો તાત ચિંતિત બન્યો હતો. પહેલા વરસાદ ન આવ્યો તેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો અને પછી જ્યારે આવ્યો ત્યારે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ કરતો ગયો. ખેડૂતોનું જીવન વરસાદ પર નિર્ભર રહેલું છે. માપસર વરસાદ આવશે તો ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થશે પરંતુ તેનાથી ઓછો અથવા તો વધારે વરસાદ ખેડૂતોને રડાવીને જતો હોય છે. શિયાળાની સિઝનમાં ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કર્યું છે પરંતુ ગુજરાતમાં ચોમાસાની સિઝન ચાલતી હોય તેવું લાગે છે કારણ કે રાજ્યના અનેક જિલ્લાઓમાં માવઠું વરસી રહ્યું છે. જનજીવન અસ્તવ્યસ્ત થયું છે.  


રવિ પાકને મોટા પાયે માવઠાને કારણે થયું નુકસાન 

હવામાન વિભાગે માવઠાને લઈ આગાહી કરી હતી જે મુજબ ગઈકાલથી કમોસમી વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. અનેક જગ્યાઓ પર વરસાદને કારણે તારાજી સર્જાઈ હતી. જુનાગઢમાં ચાલતી લીલી પરિક્રમામાં ગયેલા ભક્તો અટવાયા હતા જ્યારે બહાર ગયેલા પ્રવાસીઓ પણ વરસાદને કારણે મુશ્કેલીમાં મુકાયા હતા. સૌથી વધારે મુશ્કેલીનો સામનો ખેડૂતોને કરવો પડ્યો છે. રવિ પાકને માવઠાને કારણે મોટા પાયે નુકસાન પહોંચ્યું હોય તેવી ભીતિ સેવાઈ રહી છે. અનેક ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જેણે ખેડૂતોને બેબસ કરી દીધા છે. ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ઘઉં, ચણા, જીરૂ, તુવેર તેમજ કપાસના પાકમાં નુકસાન થયા હોવાની ભીતિ સેવાઈ રહી છે. 


ખેડૂતોની આંખોમાં આસું!

કમોસમી વરસાદને કારણે ઉભા પાકને મોટા પાયે નુકસાન થયું છે જેની સીધી અસર ખેડૂતો પર પડી છે. સમગ્ર ગુજરાતમાં હજારો હેક્ટરમાં ઉભા પાકને વ્યાપક નુકસાન થતાં ખેડૂતો દુખી થયા છે. ખેડૂતોની આંખો ભરાઈ આવી છે. ખેતરમાં કરેલા શાકભાજીને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. પાપડી, ગવાર, રિંગણ સહિતના શાકભાજીને તો નુકસાન પહોંચ્યું છે પરંતુ તુવેર, ઘઉં, ચણા, ડાંગર સહિતના પાકોને પણ નુકસાન થયું છે. મગફળીને પણ મોટા પાયે નુકસાન થયું છે. 



આવનાર સમયમાં વધી શકે છે શાકભાજીના ભાવ!

તે ઉપરાંત જામનગરના બજરંગપૂર ગામમાં વરસાદને કારણે ડુંગળીના પાકને નુકસાન થયું છે.  કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગાજ વીજ સાથે વરસાદ પડવાના કારણે ખેડૂતોને પાકમાં નુકસાની થવાની ભીતી સર્જાઈ છે. મહત્વનું છે કે કુદરતી આફતોની સીધી અસર જગતના તાત પર પડતી હોય છે. મહત્વનું છે કે પાકને થતા નુકસાનની સીધી અસર તેના ભાવ પર પડશે. આવનાર સમયમાં ઘઉં, ચોખા સહિત શાકભાજીના ભાવમાં તોતિંગ ભાવ વધારો થઈ શકે છે તેવું અનુમાન હાલ લગાવવામાં આવી રહ્યું છે.     



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.