Unseasonal Rain : ખેડૂતોના હાલ બેહાલ! માવઠાને કારણે પાકને થયું વ્યાપક નુકસાન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-27 09:37:19

ખેડૂતોની ચિંતા વરસાદને કારણે વધી છે. આ વખતનું ચોમાસું એકદમ અનિયમિત અને અનિશ્ચિત હતું જેને કારણે જગતનો તાત ચિંતિત બન્યો હતો. પહેલા વરસાદ ન આવ્યો તેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો અને પછી જ્યારે આવ્યો ત્યારે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ કરતો ગયો. ખેડૂતોનું જીવન વરસાદ પર નિર્ભર રહેલું છે. માપસર વરસાદ આવશે તો ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થશે પરંતુ તેનાથી ઓછો અથવા તો વધારે વરસાદ ખેડૂતોને રડાવીને જતો હોય છે. શિયાળાની સિઝનમાં ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કર્યું છે પરંતુ ગુજરાતમાં ચોમાસાની સિઝન ચાલતી હોય તેવું લાગે છે કારણ કે રાજ્યના અનેક જિલ્લાઓમાં માવઠું વરસી રહ્યું છે. જનજીવન અસ્તવ્યસ્ત થયું છે.  


રવિ પાકને મોટા પાયે માવઠાને કારણે થયું નુકસાન 

હવામાન વિભાગે માવઠાને લઈ આગાહી કરી હતી જે મુજબ ગઈકાલથી કમોસમી વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. અનેક જગ્યાઓ પર વરસાદને કારણે તારાજી સર્જાઈ હતી. જુનાગઢમાં ચાલતી લીલી પરિક્રમામાં ગયેલા ભક્તો અટવાયા હતા જ્યારે બહાર ગયેલા પ્રવાસીઓ પણ વરસાદને કારણે મુશ્કેલીમાં મુકાયા હતા. સૌથી વધારે મુશ્કેલીનો સામનો ખેડૂતોને કરવો પડ્યો છે. રવિ પાકને માવઠાને કારણે મોટા પાયે નુકસાન પહોંચ્યું હોય તેવી ભીતિ સેવાઈ રહી છે. અનેક ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જેણે ખેડૂતોને બેબસ કરી દીધા છે. ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ઘઉં, ચણા, જીરૂ, તુવેર તેમજ કપાસના પાકમાં નુકસાન થયા હોવાની ભીતિ સેવાઈ રહી છે. 


ખેડૂતોની આંખોમાં આસું!

કમોસમી વરસાદને કારણે ઉભા પાકને મોટા પાયે નુકસાન થયું છે જેની સીધી અસર ખેડૂતો પર પડી છે. સમગ્ર ગુજરાતમાં હજારો હેક્ટરમાં ઉભા પાકને વ્યાપક નુકસાન થતાં ખેડૂતો દુખી થયા છે. ખેડૂતોની આંખો ભરાઈ આવી છે. ખેતરમાં કરેલા શાકભાજીને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. પાપડી, ગવાર, રિંગણ સહિતના શાકભાજીને તો નુકસાન પહોંચ્યું છે પરંતુ તુવેર, ઘઉં, ચણા, ડાંગર સહિતના પાકોને પણ નુકસાન થયું છે. મગફળીને પણ મોટા પાયે નુકસાન થયું છે. 



આવનાર સમયમાં વધી શકે છે શાકભાજીના ભાવ!

તે ઉપરાંત જામનગરના બજરંગપૂર ગામમાં વરસાદને કારણે ડુંગળીના પાકને નુકસાન થયું છે.  કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગાજ વીજ સાથે વરસાદ પડવાના કારણે ખેડૂતોને પાકમાં નુકસાની થવાની ભીતી સર્જાઈ છે. મહત્વનું છે કે કુદરતી આફતોની સીધી અસર જગતના તાત પર પડતી હોય છે. મહત્વનું છે કે પાકને થતા નુકસાનની સીધી અસર તેના ભાવ પર પડશે. આવનાર સમયમાં ઘઉં, ચોખા સહિત શાકભાજીના ભાવમાં તોતિંગ ભાવ વધારો થઈ શકે છે તેવું અનુમાન હાલ લગાવવામાં આવી રહ્યું છે.     



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.