Unseasonal Rain : ખેડૂતોના હાલ બેહાલ! માવઠાને કારણે પાકને થયું વ્યાપક નુકસાન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-27 09:37:19

ખેડૂતોની ચિંતા વરસાદને કારણે વધી છે. આ વખતનું ચોમાસું એકદમ અનિયમિત અને અનિશ્ચિત હતું જેને કારણે જગતનો તાત ચિંતિત બન્યો હતો. પહેલા વરસાદ ન આવ્યો તેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો અને પછી જ્યારે આવ્યો ત્યારે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ કરતો ગયો. ખેડૂતોનું જીવન વરસાદ પર નિર્ભર રહેલું છે. માપસર વરસાદ આવશે તો ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થશે પરંતુ તેનાથી ઓછો અથવા તો વધારે વરસાદ ખેડૂતોને રડાવીને જતો હોય છે. શિયાળાની સિઝનમાં ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કર્યું છે પરંતુ ગુજરાતમાં ચોમાસાની સિઝન ચાલતી હોય તેવું લાગે છે કારણ કે રાજ્યના અનેક જિલ્લાઓમાં માવઠું વરસી રહ્યું છે. જનજીવન અસ્તવ્યસ્ત થયું છે.  


રવિ પાકને મોટા પાયે માવઠાને કારણે થયું નુકસાન 

હવામાન વિભાગે માવઠાને લઈ આગાહી કરી હતી જે મુજબ ગઈકાલથી કમોસમી વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. અનેક જગ્યાઓ પર વરસાદને કારણે તારાજી સર્જાઈ હતી. જુનાગઢમાં ચાલતી લીલી પરિક્રમામાં ગયેલા ભક્તો અટવાયા હતા જ્યારે બહાર ગયેલા પ્રવાસીઓ પણ વરસાદને કારણે મુશ્કેલીમાં મુકાયા હતા. સૌથી વધારે મુશ્કેલીનો સામનો ખેડૂતોને કરવો પડ્યો છે. રવિ પાકને માવઠાને કારણે મોટા પાયે નુકસાન પહોંચ્યું હોય તેવી ભીતિ સેવાઈ રહી છે. અનેક ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જેણે ખેડૂતોને બેબસ કરી દીધા છે. ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ઘઉં, ચણા, જીરૂ, તુવેર તેમજ કપાસના પાકમાં નુકસાન થયા હોવાની ભીતિ સેવાઈ રહી છે. 


ખેડૂતોની આંખોમાં આસું!

કમોસમી વરસાદને કારણે ઉભા પાકને મોટા પાયે નુકસાન થયું છે જેની સીધી અસર ખેડૂતો પર પડી છે. સમગ્ર ગુજરાતમાં હજારો હેક્ટરમાં ઉભા પાકને વ્યાપક નુકસાન થતાં ખેડૂતો દુખી થયા છે. ખેડૂતોની આંખો ભરાઈ આવી છે. ખેતરમાં કરેલા શાકભાજીને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. પાપડી, ગવાર, રિંગણ સહિતના શાકભાજીને તો નુકસાન પહોંચ્યું છે પરંતુ તુવેર, ઘઉં, ચણા, ડાંગર સહિતના પાકોને પણ નુકસાન થયું છે. મગફળીને પણ મોટા પાયે નુકસાન થયું છે. 



આવનાર સમયમાં વધી શકે છે શાકભાજીના ભાવ!

તે ઉપરાંત જામનગરના બજરંગપૂર ગામમાં વરસાદને કારણે ડુંગળીના પાકને નુકસાન થયું છે.  કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગાજ વીજ સાથે વરસાદ પડવાના કારણે ખેડૂતોને પાકમાં નુકસાની થવાની ભીતી સર્જાઈ છે. મહત્વનું છે કે કુદરતી આફતોની સીધી અસર જગતના તાત પર પડતી હોય છે. મહત્વનું છે કે પાકને થતા નુકસાનની સીધી અસર તેના ભાવ પર પડશે. આવનાર સમયમાં ઘઉં, ચોખા સહિત શાકભાજીના ભાવમાં તોતિંગ ભાવ વધારો થઈ શકે છે તેવું અનુમાન હાલ લગાવવામાં આવી રહ્યું છે.     



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી