રાજ્યમાં ભરશિયાળે વરસાદી માહોલ, માવઠાની આગાહીએ જગતના તાતની ચિંતા વધારી


  • Published By :
  • Published Date : 2022-12-14 16:34:19

ગુજરાતના વિવિધ ભાગોમાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાનમાં અચાનક જ પલટો આવતા અમદાવાદના SG હાઈવે, પ્રહલાદનગર સહિતના અનેક વિસ્તારોમાં બપોર પછી વરસાદી છાંટા પડ્યા પડ્યા છે. આ ઉપરાંત રાજ્યનાં અન્ય કેટલાક વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. પંચમહાલ, હિંમતનગર, ડાકોરમાં પણ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે પણ બે દિવસ માવઠાની આગાહી કરી છે.


રાજ્યના આ વિસ્તારોમાં માવઠાની આગાહી


રાજ્યના હવામાન વિભાગે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમને લઇ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, તાપી, ડાંગ તથા ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, રાજકોટમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. માવઠાની આશંકાએ ખેતરમાં ઉભેલા પાક જેવા કે રાજગરો, રાઈડો, તથા શાકભાજીને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.


ઠંડીનું પ્રમાણ ઘટ્યું


રાજ્યના વિવિધ ભાગોમાં તાપમાનનો પારો ઉચકાતાં અચાનક જ ઠંડીનું જોર સાવ ઘટી ગયું છે. તેમ છતાં સુસવાટા મારતો પવન પણ ફૂંકાઇ રહ્યો છે. મંગળવારથી રાજ્યમાં ગરમીની અનુભૂતી થવા લાગી છે. માત્ર બે જ દિવસમાં અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો 6.7 ડિગ્રી ઉંચકાયો છે. મંગળવારે શહેરનું તાપમાન 21.3 ડિગ્રી નોંધાયુ છે. જે રવિવારના રોજ માત્ર 14.6 ડિગ્રી નોંધાયુ હતુ. આ સાથે ડીસામાં 17.5 ડિગ્રી, ગાંધીનગરમાં 20.4 ડિગ્રી અને સુરતમાં 22.5 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.



બનાસકાંઠા લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે. આક્રામક પ્રચાર કરતા ગેનીબેન દેખાય છે ત્યારે પોલીસને લઈ તેણે ફરી એક વાર નિવેદન આપ્યું છે.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની રચના આજે પ્રસ્તુત કરવી છે સાહિત્યના સમીપમાં.. આ રચનામાં મેઘાણી સાહેબે બાળકોની વાત કરી છે જમાવા માટે વલખાં મારવા મજબૂર છે..

ગુજરાતમાં એક તરફ પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ છે તો બીજી તરફ કિરીટ પટેલ દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું જે આગમાં ઘી હોમવાનું કામ કરી શકે છે..

અમદાવાદ પૂર્વ બેઠક માટે ભાજપે હસમુખ પટેલને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત હિંમતસિંહ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આગામી પાંચ વર્ષ દરમિયાન તેઓ પોતાના મતવિસ્તારમાં શું કામ કરશે તે સવાલ જમાવટની ટીમ દ્વારા પૂછવામાં આવ્યો હતો.