રાજ્યમાં ભરશિયાળે વરસાદી માહોલ, માવઠાની આગાહીએ જગતના તાતની ચિંતા વધારી


  • Published By :
  • Published Date : 2022-12-14 16:34:19

ગુજરાતના વિવિધ ભાગોમાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાનમાં અચાનક જ પલટો આવતા અમદાવાદના SG હાઈવે, પ્રહલાદનગર સહિતના અનેક વિસ્તારોમાં બપોર પછી વરસાદી છાંટા પડ્યા પડ્યા છે. આ ઉપરાંત રાજ્યનાં અન્ય કેટલાક વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. પંચમહાલ, હિંમતનગર, ડાકોરમાં પણ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે પણ બે દિવસ માવઠાની આગાહી કરી છે.


રાજ્યના આ વિસ્તારોમાં માવઠાની આગાહી


રાજ્યના હવામાન વિભાગે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમને લઇ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, તાપી, ડાંગ તથા ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, રાજકોટમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. માવઠાની આશંકાએ ખેતરમાં ઉભેલા પાક જેવા કે રાજગરો, રાઈડો, તથા શાકભાજીને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.


ઠંડીનું પ્રમાણ ઘટ્યું


રાજ્યના વિવિધ ભાગોમાં તાપમાનનો પારો ઉચકાતાં અચાનક જ ઠંડીનું જોર સાવ ઘટી ગયું છે. તેમ છતાં સુસવાટા મારતો પવન પણ ફૂંકાઇ રહ્યો છે. મંગળવારથી રાજ્યમાં ગરમીની અનુભૂતી થવા લાગી છે. માત્ર બે જ દિવસમાં અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો 6.7 ડિગ્રી ઉંચકાયો છે. મંગળવારે શહેરનું તાપમાન 21.3 ડિગ્રી નોંધાયુ છે. જે રવિવારના રોજ માત્ર 14.6 ડિગ્રી નોંધાયુ હતુ. આ સાથે ડીસામાં 17.5 ડિગ્રી, ગાંધીનગરમાં 20.4 ડિગ્રી અને સુરતમાં 22.5 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.