રાજ્યમાં ભરશિયાળે વરસાદી માહોલ, માવઠાની આગાહીએ જગતના તાતની ચિંતા વધારી


  • Published By :
  • Published Date : 2022-12-14 16:34:19

ગુજરાતના વિવિધ ભાગોમાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાનમાં અચાનક જ પલટો આવતા અમદાવાદના SG હાઈવે, પ્રહલાદનગર સહિતના અનેક વિસ્તારોમાં બપોર પછી વરસાદી છાંટા પડ્યા પડ્યા છે. આ ઉપરાંત રાજ્યનાં અન્ય કેટલાક વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. પંચમહાલ, હિંમતનગર, ડાકોરમાં પણ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે પણ બે દિવસ માવઠાની આગાહી કરી છે.


રાજ્યના આ વિસ્તારોમાં માવઠાની આગાહી


રાજ્યના હવામાન વિભાગે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમને લઇ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, તાપી, ડાંગ તથા ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, રાજકોટમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. માવઠાની આશંકાએ ખેતરમાં ઉભેલા પાક જેવા કે રાજગરો, રાઈડો, તથા શાકભાજીને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.


ઠંડીનું પ્રમાણ ઘટ્યું


રાજ્યના વિવિધ ભાગોમાં તાપમાનનો પારો ઉચકાતાં અચાનક જ ઠંડીનું જોર સાવ ઘટી ગયું છે. તેમ છતાં સુસવાટા મારતો પવન પણ ફૂંકાઇ રહ્યો છે. મંગળવારથી રાજ્યમાં ગરમીની અનુભૂતી થવા લાગી છે. માત્ર બે જ દિવસમાં અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો 6.7 ડિગ્રી ઉંચકાયો છે. મંગળવારે શહેરનું તાપમાન 21.3 ડિગ્રી નોંધાયુ છે. જે રવિવારના રોજ માત્ર 14.6 ડિગ્રી નોંધાયુ હતુ. આ સાથે ડીસામાં 17.5 ડિગ્રી, ગાંધીનગરમાં 20.4 ડિગ્રી અને સુરતમાં 22.5 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.