રાજ્યમાં કમોસમી વરસાદને લઈ કરવામાં આવી છે આગાહી, 17 માર્ચ સુધી રહેશે વાદળછાયું વાતાવરણ!


  • Published By :
  • Published Date : 2023-03-13 13:38:37

ફરીથી ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 13 માર્ચથી 17 માર્ચ સુધી રાજ્યમાં ઉનાળા દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર પૂર્વીય પવનોના કારણે વાતાવરણમાં પલટો આવશે જે અંતર્ગત અમદાવાદ, પાટણ, દાહોદ, બનાસકાંઠા, સુરત સહિત અનેક જગ્યાઓ પર માવઠાની આગાહી કરવામાં આવી છે. તે સિવાય ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. 


ગાજવીજ સાથે થશે વરસાદ! 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના હવામાનમાં એકાએક પલટો જોવા મળ્યો છે. ઉનાળામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. માવઠાને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. હવામાન વિભાગે ફરી એક વખત કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી છે. 17 જેટલા જિલ્લાઓમાં 13 અને 14 માર્ચના રોજ કમોસમી વરસાદની આગાહી કરી છે. જે મુજબ અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, તાપી, પાટણ, દાહોદ, તાપી, નર્મદા, સુરત, ભરૂચ, છોટા ઉદેપુર, રાજકોટ, જૂનાગઢ સહિત જગ્યાઓ પર વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અનેક જગ્યાઓ પર ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 


13થી 17 માર્ચ વચ્ચે થશે વરસાદ 

હવામાન વિભાગની આગાહી મુજબ 13 અને 14 તારીખ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. ભારે પવનની સાથે વરસાદ વરસી શકે છે. 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. 13 માર્ચે અમદાવાદ, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા, તાપી, નર્મદા, અમરેલી, ભાવનગર, રાજકોટ અને કચ્છમાં કમોસમી વરસાદ વરસી શકે છે.14 માર્ચે નર્મદા, તાપી, અમરેલી, રાજકોટમાં વરસાદ આવશે. તે સિવાય 15 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા. અરવલ્લી, સુરત, તાપી, નવસારી, વલસાજ, અમરેલી, ભાવનગર સહિતની જગ્યાઓ પર વરસાદ થશે. 16 તારીખે બનાસકાંઠા, મહેસાણા, પાટણ, અમરેલી, ભાવનગરમાં વરસાદ થશે. 


ખેડૂતોને સહન કરવો પડી રહ્યો છે આસમાની આફતનો માર 

ઉનાળા દરમિયાન કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. મોટા પાયે ખેડૂતોને નુકસાન થયું છે. પકવેલો પાક નિષ્ફળ જઈ રહ્યો છે અને ઘણી વખત પાકના પોષણસમા ભાવ નથી મળતા. રવિ પાકને મોટા પાયે નુકસાન થયું છે. માવઠાને કારણે રવિ પાક નિષ્ફળ ગયો છે. અવાર-નવાર વરસાદ આવવાને કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઈ છે.        




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.