રાજ્યમાં કમોસમી વરસાદને લઈ કરવામાં આવી છે આગાહી, 17 માર્ચ સુધી રહેશે વાદળછાયું વાતાવરણ!


  • Published By :
  • Published Date : 2023-03-13 13:38:37

ફરીથી ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 13 માર્ચથી 17 માર્ચ સુધી રાજ્યમાં ઉનાળા દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર પૂર્વીય પવનોના કારણે વાતાવરણમાં પલટો આવશે જે અંતર્ગત અમદાવાદ, પાટણ, દાહોદ, બનાસકાંઠા, સુરત સહિત અનેક જગ્યાઓ પર માવઠાની આગાહી કરવામાં આવી છે. તે સિવાય ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. 


ગાજવીજ સાથે થશે વરસાદ! 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના હવામાનમાં એકાએક પલટો જોવા મળ્યો છે. ઉનાળામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. માવઠાને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. હવામાન વિભાગે ફરી એક વખત કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી છે. 17 જેટલા જિલ્લાઓમાં 13 અને 14 માર્ચના રોજ કમોસમી વરસાદની આગાહી કરી છે. જે મુજબ અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, તાપી, પાટણ, દાહોદ, તાપી, નર્મદા, સુરત, ભરૂચ, છોટા ઉદેપુર, રાજકોટ, જૂનાગઢ સહિત જગ્યાઓ પર વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અનેક જગ્યાઓ પર ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 


13થી 17 માર્ચ વચ્ચે થશે વરસાદ 

હવામાન વિભાગની આગાહી મુજબ 13 અને 14 તારીખ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. ભારે પવનની સાથે વરસાદ વરસી શકે છે. 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. 13 માર્ચે અમદાવાદ, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા, તાપી, નર્મદા, અમરેલી, ભાવનગર, રાજકોટ અને કચ્છમાં કમોસમી વરસાદ વરસી શકે છે.14 માર્ચે નર્મદા, તાપી, અમરેલી, રાજકોટમાં વરસાદ આવશે. તે સિવાય 15 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા. અરવલ્લી, સુરત, તાપી, નવસારી, વલસાજ, અમરેલી, ભાવનગર સહિતની જગ્યાઓ પર વરસાદ થશે. 16 તારીખે બનાસકાંઠા, મહેસાણા, પાટણ, અમરેલી, ભાવનગરમાં વરસાદ થશે. 


ખેડૂતોને સહન કરવો પડી રહ્યો છે આસમાની આફતનો માર 

ઉનાળા દરમિયાન કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. મોટા પાયે ખેડૂતોને નુકસાન થયું છે. પકવેલો પાક નિષ્ફળ જઈ રહ્યો છે અને ઘણી વખત પાકના પોષણસમા ભાવ નથી મળતા. રવિ પાકને મોટા પાયે નુકસાન થયું છે. માવઠાને કારણે રવિ પાક નિષ્ફળ ગયો છે. અવાર-નવાર વરસાદ આવવાને કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઈ છે.        




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.