રાજ્યમાં કમોસમી વરસાદને લઈ કરવામાં આવી છે આગાહી, 17 માર્ચ સુધી રહેશે વાદળછાયું વાતાવરણ!


  • Published By :
  • Published Date : 2023-03-13 13:38:37

ફરીથી ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 13 માર્ચથી 17 માર્ચ સુધી રાજ્યમાં ઉનાળા દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર પૂર્વીય પવનોના કારણે વાતાવરણમાં પલટો આવશે જે અંતર્ગત અમદાવાદ, પાટણ, દાહોદ, બનાસકાંઠા, સુરત સહિત અનેક જગ્યાઓ પર માવઠાની આગાહી કરવામાં આવી છે. તે સિવાય ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. 


ગાજવીજ સાથે થશે વરસાદ! 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના હવામાનમાં એકાએક પલટો જોવા મળ્યો છે. ઉનાળામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. માવઠાને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. હવામાન વિભાગે ફરી એક વખત કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી છે. 17 જેટલા જિલ્લાઓમાં 13 અને 14 માર્ચના રોજ કમોસમી વરસાદની આગાહી કરી છે. જે મુજબ અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, તાપી, પાટણ, દાહોદ, તાપી, નર્મદા, સુરત, ભરૂચ, છોટા ઉદેપુર, રાજકોટ, જૂનાગઢ સહિત જગ્યાઓ પર વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અનેક જગ્યાઓ પર ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 


13થી 17 માર્ચ વચ્ચે થશે વરસાદ 

હવામાન વિભાગની આગાહી મુજબ 13 અને 14 તારીખ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. ભારે પવનની સાથે વરસાદ વરસી શકે છે. 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. 13 માર્ચે અમદાવાદ, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા, તાપી, નર્મદા, અમરેલી, ભાવનગર, રાજકોટ અને કચ્છમાં કમોસમી વરસાદ વરસી શકે છે.14 માર્ચે નર્મદા, તાપી, અમરેલી, રાજકોટમાં વરસાદ આવશે. તે સિવાય 15 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા. અરવલ્લી, સુરત, તાપી, નવસારી, વલસાજ, અમરેલી, ભાવનગર સહિતની જગ્યાઓ પર વરસાદ થશે. 16 તારીખે બનાસકાંઠા, મહેસાણા, પાટણ, અમરેલી, ભાવનગરમાં વરસાદ થશે. 


ખેડૂતોને સહન કરવો પડી રહ્યો છે આસમાની આફતનો માર 

ઉનાળા દરમિયાન કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. મોટા પાયે ખેડૂતોને નુકસાન થયું છે. પકવેલો પાક નિષ્ફળ જઈ રહ્યો છે અને ઘણી વખત પાકના પોષણસમા ભાવ નથી મળતા. રવિ પાકને મોટા પાયે નુકસાન થયું છે. માવઠાને કારણે રવિ પાક નિષ્ફળ ગયો છે. અવાર-નવાર વરસાદ આવવાને કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઈ છે.        




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.