રાજ્યના અનેક વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ! ધોધમાર વરસાદને કારણે બગડ્યા ખેડૂતોના પાક! જાણો માવઠાને લઈ શું કરવામાં આવી છે આગાહી


  • Published By :
  • Published Date : 2023-05-01 13:33:23

ગુજરાતમાં કમોસમી વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. છેલ્લા ઘણા દિવસોથી વેસ્ટર્ન ડિસ્ટરબન્સને કારણે રાજ્યમાં ભરઉનાળે વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. માવઠાને કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઉનાળામાં કમોસમી વરસાદ થતાં કેરીના પાકને મોટા પાયે નુકશાન પહોંચ્યું છે. ત્યારે આવનાર દિવસોમાં પણ માવઠાનો માર સહન કરવા ખેડૂતોએ તૈયાર રહેવું પડશે કારણે કમોસમી વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. 


વલસાડમાં પણ વરસ્યો કમોસમી વરસાદ!

રાજ્યના અનેક જિલ્લાઓમાં વૈશાખ મહિનામાં અષાઢી મહિના જેવો માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે ચોમાસુ બેઠું હોય તેવા દ્રશ્યોનું નિર્માણ થયું હતું. અરવલ્લી જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે. તે ઉપરાંત દ્વારકામાં પણ વહેલી સવારે કમોસમી વરસાદ થયો હતો. દ્વારકા જિલ્લાના અનેક ગામોમાં કમોસમી વરસાદ થયો હતો. વલસાડમાં પણ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. 


રાજ્યના અનેક વિસ્તારોમાં વરસી રહ્યો છે કમોસમી વરસાદ!

તે સિવાય કચ્છમાં પણ સતત પાંચમા દિવસે કમોસમી વરસાદ નોંધાયો હતો. ગઈકાલે અમરેલી, રાજુલા, બાબરિયાધાર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો. આજે પણ કમોસમી વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. જે મુજબ ગીર સોમનાથ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. જ્યારે બીજી મે માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા અને સાબરકાંઠા, દક્ષિણ ગુજરાતના ડાંગ અને તાપી તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 


કૃષિમંત્રીએ આપ્યું નિવદેન! 

ઉનાામાં પડી રહેલા કમોસમી વરસાદને લઈને ખેડૂતો રડવા પર મજબૂર બન્યા છે. ખેડૂતો પર કુદરતી આફત તૂટી પડી છે. કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે. એક તરફ પાક નિષ્ફળ જઈ રહ્યો છે તો બીજી તરફ સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવી નથી. ત્યારે આ મામલે કૃષિમંત્રીએ મહત્વની જાહેરાત કરી હતી.           



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.