રાજ્યના અનેક વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ! ધોધમાર વરસાદને કારણે બગડ્યા ખેડૂતોના પાક! જાણો માવઠાને લઈ શું કરવામાં આવી છે આગાહી


  • Published By :
  • Published Date : 2023-05-01 13:33:23

ગુજરાતમાં કમોસમી વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. છેલ્લા ઘણા દિવસોથી વેસ્ટર્ન ડિસ્ટરબન્સને કારણે રાજ્યમાં ભરઉનાળે વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. માવઠાને કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઉનાળામાં કમોસમી વરસાદ થતાં કેરીના પાકને મોટા પાયે નુકશાન પહોંચ્યું છે. ત્યારે આવનાર દિવસોમાં પણ માવઠાનો માર સહન કરવા ખેડૂતોએ તૈયાર રહેવું પડશે કારણે કમોસમી વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. 


વલસાડમાં પણ વરસ્યો કમોસમી વરસાદ!

રાજ્યના અનેક જિલ્લાઓમાં વૈશાખ મહિનામાં અષાઢી મહિના જેવો માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે ચોમાસુ બેઠું હોય તેવા દ્રશ્યોનું નિર્માણ થયું હતું. અરવલ્લી જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે. તે ઉપરાંત દ્વારકામાં પણ વહેલી સવારે કમોસમી વરસાદ થયો હતો. દ્વારકા જિલ્લાના અનેક ગામોમાં કમોસમી વરસાદ થયો હતો. વલસાડમાં પણ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. 


રાજ્યના અનેક વિસ્તારોમાં વરસી રહ્યો છે કમોસમી વરસાદ!

તે સિવાય કચ્છમાં પણ સતત પાંચમા દિવસે કમોસમી વરસાદ નોંધાયો હતો. ગઈકાલે અમરેલી, રાજુલા, બાબરિયાધાર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો. આજે પણ કમોસમી વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. જે મુજબ ગીર સોમનાથ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. જ્યારે બીજી મે માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા અને સાબરકાંઠા, દક્ષિણ ગુજરાતના ડાંગ અને તાપી તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 


કૃષિમંત્રીએ આપ્યું નિવદેન! 

ઉનાામાં પડી રહેલા કમોસમી વરસાદને લઈને ખેડૂતો રડવા પર મજબૂર બન્યા છે. ખેડૂતો પર કુદરતી આફત તૂટી પડી છે. કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે. એક તરફ પાક નિષ્ફળ જઈ રહ્યો છે તો બીજી તરફ સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવી નથી. ત્યારે આ મામલે કૃષિમંત્રીએ મહત્વની જાહેરાત કરી હતી.           



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.