રાજ્યના અનેક વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ! ધોધમાર વરસાદને કારણે બગડ્યા ખેડૂતોના પાક! જાણો માવઠાને લઈ શું કરવામાં આવી છે આગાહી


  • Published By :
  • Published Date : 2023-05-01 13:33:23

ગુજરાતમાં કમોસમી વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. છેલ્લા ઘણા દિવસોથી વેસ્ટર્ન ડિસ્ટરબન્સને કારણે રાજ્યમાં ભરઉનાળે વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. માવઠાને કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઉનાળામાં કમોસમી વરસાદ થતાં કેરીના પાકને મોટા પાયે નુકશાન પહોંચ્યું છે. ત્યારે આવનાર દિવસોમાં પણ માવઠાનો માર સહન કરવા ખેડૂતોએ તૈયાર રહેવું પડશે કારણે કમોસમી વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. 


વલસાડમાં પણ વરસ્યો કમોસમી વરસાદ!

રાજ્યના અનેક જિલ્લાઓમાં વૈશાખ મહિનામાં અષાઢી મહિના જેવો માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે ચોમાસુ બેઠું હોય તેવા દ્રશ્યોનું નિર્માણ થયું હતું. અરવલ્લી જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે. તે ઉપરાંત દ્વારકામાં પણ વહેલી સવારે કમોસમી વરસાદ થયો હતો. દ્વારકા જિલ્લાના અનેક ગામોમાં કમોસમી વરસાદ થયો હતો. વલસાડમાં પણ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. 


રાજ્યના અનેક વિસ્તારોમાં વરસી રહ્યો છે કમોસમી વરસાદ!

તે સિવાય કચ્છમાં પણ સતત પાંચમા દિવસે કમોસમી વરસાદ નોંધાયો હતો. ગઈકાલે અમરેલી, રાજુલા, બાબરિયાધાર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો. આજે પણ કમોસમી વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. જે મુજબ ગીર સોમનાથ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. જ્યારે બીજી મે માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા અને સાબરકાંઠા, દક્ષિણ ગુજરાતના ડાંગ અને તાપી તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 


કૃષિમંત્રીએ આપ્યું નિવદેન! 

ઉનાામાં પડી રહેલા કમોસમી વરસાદને લઈને ખેડૂતો રડવા પર મજબૂર બન્યા છે. ખેડૂતો પર કુદરતી આફત તૂટી પડી છે. કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે. એક તરફ પાક નિષ્ફળ જઈ રહ્યો છે તો બીજી તરફ સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવી નથી. ત્યારે આ મામલે કૃષિમંત્રીએ મહત્વની જાહેરાત કરી હતી.           



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે