રાજ્યના અનેક વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ! ધોધમાર વરસાદને કારણે બગડ્યા ખેડૂતોના પાક! જાણો માવઠાને લઈ શું કરવામાં આવી છે આગાહી


  • Published By :
  • Published Date : 2023-05-01 13:33:23

ગુજરાતમાં કમોસમી વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. છેલ્લા ઘણા દિવસોથી વેસ્ટર્ન ડિસ્ટરબન્સને કારણે રાજ્યમાં ભરઉનાળે વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. માવઠાને કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઉનાળામાં કમોસમી વરસાદ થતાં કેરીના પાકને મોટા પાયે નુકશાન પહોંચ્યું છે. ત્યારે આવનાર દિવસોમાં પણ માવઠાનો માર સહન કરવા ખેડૂતોએ તૈયાર રહેવું પડશે કારણે કમોસમી વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. 


વલસાડમાં પણ વરસ્યો કમોસમી વરસાદ!

રાજ્યના અનેક જિલ્લાઓમાં વૈશાખ મહિનામાં અષાઢી મહિના જેવો માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે ચોમાસુ બેઠું હોય તેવા દ્રશ્યોનું નિર્માણ થયું હતું. અરવલ્લી જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે. તે ઉપરાંત દ્વારકામાં પણ વહેલી સવારે કમોસમી વરસાદ થયો હતો. દ્વારકા જિલ્લાના અનેક ગામોમાં કમોસમી વરસાદ થયો હતો. વલસાડમાં પણ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. 


રાજ્યના અનેક વિસ્તારોમાં વરસી રહ્યો છે કમોસમી વરસાદ!

તે સિવાય કચ્છમાં પણ સતત પાંચમા દિવસે કમોસમી વરસાદ નોંધાયો હતો. ગઈકાલે અમરેલી, રાજુલા, બાબરિયાધાર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો. આજે પણ કમોસમી વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. જે મુજબ ગીર સોમનાથ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. જ્યારે બીજી મે માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા અને સાબરકાંઠા, દક્ષિણ ગુજરાતના ડાંગ અને તાપી તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 


કૃષિમંત્રીએ આપ્યું નિવદેન! 

ઉનાામાં પડી રહેલા કમોસમી વરસાદને લઈને ખેડૂતો રડવા પર મજબૂર બન્યા છે. ખેડૂતો પર કુદરતી આફત તૂટી પડી છે. કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે. એક તરફ પાક નિષ્ફળ જઈ રહ્યો છે તો બીજી તરફ સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવી નથી. ત્યારે આ મામલે કૃષિમંત્રીએ મહત્વની જાહેરાત કરી હતી.           



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.