માવઠાએ મજા બગાડી, આંબા પર આવેલો મોર ખરી પડતા કેરીના પાકને જબરદસ્ત નુકસાન, કેરી મોંઘી થવાની ભીતિ


  • Published By :
  • Published Date : 2023-03-07 13:59:01

સમગ્ર રાજ્યમાં માવઠાના કારણે ભરઉનાળે અષાઢી માહોલ જોવા મળે છે. આ કમોસમી વરસાદ ખેડૂતો પર તો જાણે આસમાની આફત બનીને ત્રાટક્યો છે. માવઠાંના કારણે ઘઉં, કપાસ, રાયડો ઉપરાંત કેરીના પાકને જબરદસ્ત નુકસાન થયું છે. સુસવાટા મારતા પવન અને ઘોધમાર કમોસમી વરસાદે આંબા પર આવેલા મોરને ખેરવી નાખ્યો છે. સ્થિતી એવી સર્જાઈ છે કે આંબા પર ખીલેલા ફૂલ અને ખાખડી તૂટી પડતા મબલખ પાકની આશા ઠગારી નીવડી છે. 


શું કેરી મોંઘી થશે?


સૌરાષ્ટ્રમાં કેરીનું મબલખ ઉત્પાદન થાય છે, તેમાં પણ તલાલાની કેસર કેરી જગવિખ્યાત છે. જો કે વાવાઝોડા સાથે થયેલા કમોસમી વરસાદે કેરીના પાકને નષ્ટ કરી દીધો છે. કેરીના પાકનો મોર આવવાના સમયે વરસાદ પડે ત્યારે નુકસાન થવાની સંભાવના વધુ રહે છે. જેના કારણે કેરી મોંઘી થવાની ભીતિ છે. કેરીનું ઉત્પાદન કરતા ખેડૂતોએ સરકાર સર્વે કરી યોગ્ય વળતર આપે તેવી માંગ કરી છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.