માવઠાએ મજા બગાડી, આંબા પર આવેલો મોર ખરી પડતા કેરીના પાકને જબરદસ્ત નુકસાન, કેરી મોંઘી થવાની ભીતિ


  • Published By :
  • Published Date : 2023-03-07 13:59:01

સમગ્ર રાજ્યમાં માવઠાના કારણે ભરઉનાળે અષાઢી માહોલ જોવા મળે છે. આ કમોસમી વરસાદ ખેડૂતો પર તો જાણે આસમાની આફત બનીને ત્રાટક્યો છે. માવઠાંના કારણે ઘઉં, કપાસ, રાયડો ઉપરાંત કેરીના પાકને જબરદસ્ત નુકસાન થયું છે. સુસવાટા મારતા પવન અને ઘોધમાર કમોસમી વરસાદે આંબા પર આવેલા મોરને ખેરવી નાખ્યો છે. સ્થિતી એવી સર્જાઈ છે કે આંબા પર ખીલેલા ફૂલ અને ખાખડી તૂટી પડતા મબલખ પાકની આશા ઠગારી નીવડી છે. 


શું કેરી મોંઘી થશે?


સૌરાષ્ટ્રમાં કેરીનું મબલખ ઉત્પાદન થાય છે, તેમાં પણ તલાલાની કેસર કેરી જગવિખ્યાત છે. જો કે વાવાઝોડા સાથે થયેલા કમોસમી વરસાદે કેરીના પાકને નષ્ટ કરી દીધો છે. કેરીના પાકનો મોર આવવાના સમયે વરસાદ પડે ત્યારે નુકસાન થવાની સંભાવના વધુ રહે છે. જેના કારણે કેરી મોંઘી થવાની ભીતિ છે. કેરીનું ઉત્પાદન કરતા ખેડૂતોએ સરકાર સર્વે કરી યોગ્ય વળતર આપે તેવી માંગ કરી છે. 



ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ આપણી અનેક વખત એવા દ્રશ્યો સામે આવતા હોય છે જેમાં આ કાયદાના લીરેલીરો ઉડતા હોય છે. ત્યારે કચ્છના ગાંધીધામથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં દેશી દારૂનો અડ્ડો ધમધમી રહ્યો છે.

સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરે ઉમેદવારી પાછી ખેંચી લીધી જેને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે. અલગ અલગ જગ્યાઓ પર વિરોધ કરવામાં આવ્યો તેમના સમર્થકો દ્વારા. ત્યારે વિવાદને શાંત કરવા માટે ભાજપે કવાયત શરૂ કરી દીધી છે જેના ભાગરૂપે હર્ષ સંઘવી સાબરકાંઠાના પ્રવાસે ગયા છે.

બેરોજગારીનું દર ભારતમાં પ્રતિવર્ષ વધી રહ્યું છે. શિક્ષિત યુવકો બેરોજગારો વધારે નોંધાયા છે. બેરોજગારોમાં શિક્ષિત લોકોની ટકાવારી સૌથી વધારે છે. આવનાર સમયમાં આ બેરોજગારી દર વધારે વધી પણ શકે છે.

ગુજરાતના અનેક સાંસદોના પત્તા ભારતીય જનતા પાર્ટી દ્વારા કાપવામાં આવી છે. અમુક સાંસદોને જ રિપીટ કરવામાં આવ્યા છે. સાંસદોનું રિપોર્ટ કાર્ડ જોઈએ તો જે સાંસદોએ સંસદમાં ઓછા પ્રશ્ન પૂછ્યા છે તેમને ટિકીટ આપવામાં આવી છે.