રાજ્યમાં ભર શિયાળે અષાઢી માહોલ, રાજ્યના 9 જિલ્લામાં માવઠું અને કરાવર્ષાથી જનજીવન ખોરવાયું


  • Published By :
  • Published Date : 2023-01-28 20:25:35

રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયા કરતા વધુ સમયથી ગાત્રો થીજાવતી ઠંડી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે અમદાવાદ સહિત સુરત, વડોદરા સહિતના રાજ્યના વિવિધ શહેરોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. 


અમદાવાદમાં વરસાદી ઝાપટું


અમદાવાદમાં વાદળોની ગર્જના સાથે વરસાદી ઝાપટું પડતા રોડ સાઈડમાં પાણી ભરાયાં હતા. શહેરના મણિનગર, ઈસનપુર, નારોલમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો. આ સાથે જ 3 વાગ્યાની આસપાસ ફરી મેઘરાજાએ એન્ટ્રી મારતા જશોદાનગર નવી વસાહત વિસ્તારમાં કરા પડ્યા હતા અને ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા હતા. માવઠાએ લગ્નની મજા બગાડી હતી. આ જ પ્રકારે પશ્ચિમ વિસ્તારમાં ગુજરાત યુનિવર્સિટી, નવરંગપુરા, આશ્રમ રોડ, ઉસ્માનપુરા, પાલડી સહિતના વિસ્તારમાં તડકામાં વરસાદ શરૂ થતા રોડ પરથી પાણી વહેવા લાગ્યું હતું. શહેરમાં કમોસમી વરસાદ પડતા લોકોએ ડબલ સીઝનનો અનુભવ કર્યો હતો.


રાજ્યના આ જિલ્લાઓમાં માવઠું


હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી તેના પગલે રાજ્યના અમદાવાદ, ભાવનગર, આણંદ, ખેડા, દાહોદ, અરવલ્લી અને પંચમહાલ સહિતના પથંકમાં આજે વહેલી સવારે માવઠું પડ્યું હતું, જેથી લોકોને બેવડી ઋતુનો અનુભવ થયો હતો તેમજ ખેડૂતોના ઊભા પાકમાં પણ નુકસાનની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ પૂર્વના કેટલાક વિસ્તારમાં માવઠાની સાથે કરાવર્ષા પણ થઈ હતી.


ખેડૂતોની ચિંતા વધી


વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના કેટલાક જિલ્લામાં છુટોછવાયો કમોસમી વરસાદ પડતાં તમાકુ, ડાંગર, ઘઉં, બાજરી, ચણા, કપાસ, જીરૂ અને લીલા શાકભાજીના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. માવઠાથી શિયાળુ પાકને નુકસાન થઇ શકે છે,  કમોસમી વરસાદના કારણે ધરતીપુત્રોની ચિંતા વધી છે 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.