રાજ્યમાં ભર શિયાળે અષાઢી માહોલ, રાજ્યના 9 જિલ્લામાં માવઠું અને કરાવર્ષાથી જનજીવન ખોરવાયું


  • Published By :
  • Published Date : 2023-01-28 20:25:35

રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયા કરતા વધુ સમયથી ગાત્રો થીજાવતી ઠંડી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે અમદાવાદ સહિત સુરત, વડોદરા સહિતના રાજ્યના વિવિધ શહેરોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. 


અમદાવાદમાં વરસાદી ઝાપટું


અમદાવાદમાં વાદળોની ગર્જના સાથે વરસાદી ઝાપટું પડતા રોડ સાઈડમાં પાણી ભરાયાં હતા. શહેરના મણિનગર, ઈસનપુર, નારોલમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો. આ સાથે જ 3 વાગ્યાની આસપાસ ફરી મેઘરાજાએ એન્ટ્રી મારતા જશોદાનગર નવી વસાહત વિસ્તારમાં કરા પડ્યા હતા અને ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા હતા. માવઠાએ લગ્નની મજા બગાડી હતી. આ જ પ્રકારે પશ્ચિમ વિસ્તારમાં ગુજરાત યુનિવર્સિટી, નવરંગપુરા, આશ્રમ રોડ, ઉસ્માનપુરા, પાલડી સહિતના વિસ્તારમાં તડકામાં વરસાદ શરૂ થતા રોડ પરથી પાણી વહેવા લાગ્યું હતું. શહેરમાં કમોસમી વરસાદ પડતા લોકોએ ડબલ સીઝનનો અનુભવ કર્યો હતો.


રાજ્યના આ જિલ્લાઓમાં માવઠું


હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી તેના પગલે રાજ્યના અમદાવાદ, ભાવનગર, આણંદ, ખેડા, દાહોદ, અરવલ્લી અને પંચમહાલ સહિતના પથંકમાં આજે વહેલી સવારે માવઠું પડ્યું હતું, જેથી લોકોને બેવડી ઋતુનો અનુભવ થયો હતો તેમજ ખેડૂતોના ઊભા પાકમાં પણ નુકસાનની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ પૂર્વના કેટલાક વિસ્તારમાં માવઠાની સાથે કરાવર્ષા પણ થઈ હતી.


ખેડૂતોની ચિંતા વધી


વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના કેટલાક જિલ્લામાં છુટોછવાયો કમોસમી વરસાદ પડતાં તમાકુ, ડાંગર, ઘઉં, બાજરી, ચણા, કપાસ, જીરૂ અને લીલા શાકભાજીના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. માવઠાથી શિયાળુ પાકને નુકસાન થઇ શકે છે,  કમોસમી વરસાદના કારણે ધરતીપુત્રોની ચિંતા વધી છે 



લોકસભા ચૂંટણી માટે આજે દેશમાં પ્રથમ તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. 102 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે અને 1600થી વધારે ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થવાના છે. 21 રાજ્યોમાં આજે મતદાન થઈ રહ્યું છે. અનેક મોટા ચહેરાઓના ભાવિ આજે મતદાતાઓ નક્કી કરવાના છે..

અમદાવાદ ખાતે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. અમિત શાહને ગુજરાતમાં ચાલી રહેલા પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજના વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ચેનલના રિપોર્ટર દ્વારા ત્યારે તેમણે કહ્યું કે રૂપાલાનો વિરોધ ક્યાંય થઈ જ નથી રહ્યો....!

ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે કારણ કે ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. વાઘોડિયા બેઠક પર ત્રિ પાંખીયો જંગ જામવાનો છે કારણ કે દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે આજે અપક્ષ ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવી છે...

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. નેતાઓ દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચૂંટણીને અનુલક્ષીને લખાયેલા કવિતા... લોલીપોપની લ્હાણી..