રાજ્યમાં ભર શિયાળે અષાઢી માહોલ, રાજ્યના 9 જિલ્લામાં માવઠું અને કરાવર્ષાથી જનજીવન ખોરવાયું


  • Published By :
  • Published Date : 2023-01-28 20:25:35

રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયા કરતા વધુ સમયથી ગાત્રો થીજાવતી ઠંડી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે અમદાવાદ સહિત સુરત, વડોદરા સહિતના રાજ્યના વિવિધ શહેરોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. 


અમદાવાદમાં વરસાદી ઝાપટું


અમદાવાદમાં વાદળોની ગર્જના સાથે વરસાદી ઝાપટું પડતા રોડ સાઈડમાં પાણી ભરાયાં હતા. શહેરના મણિનગર, ઈસનપુર, નારોલમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો. આ સાથે જ 3 વાગ્યાની આસપાસ ફરી મેઘરાજાએ એન્ટ્રી મારતા જશોદાનગર નવી વસાહત વિસ્તારમાં કરા પડ્યા હતા અને ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા હતા. માવઠાએ લગ્નની મજા બગાડી હતી. આ જ પ્રકારે પશ્ચિમ વિસ્તારમાં ગુજરાત યુનિવર્સિટી, નવરંગપુરા, આશ્રમ રોડ, ઉસ્માનપુરા, પાલડી સહિતના વિસ્તારમાં તડકામાં વરસાદ શરૂ થતા રોડ પરથી પાણી વહેવા લાગ્યું હતું. શહેરમાં કમોસમી વરસાદ પડતા લોકોએ ડબલ સીઝનનો અનુભવ કર્યો હતો.


રાજ્યના આ જિલ્લાઓમાં માવઠું


હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી તેના પગલે રાજ્યના અમદાવાદ, ભાવનગર, આણંદ, ખેડા, દાહોદ, અરવલ્લી અને પંચમહાલ સહિતના પથંકમાં આજે વહેલી સવારે માવઠું પડ્યું હતું, જેથી લોકોને બેવડી ઋતુનો અનુભવ થયો હતો તેમજ ખેડૂતોના ઊભા પાકમાં પણ નુકસાનની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ પૂર્વના કેટલાક વિસ્તારમાં માવઠાની સાથે કરાવર્ષા પણ થઈ હતી.


ખેડૂતોની ચિંતા વધી


વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના કેટલાક જિલ્લામાં છુટોછવાયો કમોસમી વરસાદ પડતાં તમાકુ, ડાંગર, ઘઉં, બાજરી, ચણા, કપાસ, જીરૂ અને લીલા શાકભાજીના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. માવઠાથી શિયાળુ પાકને નુકસાન થઇ શકે છે,  કમોસમી વરસાદના કારણે ધરતીપુત્રોની ચિંતા વધી છે 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.