રાજ્યમાં ભર શિયાળે અષાઢી માહોલ, રાજ્યના 9 જિલ્લામાં માવઠું અને કરાવર્ષાથી જનજીવન ખોરવાયું


  • Published By :
  • Published Date : 2023-01-28 20:25:35

રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયા કરતા વધુ સમયથી ગાત્રો થીજાવતી ઠંડી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે અમદાવાદ સહિત સુરત, વડોદરા સહિતના રાજ્યના વિવિધ શહેરોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. 


અમદાવાદમાં વરસાદી ઝાપટું


અમદાવાદમાં વાદળોની ગર્જના સાથે વરસાદી ઝાપટું પડતા રોડ સાઈડમાં પાણી ભરાયાં હતા. શહેરના મણિનગર, ઈસનપુર, નારોલમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો. આ સાથે જ 3 વાગ્યાની આસપાસ ફરી મેઘરાજાએ એન્ટ્રી મારતા જશોદાનગર નવી વસાહત વિસ્તારમાં કરા પડ્યા હતા અને ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા હતા. માવઠાએ લગ્નની મજા બગાડી હતી. આ જ પ્રકારે પશ્ચિમ વિસ્તારમાં ગુજરાત યુનિવર્સિટી, નવરંગપુરા, આશ્રમ રોડ, ઉસ્માનપુરા, પાલડી સહિતના વિસ્તારમાં તડકામાં વરસાદ શરૂ થતા રોડ પરથી પાણી વહેવા લાગ્યું હતું. શહેરમાં કમોસમી વરસાદ પડતા લોકોએ ડબલ સીઝનનો અનુભવ કર્યો હતો.


રાજ્યના આ જિલ્લાઓમાં માવઠું


હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી તેના પગલે રાજ્યના અમદાવાદ, ભાવનગર, આણંદ, ખેડા, દાહોદ, અરવલ્લી અને પંચમહાલ સહિતના પથંકમાં આજે વહેલી સવારે માવઠું પડ્યું હતું, જેથી લોકોને બેવડી ઋતુનો અનુભવ થયો હતો તેમજ ખેડૂતોના ઊભા પાકમાં પણ નુકસાનની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ પૂર્વના કેટલાક વિસ્તારમાં માવઠાની સાથે કરાવર્ષા પણ થઈ હતી.


ખેડૂતોની ચિંતા વધી


વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના કેટલાક જિલ્લામાં છુટોછવાયો કમોસમી વરસાદ પડતાં તમાકુ, ડાંગર, ઘઉં, બાજરી, ચણા, કપાસ, જીરૂ અને લીલા શાકભાજીના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. માવઠાથી શિયાળુ પાકને નુકસાન થઇ શકે છે,  કમોસમી વરસાદના કારણે ધરતીપુત્રોની ચિંતા વધી છે 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.