રાજ્યમાં ભરઉનાળે અષાઢી માહોલ, આસમાની આફત બનીને ત્રાટક્યું માવઠું, હજુ પણ બે દિવસ કમોસમી વરસાદ


  • Published By :
  • Published Date : 2023-03-19 12:51:01

રાજ્યમાં માવઠાના કારણે ભરઉનાળે અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગઈકાલે રાજ્યના વિવિઘ ભાગોમાં છેલ્લા 24 કલાકમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો તો ક્યાંક ભારે પવન ફુંકાયો હતો. રાજ્યમાં 81 તાલુકામાં કમોસમી વરસાદ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. જગતના તાતે મહામહેનતે ખેતરમાં ઉગાડેલો પાક નષ્ટ થતા તેના માટે તો આ માવઠું આસમાની આફત સાબીત થયું છે. અત્રે ઉલ્લેખનિય છે કે કમોસમી વરસાદની દરમિયાન વીજળી પડવાથી રાજ્યમાં 5 લોકોના મૃત્યુ થયા છે. 


કયા કેટલો વરસાદ થયો?


કચ્છના ભૂજમાં સૌથી વધુ 2 ઇંચ કમોસમી વરસાદ પડ્યો છે. પાટણના સરસ્વતી તાલુકામાં પોણા 2 ઇંચ કમોસમી વરસાદ વરસ્યો છે.અમદાવાદના માંડલમાં પોણા બે ઇંચ કમોસમી વરસાદ થયો.બનાસકાંઠામાં મોટા ભાગના તાલુકામાં એક ઇંચ વરસાદ, હિંમતનગર તાલુકામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો તો ધનસુરા સિદ્ધપુર, ડીસા, દાંતા અને ઇડરમાં પણ એક-એક ઇંચ વરસાદ ખાબક્યો. બેચરાજી, માંડવી પાટણ, વડ઼ગામમાં પણ અડધો-અડઘો ઇંચ વરસાદ પડ્યો છે. ઉપરાંત મોડાસા સૂઇગામ માંગરોલ, દાહોદ, જાંબુઘોડામાં પણ અડધો-અડધો ઇંચ વરસાદ પડ્યો છે. તે ઉપરાંત અન્ય 61 તાલુકામાં હળવાથી સામાન્ય વરસાદ પડ્યાંના સમાચાર છે.અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. 


ખેતીના પાકને નુકસાન


રાજ્યમાં છેલ્લા બે દિવસથી સતત વરસતાં વરસાદના કારણે ઘઉં, જીરૂ, રાયડો,  એરંડા, મકાઇ, ઉપરાંત કેરી, તરબૂચ,ચીકુ સહિતના બાગાયતી પાકને પણ પારાવાર નુકસાન થયું છે. માવઠાના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. કમોસમી વરસાદ પડતાં રાજ્યના ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. 


કેસર કેરીના ભાવ આસમાને


સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ, રાજકોટ સહિતના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદે કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન પહોચાડ્યું છે. સતત બે વખત કમોસમી વરસાદના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થઇ રહ્યું છે. કેરીના પાકમાં નુકસાન થતા કેરીના ભાવ આસમાને પહોંચ્યા છે, ગત વર્ષ કરતાં પણ આ વર્ષે કેરીના ભાવ આસમાને પહોંચે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકોટ શહેરમાં એક કિલો કેરીના ભાવ 350 થી 400 રૂપિયા છે. કેરીના ભાવ ઊંચા હોવા છતાં પણ કેરીની ગુણવત્તા સારી રહી નથી. 


હજુ બે દિવસ કમોસમી વરસાદ


હવામાન વિભાગ દ્વારા વધુ એક માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં હજુ બે દિવસ વરસાદી માહોલ રહેશે. રાજ્યના કચ્છ, ભાવનગર, અમરેલી, બનાસકાંઠામાં સામાન્ય વરસાદ વરસી શકે છે. તો સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, નર્મદામાં પણ વરસાદી છાંટા પડી શકે છે. દાહોદ, તાપી, ડાંગમાં વરસાદી માવઠું થઈ શકે છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.