રાજ્યમાં ભરઉનાળે અષાઢી માહોલ, આસમાની આફત બનીને ત્રાટક્યું માવઠું, હજુ પણ બે દિવસ કમોસમી વરસાદ


  • Published By :
  • Published Date : 2023-03-19 12:51:01

રાજ્યમાં માવઠાના કારણે ભરઉનાળે અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગઈકાલે રાજ્યના વિવિઘ ભાગોમાં છેલ્લા 24 કલાકમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો તો ક્યાંક ભારે પવન ફુંકાયો હતો. રાજ્યમાં 81 તાલુકામાં કમોસમી વરસાદ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. જગતના તાતે મહામહેનતે ખેતરમાં ઉગાડેલો પાક નષ્ટ થતા તેના માટે તો આ માવઠું આસમાની આફત સાબીત થયું છે. અત્રે ઉલ્લેખનિય છે કે કમોસમી વરસાદની દરમિયાન વીજળી પડવાથી રાજ્યમાં 5 લોકોના મૃત્યુ થયા છે. 


કયા કેટલો વરસાદ થયો?


કચ્છના ભૂજમાં સૌથી વધુ 2 ઇંચ કમોસમી વરસાદ પડ્યો છે. પાટણના સરસ્વતી તાલુકામાં પોણા 2 ઇંચ કમોસમી વરસાદ વરસ્યો છે.અમદાવાદના માંડલમાં પોણા બે ઇંચ કમોસમી વરસાદ થયો.બનાસકાંઠામાં મોટા ભાગના તાલુકામાં એક ઇંચ વરસાદ, હિંમતનગર તાલુકામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો તો ધનસુરા સિદ્ધપુર, ડીસા, દાંતા અને ઇડરમાં પણ એક-એક ઇંચ વરસાદ ખાબક્યો. બેચરાજી, માંડવી પાટણ, વડ઼ગામમાં પણ અડધો-અડઘો ઇંચ વરસાદ પડ્યો છે. ઉપરાંત મોડાસા સૂઇગામ માંગરોલ, દાહોદ, જાંબુઘોડામાં પણ અડધો-અડધો ઇંચ વરસાદ પડ્યો છે. તે ઉપરાંત અન્ય 61 તાલુકામાં હળવાથી સામાન્ય વરસાદ પડ્યાંના સમાચાર છે.અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. 


ખેતીના પાકને નુકસાન


રાજ્યમાં છેલ્લા બે દિવસથી સતત વરસતાં વરસાદના કારણે ઘઉં, જીરૂ, રાયડો,  એરંડા, મકાઇ, ઉપરાંત કેરી, તરબૂચ,ચીકુ સહિતના બાગાયતી પાકને પણ પારાવાર નુકસાન થયું છે. માવઠાના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. કમોસમી વરસાદ પડતાં રાજ્યના ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. 


કેસર કેરીના ભાવ આસમાને


સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ, રાજકોટ સહિતના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદે કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન પહોચાડ્યું છે. સતત બે વખત કમોસમી વરસાદના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થઇ રહ્યું છે. કેરીના પાકમાં નુકસાન થતા કેરીના ભાવ આસમાને પહોંચ્યા છે, ગત વર્ષ કરતાં પણ આ વર્ષે કેરીના ભાવ આસમાને પહોંચે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકોટ શહેરમાં એક કિલો કેરીના ભાવ 350 થી 400 રૂપિયા છે. કેરીના ભાવ ઊંચા હોવા છતાં પણ કેરીની ગુણવત્તા સારી રહી નથી. 


હજુ બે દિવસ કમોસમી વરસાદ


હવામાન વિભાગ દ્વારા વધુ એક માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં હજુ બે દિવસ વરસાદી માહોલ રહેશે. રાજ્યના કચ્છ, ભાવનગર, અમરેલી, બનાસકાંઠામાં સામાન્ય વરસાદ વરસી શકે છે. તો સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, નર્મદામાં પણ વરસાદી છાંટા પડી શકે છે. દાહોદ, તાપી, ડાંગમાં વરસાદી માવઠું થઈ શકે છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.