રાજ્યમાં ભરઉનાળે અષાઢી માહોલ, આસમાની આફત બનીને ત્રાટક્યું માવઠું, હજુ પણ બે દિવસ કમોસમી વરસાદ


  • Published By :
  • Published Date : 2023-03-19 12:51:01

રાજ્યમાં માવઠાના કારણે ભરઉનાળે અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગઈકાલે રાજ્યના વિવિઘ ભાગોમાં છેલ્લા 24 કલાકમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો તો ક્યાંક ભારે પવન ફુંકાયો હતો. રાજ્યમાં 81 તાલુકામાં કમોસમી વરસાદ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. જગતના તાતે મહામહેનતે ખેતરમાં ઉગાડેલો પાક નષ્ટ થતા તેના માટે તો આ માવઠું આસમાની આફત સાબીત થયું છે. અત્રે ઉલ્લેખનિય છે કે કમોસમી વરસાદની દરમિયાન વીજળી પડવાથી રાજ્યમાં 5 લોકોના મૃત્યુ થયા છે. 


કયા કેટલો વરસાદ થયો?


કચ્છના ભૂજમાં સૌથી વધુ 2 ઇંચ કમોસમી વરસાદ પડ્યો છે. પાટણના સરસ્વતી તાલુકામાં પોણા 2 ઇંચ કમોસમી વરસાદ વરસ્યો છે.અમદાવાદના માંડલમાં પોણા બે ઇંચ કમોસમી વરસાદ થયો.બનાસકાંઠામાં મોટા ભાગના તાલુકામાં એક ઇંચ વરસાદ, હિંમતનગર તાલુકામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો તો ધનસુરા સિદ્ધપુર, ડીસા, દાંતા અને ઇડરમાં પણ એક-એક ઇંચ વરસાદ ખાબક્યો. બેચરાજી, માંડવી પાટણ, વડ઼ગામમાં પણ અડધો-અડઘો ઇંચ વરસાદ પડ્યો છે. ઉપરાંત મોડાસા સૂઇગામ માંગરોલ, દાહોદ, જાંબુઘોડામાં પણ અડધો-અડધો ઇંચ વરસાદ પડ્યો છે. તે ઉપરાંત અન્ય 61 તાલુકામાં હળવાથી સામાન્ય વરસાદ પડ્યાંના સમાચાર છે.અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. 


ખેતીના પાકને નુકસાન


રાજ્યમાં છેલ્લા બે દિવસથી સતત વરસતાં વરસાદના કારણે ઘઉં, જીરૂ, રાયડો,  એરંડા, મકાઇ, ઉપરાંત કેરી, તરબૂચ,ચીકુ સહિતના બાગાયતી પાકને પણ પારાવાર નુકસાન થયું છે. માવઠાના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. કમોસમી વરસાદ પડતાં રાજ્યના ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. 


કેસર કેરીના ભાવ આસમાને


સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ, રાજકોટ સહિતના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદે કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન પહોચાડ્યું છે. સતત બે વખત કમોસમી વરસાદના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થઇ રહ્યું છે. કેરીના પાકમાં નુકસાન થતા કેરીના ભાવ આસમાને પહોંચ્યા છે, ગત વર્ષ કરતાં પણ આ વર્ષે કેરીના ભાવ આસમાને પહોંચે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકોટ શહેરમાં એક કિલો કેરીના ભાવ 350 થી 400 રૂપિયા છે. કેરીના ભાવ ઊંચા હોવા છતાં પણ કેરીની ગુણવત્તા સારી રહી નથી. 


હજુ બે દિવસ કમોસમી વરસાદ


હવામાન વિભાગ દ્વારા વધુ એક માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં હજુ બે દિવસ વરસાદી માહોલ રહેશે. રાજ્યના કચ્છ, ભાવનગર, અમરેલી, બનાસકાંઠામાં સામાન્ય વરસાદ વરસી શકે છે. તો સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, નર્મદામાં પણ વરસાદી છાંટા પડી શકે છે. દાહોદ, તાપી, ડાંગમાં વરસાદી માવઠું થઈ શકે છે. 



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.