રાજ્યમાં હજુ 3 દિવસ માવઠાનો કહેર, આજે 41 તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો


  • Published By :
  • Published Date : 2023-05-04 21:44:54

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી સતત કમોસમી વરસાદ પડી રહ્યો છે.  હવામાન વિભાગે હજુ પણ 3 દિવસ રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેવાની આગાહી કરી છે. જેને પગલે આજે પણ રાજ્યના તમામ ભાગોમાં માવઠું થયું છે. રાજ્યમાં આજે સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 41 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. કમોસમી વરસાદથી અનેક જગ્યાએ ખેતીના પાકને ભારે નુકસાન પણ થયું છે.


રાજ્યના કયા જિલ્લામાં કેટલો વરસાદ?


કચ્છના નખત્રાણામાં અઢી ઇંચ, જૂનાગઢના મેંદરડામાં દોઢ ઇંચ, રાજકોટના ઉપલેટામાં દોઢ ઇંચ,જામનગરના કાલાવડમાં દોઢ ઇંચ,જૂનાગઢના માળીયામાં સવા ઇંચ,રાજકોટના ધોરાજીમાં એક ઇંચ,જૂનાગઢના કેશોદમાં એક ઇંચ,જૂનાગઢમાં અડધો ઇંચ,જૂનાગઢ સીટીમાં અડધો ઇંચ,રાજકોટ પડધરીમાં અડધો ઇંચ,ગીર સોમનાથના તાલાલામાં અડધો ઇંચ,ડાંગના સુબીરમાં અડધો ઇંચ,જૂનાગઢ વંથલીમાં અડધો ઇંચ,ડાંગના વઘઇમાં અડધો ઇંચ,નવસારી વાંસદામાં અડધો ઇંચ,દ્વારકાના ભાણવડમાં અડધો ઇચ, ડાંગના આહવામાં અડધો ઇંચ ખાબક્યો છે.


ગાજવીજ સાથે વરસાદ 


રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ કમોસમી વરસાદ પડ્યો છે. કચ્છના નખત્રાણામાં તો સવા બે ઈંચ વરસાદ ખાબકતા શહેરના રસ્તાઓ જાણે નદી બની ગયા હતા. સર્વત્ર પાણી જ પાણી જોવા મળ્યું હતું. અરવલ્લી જીલ્લામાં ફરી કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં મેઘરજ અને ધનસુરામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.  ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. મેઘરજ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં જીતપુર, રેલ્લાંવાડા, ઈસરી, તરકવાડા સહિત અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. 


સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક માવઠું


સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિત વિવિઘ ભાગોમાં અષાઢી માહોલ જોવા મળ્યો હતો. રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદી જોરદાર ઝાપટું પડ્યું હતું.  રાજકોટના યાજ્ઞિક રોડ,કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, સાધુવાસવાણી રોડ, ઢેબર રોડ,ગોંડલ ચોકડી સામા કાંઠા વિસ્તાર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. આ તરફ અટીકા ફાટક અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. જિલ્લા બાદ શહેરમાં પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને જોરદાર ઝાપટું પડ્યું હતું. રાજકોટ શહેર અને જિલ્લામાં સતત આઠ દિવસથી ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.  


વિવિધ કૃષિ પાકને નુકસાન


રાજકોટનાં ગ્રામ્ય વિસ્તારમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં ગોંડલ પંથકમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં દેવચડી ગામ સહિતનાં વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. કમોસમી વરસાદનાં કારણે અડદ, મગ, તલ, બાજરી, જુવાર સહિતનાં પાકોને નુકશાન પહોંચ્યું હતું.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.