રાજ્યમાં હજુ 3 દિવસ માવઠાનો કહેર, આજે 41 તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો


  • Published By :
  • Published Date : 2023-05-04 21:44:54

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી સતત કમોસમી વરસાદ પડી રહ્યો છે.  હવામાન વિભાગે હજુ પણ 3 દિવસ રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેવાની આગાહી કરી છે. જેને પગલે આજે પણ રાજ્યના તમામ ભાગોમાં માવઠું થયું છે. રાજ્યમાં આજે સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 41 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. કમોસમી વરસાદથી અનેક જગ્યાએ ખેતીના પાકને ભારે નુકસાન પણ થયું છે.


રાજ્યના કયા જિલ્લામાં કેટલો વરસાદ?


કચ્છના નખત્રાણામાં અઢી ઇંચ, જૂનાગઢના મેંદરડામાં દોઢ ઇંચ, રાજકોટના ઉપલેટામાં દોઢ ઇંચ,જામનગરના કાલાવડમાં દોઢ ઇંચ,જૂનાગઢના માળીયામાં સવા ઇંચ,રાજકોટના ધોરાજીમાં એક ઇંચ,જૂનાગઢના કેશોદમાં એક ઇંચ,જૂનાગઢમાં અડધો ઇંચ,જૂનાગઢ સીટીમાં અડધો ઇંચ,રાજકોટ પડધરીમાં અડધો ઇંચ,ગીર સોમનાથના તાલાલામાં અડધો ઇંચ,ડાંગના સુબીરમાં અડધો ઇંચ,જૂનાગઢ વંથલીમાં અડધો ઇંચ,ડાંગના વઘઇમાં અડધો ઇંચ,નવસારી વાંસદામાં અડધો ઇંચ,દ્વારકાના ભાણવડમાં અડધો ઇચ, ડાંગના આહવામાં અડધો ઇંચ ખાબક્યો છે.


ગાજવીજ સાથે વરસાદ 


રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ કમોસમી વરસાદ પડ્યો છે. કચ્છના નખત્રાણામાં તો સવા બે ઈંચ વરસાદ ખાબકતા શહેરના રસ્તાઓ જાણે નદી બની ગયા હતા. સર્વત્ર પાણી જ પાણી જોવા મળ્યું હતું. અરવલ્લી જીલ્લામાં ફરી કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં મેઘરજ અને ધનસુરામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.  ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. મેઘરજ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં જીતપુર, રેલ્લાંવાડા, ઈસરી, તરકવાડા સહિત અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. 


સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક માવઠું


સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિત વિવિઘ ભાગોમાં અષાઢી માહોલ જોવા મળ્યો હતો. રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદી જોરદાર ઝાપટું પડ્યું હતું.  રાજકોટના યાજ્ઞિક રોડ,કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, સાધુવાસવાણી રોડ, ઢેબર રોડ,ગોંડલ ચોકડી સામા કાંઠા વિસ્તાર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. આ તરફ અટીકા ફાટક અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. જિલ્લા બાદ શહેરમાં પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને જોરદાર ઝાપટું પડ્યું હતું. રાજકોટ શહેર અને જિલ્લામાં સતત આઠ દિવસથી ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.  


વિવિધ કૃષિ પાકને નુકસાન


રાજકોટનાં ગ્રામ્ય વિસ્તારમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં ગોંડલ પંથકમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં દેવચડી ગામ સહિતનાં વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. કમોસમી વરસાદનાં કારણે અડદ, મગ, તલ, બાજરી, જુવાર સહિતનાં પાકોને નુકશાન પહોંચ્યું હતું.



લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.

Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરમાં બાકી રહેલી નિયુક્તિઓને લઇને કવાયત તેજ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા અને શહેર પ્રમુખની નિયુક્તિઓ માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ માટે પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે જે અંતર્ગત વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી છે.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.