રાજ્યમાં હજુ 3 દિવસ માવઠાનો કહેર, આજે 41 તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો


  • Published By :
  • Published Date : 2023-05-04 21:44:54

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી સતત કમોસમી વરસાદ પડી રહ્યો છે.  હવામાન વિભાગે હજુ પણ 3 દિવસ રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેવાની આગાહી કરી છે. જેને પગલે આજે પણ રાજ્યના તમામ ભાગોમાં માવઠું થયું છે. રાજ્યમાં આજે સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 41 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. કમોસમી વરસાદથી અનેક જગ્યાએ ખેતીના પાકને ભારે નુકસાન પણ થયું છે.


રાજ્યના કયા જિલ્લામાં કેટલો વરસાદ?


કચ્છના નખત્રાણામાં અઢી ઇંચ, જૂનાગઢના મેંદરડામાં દોઢ ઇંચ, રાજકોટના ઉપલેટામાં દોઢ ઇંચ,જામનગરના કાલાવડમાં દોઢ ઇંચ,જૂનાગઢના માળીયામાં સવા ઇંચ,રાજકોટના ધોરાજીમાં એક ઇંચ,જૂનાગઢના કેશોદમાં એક ઇંચ,જૂનાગઢમાં અડધો ઇંચ,જૂનાગઢ સીટીમાં અડધો ઇંચ,રાજકોટ પડધરીમાં અડધો ઇંચ,ગીર સોમનાથના તાલાલામાં અડધો ઇંચ,ડાંગના સુબીરમાં અડધો ઇંચ,જૂનાગઢ વંથલીમાં અડધો ઇંચ,ડાંગના વઘઇમાં અડધો ઇંચ,નવસારી વાંસદામાં અડધો ઇંચ,દ્વારકાના ભાણવડમાં અડધો ઇચ, ડાંગના આહવામાં અડધો ઇંચ ખાબક્યો છે.


ગાજવીજ સાથે વરસાદ 


રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ કમોસમી વરસાદ પડ્યો છે. કચ્છના નખત્રાણામાં તો સવા બે ઈંચ વરસાદ ખાબકતા શહેરના રસ્તાઓ જાણે નદી બની ગયા હતા. સર્વત્ર પાણી જ પાણી જોવા મળ્યું હતું. અરવલ્લી જીલ્લામાં ફરી કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં મેઘરજ અને ધનસુરામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.  ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. મેઘરજ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં જીતપુર, રેલ્લાંવાડા, ઈસરી, તરકવાડા સહિત અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. 


સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક માવઠું


સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિત વિવિઘ ભાગોમાં અષાઢી માહોલ જોવા મળ્યો હતો. રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદી જોરદાર ઝાપટું પડ્યું હતું.  રાજકોટના યાજ્ઞિક રોડ,કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, સાધુવાસવાણી રોડ, ઢેબર રોડ,ગોંડલ ચોકડી સામા કાંઠા વિસ્તાર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. આ તરફ અટીકા ફાટક અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. જિલ્લા બાદ શહેરમાં પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને જોરદાર ઝાપટું પડ્યું હતું. રાજકોટ શહેર અને જિલ્લામાં સતત આઠ દિવસથી ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.  


વિવિધ કૃષિ પાકને નુકસાન


રાજકોટનાં ગ્રામ્ય વિસ્તારમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં ગોંડલ પંથકમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં દેવચડી ગામ સહિતનાં વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. કમોસમી વરસાદનાં કારણે અડદ, મગ, તલ, બાજરી, જુવાર સહિતનાં પાકોને નુકશાન પહોંચ્યું હતું.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.