રાજ્યમાં હજુ 3 દિવસ માવઠાનો કહેર, આજે 41 તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો


  • Published By :
  • Published Date : 2023-05-04 21:44:54

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી સતત કમોસમી વરસાદ પડી રહ્યો છે.  હવામાન વિભાગે હજુ પણ 3 દિવસ રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેવાની આગાહી કરી છે. જેને પગલે આજે પણ રાજ્યના તમામ ભાગોમાં માવઠું થયું છે. રાજ્યમાં આજે સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 41 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. કમોસમી વરસાદથી અનેક જગ્યાએ ખેતીના પાકને ભારે નુકસાન પણ થયું છે.


રાજ્યના કયા જિલ્લામાં કેટલો વરસાદ?


કચ્છના નખત્રાણામાં અઢી ઇંચ, જૂનાગઢના મેંદરડામાં દોઢ ઇંચ, રાજકોટના ઉપલેટામાં દોઢ ઇંચ,જામનગરના કાલાવડમાં દોઢ ઇંચ,જૂનાગઢના માળીયામાં સવા ઇંચ,રાજકોટના ધોરાજીમાં એક ઇંચ,જૂનાગઢના કેશોદમાં એક ઇંચ,જૂનાગઢમાં અડધો ઇંચ,જૂનાગઢ સીટીમાં અડધો ઇંચ,રાજકોટ પડધરીમાં અડધો ઇંચ,ગીર સોમનાથના તાલાલામાં અડધો ઇંચ,ડાંગના સુબીરમાં અડધો ઇંચ,જૂનાગઢ વંથલીમાં અડધો ઇંચ,ડાંગના વઘઇમાં અડધો ઇંચ,નવસારી વાંસદામાં અડધો ઇંચ,દ્વારકાના ભાણવડમાં અડધો ઇચ, ડાંગના આહવામાં અડધો ઇંચ ખાબક્યો છે.


ગાજવીજ સાથે વરસાદ 


રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ કમોસમી વરસાદ પડ્યો છે. કચ્છના નખત્રાણામાં તો સવા બે ઈંચ વરસાદ ખાબકતા શહેરના રસ્તાઓ જાણે નદી બની ગયા હતા. સર્વત્ર પાણી જ પાણી જોવા મળ્યું હતું. અરવલ્લી જીલ્લામાં ફરી કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં મેઘરજ અને ધનસુરામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.  ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. મેઘરજ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં જીતપુર, રેલ્લાંવાડા, ઈસરી, તરકવાડા સહિત અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. 


સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક માવઠું


સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિત વિવિઘ ભાગોમાં અષાઢી માહોલ જોવા મળ્યો હતો. રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદી જોરદાર ઝાપટું પડ્યું હતું.  રાજકોટના યાજ્ઞિક રોડ,કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, સાધુવાસવાણી રોડ, ઢેબર રોડ,ગોંડલ ચોકડી સામા કાંઠા વિસ્તાર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. આ તરફ અટીકા ફાટક અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. જિલ્લા બાદ શહેરમાં પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને જોરદાર ઝાપટું પડ્યું હતું. રાજકોટ શહેર અને જિલ્લામાં સતત આઠ દિવસથી ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.  


વિવિધ કૃષિ પાકને નુકસાન


રાજકોટનાં ગ્રામ્ય વિસ્તારમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં ગોંડલ પંથકમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં દેવચડી ગામ સહિતનાં વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. કમોસમી વરસાદનાં કારણે અડદ, મગ, તલ, બાજરી, જુવાર સહિતનાં પાકોને નુકશાન પહોંચ્યું હતું.



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."