Unseasonal Rain : ફરી વધી ધરતી પુત્રોની ચિંતા! આ તારીખે આ જિલ્લાઓમાં આવી શકે છે મુસીબતનું માવઠું, જાણો હવામાનને લઈ શું કરાઈ આગાહી?


  • Published By :
  • Published Date : 2024-04-05 15:53:07

શિયાળાની શરૂઆતમાં પણ કમોસમી વરસાદ આવ્યો હતો ત્યારે ઉનાળામાં પણ કમોસમી વરસાદ ખેડૂતોને હેરાન કરી શકે છે... છેલ્લા થોડા દિવસથી અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વાદળછાયા વાતાવરણને કારણે ગરમી ઓછી લાગી રહી છે. ત્યારે ગુજરાતમાં અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ આવી શકે છે તેવી આગાહી ફરી એક વખત કરવામાં  આવી છે. ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદ જોવા મળી શકે છે.. હવામાન વિભાગની આગાહી અનુસાર 9 તારીખ સુધી વાતાવરણ સૂકું રહેશે પરંતુ 10 તારીખ બાદ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળી શકે છે અનેક ભાગોમાં..

News18 Gujarati


શું કહે છે હવામાન વિભાગની આગાહી? 

ખેડૂતોની ચિંતા ફરી એક વખત વધી છે હવામાનને કારણે... ગમે તે સિઝનમાં કમોસમી વરસાદ આવવાને કારણે જગતના તાતની ચિંતા વધતી હોય છે... શિયાળાની સિઝન દરમિયાન પણ વરસાદે ખેડૂતોને રડાવ્યા ત્યારે ફરી એક વખત ખેડૂતોની ચિંતા વધી છે કારણ કે વરસાદની આગાહી કરવામાં આવી છે... હવામાન વિભાગની આગાહી અનુસાર 10 તારીખે દાહોદ, નર્મદા તેમજ છોટા ઉદેપુરના અનેક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ આવી શકે છે. તે બાદ 11 એપ્રિલ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવી શકે છે.. તે ઉપરાંત 11 તારીખે દાહોદ, છોટા ઉદેપુર તેમજ નર્મદા માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે....


હવામાન નિષ્ણાતે જણાવ્યું કે આ ભાગોમાં આવશે કમોસમી વરસાદ

આવનાર દિવસોમાં કમોસમી વરસાદ આવશે તેવી આગાહી માત્ર હવામાન વિભાગ દ્વારા જ નથી કરવામાં આવી પરંતુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ કરવામાં આવી છે. હવામાન નિષ્ણાતે આગાહી કરતા જણાવ્યું કે , 8 એપ્રિલથી 13 એપ્રિલ દરમિયાન ગરમીનો અહેસાસ થશે એટલે હીટવેવનો અનુભવ થઈ શકે છે.... 13 તારીખ બાદ રાજ્યમાં માવઠાની સંભાવનાઓ દેખાઈ રહી છે.  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 13-16 એપ્રિલ દરમિયાન રાજ્યમાં માવઠું થવાની સંભાવનાઓ છે. મહત્વનું છે કે દેશના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે...,   



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"