Unseasonal Rain : ફરી વધી ધરતી પુત્રોની ચિંતા! આ તારીખે આ જિલ્લાઓમાં આવી શકે છે મુસીબતનું માવઠું, જાણો હવામાનને લઈ શું કરાઈ આગાહી?


  • Published By :
  • Published Date : 2024-04-05 15:53:07

શિયાળાની શરૂઆતમાં પણ કમોસમી વરસાદ આવ્યો હતો ત્યારે ઉનાળામાં પણ કમોસમી વરસાદ ખેડૂતોને હેરાન કરી શકે છે... છેલ્લા થોડા દિવસથી અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વાદળછાયા વાતાવરણને કારણે ગરમી ઓછી લાગી રહી છે. ત્યારે ગુજરાતમાં અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ આવી શકે છે તેવી આગાહી ફરી એક વખત કરવામાં  આવી છે. ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદ જોવા મળી શકે છે.. હવામાન વિભાગની આગાહી અનુસાર 9 તારીખ સુધી વાતાવરણ સૂકું રહેશે પરંતુ 10 તારીખ બાદ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળી શકે છે અનેક ભાગોમાં..

News18 Gujarati


શું કહે છે હવામાન વિભાગની આગાહી? 

ખેડૂતોની ચિંતા ફરી એક વખત વધી છે હવામાનને કારણે... ગમે તે સિઝનમાં કમોસમી વરસાદ આવવાને કારણે જગતના તાતની ચિંતા વધતી હોય છે... શિયાળાની સિઝન દરમિયાન પણ વરસાદે ખેડૂતોને રડાવ્યા ત્યારે ફરી એક વખત ખેડૂતોની ચિંતા વધી છે કારણ કે વરસાદની આગાહી કરવામાં આવી છે... હવામાન વિભાગની આગાહી અનુસાર 10 તારીખે દાહોદ, નર્મદા તેમજ છોટા ઉદેપુરના અનેક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ આવી શકે છે. તે બાદ 11 એપ્રિલ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવી શકે છે.. તે ઉપરાંત 11 તારીખે દાહોદ, છોટા ઉદેપુર તેમજ નર્મદા માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે....


હવામાન નિષ્ણાતે જણાવ્યું કે આ ભાગોમાં આવશે કમોસમી વરસાદ

આવનાર દિવસોમાં કમોસમી વરસાદ આવશે તેવી આગાહી માત્ર હવામાન વિભાગ દ્વારા જ નથી કરવામાં આવી પરંતુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ કરવામાં આવી છે. હવામાન નિષ્ણાતે આગાહી કરતા જણાવ્યું કે , 8 એપ્રિલથી 13 એપ્રિલ દરમિયાન ગરમીનો અહેસાસ થશે એટલે હીટવેવનો અનુભવ થઈ શકે છે.... 13 તારીખ બાદ રાજ્યમાં માવઠાની સંભાવનાઓ દેખાઈ રહી છે.  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 13-16 એપ્રિલ દરમિયાન રાજ્યમાં માવઠું થવાની સંભાવનાઓ છે. મહત્વનું છે કે દેશના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે...,   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.