Unseasonal Rain : ફરી વધી ધરતી પુત્રોની ચિંતા! આ તારીખે આ જિલ્લાઓમાં આવી શકે છે મુસીબતનું માવઠું, જાણો હવામાનને લઈ શું કરાઈ આગાહી?


  • Published By :
  • Published Date : 2024-04-05 15:53:07

શિયાળાની શરૂઆતમાં પણ કમોસમી વરસાદ આવ્યો હતો ત્યારે ઉનાળામાં પણ કમોસમી વરસાદ ખેડૂતોને હેરાન કરી શકે છે... છેલ્લા થોડા દિવસથી અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વાદળછાયા વાતાવરણને કારણે ગરમી ઓછી લાગી રહી છે. ત્યારે ગુજરાતમાં અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ આવી શકે છે તેવી આગાહી ફરી એક વખત કરવામાં  આવી છે. ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદ જોવા મળી શકે છે.. હવામાન વિભાગની આગાહી અનુસાર 9 તારીખ સુધી વાતાવરણ સૂકું રહેશે પરંતુ 10 તારીખ બાદ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળી શકે છે અનેક ભાગોમાં..

News18 Gujarati


શું કહે છે હવામાન વિભાગની આગાહી? 

ખેડૂતોની ચિંતા ફરી એક વખત વધી છે હવામાનને કારણે... ગમે તે સિઝનમાં કમોસમી વરસાદ આવવાને કારણે જગતના તાતની ચિંતા વધતી હોય છે... શિયાળાની સિઝન દરમિયાન પણ વરસાદે ખેડૂતોને રડાવ્યા ત્યારે ફરી એક વખત ખેડૂતોની ચિંતા વધી છે કારણ કે વરસાદની આગાહી કરવામાં આવી છે... હવામાન વિભાગની આગાહી અનુસાર 10 તારીખે દાહોદ, નર્મદા તેમજ છોટા ઉદેપુરના અનેક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ આવી શકે છે. તે બાદ 11 એપ્રિલ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવી શકે છે.. તે ઉપરાંત 11 તારીખે દાહોદ, છોટા ઉદેપુર તેમજ નર્મદા માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે....


હવામાન નિષ્ણાતે જણાવ્યું કે આ ભાગોમાં આવશે કમોસમી વરસાદ

આવનાર દિવસોમાં કમોસમી વરસાદ આવશે તેવી આગાહી માત્ર હવામાન વિભાગ દ્વારા જ નથી કરવામાં આવી પરંતુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ કરવામાં આવી છે. હવામાન નિષ્ણાતે આગાહી કરતા જણાવ્યું કે , 8 એપ્રિલથી 13 એપ્રિલ દરમિયાન ગરમીનો અહેસાસ થશે એટલે હીટવેવનો અનુભવ થઈ શકે છે.... 13 તારીખ બાદ રાજ્યમાં માવઠાની સંભાવનાઓ દેખાઈ રહી છે.  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 13-16 એપ્રિલ દરમિયાન રાજ્યમાં માવઠું થવાની સંભાવનાઓ છે. મહત્વનું છે કે દેશના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે...,   



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે