Unseasonal Rain : ફરી વધી ધરતી પુત્રોની ચિંતા! આ તારીખે આ જિલ્લાઓમાં આવી શકે છે મુસીબતનું માવઠું, જાણો હવામાનને લઈ શું કરાઈ આગાહી?


  • Published By :
  • Published Date : 2024-04-05 15:53:07

શિયાળાની શરૂઆતમાં પણ કમોસમી વરસાદ આવ્યો હતો ત્યારે ઉનાળામાં પણ કમોસમી વરસાદ ખેડૂતોને હેરાન કરી શકે છે... છેલ્લા થોડા દિવસથી અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વાદળછાયા વાતાવરણને કારણે ગરમી ઓછી લાગી રહી છે. ત્યારે ગુજરાતમાં અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ આવી શકે છે તેવી આગાહી ફરી એક વખત કરવામાં  આવી છે. ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદ જોવા મળી શકે છે.. હવામાન વિભાગની આગાહી અનુસાર 9 તારીખ સુધી વાતાવરણ સૂકું રહેશે પરંતુ 10 તારીખ બાદ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળી શકે છે અનેક ભાગોમાં..

News18 Gujarati


શું કહે છે હવામાન વિભાગની આગાહી? 

ખેડૂતોની ચિંતા ફરી એક વખત વધી છે હવામાનને કારણે... ગમે તે સિઝનમાં કમોસમી વરસાદ આવવાને કારણે જગતના તાતની ચિંતા વધતી હોય છે... શિયાળાની સિઝન દરમિયાન પણ વરસાદે ખેડૂતોને રડાવ્યા ત્યારે ફરી એક વખત ખેડૂતોની ચિંતા વધી છે કારણ કે વરસાદની આગાહી કરવામાં આવી છે... હવામાન વિભાગની આગાહી અનુસાર 10 તારીખે દાહોદ, નર્મદા તેમજ છોટા ઉદેપુરના અનેક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ આવી શકે છે. તે બાદ 11 એપ્રિલ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવી શકે છે.. તે ઉપરાંત 11 તારીખે દાહોદ, છોટા ઉદેપુર તેમજ નર્મદા માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે....


હવામાન નિષ્ણાતે જણાવ્યું કે આ ભાગોમાં આવશે કમોસમી વરસાદ

આવનાર દિવસોમાં કમોસમી વરસાદ આવશે તેવી આગાહી માત્ર હવામાન વિભાગ દ્વારા જ નથી કરવામાં આવી પરંતુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ કરવામાં આવી છે. હવામાન નિષ્ણાતે આગાહી કરતા જણાવ્યું કે , 8 એપ્રિલથી 13 એપ્રિલ દરમિયાન ગરમીનો અહેસાસ થશે એટલે હીટવેવનો અનુભવ થઈ શકે છે.... 13 તારીખ બાદ રાજ્યમાં માવઠાની સંભાવનાઓ દેખાઈ રહી છે.  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 13-16 એપ્રિલ દરમિયાન રાજ્યમાં માવઠું થવાની સંભાવનાઓ છે. મહત્વનું છે કે દેશના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે...,   



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.