Unseasonal Rain : આજે આ જિલ્લાઓમાં આવશે મુસીબતનું માવઠું! હવામાન વિભાગની આગાહી સાંભળી વધી ખેડૂતોની ચિંતા


  • Published By :
  • Published Date : 2023-12-05 10:29:27

ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં અનેક ઘણો વધારો થયો છે. શિયાળા પાકનું વાવેતર ખેડૂતોએ કરી દીધું પરંતુ માવઠાને કારણે ફરી એક વખત ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવી રહ્યો છે. ગુજરાતના વાતાવરણમાં પલટો આવતાની સાથે જ ખેડૂતોની ચિંતામાં વધારો થતો હોય છે. શિયાળાની સિઝન ભલે હોય પરંતુ માવઠું ખેડૂતોને રડાવી રહ્યું છે. ત્યારે આગામી બે દિવસ રાજ્યના અનેક જિલ્લાઓ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. ચક્રવાત મિચોંગને કારણે ગુજરાતનું હવામાન બદલાઈ ગયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દાહોદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ તેમજ સાબરકાંઠામાં માવઠું આવવાની સંભાવના છે. 

આ જિલ્લાઓમાં આવી શકે છે કમોસમી વરસાદ!

શિયાળાની અનુભુતી ધીમે ધીમે થઈ રહી હતી. લોકોએ ગરમ કપડા પણ કાઢી દીધા હતા પરંતુ પરિસ્થિતિ એવી ઉભી થઈ કે લોકોને રેઈનકોર્ટ પાછા કાઢવા પડ્યા. શિયાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ આવ્યો અને વાતાવરણને પલટાવી ગયો. માવઠાને કારણે ગુજરાતના ખેડૂતોના હાલ બેહાલ થયા છે. ખેડૂતો રડવા મજબૂર બન્યા છે. એવું માનવામાં આવતું હતું કે વરસાદથી છુટકારો મળી જશે પરંતુ કમોસમી વરસાદને કારણે શિયાળામાં વરસાદી માહોલનો અહેસાસ થઈ રહ્યો છે. આગામી બે દિવસ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ આવી શકે છે. દાહોદ ,અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠામાં વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 


ખેડૂતોને રડવાનો વારો આવ્યો!

કમોસમી વરસાદને કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે. પાકને નુકસાનીના અનેક દ્રશ્યો પણ સામે આવ્યા છે. પહેલાથી જ ખેડૂતોની હાલત એકદમ ખરાબ હતી ત્યારે આ માવઠું ખેડૂતોને પાયમાલ બનાવીને છોડશે તેવું લાગી રહ્યું છે! મહત્વનું છે કે કમોસમી વરસાદને કારણે પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.