Unseasonal Rain : આજે આ જિલ્લાઓમાં આવશે મુસીબતનું માવઠું! હવામાન વિભાગની આગાહી સાંભળી વધી ખેડૂતોની ચિંતા


  • Published By :
  • Published Date : 2023-12-05 10:29:27

ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં અનેક ઘણો વધારો થયો છે. શિયાળા પાકનું વાવેતર ખેડૂતોએ કરી દીધું પરંતુ માવઠાને કારણે ફરી એક વખત ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવી રહ્યો છે. ગુજરાતના વાતાવરણમાં પલટો આવતાની સાથે જ ખેડૂતોની ચિંતામાં વધારો થતો હોય છે. શિયાળાની સિઝન ભલે હોય પરંતુ માવઠું ખેડૂતોને રડાવી રહ્યું છે. ત્યારે આગામી બે દિવસ રાજ્યના અનેક જિલ્લાઓ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. ચક્રવાત મિચોંગને કારણે ગુજરાતનું હવામાન બદલાઈ ગયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દાહોદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ તેમજ સાબરકાંઠામાં માવઠું આવવાની સંભાવના છે. 

આ જિલ્લાઓમાં આવી શકે છે કમોસમી વરસાદ!

શિયાળાની અનુભુતી ધીમે ધીમે થઈ રહી હતી. લોકોએ ગરમ કપડા પણ કાઢી દીધા હતા પરંતુ પરિસ્થિતિ એવી ઉભી થઈ કે લોકોને રેઈનકોર્ટ પાછા કાઢવા પડ્યા. શિયાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ આવ્યો અને વાતાવરણને પલટાવી ગયો. માવઠાને કારણે ગુજરાતના ખેડૂતોના હાલ બેહાલ થયા છે. ખેડૂતો રડવા મજબૂર બન્યા છે. એવું માનવામાં આવતું હતું કે વરસાદથી છુટકારો મળી જશે પરંતુ કમોસમી વરસાદને કારણે શિયાળામાં વરસાદી માહોલનો અહેસાસ થઈ રહ્યો છે. આગામી બે દિવસ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ આવી શકે છે. દાહોદ ,અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠામાં વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 


ખેડૂતોને રડવાનો વારો આવ્યો!

કમોસમી વરસાદને કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે. પાકને નુકસાનીના અનેક દ્રશ્યો પણ સામે આવ્યા છે. પહેલાથી જ ખેડૂતોની હાલત એકદમ ખરાબ હતી ત્યારે આ માવઠું ખેડૂતોને પાયમાલ બનાવીને છોડશે તેવું લાગી રહ્યું છે! મહત્વનું છે કે કમોસમી વરસાદને કારણે પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.