Unseasonal Rain : આજે આ જિલ્લાઓમાં આવશે મુસીબતનું માવઠું! હવામાન વિભાગની આગાહી સાંભળી વધી ખેડૂતોની ચિંતા


  • Published By :
  • Published Date : 2023-12-05 10:29:27

ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં અનેક ઘણો વધારો થયો છે. શિયાળા પાકનું વાવેતર ખેડૂતોએ કરી દીધું પરંતુ માવઠાને કારણે ફરી એક વખત ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવી રહ્યો છે. ગુજરાતના વાતાવરણમાં પલટો આવતાની સાથે જ ખેડૂતોની ચિંતામાં વધારો થતો હોય છે. શિયાળાની સિઝન ભલે હોય પરંતુ માવઠું ખેડૂતોને રડાવી રહ્યું છે. ત્યારે આગામી બે દિવસ રાજ્યના અનેક જિલ્લાઓ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. ચક્રવાત મિચોંગને કારણે ગુજરાતનું હવામાન બદલાઈ ગયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દાહોદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ તેમજ સાબરકાંઠામાં માવઠું આવવાની સંભાવના છે. 

આ જિલ્લાઓમાં આવી શકે છે કમોસમી વરસાદ!

શિયાળાની અનુભુતી ધીમે ધીમે થઈ રહી હતી. લોકોએ ગરમ કપડા પણ કાઢી દીધા હતા પરંતુ પરિસ્થિતિ એવી ઉભી થઈ કે લોકોને રેઈનકોર્ટ પાછા કાઢવા પડ્યા. શિયાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ આવ્યો અને વાતાવરણને પલટાવી ગયો. માવઠાને કારણે ગુજરાતના ખેડૂતોના હાલ બેહાલ થયા છે. ખેડૂતો રડવા મજબૂર બન્યા છે. એવું માનવામાં આવતું હતું કે વરસાદથી છુટકારો મળી જશે પરંતુ કમોસમી વરસાદને કારણે શિયાળામાં વરસાદી માહોલનો અહેસાસ થઈ રહ્યો છે. આગામી બે દિવસ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ આવી શકે છે. દાહોદ ,અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠામાં વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 


ખેડૂતોને રડવાનો વારો આવ્યો!

કમોસમી વરસાદને કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે. પાકને નુકસાનીના અનેક દ્રશ્યો પણ સામે આવ્યા છે. પહેલાથી જ ખેડૂતોની હાલત એકદમ ખરાબ હતી ત્યારે આ માવઠું ખેડૂતોને પાયમાલ બનાવીને છોડશે તેવું લાગી રહ્યું છે! મહત્વનું છે કે કમોસમી વરસાદને કારણે પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી