Unseasonal Rain : દેશના વિવિધ રાજ્યોમાં આવશે કમોસમી વરસાદ! આ રાજ્યો માટે જાહેર કરાયું એલર્ટ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-25 13:09:55

ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે તેવી વાતો થઈ રહી હતી. ગુજરાતના અનેક ભાગોમાં માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો દેશના બીજા રાજ્યોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. તમિલનાડુમાં તો છેલ્લા અનેક દિવસોથી વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે. ભારે વરસાદને પગલે શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. તો બીજી તરફ હવામાન વિભાગે દેશના અનેક રાજ્યો માટે વરસાદની આગાહી કરી છે. 

આ રાજ્યોમાં વરસી શકે છે વરસાદ

શિયાળાનો અહેસાસ ધીમે ધીમે થવા લાગ્યો હતો. એવું માનવામાં આવતું હતું કે વરસાદ કદાચ નહીં પડે. પરંતુ શિયાળામાં પણ વરસાદ વરસી રહ્યો છે. દેશના અનેક રાજ્યો માટે હવામાન વિભાગે આગાહી કરી છે. સોમવાર સુધી દેશના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાત, મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે તેવી આગાહી કરી છે. તે ઉપરાંત તમિલનાડુમાં તો એક બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે જેને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. શનિવાર, રવિવાર તેમજ સોમવારે વરસાદ આવી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં લો પ્રેસર સિસ્ટમ સક્રિય થયું છે જેને કારણે આ વરસાદ વરસી રહ્યો છે. 


ગુજરાતમાં આવશે કમોસમી વરસાદ!

મહત્વનું છે કે તમિલનાડુ અને કેરળમાં તો પહેલેથી જ વરસાદી માહોલ જામ્યો છે. અનેક ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. તમિલનાડુ, ચેન્નાઈમાં પણ ભારે વરસાદને કારણે શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. તમિલનાડુ અને પુડુચેરીમાં પણ તોફાન આવવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના અનેક ભાગોમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. 

 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.