Unseasonal Rain : દેશના વિવિધ રાજ્યોમાં આવશે કમોસમી વરસાદ! આ રાજ્યો માટે જાહેર કરાયું એલર્ટ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-25 13:09:55

ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે તેવી વાતો થઈ રહી હતી. ગુજરાતના અનેક ભાગોમાં માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો દેશના બીજા રાજ્યોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. તમિલનાડુમાં તો છેલ્લા અનેક દિવસોથી વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે. ભારે વરસાદને પગલે શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. તો બીજી તરફ હવામાન વિભાગે દેશના અનેક રાજ્યો માટે વરસાદની આગાહી કરી છે. 

આ રાજ્યોમાં વરસી શકે છે વરસાદ

શિયાળાનો અહેસાસ ધીમે ધીમે થવા લાગ્યો હતો. એવું માનવામાં આવતું હતું કે વરસાદ કદાચ નહીં પડે. પરંતુ શિયાળામાં પણ વરસાદ વરસી રહ્યો છે. દેશના અનેક રાજ્યો માટે હવામાન વિભાગે આગાહી કરી છે. સોમવાર સુધી દેશના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાત, મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે તેવી આગાહી કરી છે. તે ઉપરાંત તમિલનાડુમાં તો એક બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે જેને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. શનિવાર, રવિવાર તેમજ સોમવારે વરસાદ આવી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં લો પ્રેસર સિસ્ટમ સક્રિય થયું છે જેને કારણે આ વરસાદ વરસી રહ્યો છે. 


ગુજરાતમાં આવશે કમોસમી વરસાદ!

મહત્વનું છે કે તમિલનાડુ અને કેરળમાં તો પહેલેથી જ વરસાદી માહોલ જામ્યો છે. અનેક ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. તમિલનાડુ, ચેન્નાઈમાં પણ ભારે વરસાદને કારણે શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. તમિલનાડુ અને પુડુચેરીમાં પણ તોફાન આવવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના અનેક ભાગોમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. 

 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .