Unseasonal Rain : દેશના વિવિધ રાજ્યોમાં આવશે કમોસમી વરસાદ! આ રાજ્યો માટે જાહેર કરાયું એલર્ટ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-25 13:09:55

ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે તેવી વાતો થઈ રહી હતી. ગુજરાતના અનેક ભાગોમાં માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો દેશના બીજા રાજ્યોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. તમિલનાડુમાં તો છેલ્લા અનેક દિવસોથી વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે. ભારે વરસાદને પગલે શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. તો બીજી તરફ હવામાન વિભાગે દેશના અનેક રાજ્યો માટે વરસાદની આગાહી કરી છે. 

આ રાજ્યોમાં વરસી શકે છે વરસાદ

શિયાળાનો અહેસાસ ધીમે ધીમે થવા લાગ્યો હતો. એવું માનવામાં આવતું હતું કે વરસાદ કદાચ નહીં પડે. પરંતુ શિયાળામાં પણ વરસાદ વરસી રહ્યો છે. દેશના અનેક રાજ્યો માટે હવામાન વિભાગે આગાહી કરી છે. સોમવાર સુધી દેશના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાત, મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે તેવી આગાહી કરી છે. તે ઉપરાંત તમિલનાડુમાં તો એક બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે જેને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. શનિવાર, રવિવાર તેમજ સોમવારે વરસાદ આવી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં લો પ્રેસર સિસ્ટમ સક્રિય થયું છે જેને કારણે આ વરસાદ વરસી રહ્યો છે. 


ગુજરાતમાં આવશે કમોસમી વરસાદ!

મહત્વનું છે કે તમિલનાડુ અને કેરળમાં તો પહેલેથી જ વરસાદી માહોલ જામ્યો છે. અનેક ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. તમિલનાડુ, ચેન્નાઈમાં પણ ભારે વરસાદને કારણે શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. તમિલનાડુ અને પુડુચેરીમાં પણ તોફાન આવવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના અનેક ભાગોમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. 

 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.