Unseasonal Rain : દેશના વિવિધ રાજ્યોમાં આવશે કમોસમી વરસાદ! આ રાજ્યો માટે જાહેર કરાયું એલર્ટ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-25 13:09:55

ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે તેવી વાતો થઈ રહી હતી. ગુજરાતના અનેક ભાગોમાં માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો દેશના બીજા રાજ્યોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. તમિલનાડુમાં તો છેલ્લા અનેક દિવસોથી વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે. ભારે વરસાદને પગલે શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. તો બીજી તરફ હવામાન વિભાગે દેશના અનેક રાજ્યો માટે વરસાદની આગાહી કરી છે. 

આ રાજ્યોમાં વરસી શકે છે વરસાદ

શિયાળાનો અહેસાસ ધીમે ધીમે થવા લાગ્યો હતો. એવું માનવામાં આવતું હતું કે વરસાદ કદાચ નહીં પડે. પરંતુ શિયાળામાં પણ વરસાદ વરસી રહ્યો છે. દેશના અનેક રાજ્યો માટે હવામાન વિભાગે આગાહી કરી છે. સોમવાર સુધી દેશના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાત, મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે તેવી આગાહી કરી છે. તે ઉપરાંત તમિલનાડુમાં તો એક બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે જેને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. શનિવાર, રવિવાર તેમજ સોમવારે વરસાદ આવી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં લો પ્રેસર સિસ્ટમ સક્રિય થયું છે જેને કારણે આ વરસાદ વરસી રહ્યો છે. 


ગુજરાતમાં આવશે કમોસમી વરસાદ!

મહત્વનું છે કે તમિલનાડુ અને કેરળમાં તો પહેલેથી જ વરસાદી માહોલ જામ્યો છે. અનેક ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. તમિલનાડુ, ચેન્નાઈમાં પણ ભારે વરસાદને કારણે શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. તમિલનાડુ અને પુડુચેરીમાં પણ તોફાન આવવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના અનેક ભાગોમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. 

 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.