ભર ઉનાળે આવશે કમોસમી વરસાદ, જાણો માવઠાને લઈ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત Ambalal Patelની આગાહી શું કહે છે?


  • Published By :
  • Published Date : 2024-05-08 12:56:14

કાળઝાળ ગરમીનો અહેસાસ ગુજરાતીઓને થઈ રહ્યો છે.. અનેક જગ્યાઓ પર તાપમાનનો પારો સતત વધ્યો હતો અને આગામી દિવસો માટે પણ અનેક જગ્યાઓ પર હિટવેવની આગાહી કરવામાં આવી છે પરંતુ તેની સાથે સાથે અનેક જગ્યાઓ માટે માવઠાની આગાહી પણ કરવામાં આવી છે.... રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ 12મી અને 13મી તારીખ દરમિયાન છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં માવઠું આવી શકે છે...  


રાજ્યના અનેક ભાગોમાં આવી શકે છે કમોસમી વરસાદ

ગરમીનું પ્રમાણ ગુજરાતમાં દિવસેને દિવસે વધી રહ્યું છે.. તાપમાનના પારામાં સતત વધારો થઈ રહ્યો છે જેને કારણે ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. મતદાનના દિવસે પણ ગરમીનું પ્રમાણ વધારે હતું.. અનેક જગ્યાઓ પર તાપમાનનો પારો 42 ડિગ્રીની આસપાસ નોંધાયો હતો.. આગામી દિવસો દરમિયાન વાતાવરણ કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ તાપમાનમાં મોટો ફેરફાર નહીં આવે પરંતુ તે બાદ રાજ્યના અનેક ભાગો માટે છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે..   



ક્યાં માટે હવામાન વિભાગે કરી કમોસમી વરસાદની આગાહી? 

હવામાન વિભાગે હિટવેવની પણ આગાહી અનેક જગ્યાઓ માટે કરી છે.. દીવ અને ભાવનગર માટે હીટવેવની આગાહી કરાઈ છે.  દીવ અને ભાવનગરના તાપમાનમાં વધારો થઈ શકે છે અને તે બાદ 12 અને 13 મેના રોજ પ્રી મોનસૂન એક્ટિવિટી થવાને કારણે અનેક ભાગોમાં વરસાદની સંભાવના રેહલી છે.. છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નર્મદા તેમજ ડાંગમાં વરસાદ આવી શકે છે તેવું અનુમાન છે..  



અંબાલાલ કાકાએ પણ કમોસમી વરસાદને લઈ કરી આગાહી...

મહત્વનું છે કે ના માત્ર હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ માવઠાની આગાહી કરવામાં આવી છે.. તેમની આગાહી અનુસાર મે મહિનામાં ગાજવીજ સાથે વરસાદ આવી શકે છે.. મે મહિનામાં કેટલા ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.. ઉલ્લેખનિય છે કે કમોસમી વરસાદને કારણે જગતના તાતની ચિંતા વધતી હોય છે.. પાક નિષ્ફળ જવાથી તેમને નુકસાન ભોગવવાનો વારો આવે છે.. 



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.