ઉનાળામાં ફરી એક વખત થશે કમોસમી વરસાદ! કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી! જમાવટની ટીમે કરી અંબાલાલ પટેલની સાથે મુલાકાત!


  • Published By :
  • Published Date : 2023-05-15 17:06:08

કાળઝાળ ગરમીનો અહેસાસ રાજ્યના લોકોને થઈ રહ્યો છે. અનેક શહેરોનું તાપમાન 40થી 45 ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યું છે. આકરા તડકાનો સામનો લોકો કરી રહ્યા છે. અમદાવાદ માટે આગામી બે દિવસ માટે યેલો એલર્ટની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કમોસમી વરસાદને લઈ આગાહી કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં મે મહિનામાં પ્રી મોન્સુન એક્ટિવીટી જોવા મળશે જેને કારણે વરસાદ વરસશે. ત્યારે ભાવનગરમાં કમોસમી વરસાદ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. 

 રવિવારે જાણે ગરમીએ માજા મુકી હોય તેમ અમદાવાદ, પાટણની સાથે ભાવનગર રાજ્યનું હોટેસ્ટ સિટી બન્યા હતા. ભાવનગરની સાથે અમદાવાદ અને પાટણમાં મહત્તમ તાપમાન 43.5 ડિગ્રી નોંધાયું હતું. બાકીના શહેરોમાં તાપમાન 32થી 43 ડિગ્રી વચ્ચે રહ્યું હતું. બપોરના આગ ઓકતા તાપને કારણે રસ્તાઓ સૂમસામ બન્યા હતા. છેલ્લા છ દિવસથી આકાશમાંથી અગનવર્ષા થતી હોય તેવો અનુભવ થઇ રહ્યો છે. વૃધ્ધો અને બાળકો સાથે પશુ-પક્ષીઓની પણ હાલત કફોડી બની ગઈ છે.

તાપમાનમાં થશે આંશિક ઘટાડો!

ભરઉનાળે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. માવઠાને કારણે ગરમીનો અહેસાસ થતો ન હતો પરંતુ કમોસમી વરસાદ બંધ થતાં રાજ્યમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે તો ક્યાંક તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. તાપમાનમાં આંશિક ઘટાડો આવશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.


જમાવટની ટીમે અંબાલાલ કાકા સાથે કરી વાત! 

કમોસમી વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. તેમની આગાહી મુજબ 28 મેથી 10 જૂન સુધીમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નક્ષત્રો તેમજ ગ્રહોની સ્થિતિ જોઈ અંબાલાલ પટેલ આગાહી કરતા હોય છે. જમાવટની ટીમને તેમણે સમજાવ્યું કે કેવી રીતે વાતાવરણ બદલાય છે?   




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.