ઉનાળામાં ફરી એક વખત થશે કમોસમી વરસાદ! કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી! જમાવટની ટીમે કરી અંબાલાલ પટેલની સાથે મુલાકાત!


  • Published By :
  • Published Date : 2023-05-15 17:06:08

કાળઝાળ ગરમીનો અહેસાસ રાજ્યના લોકોને થઈ રહ્યો છે. અનેક શહેરોનું તાપમાન 40થી 45 ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યું છે. આકરા તડકાનો સામનો લોકો કરી રહ્યા છે. અમદાવાદ માટે આગામી બે દિવસ માટે યેલો એલર્ટની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કમોસમી વરસાદને લઈ આગાહી કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં મે મહિનામાં પ્રી મોન્સુન એક્ટિવીટી જોવા મળશે જેને કારણે વરસાદ વરસશે. ત્યારે ભાવનગરમાં કમોસમી વરસાદ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. 

 રવિવારે જાણે ગરમીએ માજા મુકી હોય તેમ અમદાવાદ, પાટણની સાથે ભાવનગર રાજ્યનું હોટેસ્ટ સિટી બન્યા હતા. ભાવનગરની સાથે અમદાવાદ અને પાટણમાં મહત્તમ તાપમાન 43.5 ડિગ્રી નોંધાયું હતું. બાકીના શહેરોમાં તાપમાન 32થી 43 ડિગ્રી વચ્ચે રહ્યું હતું. બપોરના આગ ઓકતા તાપને કારણે રસ્તાઓ સૂમસામ બન્યા હતા. છેલ્લા છ દિવસથી આકાશમાંથી અગનવર્ષા થતી હોય તેવો અનુભવ થઇ રહ્યો છે. વૃધ્ધો અને બાળકો સાથે પશુ-પક્ષીઓની પણ હાલત કફોડી બની ગઈ છે.

તાપમાનમાં થશે આંશિક ઘટાડો!

ભરઉનાળે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. માવઠાને કારણે ગરમીનો અહેસાસ થતો ન હતો પરંતુ કમોસમી વરસાદ બંધ થતાં રાજ્યમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે તો ક્યાંક તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. તાપમાનમાં આંશિક ઘટાડો આવશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.


જમાવટની ટીમે અંબાલાલ કાકા સાથે કરી વાત! 

કમોસમી વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. તેમની આગાહી મુજબ 28 મેથી 10 જૂન સુધીમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નક્ષત્રો તેમજ ગ્રહોની સ્થિતિ જોઈ અંબાલાલ પટેલ આગાહી કરતા હોય છે. જમાવટની ટીમને તેમણે સમજાવ્યું કે કેવી રીતે વાતાવરણ બદલાય છે?   




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે