ઉનાળામાં ફરી એક વખત થશે કમોસમી વરસાદ! કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી! જમાવટની ટીમે કરી અંબાલાલ પટેલની સાથે મુલાકાત!


  • Published By :
  • Published Date : 2023-05-15 17:06:08

કાળઝાળ ગરમીનો અહેસાસ રાજ્યના લોકોને થઈ રહ્યો છે. અનેક શહેરોનું તાપમાન 40થી 45 ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યું છે. આકરા તડકાનો સામનો લોકો કરી રહ્યા છે. અમદાવાદ માટે આગામી બે દિવસ માટે યેલો એલર્ટની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કમોસમી વરસાદને લઈ આગાહી કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં મે મહિનામાં પ્રી મોન્સુન એક્ટિવીટી જોવા મળશે જેને કારણે વરસાદ વરસશે. ત્યારે ભાવનગરમાં કમોસમી વરસાદ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. 

 રવિવારે જાણે ગરમીએ માજા મુકી હોય તેમ અમદાવાદ, પાટણની સાથે ભાવનગર રાજ્યનું હોટેસ્ટ સિટી બન્યા હતા. ભાવનગરની સાથે અમદાવાદ અને પાટણમાં મહત્તમ તાપમાન 43.5 ડિગ્રી નોંધાયું હતું. બાકીના શહેરોમાં તાપમાન 32થી 43 ડિગ્રી વચ્ચે રહ્યું હતું. બપોરના આગ ઓકતા તાપને કારણે રસ્તાઓ સૂમસામ બન્યા હતા. છેલ્લા છ દિવસથી આકાશમાંથી અગનવર્ષા થતી હોય તેવો અનુભવ થઇ રહ્યો છે. વૃધ્ધો અને બાળકો સાથે પશુ-પક્ષીઓની પણ હાલત કફોડી બની ગઈ છે.

તાપમાનમાં થશે આંશિક ઘટાડો!

ભરઉનાળે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. માવઠાને કારણે ગરમીનો અહેસાસ થતો ન હતો પરંતુ કમોસમી વરસાદ બંધ થતાં રાજ્યમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે તો ક્યાંક તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. તાપમાનમાં આંશિક ઘટાડો આવશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.


જમાવટની ટીમે અંબાલાલ કાકા સાથે કરી વાત! 

કમોસમી વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. તેમની આગાહી મુજબ 28 મેથી 10 જૂન સુધીમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નક્ષત્રો તેમજ ગ્રહોની સ્થિતિ જોઈ અંબાલાલ પટેલ આગાહી કરતા હોય છે. જમાવટની ટીમને તેમણે સમજાવ્યું કે કેવી રીતે વાતાવરણ બદલાય છે?   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.