રાજ્યના 212 તાલુકામાં કમોસમી વરસાદ 14 લોકોના મોત, ખેડૂતોનો ઉભા પાક નષ્ટ, જુઓ તસવીરી ઝલક


  • Published By :
  • Published Date : 2023-11-26 20:43:03

રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને પગલે આજે સવારથી જ અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અરબી સમુદ્રમાં હળવું દબાણ સર્જાતા ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પડેલા ભારે પવન સાથે વરસાદના કારણે ઠેર-ઠેર નુકસાનીના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રની શાન સમાન રાજકોટ જામનગર રોડ હાઇવે પર આવેલું સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. રાજ્યના અનેક જગ્યાએ વીજળી વેરણ બનીને ત્રાટકી હતી. રાજ્યમાં 14 લોકોના મોત થયા છે તો 39 પશુઓએ પણ જીવ ગુમાવ્યો છે.. ગાજવીજ અને ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકશાન થયું છે. ગુજરાત-સૌરાષ્ટ્રના ખેડૂતોને કપાસ, મગફળી, જીરૂ વગેરે પાકોમાં કરોડોનું નુકશાન થયો હોવાનો અંદાજ છે. ઉલ્લેખનિય છે કે રાજ્યમાં સવારથી સાંજ સુધીમાં 212 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે. વંથલી, તાલાલા અને અંકલેશ્વરમાં સૌથી વધુ બે ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે 36 તાલુકામાં એકથી પોણા બે ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યમાં માવઠાના કારણે સર્જાયેલી તબાહીની તસવીરી ઝલક અહીં રજુ કરવામાં આવી છે. જેનાથી ખબર પડશે કે આ મુસીબતના માવઠા શું પરિસ્થિતી સર્જી છે.





















ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.