રાજ્યના 212 તાલુકામાં કમોસમી વરસાદ 14 લોકોના મોત, ખેડૂતોનો ઉભા પાક નષ્ટ, જુઓ તસવીરી ઝલક


  • Published By :
  • Published Date : 2023-11-26 20:43:03

રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને પગલે આજે સવારથી જ અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અરબી સમુદ્રમાં હળવું દબાણ સર્જાતા ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પડેલા ભારે પવન સાથે વરસાદના કારણે ઠેર-ઠેર નુકસાનીના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રની શાન સમાન રાજકોટ જામનગર રોડ હાઇવે પર આવેલું સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. રાજ્યના અનેક જગ્યાએ વીજળી વેરણ બનીને ત્રાટકી હતી. રાજ્યમાં 14 લોકોના મોત થયા છે તો 39 પશુઓએ પણ જીવ ગુમાવ્યો છે.. ગાજવીજ અને ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકશાન થયું છે. ગુજરાત-સૌરાષ્ટ્રના ખેડૂતોને કપાસ, મગફળી, જીરૂ વગેરે પાકોમાં કરોડોનું નુકશાન થયો હોવાનો અંદાજ છે. ઉલ્લેખનિય છે કે રાજ્યમાં સવારથી સાંજ સુધીમાં 212 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે. વંથલી, તાલાલા અને અંકલેશ્વરમાં સૌથી વધુ બે ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે 36 તાલુકામાં એકથી પોણા બે ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યમાં માવઠાના કારણે સર્જાયેલી તબાહીની તસવીરી ઝલક અહીં રજુ કરવામાં આવી છે. જેનાથી ખબર પડશે કે આ મુસીબતના માવઠા શું પરિસ્થિતી સર્જી છે.





















ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.