Gujaratના અનેક વિસ્તારોમાં આવ્યો કમોસમી વરસાદ, માવઠાને કારણે વધી પતંગના વેપારીની ચિંતા, જાણો આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન?


  • Published By :
  • Published Date : 2024-01-10 11:09:50

કમોસમી વરસાદને કારણે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે. અનેક જગ્યાઓ પર માવઠાને કારણે જગતના તાતની ચિંતા વધી છે. શિયાળાની શરૂઆતમાં પણ કમોસમી વરસાદ આવ્યો હતો ત્યારે જાન્યુઆરીમાં પણ માવઠું આવી રહ્યું છે. અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ આવી રહ્યો છે. ધરમપુર તાલુકના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. વહેલી સવારે વરસાદ આવ્યો જેને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સોમવારે અનેક જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદ આવ્યો હતો. હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી પણ કરી હતી જે સાચી સાબિત થઈ રહી છે. વડોદરા, ડભોઈ જેવા વિસ્તારોમાં માવઠું આવ્યું હતું.


અનેક વિસ્તારોના વાતાવરણમાં આવ્યો પલટો 

વરસાદનું પણ કંઈ ઠેકાણું રહ્યું નથી. ગમે ત્યારે વરસાદ આવી જાય છે. ઉનાળામાં પણ વરસાદ આવે છે તો કોઈ વખત શિયાળામાં વરસાદ આવે છે. જે પ્રમાણે વાતાવરણમાં અચાનક પલટો આવી રહ્યો છે તે જોતા લાગે છે કે કુદરત પણ જાણે કન્ફ્યુઝ થઈ ગઈ હોય. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. વડોદરા, શિનોરસ પાવાગઢ, વલસાડ, દાહોદ, સુરત, નવસારીના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જ્યારે અનેક વિસ્તારોમાં આજે સવાર સુધીમાં સામાન્ય વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. વાતાવરણમાં અચાનક પલટો આવવાને કારણે ન માત્ર ખેડૂતો પરંતુ પતંગ વેચનાર વેપારીઓ ચિંતિત થઈ ગયા છે. 


આ જગ્યાઓમાં આવ્યો કમોસમી વરસાદ 

વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યા બાદ કપરાડા અને ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. સુરતના ઓલપાડ તાલુકામાં પણ કમોસમી વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. અનેક વિસ્તારોમાં મોડી રાત્રે હળવો વરસાદ પણ શરૂ થઈ ગયો હતો. નવસારીના અનેક ભાગોમાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ દેખાઈ હતી. 


શું કહે છે અંબાલાલ પટેલની આગાહી? 

ઉત્તરાયણ સમયે કમોસમી વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 14 તેમજ 15 જાન્યુઆરી દરમિયાન વરસાદ આવી શકે છે જેને કારણે પતંગ રસિયાઓની ચિંતા વધી છે. તેમની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે. મહત્વનું છે કે કમોસમી વરસાદને કારણે જગતના તાતની ચિંતા તો વધી છે પરંતુ સાથે સાથે પતંગના વેપારીઓની ચિંતા પણ વધી છે. અનેક જગ્યાઓથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં પતંગ પર વરસાદી પાણી ફરી વળ્યું હોય.       

 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.