Gujaratના અનેક વિસ્તારોમાં આવ્યો કમોસમી વરસાદ, માવઠાને કારણે વધી પતંગના વેપારીની ચિંતા, જાણો આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન?


  • Published By :
  • Published Date : 2024-01-10 11:09:50

કમોસમી વરસાદને કારણે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે. અનેક જગ્યાઓ પર માવઠાને કારણે જગતના તાતની ચિંતા વધી છે. શિયાળાની શરૂઆતમાં પણ કમોસમી વરસાદ આવ્યો હતો ત્યારે જાન્યુઆરીમાં પણ માવઠું આવી રહ્યું છે. અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ આવી રહ્યો છે. ધરમપુર તાલુકના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. વહેલી સવારે વરસાદ આવ્યો જેને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સોમવારે અનેક જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદ આવ્યો હતો. હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી પણ કરી હતી જે સાચી સાબિત થઈ રહી છે. વડોદરા, ડભોઈ જેવા વિસ્તારોમાં માવઠું આવ્યું હતું.


અનેક વિસ્તારોના વાતાવરણમાં આવ્યો પલટો 

વરસાદનું પણ કંઈ ઠેકાણું રહ્યું નથી. ગમે ત્યારે વરસાદ આવી જાય છે. ઉનાળામાં પણ વરસાદ આવે છે તો કોઈ વખત શિયાળામાં વરસાદ આવે છે. જે પ્રમાણે વાતાવરણમાં અચાનક પલટો આવી રહ્યો છે તે જોતા લાગે છે કે કુદરત પણ જાણે કન્ફ્યુઝ થઈ ગઈ હોય. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. વડોદરા, શિનોરસ પાવાગઢ, વલસાડ, દાહોદ, સુરત, નવસારીના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જ્યારે અનેક વિસ્તારોમાં આજે સવાર સુધીમાં સામાન્ય વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. વાતાવરણમાં અચાનક પલટો આવવાને કારણે ન માત્ર ખેડૂતો પરંતુ પતંગ વેચનાર વેપારીઓ ચિંતિત થઈ ગયા છે. 


આ જગ્યાઓમાં આવ્યો કમોસમી વરસાદ 

વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યા બાદ કપરાડા અને ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. સુરતના ઓલપાડ તાલુકામાં પણ કમોસમી વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. અનેક વિસ્તારોમાં મોડી રાત્રે હળવો વરસાદ પણ શરૂ થઈ ગયો હતો. નવસારીના અનેક ભાગોમાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ દેખાઈ હતી. 


શું કહે છે અંબાલાલ પટેલની આગાહી? 

ઉત્તરાયણ સમયે કમોસમી વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 14 તેમજ 15 જાન્યુઆરી દરમિયાન વરસાદ આવી શકે છે જેને કારણે પતંગ રસિયાઓની ચિંતા વધી છે. તેમની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે. મહત્વનું છે કે કમોસમી વરસાદને કારણે જગતના તાતની ચિંતા તો વધી છે પરંતુ સાથે સાથે પતંગના વેપારીઓની ચિંતા પણ વધી છે. અનેક જગ્યાઓથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં પતંગ પર વરસાદી પાણી ફરી વળ્યું હોય.       

 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.