Gujaratના અનેક વિસ્તારોમાં આવ્યો કમોસમી વરસાદ, માવઠાને કારણે વધી પતંગના વેપારીની ચિંતા, જાણો આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન?


  • Published By :
  • Published Date : 2024-01-10 11:09:50

કમોસમી વરસાદને કારણે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે. અનેક જગ્યાઓ પર માવઠાને કારણે જગતના તાતની ચિંતા વધી છે. શિયાળાની શરૂઆતમાં પણ કમોસમી વરસાદ આવ્યો હતો ત્યારે જાન્યુઆરીમાં પણ માવઠું આવી રહ્યું છે. અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ આવી રહ્યો છે. ધરમપુર તાલુકના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. વહેલી સવારે વરસાદ આવ્યો જેને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સોમવારે અનેક જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદ આવ્યો હતો. હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી પણ કરી હતી જે સાચી સાબિત થઈ રહી છે. વડોદરા, ડભોઈ જેવા વિસ્તારોમાં માવઠું આવ્યું હતું.


અનેક વિસ્તારોના વાતાવરણમાં આવ્યો પલટો 

વરસાદનું પણ કંઈ ઠેકાણું રહ્યું નથી. ગમે ત્યારે વરસાદ આવી જાય છે. ઉનાળામાં પણ વરસાદ આવે છે તો કોઈ વખત શિયાળામાં વરસાદ આવે છે. જે પ્રમાણે વાતાવરણમાં અચાનક પલટો આવી રહ્યો છે તે જોતા લાગે છે કે કુદરત પણ જાણે કન્ફ્યુઝ થઈ ગઈ હોય. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. વડોદરા, શિનોરસ પાવાગઢ, વલસાડ, દાહોદ, સુરત, નવસારીના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જ્યારે અનેક વિસ્તારોમાં આજે સવાર સુધીમાં સામાન્ય વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. વાતાવરણમાં અચાનક પલટો આવવાને કારણે ન માત્ર ખેડૂતો પરંતુ પતંગ વેચનાર વેપારીઓ ચિંતિત થઈ ગયા છે. 


આ જગ્યાઓમાં આવ્યો કમોસમી વરસાદ 

વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યા બાદ કપરાડા અને ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. સુરતના ઓલપાડ તાલુકામાં પણ કમોસમી વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. અનેક વિસ્તારોમાં મોડી રાત્રે હળવો વરસાદ પણ શરૂ થઈ ગયો હતો. નવસારીના અનેક ભાગોમાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ દેખાઈ હતી. 


શું કહે છે અંબાલાલ પટેલની આગાહી? 

ઉત્તરાયણ સમયે કમોસમી વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 14 તેમજ 15 જાન્યુઆરી દરમિયાન વરસાદ આવી શકે છે જેને કારણે પતંગ રસિયાઓની ચિંતા વધી છે. તેમની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે. મહત્વનું છે કે કમોસમી વરસાદને કારણે જગતના તાતની ચિંતા તો વધી છે પરંતુ સાથે સાથે પતંગના વેપારીઓની ચિંતા પણ વધી છે. અનેક જગ્યાઓથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં પતંગ પર વરસાદી પાણી ફરી વળ્યું હોય.       

 




ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."