Gujaratના અનેક વિસ્તારોમાં આવ્યો કમોસમી વરસાદ, માવઠાને કારણે વધી પતંગના વેપારીની ચિંતા, જાણો આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન?


  • Published By :
  • Published Date : 2024-01-10 11:09:50

કમોસમી વરસાદને કારણે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે. અનેક જગ્યાઓ પર માવઠાને કારણે જગતના તાતની ચિંતા વધી છે. શિયાળાની શરૂઆતમાં પણ કમોસમી વરસાદ આવ્યો હતો ત્યારે જાન્યુઆરીમાં પણ માવઠું આવી રહ્યું છે. અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ આવી રહ્યો છે. ધરમપુર તાલુકના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. વહેલી સવારે વરસાદ આવ્યો જેને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સોમવારે અનેક જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદ આવ્યો હતો. હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી પણ કરી હતી જે સાચી સાબિત થઈ રહી છે. વડોદરા, ડભોઈ જેવા વિસ્તારોમાં માવઠું આવ્યું હતું.


અનેક વિસ્તારોના વાતાવરણમાં આવ્યો પલટો 

વરસાદનું પણ કંઈ ઠેકાણું રહ્યું નથી. ગમે ત્યારે વરસાદ આવી જાય છે. ઉનાળામાં પણ વરસાદ આવે છે તો કોઈ વખત શિયાળામાં વરસાદ આવે છે. જે પ્રમાણે વાતાવરણમાં અચાનક પલટો આવી રહ્યો છે તે જોતા લાગે છે કે કુદરત પણ જાણે કન્ફ્યુઝ થઈ ગઈ હોય. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. વડોદરા, શિનોરસ પાવાગઢ, વલસાડ, દાહોદ, સુરત, નવસારીના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જ્યારે અનેક વિસ્તારોમાં આજે સવાર સુધીમાં સામાન્ય વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. વાતાવરણમાં અચાનક પલટો આવવાને કારણે ન માત્ર ખેડૂતો પરંતુ પતંગ વેચનાર વેપારીઓ ચિંતિત થઈ ગયા છે. 


આ જગ્યાઓમાં આવ્યો કમોસમી વરસાદ 

વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યા બાદ કપરાડા અને ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. સુરતના ઓલપાડ તાલુકામાં પણ કમોસમી વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. અનેક વિસ્તારોમાં મોડી રાત્રે હળવો વરસાદ પણ શરૂ થઈ ગયો હતો. નવસારીના અનેક ભાગોમાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ દેખાઈ હતી. 


શું કહે છે અંબાલાલ પટેલની આગાહી? 

ઉત્તરાયણ સમયે કમોસમી વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 14 તેમજ 15 જાન્યુઆરી દરમિયાન વરસાદ આવી શકે છે જેને કારણે પતંગ રસિયાઓની ચિંતા વધી છે. તેમની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે. મહત્વનું છે કે કમોસમી વરસાદને કારણે જગતના તાતની ચિંતા તો વધી છે પરંતુ સાથે સાથે પતંગના વેપારીઓની ચિંતા પણ વધી છે. અનેક જગ્યાઓથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં પતંગ પર વરસાદી પાણી ફરી વળ્યું હોય.       

 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.