રાજ્યમાં થઈ શકે છે કમોસમી વરસાદ, અંબાલાલ પટેલે જાન્યુઆરીના આ દિવસો દરમિયાન માવઠાની કરી આગાહી


  • Published By :
  • Published Date : 2024-01-23 19:34:43

રાજ્યમાં એક તરફ કાતિલ ઠંડીથી લોકો ઠુંઠવાઈ રહ્યા છે ત્યારે ગુજરાતમાં ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના જાણીતા હવામાન વિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે તે દરમિયાન હવામાનમાં પલટાની આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી થઈ શકે છે.  હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, પશ્ચિમી વિક્ષેપને લઈ 27 થી 30 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. આ સમયગાળા દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે. જેની અસરના ભાગરૂપે કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્માં વરસાદની શક્યતા છે. જયારે ગુજરાતનાં અન્ય ભાગોમાં વાદળવાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. જેના કારણે રાજ્યમાં વાદળવાયુ વાતાવરણ રહેશે. તે ઉપરાંત ફેબ્રુઆરી મહિનાની શરૂઆતના દિવસોમાં પણ રાજ્યના વિવિધ ભાગોમાં હળવો કમોસમી વરસાદ થવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે.  


જગતના તાતની ચિંતા વધી


હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી બાદ જગતના તાતની ચિંતા વધી છે. રાજ્યોમાં માવઠું થાય તો ખેડૂતોના શિયાળું પાકને મોટું નુકસાન થવાની શક્યતા છે. 27 જાન્યુઆરીથી લઈને 30 જાન્યુઆરી સુધીમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. આ ઉપરાંત ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તેથી ખેડૂતોની તેમના ઉભા પાકને લઈ ચિંતા વધે તે સ્વાભાવિક છે. 


હવામાન વિભાગે શું કહ્યું?


રાજ્યમાં માવઠાની અંબાલાલ પટેલે આગાહી કરી છે ત્યારે રાજ્યના હવામાન વિભાગે હવામાનમાં કોઈ મોટા ફેરફાર ન થવાની વાત કહીં છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 13.8 ડિગ્રી નજીક પહોંચ્યું છે. તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધી ઘટાડો થઈ શકે છે. રાજ્યના ઘણા શહેરોમાં તાપમાન 15 ડિગ્રીની નીચે પહોંચી ગયું છે.હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી ત્રણ દિવસ તાપમાનમાં કોઈ વધારે ફેરફાર થશે નહી. આગામી ત્રણ દિવસ તાપમાનમાં મોટા ફેરફાર નહી જોવા મળે. રાજ્યમાં 2થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. વળી વર્ષ 2023-24માં શિયાળો 15 ફેબ્રુઆરી પછી વિદાય લઇ લે તેવી શક્યતાઓ દેખાઇ રહી છે. એટલે જે પ્રમાણે માર્ચ મહિનાથી તાપમાન ઊંચુ જતુ હોય છે તેમ આ વખતે 15 ફેબ્રુઆરીથી ઊંચુ જાય તેવું લાગી રહ્યુ છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.