રાજ્યના વિવિધ ભાગોમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ, આજે પણ માવઠાંની શક્યતા


  • Published By :
  • Published Date : 2023-03-05 14:26:51

રાજ્યમાં હાલ ભરઉનાળે ચોમાસા જેવા માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વાવાઝોડા સાથે માવઠું થતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા બનાસકાંઠ, સાબરકાંઠા, અમરેલી, વલસાડ સહિત અને જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડતાં ચોમાસ જેવો માહોલ જામ્યો છે. કમોસમી વરસાદથી આ જિલ્લાઓમાં વરસાદ પડતાં ખેડૂતો ચિંતિત છે.


આ જિલ્લાઓમાં માવઠું


સાબરકાંઠા


સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં કમોસમી વરસાદી છાંટાની વહેલી સવારેથી  શરૂઆત થઇ ગઇ હતી.કમોસમી વરસાદને  કારણે ઘઉં, તમાકુ જેવા પાકોમાં નુકસાન જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.


બનાસકાંઠા


બનાસકાંઠાના લાખણી પંથકમાં મોડી રાત્રે ગાજવીજ સાથે  વરસાદ પડતાં  ખેડૂતો તૈયાર થયેલા પાકને બચાવવ માટે કવાયત કરતા જોવા મળ્યા હતા. અહીં કુડા,વાસણ,કોટડા સહિતના ગામોમા કમોસમી વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. અહીં કમોસમી વરસાદ પડતાં રાયડો, જીરૂનાં પાકને નુકશાન થવાની શક્યતા સેવાઇ રહી છે.


વલસાડ


વલસાડ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અહીં મોડી રાત્રે વાપી આસપાસ ના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદી છાંટા પડ્યાં હતા. રાજ્યને અડીને આવેલ મહારાષ્ટ્રની તલાસરી બોર્ડર પર હાઇવે પર વરસાદ પડતાં અહીં વિઝિબિલિટી ઓછી થઇ જતાં વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.


જામનગર


જામનગરમાં પણ રાત્રે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ગત મોડી રાતે વાતાવરણમાં પલટો આવતાં વીજળીના કડાકા ભડાકા સાથે  વરસાદ પડતાં ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.જામનગર ઉપરાંત જોડિયા અને કાલાવડના કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં પણ રાત્રીના વરસાદી ઝાપટાં પડતા ધરતી પુત્રો ચિંતામાં મૂકાયા છે.


ડાંગ


ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે વરસાદી માહોલ રહ્યા બાદ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇમાં કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદી માહોલને લઈને જિલ્લાનું જન જીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. મુખ્ય મથક આહવા ખાતે યોજાયેલ ડાંગ દરબારમાં જતા લોકો અટવાયા હતા. આહવા બાદ વઘઇ સહિત વઘઈના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો.વઘઇમાં ગાજવીજ સાથે વરસાદ પડતાં અને ઠંડો પવન ફુંકાતા લોકોએ બેવડી ઋતુનો અનુભવ કર્યો હતો.


અમરેલી


અમરેલીના સરસિયા ગામે તેમજ  લીંબડી તાલુકામાં પણ વાતાવરણમાં આવ્યો પલટો જોવા મળ્યો હતો. લીંબડી તાલુકાના શિયાણી, ભલગામડા, ઘાઘરેટિયા, બોડિયા, પાંદરી, નાના ટિંબલા સહિતના ગામોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ ઝાપટા પડ્યાં હતા. કમોસમી વરસાદને પગલે ખેડૂતોના ઘઉં, જીરા સહિતના પાકોને મોટાપાયે નુકશાની જવાની ભીતિ  સેવાઇ રહી છે. ધારીમાં પવન સાથે વરસાદ પડતાં કેરીના પાકને નુકસાન થયું છે. મબલખ કાચી કેરી ખરી જતાં ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યાં છે.


કચ્છનાં રાપરમાં વીજળી ત્રાટકી એકનું મોત


કચ્છમાં કમોસમી વરસાદ વચ્ચે દુર્ઘટના સર્જાઈ હતી. રાપરના તાલુકામાં ખેત મજૂર પર વીજળી પડતા મૃત્યુ નિપજ્યું હતું. રાપર તાલુકાના કારીધાર વાંઢ વિસ્તારમાં ખેતરમાં કામ કરી રહેલા 26 વર્ષીય ખેત મજૂર કિશોર રઘુભાઈ કોળી પર વીજળી પડી હતી. જેથી તેઓને સારવાર માટે રાપરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.


આજે પણ માવઠાંની આશંકા


વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ટ્રફની અસરના કારણે હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની શક્યતા છે. 5 માર્ચે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસી શકે છે. 7 માર્ચ સુધી સોરાષ્ટ્ર-કચ્છ સહિત જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 6 અને 7 તારીખે સુરત, નવસારી, વલસાડમાં વરસાદની શક્યતા છે. 



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.