સમગ્ર રાજ્યમાં ઠેરઠેર કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી


  • Published By :
  • Published Date : 2023-03-18 18:12:18

રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અનેક જગ્યાઓ પર ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. સુરેન્દ્રનગર, ભરૂચ, દ્વારકા, બનાસકાંઠા, સાબરકાંઠા વિસ્તારમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. અનેક જગ્યાઓ પર કરા સાથે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો હતો. પાવાગઢ,અંબાજી સહિત અનેક મંદિરોમાં ભક્તો ભીંજાતા દર્શન કરી રહ્યા છે. 

કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદને લીધે ખેડૂતો ચિંતામાં 

કચ્છમાં પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જીલ્લાના વાઢીયા, શિકારપુર,માણાબા સહિતના ગામોમાં માવઠું પડ્યું હતું. જ્યારે બનાસકાંઠાના અંબાજીના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. પવન સાથે વરસાદનું આગમન થયું હતું. તે સિવાય સાબરકાંઠામાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જામનગરમાં પણ માવઠું પડ્યું હતું. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. પાકને મોટા પાયે નુકસાન થયું છે.       

દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ સાથે કરા પડ્યાં

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદે તેની માઝા મૂકી હતી, ખાસ કરીને ડાંગ, તાપી જેવા જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે, તાપીમાં સતત બીજે દિવસે કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જ્યારે ડોલવણના અનેક વિસ્તારોમાં વરસાદની સાથે સાથે કરા પણ પડ્યાં છે, જેને લીધે ખેડૂતોના પાકને મોટાં પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.