સમગ્ર રાજ્યમાં ઠેરઠેર કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી


  • Published By :
  • Published Date : 2023-03-18 18:12:18

રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અનેક જગ્યાઓ પર ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. સુરેન્દ્રનગર, ભરૂચ, દ્વારકા, બનાસકાંઠા, સાબરકાંઠા વિસ્તારમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. અનેક જગ્યાઓ પર કરા સાથે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો હતો. પાવાગઢ,અંબાજી સહિત અનેક મંદિરોમાં ભક્તો ભીંજાતા દર્શન કરી રહ્યા છે. 

કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદને લીધે ખેડૂતો ચિંતામાં 

કચ્છમાં પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જીલ્લાના વાઢીયા, શિકારપુર,માણાબા સહિતના ગામોમાં માવઠું પડ્યું હતું. જ્યારે બનાસકાંઠાના અંબાજીના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. પવન સાથે વરસાદનું આગમન થયું હતું. તે સિવાય સાબરકાંઠામાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જામનગરમાં પણ માવઠું પડ્યું હતું. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. પાકને મોટા પાયે નુકસાન થયું છે.       

દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ સાથે કરા પડ્યાં

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદે તેની માઝા મૂકી હતી, ખાસ કરીને ડાંગ, તાપી જેવા જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે, તાપીમાં સતત બીજે દિવસે કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જ્યારે ડોલવણના અનેક વિસ્તારોમાં વરસાદની સાથે સાથે કરા પણ પડ્યાં છે, જેને લીધે ખેડૂતોના પાકને મોટાં પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. 



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.