સમગ્ર રાજ્યમાં ઠેરઠેર કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી


  • Published By :
  • Published Date : 2023-03-18 18:12:18

રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અનેક જગ્યાઓ પર ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. સુરેન્દ્રનગર, ભરૂચ, દ્વારકા, બનાસકાંઠા, સાબરકાંઠા વિસ્તારમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. અનેક જગ્યાઓ પર કરા સાથે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો હતો. પાવાગઢ,અંબાજી સહિત અનેક મંદિરોમાં ભક્તો ભીંજાતા દર્શન કરી રહ્યા છે. 

કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદને લીધે ખેડૂતો ચિંતામાં 

કચ્છમાં પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જીલ્લાના વાઢીયા, શિકારપુર,માણાબા સહિતના ગામોમાં માવઠું પડ્યું હતું. જ્યારે બનાસકાંઠાના અંબાજીના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. પવન સાથે વરસાદનું આગમન થયું હતું. તે સિવાય સાબરકાંઠામાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જામનગરમાં પણ માવઠું પડ્યું હતું. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. પાકને મોટા પાયે નુકસાન થયું છે.       

દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ સાથે કરા પડ્યાં

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદે તેની માઝા મૂકી હતી, ખાસ કરીને ડાંગ, તાપી જેવા જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે, તાપીમાં સતત બીજે દિવસે કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જ્યારે ડોલવણના અનેક વિસ્તારોમાં વરસાદની સાથે સાથે કરા પણ પડ્યાં છે, જેને લીધે ખેડૂતોના પાકને મોટાં પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. 



શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.