સમગ્ર રાજ્યમાં ઠેરઠેર કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-18 18:12:18

રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અનેક જગ્યાઓ પર ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. સુરેન્દ્રનગર, ભરૂચ, દ્વારકા, બનાસકાંઠા, સાબરકાંઠા વિસ્તારમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. અનેક જગ્યાઓ પર કરા સાથે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો હતો. પાવાગઢ,અંબાજી સહિત અનેક મંદિરોમાં ભક્તો ભીંજાતા દર્શન કરી રહ્યા છે. 

કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદને લીધે ખેડૂતો ચિંતામાં 

કચ્છમાં પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જીલ્લાના વાઢીયા, શિકારપુર,માણાબા સહિતના ગામોમાં માવઠું પડ્યું હતું. જ્યારે બનાસકાંઠાના અંબાજીના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. પવન સાથે વરસાદનું આગમન થયું હતું. તે સિવાય સાબરકાંઠામાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જામનગરમાં પણ માવઠું પડ્યું હતું. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. પાકને મોટા પાયે નુકસાન થયું છે.       

દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ સાથે કરા પડ્યાં

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદે તેની માઝા મૂકી હતી, ખાસ કરીને ડાંગ, તાપી જેવા જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે, તાપીમાં સતત બીજે દિવસે કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જ્યારે ડોલવણના અનેક વિસ્તારોમાં વરસાદની સાથે સાથે કરા પણ પડ્યાં છે, જેને લીધે ખેડૂતોના પાકને મોટાં પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. 



ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.

દિશાહિન શ્રદ્ધા માણસોને ડૂબાડે છે... શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અનેક વખત માણસ શ્રદ્ધામાં વહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં દિશાહીન શ્રદ્ધાની વાત કરવામાં આવી છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ અનેક જગ્યાઓ પર બેઠક કરી છે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે. ત્યારે સુરતમાં સી.આર.પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે.

જમાવટની ટીમે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા અને દિનેશ મકવાણાને તેમના વિઝન જાણવા માટે ફોન કર્યો હતો. ભાજપના ઉમેદવારે જવાબ ના આપ્યો જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે કહ્યું કે શિક્ષા. આરોગ્ય જેવી વસ્તુઓ પર તે ધ્યાન આપશે.