રાજયમાં માવઠાના કારણે ઘઉંના ભાવ આસમાને, ગૃહિણીનોનું બજેટ ખોરવાયું


  • Published By :
  • Published Date : 2023-04-03 13:42:35

ગુજરાતમાં થઈ રહેલા સતત માવઠાંના કારણે ખેતીના ઉભા પાકને જબરદસ્ત નુકસાન થયું છે. જો કે સૌથી વધુ નુકસાન ઘઉં અને કેરીના પાકને થયું છે, આ જ કારણે બજારમાં ઘઉંની ભારે અછત સર્જાતા ભાવ આસમાને પહોંચ્યા છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઘઉંના ભાવમાં 40 ટકા જેટલો વધારો થયો છે. રાજ્યના વિવિધ માર્કેટિંગ યાર્ડમાં પણ સારી ક્વોલિટીના ઘઉંની આવક ઓછી થઇ રહી છે. જેની સામે માંગ વધુ હોવાથી ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. વેપારીઓ અનુસાર, આગામી દિવસોમાં ઘઉંની કિંમતમાં હજુ પણ વધારો થાય તેમ છે. ઘઉંના ભાવમાં ફડકો થતાં ગુજરાતીઓની પ્રિય રોટલી પણ મોંઘી બની છે.


ગૃહિણીનોનું બજેટ ખોરવાયું


ગુજરાતમાં દર વર્ષે એપ્રિલ અને મે મહિનામાં ઘઉંની સિઝનમાં ગૃહિણીઓ બાર મહિના માટે ઘઉંની ખરીદી કરતા હોય છે. આ સમયે ઘઉંના ઉંચા ભાવની અસર ખરીદી પર પણ જોવા મળી રહી છે. ઘઉંની વિવિધ ક્વોલિટીના ભાવમાં ક્વિન્ટલ દીઠ રૂપિયા 900 સુધીનો વધારો જોવા મળી રહ્યો છે. ઘઉંની માંગ અને ભાવ બન્નેમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ઘઉંની કિંમતમાં વધારો થતાં તૈયાર લોટના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તૈયાર લોટના ભાવમાં કિલોગ્રામ દીઢ 15થી 20 રૂપિયા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે.


ઘઉંનો ભાવ કેટલો વધ્યો?


રાજ્યમાં હાલ સારી ગુણવત્તાના દાઉદખાની ઘઉંની કિંમતમાં 40 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. 100 કિલોગ્રામ ઘઉંનોનો ભાવ 6800 રૂપિયા જેટલો છે. જે ગત વર્ષ કરતાં 40 ટકા વધુ નોંધાયો છે. બીજી બાજુ, શિહોરી ટૂકડીનો ક્વિન્ટલ દીઠ ભાવ 4500 છે, જે ગત વર્ષે 3900 રૂપિયા જેટલો હતો. રજવાડી બંસીનો ભાવ 4300 છે, જે ગત વર્ષે 3800 રૂપિયા જેટલો હતો. લોકવનનો ભાવ 3500 છે, જે ગત વર્ષે 2900 રૂપિયા હતો. આમ, ઘઉંની વિવિધ ક્વોલિટીમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે માવઠાને કારણે ઘઉંની ગુણવત્તા પર અસર પડી છે. નબળી ગુણવત્તા છતાં ભાવમાં ખાસ્સો વધારો જોવા મળી રહ્યો છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે