UP : SBI Bankમાં ઘૂસી ગયો આખલો, બેન્કમાં હાજર લોકો ડરી ગયા, Akhilesh Yadavએ વીડિયોને લઈ કહી આ વાત જુઓ Video


  • Published By :
  • Published Date : 2024-01-11 12:29:38

સામાન્ય રીતે બેન્કમાં પૈસા ભરવા, પાસબુક ભરાવા કે અન્ય કોઈ માટે માણસો આવતા હોય છે. પરંતુ શું તમે બેન્કમાં કદી આખલાને જોયો છે? તમે બેન્કમાં હાજર હોવ અને બળદ ઘૂસી આવે તો શું પરિસ્થિતિ સર્જાય તેનો અંદાજ તમે લગાવી શકો છે. આવી જ એક ઘટના ઉત્તરપ્રદેશથી સામે આવી છે જ્યાં એસબીઆઈ બેન્કમાં વર્કિંગ અવર્સ દરમિયાન એક બળદ ઘૂસી આવ્યો છે પછી જે થયું એ....બેન્કમાં આખલો ઘૂસી આવતા બેન્કમાં હાજર લોકો ઘભરાઈ ગયા અને  અફરા- તફરી જેવો માહોલ સર્જાયો હતો. 

SBI બેંકમાં ઘૂસી આવ્યો બળદ!

રખડતા ઢોરનો ત્રાસ તો રસ્તા પર જોવા મળતો હોય છે પરંતુ બેન્કમાં જ્યાં સુરક્ષા હોય છે ત્યાં પણ બળદ કે ગાય આવી જાય તો! આવો કિસ્સો ઉત્તર પ્રદેશમાં બન્યો છે. એક વીડિયો સામે આવ્યો હતો જેમાં એસબીઆઈ બેન્કમાં એક બળદ ઘૂસી જાય છે. જે બેન્કનો વીડિયો વાયરલ થયો છે તે એસબીઆઈ બેંકની ઉન્નાવનો છે. બેંકમાં જ્યારે બળદ ઘૂસે ત્યારે બેંકમાં હાજર લોકોની પરિસ્થિતિ કેવી થઈ તે વીડિયોમાં જોઈ શકાય છે. અહીંયા-તહીંયા લોકો ભાગવા લાગ્યા. કાઉન્ટર ઉભેલા વ્યક્તિ લોકોને ત્યાંથી હટવા માટે કહી રહ્યા છે. 

અખિલેશ યાદવે કહી વાત!

જે વીડિયો વાયરલ થયો છે માત્ર અમુક સેકેન્ડોનો જ છે. બેંકમાં ઘેસૂલો આખલો આગળ ક્યાં જાય છે તેની ખબર નહીં પરંતુ આ વીડિયો પર અલગ અલગ પ્રતિક્રિયા સામે આવી રહી છે... આ વીડિયોને લઈ અખિલેશ યાદવે પણ પ્રતિક્રિયા આપી છે. અખિલેશ યાદવે વીડિયો ટ્વિટ કરતા લખ્યું કે બળદની શું ભૂલ, કોઈએ કહ્યું હશે કે બીજેપી બધાના ખાતામાં 15 લાખ જમા કરાવી રહી છે. તે ભ્રમ અને બહાકાવવામાં આવીને બેંકમાં પહોંચ્યો હશે. ત્યારે આ વીડિયો પર તમારૂં શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવો...    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.