UP : SBI Bankમાં ઘૂસી ગયો આખલો, બેન્કમાં હાજર લોકો ડરી ગયા, Akhilesh Yadavએ વીડિયોને લઈ કહી આ વાત જુઓ Video


  • Published By :
  • Published Date : 2024-01-11 12:29:38

સામાન્ય રીતે બેન્કમાં પૈસા ભરવા, પાસબુક ભરાવા કે અન્ય કોઈ માટે માણસો આવતા હોય છે. પરંતુ શું તમે બેન્કમાં કદી આખલાને જોયો છે? તમે બેન્કમાં હાજર હોવ અને બળદ ઘૂસી આવે તો શું પરિસ્થિતિ સર્જાય તેનો અંદાજ તમે લગાવી શકો છે. આવી જ એક ઘટના ઉત્તરપ્રદેશથી સામે આવી છે જ્યાં એસબીઆઈ બેન્કમાં વર્કિંગ અવર્સ દરમિયાન એક બળદ ઘૂસી આવ્યો છે પછી જે થયું એ....બેન્કમાં આખલો ઘૂસી આવતા બેન્કમાં હાજર લોકો ઘભરાઈ ગયા અને  અફરા- તફરી જેવો માહોલ સર્જાયો હતો. 

SBI બેંકમાં ઘૂસી આવ્યો બળદ!

રખડતા ઢોરનો ત્રાસ તો રસ્તા પર જોવા મળતો હોય છે પરંતુ બેન્કમાં જ્યાં સુરક્ષા હોય છે ત્યાં પણ બળદ કે ગાય આવી જાય તો! આવો કિસ્સો ઉત્તર પ્રદેશમાં બન્યો છે. એક વીડિયો સામે આવ્યો હતો જેમાં એસબીઆઈ બેન્કમાં એક બળદ ઘૂસી જાય છે. જે બેન્કનો વીડિયો વાયરલ થયો છે તે એસબીઆઈ બેંકની ઉન્નાવનો છે. બેંકમાં જ્યારે બળદ ઘૂસે ત્યારે બેંકમાં હાજર લોકોની પરિસ્થિતિ કેવી થઈ તે વીડિયોમાં જોઈ શકાય છે. અહીંયા-તહીંયા લોકો ભાગવા લાગ્યા. કાઉન્ટર ઉભેલા વ્યક્તિ લોકોને ત્યાંથી હટવા માટે કહી રહ્યા છે. 

અખિલેશ યાદવે કહી વાત!

જે વીડિયો વાયરલ થયો છે માત્ર અમુક સેકેન્ડોનો જ છે. બેંકમાં ઘેસૂલો આખલો આગળ ક્યાં જાય છે તેની ખબર નહીં પરંતુ આ વીડિયો પર અલગ અલગ પ્રતિક્રિયા સામે આવી રહી છે... આ વીડિયોને લઈ અખિલેશ યાદવે પણ પ્રતિક્રિયા આપી છે. અખિલેશ યાદવે વીડિયો ટ્વિટ કરતા લખ્યું કે બળદની શું ભૂલ, કોઈએ કહ્યું હશે કે બીજેપી બધાના ખાતામાં 15 લાખ જમા કરાવી રહી છે. તે ભ્રમ અને બહાકાવવામાં આવીને બેંકમાં પહોંચ્યો હશે. ત્યારે આ વીડિયો પર તમારૂં શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવો...    



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે