UP : SBI Bankમાં ઘૂસી ગયો આખલો, બેન્કમાં હાજર લોકો ડરી ગયા, Akhilesh Yadavએ વીડિયોને લઈ કહી આ વાત જુઓ Video


  • Published By :
  • Published Date : 2024-01-11 12:29:38

સામાન્ય રીતે બેન્કમાં પૈસા ભરવા, પાસબુક ભરાવા કે અન્ય કોઈ માટે માણસો આવતા હોય છે. પરંતુ શું તમે બેન્કમાં કદી આખલાને જોયો છે? તમે બેન્કમાં હાજર હોવ અને બળદ ઘૂસી આવે તો શું પરિસ્થિતિ સર્જાય તેનો અંદાજ તમે લગાવી શકો છે. આવી જ એક ઘટના ઉત્તરપ્રદેશથી સામે આવી છે જ્યાં એસબીઆઈ બેન્કમાં વર્કિંગ અવર્સ દરમિયાન એક બળદ ઘૂસી આવ્યો છે પછી જે થયું એ....બેન્કમાં આખલો ઘૂસી આવતા બેન્કમાં હાજર લોકો ઘભરાઈ ગયા અને  અફરા- તફરી જેવો માહોલ સર્જાયો હતો. 

SBI બેંકમાં ઘૂસી આવ્યો બળદ!

રખડતા ઢોરનો ત્રાસ તો રસ્તા પર જોવા મળતો હોય છે પરંતુ બેન્કમાં જ્યાં સુરક્ષા હોય છે ત્યાં પણ બળદ કે ગાય આવી જાય તો! આવો કિસ્સો ઉત્તર પ્રદેશમાં બન્યો છે. એક વીડિયો સામે આવ્યો હતો જેમાં એસબીઆઈ બેન્કમાં એક બળદ ઘૂસી જાય છે. જે બેન્કનો વીડિયો વાયરલ થયો છે તે એસબીઆઈ બેંકની ઉન્નાવનો છે. બેંકમાં જ્યારે બળદ ઘૂસે ત્યારે બેંકમાં હાજર લોકોની પરિસ્થિતિ કેવી થઈ તે વીડિયોમાં જોઈ શકાય છે. અહીંયા-તહીંયા લોકો ભાગવા લાગ્યા. કાઉન્ટર ઉભેલા વ્યક્તિ લોકોને ત્યાંથી હટવા માટે કહી રહ્યા છે. 

અખિલેશ યાદવે કહી વાત!

જે વીડિયો વાયરલ થયો છે માત્ર અમુક સેકેન્ડોનો જ છે. બેંકમાં ઘેસૂલો આખલો આગળ ક્યાં જાય છે તેની ખબર નહીં પરંતુ આ વીડિયો પર અલગ અલગ પ્રતિક્રિયા સામે આવી રહી છે... આ વીડિયોને લઈ અખિલેશ યાદવે પણ પ્રતિક્રિયા આપી છે. અખિલેશ યાદવે વીડિયો ટ્વિટ કરતા લખ્યું કે બળદની શું ભૂલ, કોઈએ કહ્યું હશે કે બીજેપી બધાના ખાતામાં 15 લાખ જમા કરાવી રહી છે. તે ભ્રમ અને બહાકાવવામાં આવીને બેંકમાં પહોંચ્યો હશે. ત્યારે આ વીડિયો પર તમારૂં શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવો...    



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.