ઉત્તર પ્રદેશમાં ભાઈએ બહેનનું ગળું કાપીને કરી હત્યા, બહેનના પ્રેમ સંબંધથી નારાજ હતો ભાઈ


  • Published By :
  • Published Date : 2023-07-21 20:10:10

ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં એક ભાઈએ તેની બહેનનું ગળું કાપીને હત્યા કરતા હડકંપ મચી ગયો છે. 24 વર્ષીય રિયાઝે તેની 18 વર્ષીય બહેન આસિફાની યુવક સાથેના પ્રેમ સંબંધના કારણે હત્યા કરી નાખી હતી. બારાબંકી જિલ્લાના ફતેહપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં આ ઘટના બની હતી. યુવક તેની બહેનનું કાપેલું મસ્તક લઈને ગામમાંથી પોલીસ સ્ટેશન તરફ જઈ રહ્યો હતો ત્યારે જ ગામ લોકોએ પોલીસને આ ઘટનાની જાણ કરતા પોલીસ તાબડતોબ ગામમાં આવી પહોંચી હતી અને યુવકની ધરપકડ કરી લીધી હતી. પોલીસે આ યુવકની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે, પોલીસે ઘટના સ્થળે પહોંચીને લાશ હસ્તગત કરીને પીએમ માટે મોકલી દીધી છે.


ઝગડો થયા બાદ બહેનની હત્યા


રિયાઝ તેની 18 વર્ષીય બહેન આસિફાની ગામના જ એક યુવક ચાંદ બાબુ સાથે પ્રેમ સંબંધ સંબંધથી નારાજ હતો. આસિફા એક મહિના પહેલા જ તે યુવક સાથે ભાગી ગઈ હતી, ત્યાર બાદ યુવક અને યુવતીને પોલીસે ઝડપી પાડ્યા હતા. યુવકને જેલ હવાલે કરવામાં આવ્યો હતો, જ્યારે યુવતીને પરિવારજનોને સોંપી દીધી હતી. આ ઘટનાથી યુવતીનો ભાઈ નારાજ હતો.  આજે શુક્રવારે ભાઈ અને બહેન વચ્ચે બબાલ થઈ ગઈ હતી, બાદમાં ગુસ્સે થયેલા રિયાઝે સવારે 11 વાગ્યે ધારદાર હથિયારથી બહેન આશિફાનું ગળું કાપીને નિર્મમતાપૂર્વક હત્યા કરી નાખી હતી.



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.