ઉત્તર પ્રદેશમાં ભાઈએ બહેનનું ગળું કાપીને કરી હત્યા, બહેનના પ્રેમ સંબંધથી નારાજ હતો ભાઈ


  • Published By :
  • Published Date : 2023-07-21 20:10:10

ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં એક ભાઈએ તેની બહેનનું ગળું કાપીને હત્યા કરતા હડકંપ મચી ગયો છે. 24 વર્ષીય રિયાઝે તેની 18 વર્ષીય બહેન આસિફાની યુવક સાથેના પ્રેમ સંબંધના કારણે હત્યા કરી નાખી હતી. બારાબંકી જિલ્લાના ફતેહપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં આ ઘટના બની હતી. યુવક તેની બહેનનું કાપેલું મસ્તક લઈને ગામમાંથી પોલીસ સ્ટેશન તરફ જઈ રહ્યો હતો ત્યારે જ ગામ લોકોએ પોલીસને આ ઘટનાની જાણ કરતા પોલીસ તાબડતોબ ગામમાં આવી પહોંચી હતી અને યુવકની ધરપકડ કરી લીધી હતી. પોલીસે આ યુવકની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે, પોલીસે ઘટના સ્થળે પહોંચીને લાશ હસ્તગત કરીને પીએમ માટે મોકલી દીધી છે.


ઝગડો થયા બાદ બહેનની હત્યા


રિયાઝ તેની 18 વર્ષીય બહેન આસિફાની ગામના જ એક યુવક ચાંદ બાબુ સાથે પ્રેમ સંબંધ સંબંધથી નારાજ હતો. આસિફા એક મહિના પહેલા જ તે યુવક સાથે ભાગી ગઈ હતી, ત્યાર બાદ યુવક અને યુવતીને પોલીસે ઝડપી પાડ્યા હતા. યુવકને જેલ હવાલે કરવામાં આવ્યો હતો, જ્યારે યુવતીને પરિવારજનોને સોંપી દીધી હતી. આ ઘટનાથી યુવતીનો ભાઈ નારાજ હતો.  આજે શુક્રવારે ભાઈ અને બહેન વચ્ચે બબાલ થઈ ગઈ હતી, બાદમાં ગુસ્સે થયેલા રિયાઝે સવારે 11 વાગ્યે ધારદાર હથિયારથી બહેન આશિફાનું ગળું કાપીને નિર્મમતાપૂર્વક હત્યા કરી નાખી હતી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.