ઉત્તર પ્રદેશમાં ભાઈએ બહેનનું ગળું કાપીને કરી હત્યા, બહેનના પ્રેમ સંબંધથી નારાજ હતો ભાઈ


  • Published By :
  • Published Date : 2023-07-21 20:10:10

ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં એક ભાઈએ તેની બહેનનું ગળું કાપીને હત્યા કરતા હડકંપ મચી ગયો છે. 24 વર્ષીય રિયાઝે તેની 18 વર્ષીય બહેન આસિફાની યુવક સાથેના પ્રેમ સંબંધના કારણે હત્યા કરી નાખી હતી. બારાબંકી જિલ્લાના ફતેહપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં આ ઘટના બની હતી. યુવક તેની બહેનનું કાપેલું મસ્તક લઈને ગામમાંથી પોલીસ સ્ટેશન તરફ જઈ રહ્યો હતો ત્યારે જ ગામ લોકોએ પોલીસને આ ઘટનાની જાણ કરતા પોલીસ તાબડતોબ ગામમાં આવી પહોંચી હતી અને યુવકની ધરપકડ કરી લીધી હતી. પોલીસે આ યુવકની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે, પોલીસે ઘટના સ્થળે પહોંચીને લાશ હસ્તગત કરીને પીએમ માટે મોકલી દીધી છે.


ઝગડો થયા બાદ બહેનની હત્યા


રિયાઝ તેની 18 વર્ષીય બહેન આસિફાની ગામના જ એક યુવક ચાંદ બાબુ સાથે પ્રેમ સંબંધ સંબંધથી નારાજ હતો. આસિફા એક મહિના પહેલા જ તે યુવક સાથે ભાગી ગઈ હતી, ત્યાર બાદ યુવક અને યુવતીને પોલીસે ઝડપી પાડ્યા હતા. યુવકને જેલ હવાલે કરવામાં આવ્યો હતો, જ્યારે યુવતીને પરિવારજનોને સોંપી દીધી હતી. આ ઘટનાથી યુવતીનો ભાઈ નારાજ હતો.  આજે શુક્રવારે ભાઈ અને બહેન વચ્ચે બબાલ થઈ ગઈ હતી, બાદમાં ગુસ્સે થયેલા રિયાઝે સવારે 11 વાગ્યે ધારદાર હથિયારથી બહેન આશિફાનું ગળું કાપીને નિર્મમતાપૂર્વક હત્યા કરી નાખી હતી.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.