ઉત્તર પ્રદેશમાં ભાઈએ બહેનનું ગળું કાપીને કરી હત્યા, બહેનના પ્રેમ સંબંધથી નારાજ હતો ભાઈ


  • Published By :
  • Published Date : 2023-07-21 20:10:10

ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં એક ભાઈએ તેની બહેનનું ગળું કાપીને હત્યા કરતા હડકંપ મચી ગયો છે. 24 વર્ષીય રિયાઝે તેની 18 વર્ષીય બહેન આસિફાની યુવક સાથેના પ્રેમ સંબંધના કારણે હત્યા કરી નાખી હતી. બારાબંકી જિલ્લાના ફતેહપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં આ ઘટના બની હતી. યુવક તેની બહેનનું કાપેલું મસ્તક લઈને ગામમાંથી પોલીસ સ્ટેશન તરફ જઈ રહ્યો હતો ત્યારે જ ગામ લોકોએ પોલીસને આ ઘટનાની જાણ કરતા પોલીસ તાબડતોબ ગામમાં આવી પહોંચી હતી અને યુવકની ધરપકડ કરી લીધી હતી. પોલીસે આ યુવકની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે, પોલીસે ઘટના સ્થળે પહોંચીને લાશ હસ્તગત કરીને પીએમ માટે મોકલી દીધી છે.


ઝગડો થયા બાદ બહેનની હત્યા


રિયાઝ તેની 18 વર્ષીય બહેન આસિફાની ગામના જ એક યુવક ચાંદ બાબુ સાથે પ્રેમ સંબંધ સંબંધથી નારાજ હતો. આસિફા એક મહિના પહેલા જ તે યુવક સાથે ભાગી ગઈ હતી, ત્યાર બાદ યુવક અને યુવતીને પોલીસે ઝડપી પાડ્યા હતા. યુવકને જેલ હવાલે કરવામાં આવ્યો હતો, જ્યારે યુવતીને પરિવારજનોને સોંપી દીધી હતી. આ ઘટનાથી યુવતીનો ભાઈ નારાજ હતો.  આજે શુક્રવારે ભાઈ અને બહેન વચ્ચે બબાલ થઈ ગઈ હતી, બાદમાં ગુસ્સે થયેલા રિયાઝે સવારે 11 વાગ્યે ધારદાર હથિયારથી બહેન આશિફાનું ગળું કાપીને નિર્મમતાપૂર્વક હત્યા કરી નાખી હતી.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .