આનંદીબેન પટેલ રાજકોટના ક્યા MLAથી નારાજ થયા?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-09-30 21:26:00

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ફરી એકવાર સમાચારોમાં આવ્યા છે. ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ દ્વારકાની મુલાકત લઈને તેઓ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તે દરમ્યાન રાજકોટ બાયપાસ હાઇવે પર તેમના સ્વાગતનો કાર્યક્રમ નક્કી થયો હતો. જોકે આ રૂટ બદલાયો હતો જેના કારણે , રાજ્યપાલ આનંદીબેન પટેલ ભારે નારાજ થયા છે. ચર્ચાઓ એવી ચાલી રહી છે કે , રાજકોટના MLA ઉદય કાનગડે પ્રસિદ્ધિ મેળવવા માટે આ રૂટ બદલાયો હતો . 

Image

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ , ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ થોડાક સમય અગાઉ દ્વારકાની મુલાકાતે આવ્યા હતા જ્યાં તેમણે દ્વારકાધીશ મંદિરની મુલાકાત લીધી હતી. આ પછી તેઓ રાજકોટના કાગવડ ખાતે ખોડલધામ દર્શન ખાતે આવે છે , ત્યારબાદ તેઓનો રૂટ અમદાવાદ તરફ જવાનો હતો. આ માટે તેઓ રાજકોટ બાયપાસથી અમદાવાદ તરફ જવાના હતા પરંતુ , MLA ઉદય કાનગડ દ્વારા તેમના સ્વાગત માટેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે . જોકે રાજ્યપાલ આનંદીબેન પટેલને એમ હતું કે આ કાર્યક્રમ હાઇવે પર જ રાખવામાં આવ્યો છે. પરંતુ આ પછી રાજ્યપાલના કાફલાએ રાજકોટ શહેરના સામાકાઠા વિસ્તારની અંદર પ્રવેશ કરવો પડ્યો હતો. જેનાથી આનંદીબેન પટેલ ખુબ નારાજ થયા હતા. એટલુંજ નહિ તેઓ ગાડીમાંથી ઉતર્યા ન હતા અને ગાડીમાં બેઠા બેઠા જ ગુલદસ્તો હાથમાં લઇ લીધો હતો. ભારે નારાજગી સાથે આનંદીબેન બોલ્યા કે તારે જે આપવાનું હોય તે આપ , આખો કાફલો હેરાન થયો. આ ઘટના પછી ત્યાં હાજર BJP કાર્યકર્તાઓમાં ચર્ચાઓએ જોર પકડ્યું હતું. તેનું એક કારણ એ છે કે , જો કોઈ પણ રાજ્યપાલ આવે તો , પ્રોટોકોલ મુજબ શહેર ભાજપ પ્રમુખનું ધ્યાન દોરવાનું હોય છે તેમને પણ ત્યાં બોલાવવાનાં હોય છે. પરંતુ અહીં શહેર ભાજપ પ્રમુખ માધવ દવેને નહોતા બોલાવવામાં આવ્યા. આ ઉપરાંત રાજકોટના સામાકાઠા વિસ્તારમાં પૂર્વ MLA અરવિંદ રૈયાણી જે રીતે એક્ટિવ થયા છે ત્યારે પાટીદાર સમાજમાં પોતાનું કદ બતાવવા માટે થઇ આ કાર્યક્રમ ઉદય કાનગડે યોજ્યો હોવાની વાત બહાર આવી છે.  

Image

તો ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ત્યારે ચર્ચામાં આવ્યા હતા જયારે ઉત્તર પ્રદેશ સરકારના અધિકારીઓ પર જાહેરમાં ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું હતું કે , અયોધ્યામાં રામમંદિરના દર્શન કરવા માટે લોકો ક્યાં ક્યાંથી આવે છે. ત્યાં તો દર્શન થઇ જાય છે. પરંતુ ફાઈલના દર્શન કરવા માટે એક ટેબલથી બીજું ટેબલ , બીજાથી ત્રીજું , ત્રીજાથી ચોથા ટેબલ દર્શન કરવા માટે જવું પડે છે. આ દર્શન જ્યાં એ લોકો બેઠા છે એમના કરવા જ પડે છે. એક ફાઈલ આવ્યા પછી નીચેના અધિકારી તેમાં કમીઓ કાઢશે . પછી આ ફાઈલ આગળ જતા ફરી તેમાં ખામીઓ કાઢવામાં આવશે . મારુ સરકારી અધિકારીઓને ખાલી એટલુંજ કેહવું છે કે , પેહલા ફાઈલ તમારા ટેબલ પર આવે તે પછી એક વ્યક્તિએ જ બધી જ કમીઓ કાઢીને તેને પુરી કરવી જોઈએ.



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.