આનંદીબેન પટેલ રાજકોટના ક્યા MLAથી નારાજ થયા?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-09-30 21:26:00

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ફરી એકવાર સમાચારોમાં આવ્યા છે. ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ દ્વારકાની મુલાકત લઈને તેઓ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તે દરમ્યાન રાજકોટ બાયપાસ હાઇવે પર તેમના સ્વાગતનો કાર્યક્રમ નક્કી થયો હતો. જોકે આ રૂટ બદલાયો હતો જેના કારણે , રાજ્યપાલ આનંદીબેન પટેલ ભારે નારાજ થયા છે. ચર્ચાઓ એવી ચાલી રહી છે કે , રાજકોટના MLA ઉદય કાનગડે પ્રસિદ્ધિ મેળવવા માટે આ રૂટ બદલાયો હતો . 

Image

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ , ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ થોડાક સમય અગાઉ દ્વારકાની મુલાકાતે આવ્યા હતા જ્યાં તેમણે દ્વારકાધીશ મંદિરની મુલાકાત લીધી હતી. આ પછી તેઓ રાજકોટના કાગવડ ખાતે ખોડલધામ દર્શન ખાતે આવે છે , ત્યારબાદ તેઓનો રૂટ અમદાવાદ તરફ જવાનો હતો. આ માટે તેઓ રાજકોટ બાયપાસથી અમદાવાદ તરફ જવાના હતા પરંતુ , MLA ઉદય કાનગડ દ્વારા તેમના સ્વાગત માટેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે . જોકે રાજ્યપાલ આનંદીબેન પટેલને એમ હતું કે આ કાર્યક્રમ હાઇવે પર જ રાખવામાં આવ્યો છે. પરંતુ આ પછી રાજ્યપાલના કાફલાએ રાજકોટ શહેરના સામાકાઠા વિસ્તારની અંદર પ્રવેશ કરવો પડ્યો હતો. જેનાથી આનંદીબેન પટેલ ખુબ નારાજ થયા હતા. એટલુંજ નહિ તેઓ ગાડીમાંથી ઉતર્યા ન હતા અને ગાડીમાં બેઠા બેઠા જ ગુલદસ્તો હાથમાં લઇ લીધો હતો. ભારે નારાજગી સાથે આનંદીબેન બોલ્યા કે તારે જે આપવાનું હોય તે આપ , આખો કાફલો હેરાન થયો. આ ઘટના પછી ત્યાં હાજર BJP કાર્યકર્તાઓમાં ચર્ચાઓએ જોર પકડ્યું હતું. તેનું એક કારણ એ છે કે , જો કોઈ પણ રાજ્યપાલ આવે તો , પ્રોટોકોલ મુજબ શહેર ભાજપ પ્રમુખનું ધ્યાન દોરવાનું હોય છે તેમને પણ ત્યાં બોલાવવાનાં હોય છે. પરંતુ અહીં શહેર ભાજપ પ્રમુખ માધવ દવેને નહોતા બોલાવવામાં આવ્યા. આ ઉપરાંત રાજકોટના સામાકાઠા વિસ્તારમાં પૂર્વ MLA અરવિંદ રૈયાણી જે રીતે એક્ટિવ થયા છે ત્યારે પાટીદાર સમાજમાં પોતાનું કદ બતાવવા માટે થઇ આ કાર્યક્રમ ઉદય કાનગડે યોજ્યો હોવાની વાત બહાર આવી છે.  

Image

તો ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ત્યારે ચર્ચામાં આવ્યા હતા જયારે ઉત્તર પ્રદેશ સરકારના અધિકારીઓ પર જાહેરમાં ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું હતું કે , અયોધ્યામાં રામમંદિરના દર્શન કરવા માટે લોકો ક્યાં ક્યાંથી આવે છે. ત્યાં તો દર્શન થઇ જાય છે. પરંતુ ફાઈલના દર્શન કરવા માટે એક ટેબલથી બીજું ટેબલ , બીજાથી ત્રીજું , ત્રીજાથી ચોથા ટેબલ દર્શન કરવા માટે જવું પડે છે. આ દર્શન જ્યાં એ લોકો બેઠા છે એમના કરવા જ પડે છે. એક ફાઈલ આવ્યા પછી નીચેના અધિકારી તેમાં કમીઓ કાઢશે . પછી આ ફાઈલ આગળ જતા ફરી તેમાં ખામીઓ કાઢવામાં આવશે . મારુ સરકારી અધિકારીઓને ખાલી એટલુંજ કેહવું છે કે , પેહલા ફાઈલ તમારા ટેબલ પર આવે તે પછી એક વ્યક્તિએ જ બધી જ કમીઓ કાઢીને તેને પુરી કરવી જોઈએ.



દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.

ગુજરાત સરકારમાં મંત્રી પરષોત્તમ સોલંકી અને જીતુ વાઘાણી વચ્ચે મુલાકાત થઇ છે. જેમાં, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. મુલાકાતના આ ફોટોસ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થઇ રહ્યાં છે. આપને જણાવી દયિકે , બગદાણાની બબાલના કારણે , કોળી સમાજમાં ખુબ ગુસ્સો જોવા મળ્યો હતો. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના કોળી સમાજના આગેવાનોએ ડેમેજ કંટ્રોલ કરવું પડ્યું હતું.

સુરેન્દ્રનગરમાં પાટડી ખાતે LCBના દરોડામાં ખુબ મોટાપાયે વિદેશી દારૂનો ઝડપી પાડવામાં આવ્યો છે. પાટડીના જરવલા ગામની સીમમાં આ ગેરકયદેસર વિદેશી દારૂનો જથ્થો ટ્રેકટરની ટ્રોલીમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. જેના લીધે, સુરેન્દ્રનગરના બુટલેગરોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા SP પ્રેમસુખ ડેલુંની સૂચના મુજબ અલગ અલગ ટિમો બનાવીને કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરોડાની આ કામગીરીમાં હવે સ્થળ પર હાજર આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે.