આનંદીબેન પટેલ રાજકોટના ક્યા MLAથી નારાજ થયા?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-09-30 21:26:00

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ફરી એકવાર સમાચારોમાં આવ્યા છે. ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ દ્વારકાની મુલાકત લઈને તેઓ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તે દરમ્યાન રાજકોટ બાયપાસ હાઇવે પર તેમના સ્વાગતનો કાર્યક્રમ નક્કી થયો હતો. જોકે આ રૂટ બદલાયો હતો જેના કારણે , રાજ્યપાલ આનંદીબેન પટેલ ભારે નારાજ થયા છે. ચર્ચાઓ એવી ચાલી રહી છે કે , રાજકોટના MLA ઉદય કાનગડે પ્રસિદ્ધિ મેળવવા માટે આ રૂટ બદલાયો હતો . 

Image

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ , ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ થોડાક સમય અગાઉ દ્વારકાની મુલાકાતે આવ્યા હતા જ્યાં તેમણે દ્વારકાધીશ મંદિરની મુલાકાત લીધી હતી. આ પછી તેઓ રાજકોટના કાગવડ ખાતે ખોડલધામ દર્શન ખાતે આવે છે , ત્યારબાદ તેઓનો રૂટ અમદાવાદ તરફ જવાનો હતો. આ માટે તેઓ રાજકોટ બાયપાસથી અમદાવાદ તરફ જવાના હતા પરંતુ , MLA ઉદય કાનગડ દ્વારા તેમના સ્વાગત માટેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે . જોકે રાજ્યપાલ આનંદીબેન પટેલને એમ હતું કે આ કાર્યક્રમ હાઇવે પર જ રાખવામાં આવ્યો છે. પરંતુ આ પછી રાજ્યપાલના કાફલાએ રાજકોટ શહેરના સામાકાઠા વિસ્તારની અંદર પ્રવેશ કરવો પડ્યો હતો. જેનાથી આનંદીબેન પટેલ ખુબ નારાજ થયા હતા. એટલુંજ નહિ તેઓ ગાડીમાંથી ઉતર્યા ન હતા અને ગાડીમાં બેઠા બેઠા જ ગુલદસ્તો હાથમાં લઇ લીધો હતો. ભારે નારાજગી સાથે આનંદીબેન બોલ્યા કે તારે જે આપવાનું હોય તે આપ , આખો કાફલો હેરાન થયો. આ ઘટના પછી ત્યાં હાજર BJP કાર્યકર્તાઓમાં ચર્ચાઓએ જોર પકડ્યું હતું. તેનું એક કારણ એ છે કે , જો કોઈ પણ રાજ્યપાલ આવે તો , પ્રોટોકોલ મુજબ શહેર ભાજપ પ્રમુખનું ધ્યાન દોરવાનું હોય છે તેમને પણ ત્યાં બોલાવવાનાં હોય છે. પરંતુ અહીં શહેર ભાજપ પ્રમુખ માધવ દવેને નહોતા બોલાવવામાં આવ્યા. આ ઉપરાંત રાજકોટના સામાકાઠા વિસ્તારમાં પૂર્વ MLA અરવિંદ રૈયાણી જે રીતે એક્ટિવ થયા છે ત્યારે પાટીદાર સમાજમાં પોતાનું કદ બતાવવા માટે થઇ આ કાર્યક્રમ ઉદય કાનગડે યોજ્યો હોવાની વાત બહાર આવી છે.  

Image

તો ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ત્યારે ચર્ચામાં આવ્યા હતા જયારે ઉત્તર પ્રદેશ સરકારના અધિકારીઓ પર જાહેરમાં ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું હતું કે , અયોધ્યામાં રામમંદિરના દર્શન કરવા માટે લોકો ક્યાં ક્યાંથી આવે છે. ત્યાં તો દર્શન થઇ જાય છે. પરંતુ ફાઈલના દર્શન કરવા માટે એક ટેબલથી બીજું ટેબલ , બીજાથી ત્રીજું , ત્રીજાથી ચોથા ટેબલ દર્શન કરવા માટે જવું પડે છે. આ દર્શન જ્યાં એ લોકો બેઠા છે એમના કરવા જ પડે છે. એક ફાઈલ આવ્યા પછી નીચેના અધિકારી તેમાં કમીઓ કાઢશે . પછી આ ફાઈલ આગળ જતા ફરી તેમાં ખામીઓ કાઢવામાં આવશે . મારુ સરકારી અધિકારીઓને ખાલી એટલુંજ કેહવું છે કે , પેહલા ફાઈલ તમારા ટેબલ પર આવે તે પછી એક વ્યક્તિએ જ બધી જ કમીઓ કાઢીને તેને પુરી કરવી જોઈએ.



લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.

Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરમાં બાકી રહેલી નિયુક્તિઓને લઇને કવાયત તેજ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા અને શહેર પ્રમુખની નિયુક્તિઓ માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ માટે પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે જે અંતર્ગત વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી છે.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.