શહીદ Captain Shubham Guptaની માતાને ચેક આપવા અને ફોટો પડાવવા પર UP મંત્રીએ આપી સ્પષ્ટતા, કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-11-27 10:54:08

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકી સાથે થયેલી અથડામણમાં દેશના પાંચ જેટલા જવાન શહીદ થયા હતા. તાજેતરમાં થયેલી અથડામણમાં શહીદ કેપ્ટન શુભમ ગુપ્તા પણ શહાદતને પામ્યા હતા. વીર જવાનોના શહીદ થવાની વાત સાંભળતા જ તેમના પરિવાર પર આસમાન ફાટી પડ્યું હતું. શહીદ કેપ્ટન શુભમ ગુપ્તાના પરિવારને સાંત્વના આપવા યુપીના મંત્રી યોગેન્દ્ર ઉપાધ્યાય ગયા હતા. સહાયનો ચેક આપવા ગયા ત્યારે ત્યાંનો તેમનો વીડિયો વાયરલ થઈ રહ્યો હતો જેમાં તે શહીદની માતાને ચેક આપતી વખતે ફોટો પડાવી રહ્યા છે. વીડિયોમાં શહીદની માતા કહી રહ્યા છે કે પ્રદર્શન ન કરો. વિવાદ વધતા મંત્રીજીએ આ મામલે સફાઈ પણ આપી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના એક નેતાએ આ મામલાને ખોટી રીતે રજૂ કર્યો અને મીડિયાએ બીજુ બાજુ જાણ્યા વગર વીડિયો વાયરલ કર્યો.

ચેક આપતી વખતે ફોટો પડાવવા માટે મંત્રી ઉત્સુક હતા!

આતંકી સાથે થતી અથડામણમાં હજી સુધી દેશે પોતાના અનેક વીર જવાનોને ગુમાવી દીધા છે. જવાનોના શહીદ થવાના સમાચાર સાંભળી અનેક લોકોની આંખોમાંથી આંસુ આવી ગયા હશે, ત્યારે એ પરિવારની એ માતાની શું હાલત હશે જેણે પોતાના દીકરાને ગુમાવ્યો હશે!  એમના દર્દનો કદાચ આપણે અહેસાસ પણ નહીં કરી શકીએ. શહીદ પરિવારને મળવા જ્યારે નેતાજી ગયા ત્યારથી તેમની ટીકા થઈ રહી છે. શહીદ પરિવારને ચેક આપતી વખતે જબરદસ્તી ફોટો પડાવી રહ્યા છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં શહીદની માં ચોંધાર આસું રડી રહ્યા છે પરંતુ મંત્રીજી ફોટો પડાવવામાં વ્યસ્ત દેખાયા હતા. વીડિયો વાયરલ થયા બાદ મંત્રી યોગેન્દ્ર ઉપાધ્યાયની ટીકા થઈ રહી છે. વિવાદ વધતા યુપીના મંત્રીએ આ મામલે સફાઈ આપી છે. 



વાયરલ વીડિયો અંગે મંત્રીએ આપી સ્પષ્ટતા

વીડિયો અંગે વાત કરતા મંત્રીએ કહ્યું કે કોંગ્રેસના એક નેતાએ આ મામલાને ખોટી રીતે રજૂ કર્યો અને મીડિયાએ બીજી બાજુ જાણ્યા વગર વીડિયો વાયરલ કર્યો. તેઓએ કહ્યું કે જે સમયે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે દરમિયાન પરિવારના સભ્યો શહીદ કેપ્ટનની માતાને બહાર લઈ આવ્યા હતા. ચેક આપતી વખતે પ્રેસે ફોટોગ્રાફ્સ લેવાનું શરૂ કર્યું. આના પર કેપ્ટન શુભમની માતાએ પ્રેમથી કહ્યું કે પ્રદર્શન ન કરો. વધુમાં તેમણે કહ્યું કે શહીદ કેપ્ટન શુભમ અને તેમની વચ્ચે પારિવારિક સંબંધો હતા. તે શુભમને બાળપણથી ઓળખે છે. તેણે કહ્યું કે આવી સ્થિતિમાં તે શુભમના ઘરે ફોટો પડાવવા શા માટે જશે.

અનેક રાજકીય પાર્ટીઓએ વીડિયોની કરી ટીકા 

મહત્વનું છે કે વીડિયો સામે આવ્યા બાદ રાજકીય પાર્ટીઓએ મંત્રી દ્વારા કરવામાં આવેલા કાર્યની નિંદા કરી હતી. અનેક પાર્ટીઓએ વીડિયોને લઈ મંત્રી પર નિશાન સાધ્યું હતું. 




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .