શહીદ Captain Shubham Guptaની માતાને ચેક આપવા અને ફોટો પડાવવા પર UP મંત્રીએ આપી સ્પષ્ટતા, કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-11-27 10:54:08

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકી સાથે થયેલી અથડામણમાં દેશના પાંચ જેટલા જવાન શહીદ થયા હતા. તાજેતરમાં થયેલી અથડામણમાં શહીદ કેપ્ટન શુભમ ગુપ્તા પણ શહાદતને પામ્યા હતા. વીર જવાનોના શહીદ થવાની વાત સાંભળતા જ તેમના પરિવાર પર આસમાન ફાટી પડ્યું હતું. શહીદ કેપ્ટન શુભમ ગુપ્તાના પરિવારને સાંત્વના આપવા યુપીના મંત્રી યોગેન્દ્ર ઉપાધ્યાય ગયા હતા. સહાયનો ચેક આપવા ગયા ત્યારે ત્યાંનો તેમનો વીડિયો વાયરલ થઈ રહ્યો હતો જેમાં તે શહીદની માતાને ચેક આપતી વખતે ફોટો પડાવી રહ્યા છે. વીડિયોમાં શહીદની માતા કહી રહ્યા છે કે પ્રદર્શન ન કરો. વિવાદ વધતા મંત્રીજીએ આ મામલે સફાઈ પણ આપી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના એક નેતાએ આ મામલાને ખોટી રીતે રજૂ કર્યો અને મીડિયાએ બીજુ બાજુ જાણ્યા વગર વીડિયો વાયરલ કર્યો.

ચેક આપતી વખતે ફોટો પડાવવા માટે મંત્રી ઉત્સુક હતા!

આતંકી સાથે થતી અથડામણમાં હજી સુધી દેશે પોતાના અનેક વીર જવાનોને ગુમાવી દીધા છે. જવાનોના શહીદ થવાના સમાચાર સાંભળી અનેક લોકોની આંખોમાંથી આંસુ આવી ગયા હશે, ત્યારે એ પરિવારની એ માતાની શું હાલત હશે જેણે પોતાના દીકરાને ગુમાવ્યો હશે!  એમના દર્દનો કદાચ આપણે અહેસાસ પણ નહીં કરી શકીએ. શહીદ પરિવારને મળવા જ્યારે નેતાજી ગયા ત્યારથી તેમની ટીકા થઈ રહી છે. શહીદ પરિવારને ચેક આપતી વખતે જબરદસ્તી ફોટો પડાવી રહ્યા છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં શહીદની માં ચોંધાર આસું રડી રહ્યા છે પરંતુ મંત્રીજી ફોટો પડાવવામાં વ્યસ્ત દેખાયા હતા. વીડિયો વાયરલ થયા બાદ મંત્રી યોગેન્દ્ર ઉપાધ્યાયની ટીકા થઈ રહી છે. વિવાદ વધતા યુપીના મંત્રીએ આ મામલે સફાઈ આપી છે. 



વાયરલ વીડિયો અંગે મંત્રીએ આપી સ્પષ્ટતા

વીડિયો અંગે વાત કરતા મંત્રીએ કહ્યું કે કોંગ્રેસના એક નેતાએ આ મામલાને ખોટી રીતે રજૂ કર્યો અને મીડિયાએ બીજી બાજુ જાણ્યા વગર વીડિયો વાયરલ કર્યો. તેઓએ કહ્યું કે જે સમયે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે દરમિયાન પરિવારના સભ્યો શહીદ કેપ્ટનની માતાને બહાર લઈ આવ્યા હતા. ચેક આપતી વખતે પ્રેસે ફોટોગ્રાફ્સ લેવાનું શરૂ કર્યું. આના પર કેપ્ટન શુભમની માતાએ પ્રેમથી કહ્યું કે પ્રદર્શન ન કરો. વધુમાં તેમણે કહ્યું કે શહીદ કેપ્ટન શુભમ અને તેમની વચ્ચે પારિવારિક સંબંધો હતા. તે શુભમને બાળપણથી ઓળખે છે. તેણે કહ્યું કે આવી સ્થિતિમાં તે શુભમના ઘરે ફોટો પડાવવા શા માટે જશે.

અનેક રાજકીય પાર્ટીઓએ વીડિયોની કરી ટીકા 

મહત્વનું છે કે વીડિયો સામે આવ્યા બાદ રાજકીય પાર્ટીઓએ મંત્રી દ્વારા કરવામાં આવેલા કાર્યની નિંદા કરી હતી. અનેક પાર્ટીઓએ વીડિયોને લઈ મંત્રી પર નિશાન સાધ્યું હતું. 




સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.