શહીદ Captain Shubham Guptaની માતાને ચેક આપવા અને ફોટો પડાવવા પર UP મંત્રીએ આપી સ્પષ્ટતા, કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-11-27 10:54:08

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકી સાથે થયેલી અથડામણમાં દેશના પાંચ જેટલા જવાન શહીદ થયા હતા. તાજેતરમાં થયેલી અથડામણમાં શહીદ કેપ્ટન શુભમ ગુપ્તા પણ શહાદતને પામ્યા હતા. વીર જવાનોના શહીદ થવાની વાત સાંભળતા જ તેમના પરિવાર પર આસમાન ફાટી પડ્યું હતું. શહીદ કેપ્ટન શુભમ ગુપ્તાના પરિવારને સાંત્વના આપવા યુપીના મંત્રી યોગેન્દ્ર ઉપાધ્યાય ગયા હતા. સહાયનો ચેક આપવા ગયા ત્યારે ત્યાંનો તેમનો વીડિયો વાયરલ થઈ રહ્યો હતો જેમાં તે શહીદની માતાને ચેક આપતી વખતે ફોટો પડાવી રહ્યા છે. વીડિયોમાં શહીદની માતા કહી રહ્યા છે કે પ્રદર્શન ન કરો. વિવાદ વધતા મંત્રીજીએ આ મામલે સફાઈ પણ આપી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના એક નેતાએ આ મામલાને ખોટી રીતે રજૂ કર્યો અને મીડિયાએ બીજુ બાજુ જાણ્યા વગર વીડિયો વાયરલ કર્યો.

ચેક આપતી વખતે ફોટો પડાવવા માટે મંત્રી ઉત્સુક હતા!

આતંકી સાથે થતી અથડામણમાં હજી સુધી દેશે પોતાના અનેક વીર જવાનોને ગુમાવી દીધા છે. જવાનોના શહીદ થવાના સમાચાર સાંભળી અનેક લોકોની આંખોમાંથી આંસુ આવી ગયા હશે, ત્યારે એ પરિવારની એ માતાની શું હાલત હશે જેણે પોતાના દીકરાને ગુમાવ્યો હશે!  એમના દર્દનો કદાચ આપણે અહેસાસ પણ નહીં કરી શકીએ. શહીદ પરિવારને મળવા જ્યારે નેતાજી ગયા ત્યારથી તેમની ટીકા થઈ રહી છે. શહીદ પરિવારને ચેક આપતી વખતે જબરદસ્તી ફોટો પડાવી રહ્યા છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં શહીદની માં ચોંધાર આસું રડી રહ્યા છે પરંતુ મંત્રીજી ફોટો પડાવવામાં વ્યસ્ત દેખાયા હતા. વીડિયો વાયરલ થયા બાદ મંત્રી યોગેન્દ્ર ઉપાધ્યાયની ટીકા થઈ રહી છે. વિવાદ વધતા યુપીના મંત્રીએ આ મામલે સફાઈ આપી છે. 



વાયરલ વીડિયો અંગે મંત્રીએ આપી સ્પષ્ટતા

વીડિયો અંગે વાત કરતા મંત્રીએ કહ્યું કે કોંગ્રેસના એક નેતાએ આ મામલાને ખોટી રીતે રજૂ કર્યો અને મીડિયાએ બીજી બાજુ જાણ્યા વગર વીડિયો વાયરલ કર્યો. તેઓએ કહ્યું કે જે સમયે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે દરમિયાન પરિવારના સભ્યો શહીદ કેપ્ટનની માતાને બહાર લઈ આવ્યા હતા. ચેક આપતી વખતે પ્રેસે ફોટોગ્રાફ્સ લેવાનું શરૂ કર્યું. આના પર કેપ્ટન શુભમની માતાએ પ્રેમથી કહ્યું કે પ્રદર્શન ન કરો. વધુમાં તેમણે કહ્યું કે શહીદ કેપ્ટન શુભમ અને તેમની વચ્ચે પારિવારિક સંબંધો હતા. તે શુભમને બાળપણથી ઓળખે છે. તેણે કહ્યું કે આવી સ્થિતિમાં તે શુભમના ઘરે ફોટો પડાવવા શા માટે જશે.

અનેક રાજકીય પાર્ટીઓએ વીડિયોની કરી ટીકા 

મહત્વનું છે કે વીડિયો સામે આવ્યા બાદ રાજકીય પાર્ટીઓએ મંત્રી દ્વારા કરવામાં આવેલા કાર્યની નિંદા કરી હતી. અનેક પાર્ટીઓએ વીડિયોને લઈ મંત્રી પર નિશાન સાધ્યું હતું. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.