ઉત્તર પ્રદેશ - KDA ના રહીશોએ કંટાળીને પોતાના ઘરને તોડવાની અપીલ કરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 15:05:39

ઉત્તરપ્રદેશની યોગી સરકાર ગુનેગારોની ઈમારતો પાડવાની કામગીરી કરી રહી છે જેનો વિરોધ અનેક રાજનેતાઓએ કર્યો હતો. પરંતુ તે બાદ પણ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે. આવી પરિસ્થિતિનો લાભ રાજકીય પાર્ટી ઉઠાવે તો ઠીક પરંતુ આ વખતે આવી પરિસ્થિતિનો લાભ સામાન્ય જનતાએ લીધો છે. કેડીએ રેસિડેન્સીના રહીશોએ પોતાના ઘર તોડવાની આજીજી યોગી સરકારને કરી છે.

પોસ્ટર લગાવી કર્યો અનોખો વિરોધ 

વરસાદ વખતે આ બિલ્ડીંગના બીમમાંથી પાણી ટપકવા લાગ્યું હતું જેને કારણે રહીશો વિરોધ કરી રહ્યા છે. કાનપુર ડેવલપમેન્ટ ઓથોરિટીએ કેડીએ રેસિડેન્સીમાં 250 જેટલા પરિવારને ઘર વેચ્યા હતા. આશરે 3 વર્ષ જેટલા સમયમાં જ બીમમાંથી પાણી ટપકવા લાગ્યું છે. રહીશોએ આ અંગે ફરિયાદ પણ કરી હતી પરંતુ તેનો કોઈ ઉકેલ ન આવ્યો હતો.

 


 પોતાના ઘરને તોડવાની કરી માગ

પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે રહીશોએ બેનરો લગાવી પોતાની બિલ્ડીંગને પાડી નાખવા યોગી સરકારને ભલામણ કરી હતી. ઉપરાંત સ્થાનિકોએ આક્ષેપ લગાવતા કહ્યું કે KDA અધિકારીએ કમિશન ખાઈને અમારા મૃત્યુ માટે ફ્લેટ બનાવ્યો છે.

મહત્વનું છે કે કાનપુર ડેવલપમેન્ટ ઓથોરિટી પાસેથી સેંકડો ખરીદારોએ ફ્લેટ ખરીદ્યા હતા. પરંતુ માત્ર 3 વર્ષમાં બિલ્ડીંગની આવી હાલત થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યા છે. કાનપુરમાં કેડીએ રેસિડેન્સી એપાર્ટમેન્ટને એક વૈભવી હાઉસિંગ પ્રોજેક્ટ માનવામાં આવે છે. જેમાં અનેક પ્રતિષ્ઠિત લોકો રહે છે. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .