ઉત્તર પ્રદેશ - KDA ના રહીશોએ કંટાળીને પોતાના ઘરને તોડવાની અપીલ કરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 15:05:39

ઉત્તરપ્રદેશની યોગી સરકાર ગુનેગારોની ઈમારતો પાડવાની કામગીરી કરી રહી છે જેનો વિરોધ અનેક રાજનેતાઓએ કર્યો હતો. પરંતુ તે બાદ પણ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે. આવી પરિસ્થિતિનો લાભ રાજકીય પાર્ટી ઉઠાવે તો ઠીક પરંતુ આ વખતે આવી પરિસ્થિતિનો લાભ સામાન્ય જનતાએ લીધો છે. કેડીએ રેસિડેન્સીના રહીશોએ પોતાના ઘર તોડવાની આજીજી યોગી સરકારને કરી છે.

પોસ્ટર લગાવી કર્યો અનોખો વિરોધ 

વરસાદ વખતે આ બિલ્ડીંગના બીમમાંથી પાણી ટપકવા લાગ્યું હતું જેને કારણે રહીશો વિરોધ કરી રહ્યા છે. કાનપુર ડેવલપમેન્ટ ઓથોરિટીએ કેડીએ રેસિડેન્સીમાં 250 જેટલા પરિવારને ઘર વેચ્યા હતા. આશરે 3 વર્ષ જેટલા સમયમાં જ બીમમાંથી પાણી ટપકવા લાગ્યું છે. રહીશોએ આ અંગે ફરિયાદ પણ કરી હતી પરંતુ તેનો કોઈ ઉકેલ ન આવ્યો હતો.

 


 પોતાના ઘરને તોડવાની કરી માગ

પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે રહીશોએ બેનરો લગાવી પોતાની બિલ્ડીંગને પાડી નાખવા યોગી સરકારને ભલામણ કરી હતી. ઉપરાંત સ્થાનિકોએ આક્ષેપ લગાવતા કહ્યું કે KDA અધિકારીએ કમિશન ખાઈને અમારા મૃત્યુ માટે ફ્લેટ બનાવ્યો છે.

મહત્વનું છે કે કાનપુર ડેવલપમેન્ટ ઓથોરિટી પાસેથી સેંકડો ખરીદારોએ ફ્લેટ ખરીદ્યા હતા. પરંતુ માત્ર 3 વર્ષમાં બિલ્ડીંગની આવી હાલત થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યા છે. કાનપુરમાં કેડીએ રેસિડેન્સી એપાર્ટમેન્ટને એક વૈભવી હાઉસિંગ પ્રોજેક્ટ માનવામાં આવે છે. જેમાં અનેક પ્રતિષ્ઠિત લોકો રહે છે. 



આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .