ઉત્તર પ્રદેશ - KDA ના રહીશોએ કંટાળીને પોતાના ઘરને તોડવાની અપીલ કરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 15:05:39

ઉત્તરપ્રદેશની યોગી સરકાર ગુનેગારોની ઈમારતો પાડવાની કામગીરી કરી રહી છે જેનો વિરોધ અનેક રાજનેતાઓએ કર્યો હતો. પરંતુ તે બાદ પણ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે. આવી પરિસ્થિતિનો લાભ રાજકીય પાર્ટી ઉઠાવે તો ઠીક પરંતુ આ વખતે આવી પરિસ્થિતિનો લાભ સામાન્ય જનતાએ લીધો છે. કેડીએ રેસિડેન્સીના રહીશોએ પોતાના ઘર તોડવાની આજીજી યોગી સરકારને કરી છે.

પોસ્ટર લગાવી કર્યો અનોખો વિરોધ 

વરસાદ વખતે આ બિલ્ડીંગના બીમમાંથી પાણી ટપકવા લાગ્યું હતું જેને કારણે રહીશો વિરોધ કરી રહ્યા છે. કાનપુર ડેવલપમેન્ટ ઓથોરિટીએ કેડીએ રેસિડેન્સીમાં 250 જેટલા પરિવારને ઘર વેચ્યા હતા. આશરે 3 વર્ષ જેટલા સમયમાં જ બીમમાંથી પાણી ટપકવા લાગ્યું છે. રહીશોએ આ અંગે ફરિયાદ પણ કરી હતી પરંતુ તેનો કોઈ ઉકેલ ન આવ્યો હતો.

 


 પોતાના ઘરને તોડવાની કરી માગ

પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે રહીશોએ બેનરો લગાવી પોતાની બિલ્ડીંગને પાડી નાખવા યોગી સરકારને ભલામણ કરી હતી. ઉપરાંત સ્થાનિકોએ આક્ષેપ લગાવતા કહ્યું કે KDA અધિકારીએ કમિશન ખાઈને અમારા મૃત્યુ માટે ફ્લેટ બનાવ્યો છે.

મહત્વનું છે કે કાનપુર ડેવલપમેન્ટ ઓથોરિટી પાસેથી સેંકડો ખરીદારોએ ફ્લેટ ખરીદ્યા હતા. પરંતુ માત્ર 3 વર્ષમાં બિલ્ડીંગની આવી હાલત થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યા છે. કાનપુરમાં કેડીએ રેસિડેન્સી એપાર્ટમેન્ટને એક વૈભવી હાઉસિંગ પ્રોજેક્ટ માનવામાં આવે છે. જેમાં અનેક પ્રતિષ્ઠિત લોકો રહે છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.