ઉત્તર પ્રદેશ: યોગી સરકાર વિરૂદ્ધ સપાની પદયાત્રા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 11:13:53

ઉત્તર પ્રદેશમાં આજથી ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે. ત્યારે સત્ર પહેલા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પોતાના કાર્યકરો સાથે સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. વધતી મોંઘવારી, બેરોજગારીના મુદ્દાને લઈ પાર્ટી ઓફિસથી વિધાનસભા ગૃહ સુધી અખિલેશ યાદવ તેમના પાર્ટીના કાર્યકરો સાથે પદયાત્રા કરી રહ્યા છે. પદયાત્રા કરી ગૃહ સુધી પહોંચે તે પહેલા જ પોલીસે તેમને આગળ જતા રોકી દીધા હતા. જેને કારણે ઘર્ષણ સર્જાયું હતું.

યોગી સરકારને ઘેરવાનો પ્રયાસ

યોગી સરકાર વિરૂદ્ધ પ્રદર્શન કરવા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પદયાત્રા શરૂ કરી છે. પાર્ટી ઓફિસથી વિધાનસભા ગૃહ સુધી ચાલી પોતાનો વિરોધ દર્શાવાનો તેમનો પ્લાન હતો. પરંતુ અડધા રસ્તે તેમને રોકી દેવાયા હતા.

પોલીસનું કહેવું છે કે પોલીસ પરમિશન વગર તેઓ નિકળ્યા છે તે માટે તેમને રોકી દેવાયા છે. સપાની માર્ચ નિકળે તે પહેલા પોલીસ કાફલાને તેનાત કરી દેવાયો હતો.

યુપીમાં રાજનીતિ ગરમાઈ

સપાની પદયાત્રા શરૂ થતા રાજનીતિ ગરમાઈ છે. માર્ચને રોકી દેવાતા અખિલેશ યાદવ ધરણા પર ઉતરી યોગી સરકારનો વિરોધ કરી રહ્યા છે. પદયાત્રા પર નિવેદન આપતા યોગીએ કહ્યું કે વિપક્ષને પોતાની વાત કહેવાનો હક છે પરંતુ આ બધી વાતો વિધાનસભામાં થવી જોઈએ.

 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.