ઉત્તર પ્રદેશ: યોગી સરકાર વિરૂદ્ધ સપાની પદયાત્રા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 11:13:53

ઉત્તર પ્રદેશમાં આજથી ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે. ત્યારે સત્ર પહેલા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પોતાના કાર્યકરો સાથે સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. વધતી મોંઘવારી, બેરોજગારીના મુદ્દાને લઈ પાર્ટી ઓફિસથી વિધાનસભા ગૃહ સુધી અખિલેશ યાદવ તેમના પાર્ટીના કાર્યકરો સાથે પદયાત્રા કરી રહ્યા છે. પદયાત્રા કરી ગૃહ સુધી પહોંચે તે પહેલા જ પોલીસે તેમને આગળ જતા રોકી દીધા હતા. જેને કારણે ઘર્ષણ સર્જાયું હતું.

યોગી સરકારને ઘેરવાનો પ્રયાસ

યોગી સરકાર વિરૂદ્ધ પ્રદર્શન કરવા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પદયાત્રા શરૂ કરી છે. પાર્ટી ઓફિસથી વિધાનસભા ગૃહ સુધી ચાલી પોતાનો વિરોધ દર્શાવાનો તેમનો પ્લાન હતો. પરંતુ અડધા રસ્તે તેમને રોકી દેવાયા હતા.

પોલીસનું કહેવું છે કે પોલીસ પરમિશન વગર તેઓ નિકળ્યા છે તે માટે તેમને રોકી દેવાયા છે. સપાની માર્ચ નિકળે તે પહેલા પોલીસ કાફલાને તેનાત કરી દેવાયો હતો.

યુપીમાં રાજનીતિ ગરમાઈ

સપાની પદયાત્રા શરૂ થતા રાજનીતિ ગરમાઈ છે. માર્ચને રોકી દેવાતા અખિલેશ યાદવ ધરણા પર ઉતરી યોગી સરકારનો વિરોધ કરી રહ્યા છે. પદયાત્રા પર નિવેદન આપતા યોગીએ કહ્યું કે વિપક્ષને પોતાની વાત કહેવાનો હક છે પરંતુ આ બધી વાતો વિધાનસભામાં થવી જોઈએ.

 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.