ઉત્તર પ્રદેશ: યોગી સરકાર વિરૂદ્ધ સપાની પદયાત્રા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 11:13:53

ઉત્તર પ્રદેશમાં આજથી ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે. ત્યારે સત્ર પહેલા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પોતાના કાર્યકરો સાથે સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. વધતી મોંઘવારી, બેરોજગારીના મુદ્દાને લઈ પાર્ટી ઓફિસથી વિધાનસભા ગૃહ સુધી અખિલેશ યાદવ તેમના પાર્ટીના કાર્યકરો સાથે પદયાત્રા કરી રહ્યા છે. પદયાત્રા કરી ગૃહ સુધી પહોંચે તે પહેલા જ પોલીસે તેમને આગળ જતા રોકી દીધા હતા. જેને કારણે ઘર્ષણ સર્જાયું હતું.

યોગી સરકારને ઘેરવાનો પ્રયાસ

યોગી સરકાર વિરૂદ્ધ પ્રદર્શન કરવા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પદયાત્રા શરૂ કરી છે. પાર્ટી ઓફિસથી વિધાનસભા ગૃહ સુધી ચાલી પોતાનો વિરોધ દર્શાવાનો તેમનો પ્લાન હતો. પરંતુ અડધા રસ્તે તેમને રોકી દેવાયા હતા.

પોલીસનું કહેવું છે કે પોલીસ પરમિશન વગર તેઓ નિકળ્યા છે તે માટે તેમને રોકી દેવાયા છે. સપાની માર્ચ નિકળે તે પહેલા પોલીસ કાફલાને તેનાત કરી દેવાયો હતો.

યુપીમાં રાજનીતિ ગરમાઈ

સપાની પદયાત્રા શરૂ થતા રાજનીતિ ગરમાઈ છે. માર્ચને રોકી દેવાતા અખિલેશ યાદવ ધરણા પર ઉતરી યોગી સરકારનો વિરોધ કરી રહ્યા છે. પદયાત્રા પર નિવેદન આપતા યોગીએ કહ્યું કે વિપક્ષને પોતાની વાત કહેવાનો હક છે પરંતુ આ બધી વાતો વિધાનસભામાં થવી જોઈએ.

 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.