UPI ટ્રાન્ઝેક્શન પર નહીં લાગે ચાર્જ, NPCIએ કરી સ્પષ્ટતા, શું છે નવો નિયમ? જાણો


  • Published By :
  • Published Date : 2023-03-29 16:21:17

મોબાઈલ ક્રાંતિના આ યુગમાં, તમે નાનીથી મોટી ખરીદી માટે ઓનલાઈન ચૂકવણી કરો છો. UPI પેમેન્ટને લઈને સમાચાર આવ્યા હતા કે તે મોંઘુ થવા જઈ રહ્યું છે. 2,000 રૂપિયાથી વધુના વ્યવહારો પર 1.1 ટકા ચાર્જ લાગશે. યુપીઆઈ પેમેન્ટ એટલે કે જો તમે ગૂગલ પે, ફોન પે અને પેટીએમ જેવા ડિજિટલ માધ્યમથી 2 હજાર રૂપિયાથી વધુની ચુકવણી કરો છો, તો તમારે થોડું વધુ ખિસ્સું ઢીલું કરવું પડશે, પરંતુ આમાં થોડો પેંચ છે. જો તમે બેંક એકાઉન્ટથી લિંક પેમેન્ટ કરો છો તો તમારા માટે કંઈ બદલાયું નથી.


શું UPI ચૂકવણી મોંઘી થશે?


NPCI દ્વારા જારી કરાયેલા પરિપત્ર અનુસાર, આ ચાર્જ મર્ચન્ટ UPI ટ્રાન્ઝેક્શન પર વસૂલવામાં આવશે. એટલે કે, આ ચાર્જ પીઅર ટુ પીઅર (P2P) અને પીઅર ટુ મર્ચન્ટ (P2M) બેંકો અને પ્રીપેડ વોલેટ વચ્ચેના ટ્રાન્ઝેક્શન પર લાગુ થશે નહીં. એટલે કે તમારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. તમે કોઈ પણ પરેશાની અને ચિંતા વગર UPI નો ઉપયોગ કરી શકો છો. તમારે કોઈ વધારાની ફી ચૂકવવાની રહેશે નહીં. સરળ શબ્દોમાં કહીએ તો, UPI ચુકવણી સંપૂર્ણપણે મફત છે. તમારા માટે કંઈ બદલાયું નથી. UPI બેંક ટ્રાન્સફરમાં કંઈ બદલાયું નથી.


કોણે ચાર્જ ચૂકવવો પડશે?


નવી ઓફર માત્ર Wallets/PPI માટે જ છે. એટલે કે, જો તમે વોલેટથી 2 હજારથી વધુનું ટ્રાન્ઝેક્શન કરો છો, તો તમારે ઇન્ટરચેન્જ ફી ચૂકવવી પડી શકે છે. એટલે કે, જો તમે વોલેટ, ક્રેડિટ કાર્ડ જેવા પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ (PPI) દ્વારા UPI પેમેન્ટ કરો છો, તો તમારે ઇન્ટરચેન્જ ફી ચૂકવવી પડશે. આ ફી તમારા દ્વારા વેપારીને કરવામાં આવેલી કુલ ચુકવણીના 1.1% હશે. આ પણ જ્યારે આ ટ્રાન્ઝેક્શન 2000 રૂપિયાથી વધુ હશે. આ બિલકુલ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડના કિસ્સામાં હોય તેવું જ છે. બેંકથી બેંક વ્યવહારો હજુ પણ સંપૂર્ણપણે મફત છે.


સામાન્ય લોકો પર શું થશે અસર?


જો ઇન્ટરચેન્જ ચાર્જ વસૂલવામાં આવશે તો સામાન્ય માણસના ખિસ્સા પર કોઈ અસર નહીં થાય. ઇન્ટરચેન્જ ચાર્જ વેપારી દ્વારા વૉલેટ અથવા કાર્ડ રજૂકર્તાને ચૂકવવામાં આવે છે. આવી સ્થિતિમાં, 2000 રૂપિયાથી ઓછી ચૂકવણી કરનારા વેપારીને તેની કોઈ અસર થશે નહીં. આ પરિપત્ર મુજબ, જો તમે તમારી બેંકમાંથી તમારા પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ જેમ કે Paytm, PhonePe જેવા વોલેટમાં પૈસા જેમા કરશો, તો Paytm, PhonePe જેવી કંપનીએ રેમિટર બેંકને ટ્રાન્ઝેક્શન લોડ કરવા માટે 15 બેસિસ પોઇન્ટ ચૂકવવા પડશે.


કયો વિકલ્પ પસંદ કરવો?


NPCIએ તેના પરિપત્રમાં કહ્યું છે કે બેંક ખાતાઓ અને પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (PPIs) વચ્ચે પીઅર-ટુ-પીઅર અને પીઅર-ટુ-પીઅર-મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. સર્ક્યુલરમાં P2P, P2M ટ્રાન્ઝેક્શન પર આનો અમલ ન કરવાનું કહેવામાં આવ્યું છે. જો તમે કોઈ વ્યક્તિ અથવા દુકાનદારને ચૂકવણી કરો છો અને ચુકવણી વિકલ્પ તરીકે બેંક એકાઉન્ટ પસંદ કરો છો, તો તમારે કેટલાક ચાર્જ ચૂકવવા પડશે. એટલે કે, કોઈ પણ પ્રકારના ચાર્જથી બચવા માટે UPI ચૂકવણી કરતી વખતે બેંક એકાઉન્ટ વિકલ્પ પસંદ કરવો વધુ સારું છે.


ઈન્ટરચેન્જ ચાર્જ શું છે?


પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ દ્વારા વોલેટ ઇશ્યુઅર જેમ કે બેંકોને ઇન્ટરચેન્જ ચાર્જ ચૂકવવામાં આવે છે. આ વોલેટ્સ ખાસ કરીને Paytm, PhonePe, GooglePay વગેરે જેવા ઓનલાઈન પેમેન્ટ સાધક છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.