UPSC CSE 2023નું આવી ગયું પરિણામ, આદિત્ય શ્રીવાસ્તવે કર્યું ટોપ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-04-16 15:30:35

આજકાલ અનેક લોકોને તમે સાંભળ્યું હશે કે હું UPSCની તૈયારી કરી રહ્યો છે.. યુપીએસસી એક્ઝામ ક્લીયર કરવી અનેક લોકોનું સપનું હોય છે.  IAS, IPS, IFS ઓફિસર બનવાનું સપનું જોનાર ઉમેદવારો UPSC સિવિલ સર્વિસીઝ પરીક્ષા આપે છે. આ પરીક્ષાને દેશની સૌથી પડકારજનક સ્પર્ધાત્મક પરીક્ષા માનવામાં આવે છે. લાખો ઉમેદવારો આ પરીક્ષા આપે છે તેમાંથી માત્ર અમુક જ ઉમેદવારો આ પરીક્ષાને પાસ કરી શકે છે. આ બધા વચ્ચે આજે UPSCનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે.     

કોણે યુપીએસસી કર્યું ટોપ?

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે UPSCએ સિવિલ સર્વિસ પરીક્ષા 2023નું અંતિમ પરિણામ આજે જાહેર કર્યું છે. યુપીએસસીની સત્તાવાર વેબસાઈટ પર આ પરિણામ ડિક્લેર કરવામાં આવ્યું છે. આદિત્ય શ્રીવાસ્તવે યુપીએસસી ટોપ કર્યું છે, જ્યારે બીજા ક્રમે અનિમેષ પ્રધાન આવ્યા છે જ્યારે ડોનુરુ અનન્યા રેડ્ડીએ ત્રીજું સ્થાન મેળવ્યું છે. યુપીએસસીની આ  પરીક્ષાઓમાં ભારતીય વહીવટી સેવા માટે કુલ 180 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. વિગતવાર વાત કરીએ તો  ભારતીય વિદેશ સેવા એટલે કે IFS માટે 37 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. જ્યારે કેન્દ્ર સરકારની વિવિધ ગ્રેડ Aની જગ્યાઓ પર 613 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ગ્રેડ બીની જગ્યાઓ પર 113 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. 


આટલી જગ્યાઓ માટે કરવામાં  આવશે ભરતી!

મળતી માહિતી અનુસાર યાદીની વાત કરીએ તો કુલ 1016 ઉમેદવારોના નામ છે. જનરલ કેટેગરીના 347, EWSમાંથી 115, OBCમાંથી 303, SCમાંથી 165 અને ST કેટેગરીના 86 ઉમેદવારો છે. તે જ સમયે, ભલામણ કરાયેલ 355 ઉમેદવારોની ઉમેદવારી કામચલાઉ રાખવામાં આવી છે. સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોને UPSCના વિવિધ સરકારી વિભાગોમાં 1105 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. તેઓને ભારતીય વહીવટી સેવા (IAS), ભારતીય વિદેશ સેવા (IFS), ભારતીય પોલીસ સેવા (IPS), ભારતીય મહેસૂલ સેવા (IRS) અને અન્ય કેન્દ્રીય સેવાઓની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.