UPSC CSE 2023નું આવી ગયું પરિણામ, આદિત્ય શ્રીવાસ્તવે કર્યું ટોપ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-04-16 15:30:35

આજકાલ અનેક લોકોને તમે સાંભળ્યું હશે કે હું UPSCની તૈયારી કરી રહ્યો છે.. યુપીએસસી એક્ઝામ ક્લીયર કરવી અનેક લોકોનું સપનું હોય છે.  IAS, IPS, IFS ઓફિસર બનવાનું સપનું જોનાર ઉમેદવારો UPSC સિવિલ સર્વિસીઝ પરીક્ષા આપે છે. આ પરીક્ષાને દેશની સૌથી પડકારજનક સ્પર્ધાત્મક પરીક્ષા માનવામાં આવે છે. લાખો ઉમેદવારો આ પરીક્ષા આપે છે તેમાંથી માત્ર અમુક જ ઉમેદવારો આ પરીક્ષાને પાસ કરી શકે છે. આ બધા વચ્ચે આજે UPSCનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે.     

કોણે યુપીએસસી કર્યું ટોપ?

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે UPSCએ સિવિલ સર્વિસ પરીક્ષા 2023નું અંતિમ પરિણામ આજે જાહેર કર્યું છે. યુપીએસસીની સત્તાવાર વેબસાઈટ પર આ પરિણામ ડિક્લેર કરવામાં આવ્યું છે. આદિત્ય શ્રીવાસ્તવે યુપીએસસી ટોપ કર્યું છે, જ્યારે બીજા ક્રમે અનિમેષ પ્રધાન આવ્યા છે જ્યારે ડોનુરુ અનન્યા રેડ્ડીએ ત્રીજું સ્થાન મેળવ્યું છે. યુપીએસસીની આ  પરીક્ષાઓમાં ભારતીય વહીવટી સેવા માટે કુલ 180 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. વિગતવાર વાત કરીએ તો  ભારતીય વિદેશ સેવા એટલે કે IFS માટે 37 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. જ્યારે કેન્દ્ર સરકારની વિવિધ ગ્રેડ Aની જગ્યાઓ પર 613 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ગ્રેડ બીની જગ્યાઓ પર 113 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. 


આટલી જગ્યાઓ માટે કરવામાં  આવશે ભરતી!

મળતી માહિતી અનુસાર યાદીની વાત કરીએ તો કુલ 1016 ઉમેદવારોના નામ છે. જનરલ કેટેગરીના 347, EWSમાંથી 115, OBCમાંથી 303, SCમાંથી 165 અને ST કેટેગરીના 86 ઉમેદવારો છે. તે જ સમયે, ભલામણ કરાયેલ 355 ઉમેદવારોની ઉમેદવારી કામચલાઉ રાખવામાં આવી છે. સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોને UPSCના વિવિધ સરકારી વિભાગોમાં 1105 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. તેઓને ભારતીય વહીવટી સેવા (IAS), ભારતીય વિદેશ સેવા (IFS), ભારતીય પોલીસ સેવા (IPS), ભારતીય મહેસૂલ સેવા (IRS) અને અન્ય કેન્દ્રીય સેવાઓની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"