UPSC CSE 2023નું આવી ગયું પરિણામ, આદિત્ય શ્રીવાસ્તવે કર્યું ટોપ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-04-16 15:30:35

આજકાલ અનેક લોકોને તમે સાંભળ્યું હશે કે હું UPSCની તૈયારી કરી રહ્યો છે.. યુપીએસસી એક્ઝામ ક્લીયર કરવી અનેક લોકોનું સપનું હોય છે.  IAS, IPS, IFS ઓફિસર બનવાનું સપનું જોનાર ઉમેદવારો UPSC સિવિલ સર્વિસીઝ પરીક્ષા આપે છે. આ પરીક્ષાને દેશની સૌથી પડકારજનક સ્પર્ધાત્મક પરીક્ષા માનવામાં આવે છે. લાખો ઉમેદવારો આ પરીક્ષા આપે છે તેમાંથી માત્ર અમુક જ ઉમેદવારો આ પરીક્ષાને પાસ કરી શકે છે. આ બધા વચ્ચે આજે UPSCનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે.     

કોણે યુપીએસસી કર્યું ટોપ?

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે UPSCએ સિવિલ સર્વિસ પરીક્ષા 2023નું અંતિમ પરિણામ આજે જાહેર કર્યું છે. યુપીએસસીની સત્તાવાર વેબસાઈટ પર આ પરિણામ ડિક્લેર કરવામાં આવ્યું છે. આદિત્ય શ્રીવાસ્તવે યુપીએસસી ટોપ કર્યું છે, જ્યારે બીજા ક્રમે અનિમેષ પ્રધાન આવ્યા છે જ્યારે ડોનુરુ અનન્યા રેડ્ડીએ ત્રીજું સ્થાન મેળવ્યું છે. યુપીએસસીની આ  પરીક્ષાઓમાં ભારતીય વહીવટી સેવા માટે કુલ 180 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. વિગતવાર વાત કરીએ તો  ભારતીય વિદેશ સેવા એટલે કે IFS માટે 37 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. જ્યારે કેન્દ્ર સરકારની વિવિધ ગ્રેડ Aની જગ્યાઓ પર 613 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ગ્રેડ બીની જગ્યાઓ પર 113 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. 


આટલી જગ્યાઓ માટે કરવામાં  આવશે ભરતી!

મળતી માહિતી અનુસાર યાદીની વાત કરીએ તો કુલ 1016 ઉમેદવારોના નામ છે. જનરલ કેટેગરીના 347, EWSમાંથી 115, OBCમાંથી 303, SCમાંથી 165 અને ST કેટેગરીના 86 ઉમેદવારો છે. તે જ સમયે, ભલામણ કરાયેલ 355 ઉમેદવારોની ઉમેદવારી કામચલાઉ રાખવામાં આવી છે. સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોને UPSCના વિવિધ સરકારી વિભાગોમાં 1105 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. તેઓને ભારતીય વહીવટી સેવા (IAS), ભારતીય વિદેશ સેવા (IFS), ભારતીય પોલીસ સેવા (IPS), ભારતીય મહેસૂલ સેવા (IRS) અને અન્ય કેન્દ્રીય સેવાઓની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .