UPSC CSE 2023નું આવી ગયું પરિણામ, આદિત્ય શ્રીવાસ્તવે કર્યું ટોપ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-04-16 15:30:35

આજકાલ અનેક લોકોને તમે સાંભળ્યું હશે કે હું UPSCની તૈયારી કરી રહ્યો છે.. યુપીએસસી એક્ઝામ ક્લીયર કરવી અનેક લોકોનું સપનું હોય છે.  IAS, IPS, IFS ઓફિસર બનવાનું સપનું જોનાર ઉમેદવારો UPSC સિવિલ સર્વિસીઝ પરીક્ષા આપે છે. આ પરીક્ષાને દેશની સૌથી પડકારજનક સ્પર્ધાત્મક પરીક્ષા માનવામાં આવે છે. લાખો ઉમેદવારો આ પરીક્ષા આપે છે તેમાંથી માત્ર અમુક જ ઉમેદવારો આ પરીક્ષાને પાસ કરી શકે છે. આ બધા વચ્ચે આજે UPSCનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે.     

કોણે યુપીએસસી કર્યું ટોપ?

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે UPSCએ સિવિલ સર્વિસ પરીક્ષા 2023નું અંતિમ પરિણામ આજે જાહેર કર્યું છે. યુપીએસસીની સત્તાવાર વેબસાઈટ પર આ પરિણામ ડિક્લેર કરવામાં આવ્યું છે. આદિત્ય શ્રીવાસ્તવે યુપીએસસી ટોપ કર્યું છે, જ્યારે બીજા ક્રમે અનિમેષ પ્રધાન આવ્યા છે જ્યારે ડોનુરુ અનન્યા રેડ્ડીએ ત્રીજું સ્થાન મેળવ્યું છે. યુપીએસસીની આ  પરીક્ષાઓમાં ભારતીય વહીવટી સેવા માટે કુલ 180 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. વિગતવાર વાત કરીએ તો  ભારતીય વિદેશ સેવા એટલે કે IFS માટે 37 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. જ્યારે કેન્દ્ર સરકારની વિવિધ ગ્રેડ Aની જગ્યાઓ પર 613 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ગ્રેડ બીની જગ્યાઓ પર 113 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. 


આટલી જગ્યાઓ માટે કરવામાં  આવશે ભરતી!

મળતી માહિતી અનુસાર યાદીની વાત કરીએ તો કુલ 1016 ઉમેદવારોના નામ છે. જનરલ કેટેગરીના 347, EWSમાંથી 115, OBCમાંથી 303, SCમાંથી 165 અને ST કેટેગરીના 86 ઉમેદવારો છે. તે જ સમયે, ભલામણ કરાયેલ 355 ઉમેદવારોની ઉમેદવારી કામચલાઉ રાખવામાં આવી છે. સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોને UPSCના વિવિધ સરકારી વિભાગોમાં 1105 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. તેઓને ભારતીય વહીવટી સેવા (IAS), ભારતીય વિદેશ સેવા (IFS), ભારતીય પોલીસ સેવા (IPS), ભારતીય મહેસૂલ સેવા (IRS) અને અન્ય કેન્દ્રીય સેવાઓની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.