સોનામાં આગઝરતી તેજી, બુલિયન માર્કેટમાં સોનું પ્રતિ 10 ગ્રામ રૂ. 450 વધીને રૂ. 64,300 પર પહોંચ્યું


  • Published By :
  • Published Date : 2023-12-04 20:25:59

મજબૂત વૈશ્વિક વલણ વચ્ચે સોમવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું રૂ. 450 વધીને રૂ. 64,300 પ્રતિ 10 ગ્રામની વિક્રમી સપાટીએ પહોંચ્યું હતું. અગાઉના ટ્રેડિંગ સેશનમાં સોનું રૂ. 63,850 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. જો કે આ સમયગાળા દરમિયાન ચાંદી રૂ. 80,200 પ્રતિ કિલોગ્રામ પર સ્થિર રહી હતી. ગ્લોબલ માર્કેટમાં એક ઔંશ ગોલ્ડની કિંમત 2,149 ડૉલરની ઓલ-ટાઈમ હાઈ સપાટીને આંબી ગઈ છે. અમદાવાદના ઝવેરી બજારમાં 999 પ્યોરિટી ધરાવતું સોનું 65,000 રૂપિયા પ્લસમાં બોલાયું છે. સલામત રોકાણ માટે રોકાણકારોમાં ગોલ્ડનું આકર્ષણ વધ્યું છે. ચાંદી પણ 78,000 રૂપિયાને પાર થઈ ગઈ છે.

આ કારણોથી વધ્યો ભાવ?


સોનાની તેજી પાછળ જિઓપોલિટકલ ટેન્શન, અમેરિકામાં રેટ કટની શક્યતા, ડૉલરની નરમાઈ જેવા કારણો જવાબદાર છે. રશિયા-યુક્રેન બાદ ઈઝરાયેલ-હમાસ યુદ્ધની વચ્ચે રાતા સમુદ્રમાં અમેરિકાના કમર્શિયલ જહાજો પર હુમલાના સમાચાર બાદ ગોલ્ડમાં તેજી આવી છે. શુક્રવારે ફેડ રિઝર્વ ચેરમેન જેરોમ પોવેલે રેટ કટના સંકેત આપ્યા હતા, એટલે કે માર્ચ નહીં તો મે મહિનામાં 0.25 ટકાનો ઘટાડો થવાની શક્યતા પ્રબળ બની રહી છે. અમેરિકામાં વપરાશી ફુગાવો ઘટીને ફેડના ટાર્ગેટ કરતાં માત્ર 0.5 ટકા ઉપર ચાલી રહ્યો છે. ડૉલર ઈન્ડેક્સ પણ ઘટીને 103ની સપાટીએ પહોંચી ગયો છે. આથી, ડૉલરમાં સોનું ખરીદનારા દેશો માટે ખરીદી સસ્તી બની છે તેથી ગોલ્ડમાં બાઈંગ વધ્યું છે. દુનિયાભરના દેશો હેજિંગ માટે ગોલ્ડની ખરીદી વધારી રહ્યાં છે. ભારતમાં પણ RBIએ લાખો ટન સોનું ખરીદવાનું ચાલુ રાખ્યું છે તેમજ તહેવારોને કારણે ગોલ્ડની આયાત વધી છે. આમ તમામ પરિબળો ગોલ્ડને તેજીનું ઈંધણ પૂરું પાડી રહ્યાં છે.

દેશમાં લગ્નસરાની સીઝનમાં ભાવ ઊંચકાયા


ભારતમાં દિવાળીના તહેવારો પૂરા થયા બાદ લગ્નસરાની સીઝન ચાલી રહી છે અને બરાબર તેવા સમયે જ સોનું સડસડાટ ઉપર જઈ રહ્યું છે. ઓક્ટોબરમાં 6.8 ટકા વધ્યા બાદ નવેમ્બરમાં પણ સોનું 3 ટકા જેટલું ઉછળ્યું છે અને 10 ગ્રામનો ભાવ 63,500 રૂપિયાની નવી ઊંચાઈએ પહોંચી ગયો છે. ઝવેરી બજારમાં સોનાની ઘરાકી પર અસર પડી છે. મોટા માર્કેટમાં પાંખી હાજરી જોવા મળી છે અને લોકોએ ખરીદી પર કાપ મૂક્યો છે.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.