સોનામાં આગઝરતી તેજી, બુલિયન માર્કેટમાં સોનું પ્રતિ 10 ગ્રામ રૂ. 450 વધીને રૂ. 64,300 પર પહોંચ્યું


  • Published By :
  • Published Date : 2023-12-04 20:25:59

મજબૂત વૈશ્વિક વલણ વચ્ચે સોમવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું રૂ. 450 વધીને રૂ. 64,300 પ્રતિ 10 ગ્રામની વિક્રમી સપાટીએ પહોંચ્યું હતું. અગાઉના ટ્રેડિંગ સેશનમાં સોનું રૂ. 63,850 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. જો કે આ સમયગાળા દરમિયાન ચાંદી રૂ. 80,200 પ્રતિ કિલોગ્રામ પર સ્થિર રહી હતી. ગ્લોબલ માર્કેટમાં એક ઔંશ ગોલ્ડની કિંમત 2,149 ડૉલરની ઓલ-ટાઈમ હાઈ સપાટીને આંબી ગઈ છે. અમદાવાદના ઝવેરી બજારમાં 999 પ્યોરિટી ધરાવતું સોનું 65,000 રૂપિયા પ્લસમાં બોલાયું છે. સલામત રોકાણ માટે રોકાણકારોમાં ગોલ્ડનું આકર્ષણ વધ્યું છે. ચાંદી પણ 78,000 રૂપિયાને પાર થઈ ગઈ છે.

આ કારણોથી વધ્યો ભાવ?


સોનાની તેજી પાછળ જિઓપોલિટકલ ટેન્શન, અમેરિકામાં રેટ કટની શક્યતા, ડૉલરની નરમાઈ જેવા કારણો જવાબદાર છે. રશિયા-યુક્રેન બાદ ઈઝરાયેલ-હમાસ યુદ્ધની વચ્ચે રાતા સમુદ્રમાં અમેરિકાના કમર્શિયલ જહાજો પર હુમલાના સમાચાર બાદ ગોલ્ડમાં તેજી આવી છે. શુક્રવારે ફેડ રિઝર્વ ચેરમેન જેરોમ પોવેલે રેટ કટના સંકેત આપ્યા હતા, એટલે કે માર્ચ નહીં તો મે મહિનામાં 0.25 ટકાનો ઘટાડો થવાની શક્યતા પ્રબળ બની રહી છે. અમેરિકામાં વપરાશી ફુગાવો ઘટીને ફેડના ટાર્ગેટ કરતાં માત્ર 0.5 ટકા ઉપર ચાલી રહ્યો છે. ડૉલર ઈન્ડેક્સ પણ ઘટીને 103ની સપાટીએ પહોંચી ગયો છે. આથી, ડૉલરમાં સોનું ખરીદનારા દેશો માટે ખરીદી સસ્તી બની છે તેથી ગોલ્ડમાં બાઈંગ વધ્યું છે. દુનિયાભરના દેશો હેજિંગ માટે ગોલ્ડની ખરીદી વધારી રહ્યાં છે. ભારતમાં પણ RBIએ લાખો ટન સોનું ખરીદવાનું ચાલુ રાખ્યું છે તેમજ તહેવારોને કારણે ગોલ્ડની આયાત વધી છે. આમ તમામ પરિબળો ગોલ્ડને તેજીનું ઈંધણ પૂરું પાડી રહ્યાં છે.

દેશમાં લગ્નસરાની સીઝનમાં ભાવ ઊંચકાયા


ભારતમાં દિવાળીના તહેવારો પૂરા થયા બાદ લગ્નસરાની સીઝન ચાલી રહી છે અને બરાબર તેવા સમયે જ સોનું સડસડાટ ઉપર જઈ રહ્યું છે. ઓક્ટોબરમાં 6.8 ટકા વધ્યા બાદ નવેમ્બરમાં પણ સોનું 3 ટકા જેટલું ઉછળ્યું છે અને 10 ગ્રામનો ભાવ 63,500 રૂપિયાની નવી ઊંચાઈએ પહોંચી ગયો છે. ઝવેરી બજારમાં સોનાની ઘરાકી પર અસર પડી છે. મોટા માર્કેટમાં પાંખી હાજરી જોવા મળી છે અને લોકોએ ખરીદી પર કાપ મૂક્યો છે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.