સોનામાં આગઝરતી તેજી, બુલિયન માર્કેટમાં સોનું પ્રતિ 10 ગ્રામ રૂ. 450 વધીને રૂ. 64,300 પર પહોંચ્યું


  • Published By :
  • Published Date : 2023-12-04 20:25:59

મજબૂત વૈશ્વિક વલણ વચ્ચે સોમવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું રૂ. 450 વધીને રૂ. 64,300 પ્રતિ 10 ગ્રામની વિક્રમી સપાટીએ પહોંચ્યું હતું. અગાઉના ટ્રેડિંગ સેશનમાં સોનું રૂ. 63,850 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. જો કે આ સમયગાળા દરમિયાન ચાંદી રૂ. 80,200 પ્રતિ કિલોગ્રામ પર સ્થિર રહી હતી. ગ્લોબલ માર્કેટમાં એક ઔંશ ગોલ્ડની કિંમત 2,149 ડૉલરની ઓલ-ટાઈમ હાઈ સપાટીને આંબી ગઈ છે. અમદાવાદના ઝવેરી બજારમાં 999 પ્યોરિટી ધરાવતું સોનું 65,000 રૂપિયા પ્લસમાં બોલાયું છે. સલામત રોકાણ માટે રોકાણકારોમાં ગોલ્ડનું આકર્ષણ વધ્યું છે. ચાંદી પણ 78,000 રૂપિયાને પાર થઈ ગઈ છે.

આ કારણોથી વધ્યો ભાવ?


સોનાની તેજી પાછળ જિઓપોલિટકલ ટેન્શન, અમેરિકામાં રેટ કટની શક્યતા, ડૉલરની નરમાઈ જેવા કારણો જવાબદાર છે. રશિયા-યુક્રેન બાદ ઈઝરાયેલ-હમાસ યુદ્ધની વચ્ચે રાતા સમુદ્રમાં અમેરિકાના કમર્શિયલ જહાજો પર હુમલાના સમાચાર બાદ ગોલ્ડમાં તેજી આવી છે. શુક્રવારે ફેડ રિઝર્વ ચેરમેન જેરોમ પોવેલે રેટ કટના સંકેત આપ્યા હતા, એટલે કે માર્ચ નહીં તો મે મહિનામાં 0.25 ટકાનો ઘટાડો થવાની શક્યતા પ્રબળ બની રહી છે. અમેરિકામાં વપરાશી ફુગાવો ઘટીને ફેડના ટાર્ગેટ કરતાં માત્ર 0.5 ટકા ઉપર ચાલી રહ્યો છે. ડૉલર ઈન્ડેક્સ પણ ઘટીને 103ની સપાટીએ પહોંચી ગયો છે. આથી, ડૉલરમાં સોનું ખરીદનારા દેશો માટે ખરીદી સસ્તી બની છે તેથી ગોલ્ડમાં બાઈંગ વધ્યું છે. દુનિયાભરના દેશો હેજિંગ માટે ગોલ્ડની ખરીદી વધારી રહ્યાં છે. ભારતમાં પણ RBIએ લાખો ટન સોનું ખરીદવાનું ચાલુ રાખ્યું છે તેમજ તહેવારોને કારણે ગોલ્ડની આયાત વધી છે. આમ તમામ પરિબળો ગોલ્ડને તેજીનું ઈંધણ પૂરું પાડી રહ્યાં છે.

દેશમાં લગ્નસરાની સીઝનમાં ભાવ ઊંચકાયા


ભારતમાં દિવાળીના તહેવારો પૂરા થયા બાદ લગ્નસરાની સીઝન ચાલી રહી છે અને બરાબર તેવા સમયે જ સોનું સડસડાટ ઉપર જઈ રહ્યું છે. ઓક્ટોબરમાં 6.8 ટકા વધ્યા બાદ નવેમ્બરમાં પણ સોનું 3 ટકા જેટલું ઉછળ્યું છે અને 10 ગ્રામનો ભાવ 63,500 રૂપિયાની નવી ઊંચાઈએ પહોંચી ગયો છે. ઝવેરી બજારમાં સોનાની ઘરાકી પર અસર પડી છે. મોટા માર્કેટમાં પાંખી હાજરી જોવા મળી છે અને લોકોએ ખરીદી પર કાપ મૂક્યો છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.