ઉર્વશીએ કારવાચોથની પોસ્ટ કરી યુઝર્સે સવાલ કર્યા રિષભ પંથ માટે વ્રત કરશો ??


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 12:08:36


બોલિવૂડ એકટ્રેસ ઉર્વશી રાઉતેલાએ આજે કારવાચોથના દિવસે  એક પોસ્ટ કરી ચાહકોને કરવાચોથની શુભેચ્છા પાઠવી હતી. ત્યારે આ પોસ્ટ પર સોશિયલ મીડિયા યુઝર્સએ સવાલ કર્યો કે  તે પણ આ વ્રત કરવાની છે? ઉર્વશી હાલમાં પોતાની સો.મીડિયા પોસ્ટ્સને કારણે ચર્ચામાં રહે છે. ઉર્વશીની સો.મીડિયા પોસ્ટ્સ જોઈને યુઝર્સ એમ કહી રહ્યા છે કે તે પંતના પ્રેમમાં પાગલ થઈ ચૂકી છે.ઉર્વશીએ પોતાની તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં તે વ્હાઇટ ફુલ સ્લીવ્સ હાઇ નેકની સાથે શોર્ટ સ્કર્ટ પહેર્યું હતું. આ તસવીર શૅર કરીને કેપ્શનમાં કહ્યું હતું, 'ચંદ્રની રોશની, તમારા જીવનને ખુશીઓ, શાંતિ તથા સદભાવનાથી ભરી દે. કરવાચોથની શુભેચ્છા એડવાન્સમાં.'



સોશિયલ મીડિયા યુઝર્સએ મજાક ઉડાવી. 

પોસ્ટ જોયા બાદ યુઝર્સે રિએક્ટ કર્યું હતું અને સવાલ કર્યો હતો કે તે પણ વ્રત રાખવાની છે? ઘણાં યુઝર્સે રિષભ પંતના નામથી ટ્રોલ કરી હતી. એક યુઝરે કહ્યું હતું કે પ્લીઝ ભાઈ ક્રિકેટ પર ધ્યાન આપજો.તો બીજાએ કમેન્ટ કરી હતી કે તેનો પીછો છોડી દે, તે પહેલેથી જ કમિટેડ છે.




કેમ ઉર્વશી રાઉતેલા અને રિષભ પંથ ચર્ચામાં ?


એક મહિના પેહલા ઉર્વશીએ એક  ઇન્ટરવ્યૂમાં કયું હતું કે 'મિસ્ટર RP' તરીકે લીધું હતું. તેણે કહ્યું હતું, 'જ્યારે હું બનારસથી દિલ્હી શૂટિંગ માટે ગઈ હતી, ત્યારે મિસ્ટર RP મળવા આવ્યા હતા. તે હોટલની લૉબીમાં મારી રાહ જોતા હતા, પરંતુ હું સૂઈ ગઈ હતી. જોકે, મને પછીથી આ અંગે માહિતી મળી હતી. મારા ફોનમાં 17 મિસ્ડ કૉલ્સ હતા. પછી મેં તેમની સાથે વાત કરી અને કહ્યું હતું કે જ્યારે મુંબઈ આવશો ત્યારે મળીશું. પછી અમે મળ્યાં પણ હતાં. જોકે, ત્યાં સુધી મીડિયામાં આ વાત આવી ચૂકી હતી.'

અને તેના જવાબમાં રિષભ પંથએ કહ્યું  




"લોકો કેવી રીતે લોકપ્રિયતા તથા સમાચારોમાં રહેવા માટે ઇન્ટરવ્યૂમાં કંઈ પણ ખોટું બોલી દેતા હોય છે. આ દુઃખની વાત છે કે લોકો નામ અને લોકપ્રિયતાના કેટલા ભૂખ્યા છે. ભગવાન તેમની પર કૃપા વરસાવે. મારો પીછો છોડ બહેન. ખોટું બોલવાની પણ એક લિમિટ હોય છે." 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.