ઉર્વશીએ કારવાચોથની પોસ્ટ કરી યુઝર્સે સવાલ કર્યા રિષભ પંથ માટે વ્રત કરશો ??


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 12:08:36


બોલિવૂડ એકટ્રેસ ઉર્વશી રાઉતેલાએ આજે કારવાચોથના દિવસે  એક પોસ્ટ કરી ચાહકોને કરવાચોથની શુભેચ્છા પાઠવી હતી. ત્યારે આ પોસ્ટ પર સોશિયલ મીડિયા યુઝર્સએ સવાલ કર્યો કે  તે પણ આ વ્રત કરવાની છે? ઉર્વશી હાલમાં પોતાની સો.મીડિયા પોસ્ટ્સને કારણે ચર્ચામાં રહે છે. ઉર્વશીની સો.મીડિયા પોસ્ટ્સ જોઈને યુઝર્સ એમ કહી રહ્યા છે કે તે પંતના પ્રેમમાં પાગલ થઈ ચૂકી છે.ઉર્વશીએ પોતાની તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં તે વ્હાઇટ ફુલ સ્લીવ્સ હાઇ નેકની સાથે શોર્ટ સ્કર્ટ પહેર્યું હતું. આ તસવીર શૅર કરીને કેપ્શનમાં કહ્યું હતું, 'ચંદ્રની રોશની, તમારા જીવનને ખુશીઓ, શાંતિ તથા સદભાવનાથી ભરી દે. કરવાચોથની શુભેચ્છા એડવાન્સમાં.'



સોશિયલ મીડિયા યુઝર્સએ મજાક ઉડાવી. 

પોસ્ટ જોયા બાદ યુઝર્સે રિએક્ટ કર્યું હતું અને સવાલ કર્યો હતો કે તે પણ વ્રત રાખવાની છે? ઘણાં યુઝર્સે રિષભ પંતના નામથી ટ્રોલ કરી હતી. એક યુઝરે કહ્યું હતું કે પ્લીઝ ભાઈ ક્રિકેટ પર ધ્યાન આપજો.તો બીજાએ કમેન્ટ કરી હતી કે તેનો પીછો છોડી દે, તે પહેલેથી જ કમિટેડ છે.




કેમ ઉર્વશી રાઉતેલા અને રિષભ પંથ ચર્ચામાં ?


એક મહિના પેહલા ઉર્વશીએ એક  ઇન્ટરવ્યૂમાં કયું હતું કે 'મિસ્ટર RP' તરીકે લીધું હતું. તેણે કહ્યું હતું, 'જ્યારે હું બનારસથી દિલ્હી શૂટિંગ માટે ગઈ હતી, ત્યારે મિસ્ટર RP મળવા આવ્યા હતા. તે હોટલની લૉબીમાં મારી રાહ જોતા હતા, પરંતુ હું સૂઈ ગઈ હતી. જોકે, મને પછીથી આ અંગે માહિતી મળી હતી. મારા ફોનમાં 17 મિસ્ડ કૉલ્સ હતા. પછી મેં તેમની સાથે વાત કરી અને કહ્યું હતું કે જ્યારે મુંબઈ આવશો ત્યારે મળીશું. પછી અમે મળ્યાં પણ હતાં. જોકે, ત્યાં સુધી મીડિયામાં આ વાત આવી ચૂકી હતી.'

અને તેના જવાબમાં રિષભ પંથએ કહ્યું  




"લોકો કેવી રીતે લોકપ્રિયતા તથા સમાચારોમાં રહેવા માટે ઇન્ટરવ્યૂમાં કંઈ પણ ખોટું બોલી દેતા હોય છે. આ દુઃખની વાત છે કે લોકો નામ અને લોકપ્રિયતાના કેટલા ભૂખ્યા છે. ભગવાન તેમની પર કૃપા વરસાવે. મારો પીછો છોડ બહેન. ખોટું બોલવાની પણ એક લિમિટ હોય છે." 




મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.

નાયબ કલેકટર એચ ટી મકવાણાએ હવે ચોટીલાની આસપાસ હોટેલોમાં જ્યાં દેહ વ્યાપાર ચાલી રહ્યો હતો તેમની પર કડક કાર્યવાહી કરી છે. ચોટીલા આવતા યાત્રિકો અને નાગરિકોએ ફરિયાદ કરી હતી કે , આ ગેરકાયદેસર પ્રવૃત્તિથી તેમની આસ્થાને ઠેસ પહોંચી છે. આ પછી આ હોટેલોની અચાનક તપાસ હાથ ધરવામાં આવી છે અને હવે આ હોટેલોને સીલ કરી દેવામાં આવી છે.