ઉર્વશીએ કારવાચોથની પોસ્ટ કરી યુઝર્સે સવાલ કર્યા રિષભ પંથ માટે વ્રત કરશો ??


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 12:08:36


બોલિવૂડ એકટ્રેસ ઉર્વશી રાઉતેલાએ આજે કારવાચોથના દિવસે  એક પોસ્ટ કરી ચાહકોને કરવાચોથની શુભેચ્છા પાઠવી હતી. ત્યારે આ પોસ્ટ પર સોશિયલ મીડિયા યુઝર્સએ સવાલ કર્યો કે  તે પણ આ વ્રત કરવાની છે? ઉર્વશી હાલમાં પોતાની સો.મીડિયા પોસ્ટ્સને કારણે ચર્ચામાં રહે છે. ઉર્વશીની સો.મીડિયા પોસ્ટ્સ જોઈને યુઝર્સ એમ કહી રહ્યા છે કે તે પંતના પ્રેમમાં પાગલ થઈ ચૂકી છે.ઉર્વશીએ પોતાની તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં તે વ્હાઇટ ફુલ સ્લીવ્સ હાઇ નેકની સાથે શોર્ટ સ્કર્ટ પહેર્યું હતું. આ તસવીર શૅર કરીને કેપ્શનમાં કહ્યું હતું, 'ચંદ્રની રોશની, તમારા જીવનને ખુશીઓ, શાંતિ તથા સદભાવનાથી ભરી દે. કરવાચોથની શુભેચ્છા એડવાન્સમાં.'



સોશિયલ મીડિયા યુઝર્સએ મજાક ઉડાવી. 

પોસ્ટ જોયા બાદ યુઝર્સે રિએક્ટ કર્યું હતું અને સવાલ કર્યો હતો કે તે પણ વ્રત રાખવાની છે? ઘણાં યુઝર્સે રિષભ પંતના નામથી ટ્રોલ કરી હતી. એક યુઝરે કહ્યું હતું કે પ્લીઝ ભાઈ ક્રિકેટ પર ધ્યાન આપજો.તો બીજાએ કમેન્ટ કરી હતી કે તેનો પીછો છોડી દે, તે પહેલેથી જ કમિટેડ છે.




કેમ ઉર્વશી રાઉતેલા અને રિષભ પંથ ચર્ચામાં ?


એક મહિના પેહલા ઉર્વશીએ એક  ઇન્ટરવ્યૂમાં કયું હતું કે 'મિસ્ટર RP' તરીકે લીધું હતું. તેણે કહ્યું હતું, 'જ્યારે હું બનારસથી દિલ્હી શૂટિંગ માટે ગઈ હતી, ત્યારે મિસ્ટર RP મળવા આવ્યા હતા. તે હોટલની લૉબીમાં મારી રાહ જોતા હતા, પરંતુ હું સૂઈ ગઈ હતી. જોકે, મને પછીથી આ અંગે માહિતી મળી હતી. મારા ફોનમાં 17 મિસ્ડ કૉલ્સ હતા. પછી મેં તેમની સાથે વાત કરી અને કહ્યું હતું કે જ્યારે મુંબઈ આવશો ત્યારે મળીશું. પછી અમે મળ્યાં પણ હતાં. જોકે, ત્યાં સુધી મીડિયામાં આ વાત આવી ચૂકી હતી.'

અને તેના જવાબમાં રિષભ પંથએ કહ્યું  




"લોકો કેવી રીતે લોકપ્રિયતા તથા સમાચારોમાં રહેવા માટે ઇન્ટરવ્યૂમાં કંઈ પણ ખોટું બોલી દેતા હોય છે. આ દુઃખની વાત છે કે લોકો નામ અને લોકપ્રિયતાના કેટલા ભૂખ્યા છે. ભગવાન તેમની પર કૃપા વરસાવે. મારો પીછો છોડ બહેન. ખોટું બોલવાની પણ એક લિમિટ હોય છે." 




ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?