Urvashi Solankiએ તરણેતરના મેળાને લઈ કહી આ વાત, Navratriને લઈ આપેલા નિવેદનનો વિવાદ શાંત નથી થયો અને...


  • Published By :
  • Published Date : 2023-10-25 15:32:10

નવરાત્રી દરમિયાન શક્તિની ઉપાસના કરવામાં આવતી હોય છે. ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા છે. નવરાત્રીનું આયોજન સફળ જાય તે માટે અનેક કલાકારોને બોલાવવામાં આવે છે અને સ્ટેજ પર તે લોકો પરફોમ કરતા હોય છે. ત્યારે થોડા દિવસો પહેલા નવરાત્રીમાં સેટિંગ થતા હોય તે વાત ઉર્વશી સોલંકી દ્વારા કરવામાં આવી હતી. પ્રપોઝ કરવા માટે વેલેન્ટાઈન ટાઈમની રાહ નથી જોતા, નવરાત્રીમાં જ સેટિંગ કરી લેવાય છે તેવું નિવેદન આપવામાં આવ્યું હતું. આ મામલો શાંત નથી થયો ત્યારે વધુ એક નિવેદન ઉર્વશી સોલંકી દ્વારા આપવામાં આવ્યું છે. ઉર્વશી સોલંકીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તરણેતરનો મેળો નહીં પરંતુ તે પરણેતરનો મેળો છે...

નડિયાદમાં ઉર્વશી સોલંકીએ આપ્યું હતું આ નિવેદન 

થોડા દિવસ પહેલા નડિયાદથી ઉર્વશી સોલંકીના કલાકારનો વીડિયો સામે આવ્યો હતો જેમાં તે નવરાત્રીમાં સેટિંગ અંગેની વાત કરી રહ્યા હતા. સ્ટેજ પરથી તેમણે કહ્યું હતું કે આપણાં ગરબા આખા વર્લ્ડમાં ફેમસ છે. અને ગુજરાતમાં કોઈ છોકરો છોકરીને આઈ લવ યુ કહેવું હોય તો આપણે વેલેન્ટાઈન નહીં નવરાત્રીની રાહ જોઈએ છીએ. આ ચાર દિવસમાં કેટલા લોકોએ કીધું? નવ દિવસ તમે ગરબા રમો અને છેલ્લા દિવસે પણ તમે સિંગલ હોવને તો તમે પાક્કું ગરબા જ રમ્યા છો. એવા બહુ બધા હશે જેમને નવ દિવસ સેટીંગ નહીં થાય અને આવતી નવરાત્રીની રાહ જોતા હશે.


પોતાના નિવેદન પર આપ્યું ઉર્વશીએ આપ્યું સ્પષ્ટીકરણ

નિવેદન બાદ વિવાદ વકર્યો હતો. વિવાદ વધતા તેમનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેમણે પોતાની વાત રજૂ કરી હતી. વીડિયોમાં ઉર્વશી સોલંકીએ કહ્યું કે લોકો મારા શબ્દોને તોડીમરોડીને ખોટી રીતે રજૂ કરી રહ્યા છે. એક એક લાઈન પર તેમણે સ્પષ્ટીકરણ આપ્યું છે. આખા વીડિયોમાં તેમણે પોતાના નિવેદનને લઈ કોઈ અફસોસ હોય તેવું ન લાગતું હતું. 


ઉર્વશી સોલંકીનો વીડિયો આવ્યો સામે જેમાં તે કહી રહ્યા છે... 

તેમણે કહ્યું કે " 21મી સદીનો જમાનો છે અને આજે સામાન્ય રીતે મા બાપ કહેતાં હોય છે કે સારી છોકરી હોય તો જોજે, તારો મેળ કરાવી દઈએ. છોકરીને પણ કહેતા હોય છે. નવરાત્રિ એ સમાજનો તહેવાર છે અને ગરબા રમવા જતી છોકરીને પણ મા-બાપ કહેતાં હોય છે કે તને કોઇ ગમે તો કહેજે, આપણે મેળ કરવી દઈશું….અને સાથે સેટિંગ પણ.” આગળ ઉર્વશી કહે છે કે, “સેટિંગ આજના જમાના અને ભાષા પ્રમાણે સહજ છે. બહેન ભાઇને પણ કહેતી હોય છે.” આગળ કહ્યું કે, મારો ભાવ બહુ સ્પષ્ટ હતો અને તેમાં ગંદકી ન હતી."

મને મારા એક પણ શબ્દનો અફસોસ નથી - ઉર્વશી સોલંકી 

વીડિયોમાં ઉર્વશીએ કહ્યું કે તેમણે આ વાત રમૂજમાં કરી છે. પોતાના સ્વભાવ વિશે કહેતા ઉર્વશીએ કહ્યું કે ખૂબ ‘સહજ’ અને ‘રમુજી’ છે અને ગંભીર વાતોને સહજતાથી રજૂ કરી દે છે. જેથી તેમણે સહજ અને સામાન્ય રીતે પોતાની વાતો રજૂ કરી હતી. સાથે એમ પણ કહ્યું કે, વીડિયો વાયરલ થયો તે તેમને ગમ્યો કારણ કે તેનાથી આ વાતો પર ચર્ચા કરવાની તક મળી. આગળ તેમણે કહ્યું કે  સ્ટેજ પરથી શું બોલી છું, કે શું રમૂજ કરી છે, એ મને બરાબર ખબર છે. એક ગુજરાતી તરીકે, હિંદુ સ્ત્રી તરીકે મને ખબર છે મારે શું બોલવું અને શું ન બોલવું. મને મારા એક પણ શબ્દનો અફસોસ નથી.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.