અમેરિકા પરથી નાદારીનું સંકટ ટળ્યું, US કોંગ્રેસમાં ડેટ સીલિંગ બિલ પાસ, હવે સેનેટ પર નજર


  • Published By :
  • Published Date : 2023-06-01 14:51:45

અમેરિકા પર તોળાઈ રહેલું ડેટ સીલિંગનું સંકટ હવે ટળ્યું છે.અમેરિકાની કોંગ્રેસ બુધવારે ટ્રેઝરી દ્વારા નક્કી કરાયેલી સમય મર્યાદાના 5 દિવસ પહેલા જ દેવાની મર્યાદા વધારવાના બિલને પાસ કરી દીધું છે. 5 જૂને અમેરિકામાં દેવાની મર્યાદા વધારવા માટે છેલ્લી તારીખ હતી. જો આવું ન થયું ન હોત તો અમેરિકા ઈતિહાસમાં સૌપ્રથમ વખત દેવાળીયું બની ગયું હોત. અમેરિકાના પ્રમુખ જો બિડેન અને હાઉસ સ્પિકર કેવિન મેક્કાર્થી વચ્ચે  ડેટ સીલિંગ મુદ્દે ચર્ચા થઈ હતી.ત્યાર બાદ બાઇડને સેનેટને વહેલી તકે મતદાન કરવા અને આ બિલ પાસ કરાવવા અપીલ કરી હતી. કોંગ્રેસની પ્રતિનીધી સભાએ આ બિલ પાસ દીધું છે.


બિલની તરફેણમાં 314 મત પડ્યા 


અમેરિકન કોંગ્રેસના નીચલા ગૃહમાં ડેટ સીલિંગની તરફેણમાં 314 મત પડ્યા હતા, જ્યારે 117 નેતાઓએ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. બુધવારે ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન બંનેના સમર્થન સાથે ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એક્ટ  (The Fiscal Responsibility Act) પસાર કરવામાં આવ્યો હતો. અમેરિકન કોંગ્રેસના નીચલા ગૃહમાંથી પસાર થયા બાદ ઉપલા ગૃહ સેનેટમાં મોકલવામાં આવશે. બાઇડને કહ્યું કે, આ પગલાએ અમેરિકાને ડિફોલ્ટના જોખમથી બચાવી લીધું છે. જો સેનેટ દ્વારા પણ આ બિલ પાસ થઈ જશે તો અમેરિકાની દેવાની મર્યાદા બે વર્ષ માટે વધી જશે. વર્ષ 1960થી અમેરિકામાં દેવાની મર્યાદામાં 78 વખત ફેરફાર કરવામાં આવ્યા છે.


ડિફોલ્ટનો ખતરો ટળી ગયો!


અમેરિકાની કોંગ્રેસે ડેટ સીલિંગ બિલને મંજૂરી આપ્યા બાદ માત્ર અમેરિકા જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાંથી એક મોટો ખતરો ટળી ગયો છે. આ સાથે જ વૈશ્વિક અર્થવ્યવસ્થાને સંભવિત નુકસાનમાંથી પણ રાહત મળી છે. જો અમેરિકા ડિફોલ્ટ થયું હોત તો માત્ર અમેરિકા જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને તેની અસર ભોગવવી પડી હોત. અમેરિકામાંથી 83 લાખ નોકરીઓ પર સંકટ સર્જાયું હોત. અમેરિકાની શેરબજાર ધરાશાહી થઈ ગયું હોત. અમેરિકન જીડીપીમાં 6 ટકાથી વધુનો ઘટાડો થયો હોત. દેશમાં બેરોજગારીનો દર 5 ટકાથી વધુ વધ્યો હોત. બેન્કિંગ કટોકટીમાં પણ વધુ વધારો જોવા મળ્યો હોત. ડૉલર ઇન્ડેક્સમાં ઘટાડો થયો હોત અને અમેરિકાની સાથે આખું વિશ્વ મંદીની ગર્તામાં ધકેલાઈ ગયું હોત.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.