અમેરિકામાં ભારતીયોને મળશે દિવાળીની રજા, અમેરિકાની કોંગ્રેસમાં બિલ રજૂ


  • Published By :
  • Published Date : 2023-05-29 14:52:48

અમેરિકામાં રહેતા ભારતીયો પણ હવે દીવાળીની મજા માણી શકશે. અમેરિકન કોંગ્રેસમાં દિવાળીને ફેડરલ રજા જાહેર કરવા માટે બિલ શુક્રવારે રજૂ થયું હતું. અમેરિકન ક્રોંગ્રેસના મહિલા સાંસદ ગ્રેસ મેંગે ફેડરલ રજા જાહેર કરવા માટે બિલ રજૂ કર્યું હતું. ગ્રેસ મેંગે શનિવારે ટ્વીટ કરીને લખ્યું કે, આજે મને દિવાળી ડે એક્ટની જાહેરાત કરતા ગર્વ થાય છે, મારું બિલ જે દિવાળીને ફેડરલ રજા બનાવશે. મારા તમામ સરકારી સાથીદારો અને ઘણા વકીલોનો આભાર કે જેઓ તેમનો ટેકો વ્યક્ત કરવામાં મારી સાથે જોડાયા હતા. દીપાવલીને 12મી ફેડરલ રજાને માન્યતા આપવામાં આવશે.


દિવાળી ડે એક્ટ પસાર


અમેરિકન કોંગ્રેસમાં દિવાળી ડે એક્ટ પસાર થતાં હવે અમેરિકામાં 12મી સંઘીય માન્યતા જાહેર રજા બની જશે. મેંગે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં બિલ રજૂ કર્યા પછી તરત જ યુએસમાં વર્ચ્યુઅલ ન્યૂઝ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, દિવાળી એ વિશ્વભરના અબજો લોકો અને ક્વીન્સ, ન્યૂયોર્ક અને યુનાઇટેડ સ્ટેટ્સમાં અસંખ્ય પરિવારો અને સમુદાયો માટે વર્ષનો સૌથી મહત્વપૂર્ણ દિવસ છે.અત્રે ઉલ્લેખનિય છે કે તાજેતરમાં, પેન્સિલવેનિયા સ્ટેટ સેનેટે દિવાળીને સત્તાવાર રજા તરીકે માન્યતા આપવાનું બિલ પસાર કર્યું હતું, પેન્સિલવેનિયા સ્ટેટ સેનેટના સભ્ય નિકિલ સવાલે એક ટ્વિટમાં જાહેરાત કરી હતી.


PM મોદી અમેરિકાની મુલાકાતે જશે


અત્રે ઉલ્લેખનિય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જૂને અમેરિકાની સત્તાવાર મુલાકાતે જઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમની મુલાકાત દરમિયાન તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન અને ફર્સ્ટ લેડી જીલ બિડેન દ્વારા આયોજિત વ્હાઈટ હાઉસ, સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં એક સ્ટેટ ડિનરમાં પણ હાજરી આપશે. સાથે જ ભારતીય સમુદાયના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?