અમેરિકામાં ભારતીયોને મળશે દિવાળીની રજા, અમેરિકાની કોંગ્રેસમાં બિલ રજૂ


  • Published By :
  • Published Date : 2023-05-29 14:52:48

અમેરિકામાં રહેતા ભારતીયો પણ હવે દીવાળીની મજા માણી શકશે. અમેરિકન કોંગ્રેસમાં દિવાળીને ફેડરલ રજા જાહેર કરવા માટે બિલ શુક્રવારે રજૂ થયું હતું. અમેરિકન ક્રોંગ્રેસના મહિલા સાંસદ ગ્રેસ મેંગે ફેડરલ રજા જાહેર કરવા માટે બિલ રજૂ કર્યું હતું. ગ્રેસ મેંગે શનિવારે ટ્વીટ કરીને લખ્યું કે, આજે મને દિવાળી ડે એક્ટની જાહેરાત કરતા ગર્વ થાય છે, મારું બિલ જે દિવાળીને ફેડરલ રજા બનાવશે. મારા તમામ સરકારી સાથીદારો અને ઘણા વકીલોનો આભાર કે જેઓ તેમનો ટેકો વ્યક્ત કરવામાં મારી સાથે જોડાયા હતા. દીપાવલીને 12મી ફેડરલ રજાને માન્યતા આપવામાં આવશે.


દિવાળી ડે એક્ટ પસાર


અમેરિકન કોંગ્રેસમાં દિવાળી ડે એક્ટ પસાર થતાં હવે અમેરિકામાં 12મી સંઘીય માન્યતા જાહેર રજા બની જશે. મેંગે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં બિલ રજૂ કર્યા પછી તરત જ યુએસમાં વર્ચ્યુઅલ ન્યૂઝ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, દિવાળી એ વિશ્વભરના અબજો લોકો અને ક્વીન્સ, ન્યૂયોર્ક અને યુનાઇટેડ સ્ટેટ્સમાં અસંખ્ય પરિવારો અને સમુદાયો માટે વર્ષનો સૌથી મહત્વપૂર્ણ દિવસ છે.અત્રે ઉલ્લેખનિય છે કે તાજેતરમાં, પેન્સિલવેનિયા સ્ટેટ સેનેટે દિવાળીને સત્તાવાર રજા તરીકે માન્યતા આપવાનું બિલ પસાર કર્યું હતું, પેન્સિલવેનિયા સ્ટેટ સેનેટના સભ્ય નિકિલ સવાલે એક ટ્વિટમાં જાહેરાત કરી હતી.


PM મોદી અમેરિકાની મુલાકાતે જશે


અત્રે ઉલ્લેખનિય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જૂને અમેરિકાની સત્તાવાર મુલાકાતે જઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમની મુલાકાત દરમિયાન તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન અને ફર્સ્ટ લેડી જીલ બિડેન દ્વારા આયોજિત વ્હાઈટ હાઉસ, સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં એક સ્ટેટ ડિનરમાં પણ હાજરી આપશે. સાથે જ ભારતીય સમુદાયના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.