અમેરિકા: અલાબામાના શેરફિલ્ડમાં ભારતીય મૂળના મોટેલ માલિક પ્રવીણ પટેલની હત્યા, જાણો શું છે મામલો


  • Published By :
  • Published Date : 2024-02-15 22:37:50

અમેરિકામાં ભારતીય મૂળના મોટેલ માલિકો પર હુમલાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે.  અમેરિકાના અલાબામાના શેફિલ્ડ શહેરમાં હિલક્રેસ્ટ નામની મોટેલ ચલાવતા પ્રવીણ રાવજીભાઈ પટેલની ગયા અઠવાડિયે હત્યા કરી નાખવામાં આવી હતી. 76 વર્ષીય મોટેલ માલિક પ્રવીણભાઈ પટેલ પર  34 વર્ષના યુવક વિલિયમ જેરેમી મૂરે ગોળીબાર કર્યો હતો. પ્રવીણભાઈ પટેલ અને વિલિયમ જેરેમી મૂર વચ્ચે રૂમના ભાડા મામલે તકરાર થઈ હતી બાદમાં યુવકે તેમના પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી તેમની હત્યા કરી નાખી હતી.


હત્યારાની ધરપકડ


શેફિલ્ડ પોલીસે આ મામલે વિલિયમ જેરેમી મૂરની ધરપકડ કરી છે. શેફિલ્ડ પોલીસ ચીફ રિકી ટેરીએ જણાવ્યું હતું કે આરોપી મૂરની ઘટના બાદ તરત જ ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે તે 13મી એવન્યુ પર એક ત્યજી દેવાયેલા મકાનમાં સંતાવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પ્રવીણભાઈ પટેલની અલાબામાના ટસ્કમ્બિયામાં મોરિસન ફ્યુનરલ હોમ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.


મૃતકનો પરિવાર શોકમગ્ન


મૃતક પ્રવીણભાઈ પટેલના પરિવાર પર જાણો આભ તુટી પડ્યું છે. તેમના પરિવારમાં પત્ની રેણુકાબેન પટેલ અને બાળકો નીતલ પટેલ (સંદીપ) અને નિર્મલ પટેલ (જીનલ) છે. તેમને ત્રણ ભાઈઓ, હર્ષદ, ઈન્દ્રવદેન અને હરેન્દ્ર પટેલ, એક બહેન, મંજુ પટેલ અને પૌત્રો જયદેન, મૈયા, લીયા અને આરિયાના પટેલ પણ છે. તેમના માતા-પિતા રાવજીભાઈ અને મણીબેન પટેલ અને અન્ય એક ભાઈ હસમુખ પટેલનું અગાઉ અવસાન થયું હતું.



ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.

૨૦૨૫ના આ વર્ષમાં સમગ્ર વિશ્વ ખુબ મોટી અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે . કેમ કે હવે ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કરી દીધો છે. સાથે જ ઇઝરાયલે પોતાના ત્યાં "સ્ટેટ ઓફ ઇમર્જન્સી'' જાહેર કરી દીધી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે , ઈરાન પર હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇઝરાયેલને ઈરાનથી ખતરો ખતમ ના થઈ જાય . ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનના અલગ અલગ ભાગોમાં ધડાકાઓ સંભળાયા હતા .

ઇન્દોરના રાજા રઘુવંશી કેસમાં આરોપીઓનું કબુલનામું સામે આવ્યું છે . ચારેય આરોપીઓએ સોનમ રઘુવંશીને જ માસ્ટમાઈન્ડ ગણાવી છે કેમ કે , સોનમ રાજા રઘુવંશી સાથે લગન કરવા નહોતી માંગતી . આ ખુબ ચોંકાવનારો ખુલાસો છે કેમ કે , સોનમ દ્વારા એવું કેહવામાં આવ્યું હતું કે , તેને ડ્રગ આપીને ગાઝીપુર લાવવામાં આવી હતી . સાથે જ આપણે જાણીશું કે રાજા રઘુવંશીના કેસમાં પોલીસ પાસે ક્યા મહત્વના પુરાવા છે?

કોઈ પણ કંપનીમાં જેમ એક ફાઉન્ડરની સાથે એક કો-ફાઉન્ડર હોય છે તેમ અમેરિકા માટે એવું કહેવાતું હતું કે , પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે એક કો પ્રેસિડન્ટ છે જે છે ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક . પરંતુ જ્યારથી તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાંથી રાજીનામુ આપી દીધું ત્યારથી જ બેઉ વચ્ચેના સંબંધોમાં જોરદાર તણાવ જોવા મળી રહ્યો છે. એક બાજુ પ્લેટફોર્મ એક્સ પર ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક વચ્ચેની અસેહમતીઓ બહાર આવી ગઈ. હવે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કના તણાવની અસર અમેરિકાની સિલિકોન વેલી પર પડવા જઈ રહી છે.