આતંકવાદી પન્નુની હત્યાના કાવતરામાં ભારતની સંડોવણી અંગે અમેરિકાએ કહી આ વાત, જાણો શું છે મામલો


  • Published By :
  • Published Date : 2023-11-23 21:04:54

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કથિત કાવતરાનો મામલો ગરમાયો છે. ષડયંત્રમાં ભારતની સંડોવણીના અમેરિકના દાવા પર ભારતે આશ્ચર્ય અને ચિંતા વ્યક્ત કરી છે. આ મુદ્દે વ્હાઇટ હાઉસના પ્રવક્તા એડ્રિયન વોટસને કહ્યું કે ભારત કહે છે કે આવી કાર્યવાહી તેની નીતિ નથી. વોટસને કહ્યું કે અમે સમજીએ છીએ કે ભારત સરકાર આ મામલે તપાસ કરી રહી છે અને તે આગામી દિવસોમાં આ અંગે વધુ કહેશે. અમે તેમને કહ્યું છે કે આ માટે જવાબદાર લોકોને બક્ષવામાં આવશે નહીં. વ્હાઈટ હાઉસના પ્રવક્તાએ કહ્યું કે અમેરિકાની સરકારે આ મામલો ભારત સરકાર સમક્ષ ઉઠાવ્યો છે અને તેને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે.


અમેરિકાએ ભારત સાથે ઇનપુટ્સ શેર કર્યા હતા


ભારત સરકારે આ મામલે કહ્યું હતું કે તે સુરક્ષાના મુદ્દે અમેરિકા પાસેથી મળેલી માહિતીને ગંભીરતાથી લે છે, કારણ કે તે આપણી પોતાની રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાઓને પણ અસર કરે છે.વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ બ્રિટિશ રિપોર્ટમાં કરાયેલા દાવાઓના જવાબમાં કહ્યું હતું કે ભારત-અમેરિકા સુરક્ષા સહયોગ પર તાજેતરની ચર્ચા દરમિયાન, અમેરિકાએ સંગઠિત ગુનેગારો, બંદૂક ચલાવનારાઓ, આતંકવાદીઓ અને અન્ય લોકો વચ્ચેની સાંઠગાંઠ સંબંધિત કેટલાક ઇનપુટ્સ શેર કર્યા હતા.


શું છે સમગ્ર મામલો?


બ્રિટિશ અખબાર ફાઈનાન્સિયલ ટાઈમ્સે તેના એક રિપોર્ટમાં દાવો કર્યો હતો કે પન્નુની હત્યા માટે અમેરિકામાં કાવતરું ઘડવામાં આવ્યું હતું, જેને અમેરિકાએ નિષ્ફળ બનાવ્યું હતું. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે અમેરિકની સરકારે પન્નુની હત્યાના કાવતરાનો મુદ્દો ભારત સરકાર સમક્ષ ઉઠાવ્યો હતો. આ મામલાથી વાકેફ લોકોનું કહેવું છે કે આ ષડયંત્રનું નિશાન 'શીખ ફોર જસ્ટિસ'ના ચીફ અને અમેરિકન અને કેનેડિયન નાગરિક પન્નુ, હતો. ભારત સરકારે શીખ ફોર જસ્ટિસને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે.


PM મોદી સમક્ષ અમેરિકાએ ઉઠાવ્યો હતો મુદ્દો  


રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે કેનેડિયન શીખ હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ અમેરિકાએ તેના કેટલાક સહયોગી દેશોને પન્નુની હત્યાના ષડયંત્રની જાણકારી આપી હતી. ઉલ્લેખનિય છે કે આ વર્ષે સપ્ટેમ્બરમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલાને લગતા એક વ્યક્તિએ પોતાની ઓળખ જાહેર ન કરવાની શરતે કહ્યું કે જૂનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત બાદ અમેરિકાએ આ મામલો ભારત સમક્ષ ઉઠાવ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતને આપવામાં આવેલી રાજદ્વારી ચેતવણી સિવાય યુએસ ફેડરલ પ્રોસિક્યુટર્સે ન્યૂયોર્ક ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એક વ્યક્તિ વિરુદ્ધ ગુપ્ત કેસ દાખલ કર્યો હતો.


પન્નુએ પણ મૌન જાળવ્યું છે


પન્નુએ પણ આ મામલે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું અમેરિકન પ્રશાસને તેમને આ ષડયંત્ર વિશે ચેતવણી આપી હતી કે નહીં? તેના પર પન્નુએ કહ્યું કે તેઓ ઈચ્છે છે કે અમેરિકન સરકાર અમેરિકાની ધરતી પર મારી જાનને જોખમ હોવાના મુદ્દા પર જવાબ આપે. પન્નુએ કહ્યું કે અમેરિકના નાગરિકો અને અમેરિકની ધરતી પર ખતરો એ અમેરિકાના સાર્વભૌમત્વ સામે પડકાર છે. હું માનું છું કે બિડેન સરકાર આવા કોઈપણ પડકારને હેન્ડલ કરવામાં સક્ષમ છે.



ભારતના નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજિત ડોભાલ રશિયાની મુલાકાતે છે. જ્યાં તેમણે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સહીત રશિયન સિક્યોરિટી સાથે જોડાયેલા અધિકારીઓ સાથે વાતચીત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના "ટેરિફ" રૂપી ટેરરિઝમની સામે ભારત અને રશિયા પોતાનો સહયોગ વધારવા જઈ રહ્યા છે . સાથે જ અજિત ડોભાલની આ મુલાકાતમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત આવવાના છે તેને લઇને તારીખો પર પણ ચર્ચા થઇ છે .

ગોંડલના અનિરુદ્ધસિંહ રીબડા જેમની સજા માફી મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સરકારનો ઉઘાડો લીધો છે. ગુજરાત સરકારે , ૨૦૧૮માં અનિરુદ્ધસિંહ રીબડાને કોંગ્રેસના પૂર્વ MLA પોપટભાઈ સોરઠિયાની ૧૯૮૮માં જે હત્યા કરવામાં આવી તે કેસમાં માફી આપી હતી . તો હવે આ સજા માફીને પડકારતી પિટિશન સ્વ. પોપટભાઈ સોરઠિયાના પૌત્ર ધ્વરા હાઇકોર્ટમાં કરવામાં આવી હતી . આ મામલે ગુજરાત હાઇકોર્ટે સરકારના સત્તાધીશોની સાથે જેલના સત્તાધીશોને સવાલો પૂછ્યા છે. તો હવે પ્રશ્ન થાય છે કે , અનિરુદ્ધસિંહ રીબડા આ કેસમાં ફરીથી જેલમાં જશે?

જયારે પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું કે , ભારત કહે છે કે અમેરિકા રશિયા પાસેથી યુરેનિયમ , ખાતર અને કેમિકલની આયાત કરે છે જયારે તમે ભારતની રશિયન ક્રૂડ ઓઈલની આયાતની નિંદા કરો છો તો તમે શું કહેશો? ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પએ જવાબ આપ્યો કે , હું આ વિશે કશું જ જાણતો નથી. તો હવે ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના નેતા નીક્કી હેલી હેલીએ પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને લખ્યું છે કે અમેરિકાએ ભારત સાથે સબંધો બગાડવા ના જોઈએ .

થોડાક સમય પેહલા સુપ્રીમ કોર્ટે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને ફટકાર લગાવી હતી. કેમ કે , લોકસભાની ૨૦૨૪ની ચૂંટણીઓ પહેલા ભારત જોડો યાત્રા દરમ્યાન રાહુલ ગાંધીએ ભારતની સેનાને લઇને ટિપ્પણીઓ કરી હતી , જેને કારણે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ફટકાર લગાવતા કહ્યું હતું કે , "જો તમે સાચા ભારતીય હોત તો તમે આવું ના કરત." તો હવે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી પર વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધીએ સુપ્રીમ કોર્ટ વિશે કહ્યું છે કે , "કોણ સાચું ભારતીય છે , કોણ નથી એ ન્યાયપાલિકાના દાયરામાં નથી. જજ નક્કી ના કરી શકે." આમ પ્રિયંકા ગાંધીએ સુપ્રીમ કોર્ટની ટિપ્પણીનો જવાબ આપ્યો છે.