20 નવેમ્બરે ઉજવાશે ઉત્પન્ના એકાદશી, જાણો એકાદશીનો મહિમા અને પૂજા કરવાની રીત


  • Published By :
  • Published Date : 2022-11-18 13:27:35

હિંદુ ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્વ રહેલું છે. હિંદુ પંચાંગ અનુસાર વર્ષમાં 24 અગિયારસ આવે છે. ત્યારે કારતક મહિનામાં આવતી એકાદશીને ઉત્પન્ના એકાદશી કહેવામાં આવે છે. ઉપરાંત આ એકાદશીને વૈતરણી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. એકાદશીના વ્રતને આપણા શાસ્ત્રોમાં વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. પદ્મ પુરાણ પ્રમાણે આ વ્રતનો મહિમા ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠરને જણાવ્યો હતો. 

ઉત્તર અને દક્ષિણ ભારતમાં અલગ-અલગ મહિનામાં મનાવાય છે 

આ વખતે આ અગિયારસ 20 નવેમ્બરના રોજ કરવામાં આવશે. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે કારતક વદ અગિયારસના દિવસે અગિયારસ માતા ઉત્પન્ન થયા હતા. જેથી આ અગિયારસને ઉત્પન્ના એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તર ભારતમાં આ એકાદશી માગષર મહિનામાં મનાવવામાં આવે છે જ્યારે દક્ષિણ ભારતમાં આ અગિયારસ કારતક મહિનામાં ઉજવવામાં આવે છે.

do you know about the birth place of lord vishnu

આ દિવસે ભગવાન વિષ્ણુની કરવામાં આવે છે પૂજા 

એવું માનવામાં આવે છે જે પણ આ અગિયારસના દિવસે ઉપવાસ કરે છે તેમના જીવનમાંથી તમામ કષ્ટો દૂર થઈ જાય છે. ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે એકાદશીનું જે વ્રત કરે છે તેની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. એવું પણ માનવામાં આવે છે કે ભગવાન શ્રી-કૃષ્ણએ આ જ દિવસે મુરસુરા નામના રાક્ષસનો વધ કર્યો હતો. ભગવાનનો વિજય થતા આ દિવસે ઉજવણી થવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા એકાદશીની પૂજા કરવામાં આવે છે. 

મા લક્ષ્મીને પ્રસન્ન કરવા દેવઉઠી અગિયારસ પર કરો આ પાંચ ઉપાય - Do these five  remedies on Dev Uthani Ekadashi to please Maa Lakshmi – News18 Gujarati

આ રીતે કરો ભગવાનની પૂજા 

ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આ દિવસે તુલસી આગળ ઘીનો દિવો કરવો જોઈએ. તુલસી માતાની આગળ દિવો કરી ઓમ્ નમો ભગવતે વાસુદેવાય નમ: મંત્રનો જાપ કરવો જોઈએ. 11 પરિક્રમા પણ કરવામાં આવશે. ઉપરાંત ભગવાન તથા માતાની વધુ કૃપા મેળવવા પીળા રંગના પુષ્પો અર્પિત કરવા જોઈએ. ભગવાનને ઋતુ પુષ્પ ચઢાવવાથી સ્વાસ્થયને સંબંધિત રોગોનો નાશ થાય છે.          



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.