20 નવેમ્બરે ઉજવાશે ઉત્પન્ના એકાદશી, જાણો એકાદશીનો મહિમા અને પૂજા કરવાની રીત


  • Published By :
  • Published Date : 2022-11-18 13:27:35

હિંદુ ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્વ રહેલું છે. હિંદુ પંચાંગ અનુસાર વર્ષમાં 24 અગિયારસ આવે છે. ત્યારે કારતક મહિનામાં આવતી એકાદશીને ઉત્પન્ના એકાદશી કહેવામાં આવે છે. ઉપરાંત આ એકાદશીને વૈતરણી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. એકાદશીના વ્રતને આપણા શાસ્ત્રોમાં વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. પદ્મ પુરાણ પ્રમાણે આ વ્રતનો મહિમા ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠરને જણાવ્યો હતો. 

ઉત્તર અને દક્ષિણ ભારતમાં અલગ-અલગ મહિનામાં મનાવાય છે 

આ વખતે આ અગિયારસ 20 નવેમ્બરના રોજ કરવામાં આવશે. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે કારતક વદ અગિયારસના દિવસે અગિયારસ માતા ઉત્પન્ન થયા હતા. જેથી આ અગિયારસને ઉત્પન્ના એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તર ભારતમાં આ એકાદશી માગષર મહિનામાં મનાવવામાં આવે છે જ્યારે દક્ષિણ ભારતમાં આ અગિયારસ કારતક મહિનામાં ઉજવવામાં આવે છે.

do you know about the birth place of lord vishnu

આ દિવસે ભગવાન વિષ્ણુની કરવામાં આવે છે પૂજા 

એવું માનવામાં આવે છે જે પણ આ અગિયારસના દિવસે ઉપવાસ કરે છે તેમના જીવનમાંથી તમામ કષ્ટો દૂર થઈ જાય છે. ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે એકાદશીનું જે વ્રત કરે છે તેની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. એવું પણ માનવામાં આવે છે કે ભગવાન શ્રી-કૃષ્ણએ આ જ દિવસે મુરસુરા નામના રાક્ષસનો વધ કર્યો હતો. ભગવાનનો વિજય થતા આ દિવસે ઉજવણી થવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા એકાદશીની પૂજા કરવામાં આવે છે. 

મા લક્ષ્મીને પ્રસન્ન કરવા દેવઉઠી અગિયારસ પર કરો આ પાંચ ઉપાય - Do these five  remedies on Dev Uthani Ekadashi to please Maa Lakshmi – News18 Gujarati

આ રીતે કરો ભગવાનની પૂજા 

ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આ દિવસે તુલસી આગળ ઘીનો દિવો કરવો જોઈએ. તુલસી માતાની આગળ દિવો કરી ઓમ્ નમો ભગવતે વાસુદેવાય નમ: મંત્રનો જાપ કરવો જોઈએ. 11 પરિક્રમા પણ કરવામાં આવશે. ઉપરાંત ભગવાન તથા માતાની વધુ કૃપા મેળવવા પીળા રંગના પુષ્પો અર્પિત કરવા જોઈએ. ભગવાનને ઋતુ પુષ્પ ચઢાવવાથી સ્વાસ્થયને સંબંધિત રોગોનો નાશ થાય છે.          



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે