20 નવેમ્બરે ઉજવાશે ઉત્પન્ના એકાદશી, જાણો એકાદશીનો મહિમા અને પૂજા કરવાની રીત


  • Published By :
  • Published Date : 2022-11-18 13:27:35

હિંદુ ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્વ રહેલું છે. હિંદુ પંચાંગ અનુસાર વર્ષમાં 24 અગિયારસ આવે છે. ત્યારે કારતક મહિનામાં આવતી એકાદશીને ઉત્પન્ના એકાદશી કહેવામાં આવે છે. ઉપરાંત આ એકાદશીને વૈતરણી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. એકાદશીના વ્રતને આપણા શાસ્ત્રોમાં વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. પદ્મ પુરાણ પ્રમાણે આ વ્રતનો મહિમા ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠરને જણાવ્યો હતો. 

ઉત્તર અને દક્ષિણ ભારતમાં અલગ-અલગ મહિનામાં મનાવાય છે 

આ વખતે આ અગિયારસ 20 નવેમ્બરના રોજ કરવામાં આવશે. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે કારતક વદ અગિયારસના દિવસે અગિયારસ માતા ઉત્પન્ન થયા હતા. જેથી આ અગિયારસને ઉત્પન્ના એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તર ભારતમાં આ એકાદશી માગષર મહિનામાં મનાવવામાં આવે છે જ્યારે દક્ષિણ ભારતમાં આ અગિયારસ કારતક મહિનામાં ઉજવવામાં આવે છે.

do you know about the birth place of lord vishnu

આ દિવસે ભગવાન વિષ્ણુની કરવામાં આવે છે પૂજા 

એવું માનવામાં આવે છે જે પણ આ અગિયારસના દિવસે ઉપવાસ કરે છે તેમના જીવનમાંથી તમામ કષ્ટો દૂર થઈ જાય છે. ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે એકાદશીનું જે વ્રત કરે છે તેની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. એવું પણ માનવામાં આવે છે કે ભગવાન શ્રી-કૃષ્ણએ આ જ દિવસે મુરસુરા નામના રાક્ષસનો વધ કર્યો હતો. ભગવાનનો વિજય થતા આ દિવસે ઉજવણી થવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા એકાદશીની પૂજા કરવામાં આવે છે. 

મા લક્ષ્મીને પ્રસન્ન કરવા દેવઉઠી અગિયારસ પર કરો આ પાંચ ઉપાય - Do these five  remedies on Dev Uthani Ekadashi to please Maa Lakshmi – News18 Gujarati

આ રીતે કરો ભગવાનની પૂજા 

ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આ દિવસે તુલસી આગળ ઘીનો દિવો કરવો જોઈએ. તુલસી માતાની આગળ દિવો કરી ઓમ્ નમો ભગવતે વાસુદેવાય નમ: મંત્રનો જાપ કરવો જોઈએ. 11 પરિક્રમા પણ કરવામાં આવશે. ઉપરાંત ભગવાન તથા માતાની વધુ કૃપા મેળવવા પીળા રંગના પુષ્પો અર્પિત કરવા જોઈએ. ભગવાનને ઋતુ પુષ્પ ચઢાવવાથી સ્વાસ્થયને સંબંધિત રોગોનો નાશ થાય છે.          



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.