20 નવેમ્બરે ઉજવાશે ઉત્પન્ના એકાદશી, જાણો એકાદશીનો મહિમા અને પૂજા કરવાની રીત


  • Published By :
  • Published Date : 2022-11-18 13:27:35

હિંદુ ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્વ રહેલું છે. હિંદુ પંચાંગ અનુસાર વર્ષમાં 24 અગિયારસ આવે છે. ત્યારે કારતક મહિનામાં આવતી એકાદશીને ઉત્પન્ના એકાદશી કહેવામાં આવે છે. ઉપરાંત આ એકાદશીને વૈતરણી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. એકાદશીના વ્રતને આપણા શાસ્ત્રોમાં વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. પદ્મ પુરાણ પ્રમાણે આ વ્રતનો મહિમા ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠરને જણાવ્યો હતો. 

ઉત્તર અને દક્ષિણ ભારતમાં અલગ-અલગ મહિનામાં મનાવાય છે 

આ વખતે આ અગિયારસ 20 નવેમ્બરના રોજ કરવામાં આવશે. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે કારતક વદ અગિયારસના દિવસે અગિયારસ માતા ઉત્પન્ન થયા હતા. જેથી આ અગિયારસને ઉત્પન્ના એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તર ભારતમાં આ એકાદશી માગષર મહિનામાં મનાવવામાં આવે છે જ્યારે દક્ષિણ ભારતમાં આ અગિયારસ કારતક મહિનામાં ઉજવવામાં આવે છે.

do you know about the birth place of lord vishnu

આ દિવસે ભગવાન વિષ્ણુની કરવામાં આવે છે પૂજા 

એવું માનવામાં આવે છે જે પણ આ અગિયારસના દિવસે ઉપવાસ કરે છે તેમના જીવનમાંથી તમામ કષ્ટો દૂર થઈ જાય છે. ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે એકાદશીનું જે વ્રત કરે છે તેની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. એવું પણ માનવામાં આવે છે કે ભગવાન શ્રી-કૃષ્ણએ આ જ દિવસે મુરસુરા નામના રાક્ષસનો વધ કર્યો હતો. ભગવાનનો વિજય થતા આ દિવસે ઉજવણી થવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા એકાદશીની પૂજા કરવામાં આવે છે. 

મા લક્ષ્મીને પ્રસન્ન કરવા દેવઉઠી અગિયારસ પર કરો આ પાંચ ઉપાય - Do these five  remedies on Dev Uthani Ekadashi to please Maa Lakshmi – News18 Gujarati

આ રીતે કરો ભગવાનની પૂજા 

ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આ દિવસે તુલસી આગળ ઘીનો દિવો કરવો જોઈએ. તુલસી માતાની આગળ દિવો કરી ઓમ્ નમો ભગવતે વાસુદેવાય નમ: મંત્રનો જાપ કરવો જોઈએ. 11 પરિક્રમા પણ કરવામાં આવશે. ઉપરાંત ભગવાન તથા માતાની વધુ કૃપા મેળવવા પીળા રંગના પુષ્પો અર્પિત કરવા જોઈએ. ભગવાનને ઋતુ પુષ્પ ચઢાવવાથી સ્વાસ્થયને સંબંધિત રોગોનો નાશ થાય છે.          



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.