હેટ સ્પીચ કેસ: આઝમ ખાનને ત્રણ વર્ષની સજા બાદ વિધાનસભાનું સભ્યપદ પણ થયું રદ


  • Published By :
  • Published Date : 2022-10-28 20:57:42


રામપુરના સપા ધારાસભ્ય આઝમ ખાનને નફરત ફેલાવવાના કેસમાં ત્રણ વર્ષની સજાની જાહેરાત બાદ વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. આઝમ ખાનનું વિધાનસભાનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. સજાની જાહેરાત બાદ આઝમ માટે આ સૌથી મોટો ઝટકો માનવામાં આવે છે. ફરિયાદી આકાશદાસ સક્સેનાની ફરિયાદની નોંધ લેતા વિધાનસભા અધ્યક્ષ સતીશ મહાનાએ આ કાર્યવાહી કરી છે. સ્પીકર ઉપરાંત આકાશ સક્સેનાએ પણ સભ્યપદ રદ કરવા અંગે કેન્દ્રીય ચૂંટણી પંચને ફરિયાદ મોકલી હતી. સદસ્યતા રદ કર્યા બાદ સ્પીકરે રામપુર વિધાનસભાની ખાલી જગ્યાની માહિતી ચૂંટણી પંચને પણ મોકલી દીધી છે.


MP,MLAની સ્પેશિયલ કોર્ટે સંભળાવી હતી સજા


અત્રે ઉલ્લેખનિય છે કે સપાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી આઝમ ખાનને હેટ સ્પીચ કેસમાં ગુરુવારે કોર્ટે ત્રણ વર્ષની જેલની સજા સંભળાવી હતી. તેમને છ હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. કોર્ટે સજા સંભળાવી ત્યારથી તેમનું સભ્યપદ નિરસ્ત થવાનો ભય હતો. જો કે સજાની જાહેરાત બાદ આઝમને તરત જ કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. ગુરુવારે બપોરે લગભગ 2 વાગ્યે MP,MLAની સ્પેશિયલ કોર્ટે સુનાવણી શરૂ કર્યા પછી આઝમને દોષિત ઠેરવતાની સાથે જ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. લગભગ ચાર વાગ્યાની આસપાસ કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો. આ દરમિયાન આઝમ ખાન કસ્ટડીમાં રહ્યા હતા.


આઝમ ખાન સામે કેસ શું હતો?


આઝમ વિરુદ્ધ ત્રણ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ત્રણેય કેસમાં તે દોષિત ઠર્યા હતા. આઝમ પર 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ભડકાઉ ભાષણ આપવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. તેમના પર આરોપ તે હતો કે ભાષણ દરમિયાન આઝમ ખાને પીએમ મોદી અને સીએમ યોગી પર પણ વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.