હેટ સ્પીચ કેસ: આઝમ ખાનને ત્રણ વર્ષની સજા બાદ વિધાનસભાનું સભ્યપદ પણ થયું રદ


  • Published By :
  • Published Date : 2022-10-28 20:57:42


રામપુરના સપા ધારાસભ્ય આઝમ ખાનને નફરત ફેલાવવાના કેસમાં ત્રણ વર્ષની સજાની જાહેરાત બાદ વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. આઝમ ખાનનું વિધાનસભાનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. સજાની જાહેરાત બાદ આઝમ માટે આ સૌથી મોટો ઝટકો માનવામાં આવે છે. ફરિયાદી આકાશદાસ સક્સેનાની ફરિયાદની નોંધ લેતા વિધાનસભા અધ્યક્ષ સતીશ મહાનાએ આ કાર્યવાહી કરી છે. સ્પીકર ઉપરાંત આકાશ સક્સેનાએ પણ સભ્યપદ રદ કરવા અંગે કેન્દ્રીય ચૂંટણી પંચને ફરિયાદ મોકલી હતી. સદસ્યતા રદ કર્યા બાદ સ્પીકરે રામપુર વિધાનસભાની ખાલી જગ્યાની માહિતી ચૂંટણી પંચને પણ મોકલી દીધી છે.


MP,MLAની સ્પેશિયલ કોર્ટે સંભળાવી હતી સજા


અત્રે ઉલ્લેખનિય છે કે સપાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી આઝમ ખાનને હેટ સ્પીચ કેસમાં ગુરુવારે કોર્ટે ત્રણ વર્ષની જેલની સજા સંભળાવી હતી. તેમને છ હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. કોર્ટે સજા સંભળાવી ત્યારથી તેમનું સભ્યપદ નિરસ્ત થવાનો ભય હતો. જો કે સજાની જાહેરાત બાદ આઝમને તરત જ કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. ગુરુવારે બપોરે લગભગ 2 વાગ્યે MP,MLAની સ્પેશિયલ કોર્ટે સુનાવણી શરૂ કર્યા પછી આઝમને દોષિત ઠેરવતાની સાથે જ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. લગભગ ચાર વાગ્યાની આસપાસ કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો. આ દરમિયાન આઝમ ખાન કસ્ટડીમાં રહ્યા હતા.


આઝમ ખાન સામે કેસ શું હતો?


આઝમ વિરુદ્ધ ત્રણ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ત્રણેય કેસમાં તે દોષિત ઠર્યા હતા. આઝમ પર 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ભડકાઉ ભાષણ આપવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. તેમના પર આરોપ તે હતો કે ભાષણ દરમિયાન આઝમ ખાને પીએમ મોદી અને સીએમ યોગી પર પણ વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો.



સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .