હેટ સ્પીચ કેસ: આઝમ ખાનને ત્રણ વર્ષની સજા બાદ વિધાનસભાનું સભ્યપદ પણ થયું રદ


  • Published By :
  • Published Date : 2022-10-28 20:57:42


રામપુરના સપા ધારાસભ્ય આઝમ ખાનને નફરત ફેલાવવાના કેસમાં ત્રણ વર્ષની સજાની જાહેરાત બાદ વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. આઝમ ખાનનું વિધાનસભાનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. સજાની જાહેરાત બાદ આઝમ માટે આ સૌથી મોટો ઝટકો માનવામાં આવે છે. ફરિયાદી આકાશદાસ સક્સેનાની ફરિયાદની નોંધ લેતા વિધાનસભા અધ્યક્ષ સતીશ મહાનાએ આ કાર્યવાહી કરી છે. સ્પીકર ઉપરાંત આકાશ સક્સેનાએ પણ સભ્યપદ રદ કરવા અંગે કેન્દ્રીય ચૂંટણી પંચને ફરિયાદ મોકલી હતી. સદસ્યતા રદ કર્યા બાદ સ્પીકરે રામપુર વિધાનસભાની ખાલી જગ્યાની માહિતી ચૂંટણી પંચને પણ મોકલી દીધી છે.


MP,MLAની સ્પેશિયલ કોર્ટે સંભળાવી હતી સજા


અત્રે ઉલ્લેખનિય છે કે સપાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી આઝમ ખાનને હેટ સ્પીચ કેસમાં ગુરુવારે કોર્ટે ત્રણ વર્ષની જેલની સજા સંભળાવી હતી. તેમને છ હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. કોર્ટે સજા સંભળાવી ત્યારથી તેમનું સભ્યપદ નિરસ્ત થવાનો ભય હતો. જો કે સજાની જાહેરાત બાદ આઝમને તરત જ કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. ગુરુવારે બપોરે લગભગ 2 વાગ્યે MP,MLAની સ્પેશિયલ કોર્ટે સુનાવણી શરૂ કર્યા પછી આઝમને દોષિત ઠેરવતાની સાથે જ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. લગભગ ચાર વાગ્યાની આસપાસ કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો. આ દરમિયાન આઝમ ખાન કસ્ટડીમાં રહ્યા હતા.


આઝમ ખાન સામે કેસ શું હતો?


આઝમ વિરુદ્ધ ત્રણ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ત્રણેય કેસમાં તે દોષિત ઠર્યા હતા. આઝમ પર 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ભડકાઉ ભાષણ આપવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. તેમના પર આરોપ તે હતો કે ભાષણ દરમિયાન આઝમ ખાને પીએમ મોદી અને સીએમ યોગી પર પણ વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.