હેટ સ્પીચ કેસ: આઝમ ખાનને ત્રણ વર્ષની સજા બાદ વિધાનસભાનું સભ્યપદ પણ થયું રદ


  • Published By :
  • Published Date : 2022-10-28 20:57:42


રામપુરના સપા ધારાસભ્ય આઝમ ખાનને નફરત ફેલાવવાના કેસમાં ત્રણ વર્ષની સજાની જાહેરાત બાદ વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. આઝમ ખાનનું વિધાનસભાનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. સજાની જાહેરાત બાદ આઝમ માટે આ સૌથી મોટો ઝટકો માનવામાં આવે છે. ફરિયાદી આકાશદાસ સક્સેનાની ફરિયાદની નોંધ લેતા વિધાનસભા અધ્યક્ષ સતીશ મહાનાએ આ કાર્યવાહી કરી છે. સ્પીકર ઉપરાંત આકાશ સક્સેનાએ પણ સભ્યપદ રદ કરવા અંગે કેન્દ્રીય ચૂંટણી પંચને ફરિયાદ મોકલી હતી. સદસ્યતા રદ કર્યા બાદ સ્પીકરે રામપુર વિધાનસભાની ખાલી જગ્યાની માહિતી ચૂંટણી પંચને પણ મોકલી દીધી છે.


MP,MLAની સ્પેશિયલ કોર્ટે સંભળાવી હતી સજા


અત્રે ઉલ્લેખનિય છે કે સપાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી આઝમ ખાનને હેટ સ્પીચ કેસમાં ગુરુવારે કોર્ટે ત્રણ વર્ષની જેલની સજા સંભળાવી હતી. તેમને છ હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. કોર્ટે સજા સંભળાવી ત્યારથી તેમનું સભ્યપદ નિરસ્ત થવાનો ભય હતો. જો કે સજાની જાહેરાત બાદ આઝમને તરત જ કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. ગુરુવારે બપોરે લગભગ 2 વાગ્યે MP,MLAની સ્પેશિયલ કોર્ટે સુનાવણી શરૂ કર્યા પછી આઝમને દોષિત ઠેરવતાની સાથે જ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. લગભગ ચાર વાગ્યાની આસપાસ કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો. આ દરમિયાન આઝમ ખાન કસ્ટડીમાં રહ્યા હતા.


આઝમ ખાન સામે કેસ શું હતો?


આઝમ વિરુદ્ધ ત્રણ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ત્રણેય કેસમાં તે દોષિત ઠર્યા હતા. આઝમ પર 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ભડકાઉ ભાષણ આપવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. તેમના પર આરોપ તે હતો કે ભાષણ દરમિયાન આઝમ ખાને પીએમ મોદી અને સીએમ યોગી પર પણ વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.