Uttar Pradesh : હાથરસ દુર્ઘટનાના પીડિત પરિવારને મળ્યા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, પરિવારજનો સાથે કરી વાત..


  • Published By :
  • Published Date : 2024-07-05 16:23:58

દેશમાં રાજ્યો બદલાય છે પરંતુ પરિસ્થિતિ નથી બદલાતી.. અનેક લોકોના મોત દુર્ઘટનામાં થયા છે.. થોડા દિવસ પહેલા ઉત્તરપ્રદેશના હાથરસમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સત્સંગ સમારોહમાં નાસભાગ થતા લોકોના જીવ ગયા હતા. હાથરસના ફુલરઈ ગામમાં બનેલી આ ઘટનામાં 122 જેટલા લોકોના મોત થઈ ગયા છે.. મૃત્યુ પામેલા લોકોમાં મોટા ભાગે બાળકો તેમજ મહિલાઓનો સમાવેશ હતો. પીડિત પરિવારને મળવા રાહુલ ગાંધી આજે હાથરસ ગયા હતા.    

ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી સીએમએ  

ઉત્તરપ્રદેશના હાથરસમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી.. સત્સંગમાં આવેલા લોકો દુર્ઘટનાનો શિકાર બન્યા.. હાથરસમાં જે દુર્ઘટના બની તે ચર્ચાનો વિષય છે. એવી માહિતી પણ સામે આવી છે કે ભોલેબાબા (જેમના સત્સંગમાં) લોકો ભેગા થયા હતા તેમનું નામ એફઆઈઆરમાં સામેલ નથી.. એવી પણ માહિતી સામે આવી છે કે ભોલે બાબાનું કહેવું છે કે તે જ્યારે ઘટના બની ત્યારે તે ત્યાં હાજર ના હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ઈજાગ્રસ્તોની ખબર અંતર પૂછવામાં આવી.. તે બાદ આજે રાહુલ ગાંધી હાથરસ પહોંચ્યા હતા અને પીડિત પરિવાર સાથે મુલાકાત કરી હતી. 


   

રાહુલ ગાંધી મળ્યા પીડિત પરિવારને  

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી આજે હાથરસમાં બનેલી દૂર્ઘટનાના પીડિત પરિવારોને મળવા માટે અલીગઢ પહોંચ્યા હતા... અલીગઢના પીલખાના ગામમાં હાથરસ અકસ્માતનો ભોગ બનેલા પરિવારને મળ્યા બાદ તેઓ હાથરસ પહોંચ્યા. આ દુર્ઘટનામાં અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે.. અનેક પરિવારના માળા વિખેરાઈ ગયા છે. જ્યારે પીડિત પરિવારને મળવા રાહુલ ગાંધી પહોંચ્યા હતા ત્યારે પીડિત પરિવારની આંખોમાંથી આંસુ છલકાઈ આવ્યા હતા.  



સંસદમાં આ મુદ્દો ઉઠાવવામાં આવશે 

પીડિત પરિવાર સાથે મુલાકાત કર્યા બાદ રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા પણ આપી છે... રાહુલ ગાંધીએ કહ્યું કે આ મુદ્દાને સંસદમાં ઉઠાવશે. ન્યાય અપાવાની કોશિશ કરવામાં આવશે તેવી વાત રાહુલ ગાંધીએ કરી હતી. મહત્વનું છે કે રાહુલ ગાંધી દ્વારા મુદ્દાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે. આવતી કાલે રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે. એવી માહિતી પણ સામે આવી છે કે રાજકોટ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોને મળવા જઈ શકે છે...  



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.