Uttar Pradesh : હાથરસ દુર્ઘટનાના પીડિત પરિવારને મળ્યા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, પરિવારજનો સાથે કરી વાત..


  • Published By :
  • Published Date : 2024-07-05 16:23:58

દેશમાં રાજ્યો બદલાય છે પરંતુ પરિસ્થિતિ નથી બદલાતી.. અનેક લોકોના મોત દુર્ઘટનામાં થયા છે.. થોડા દિવસ પહેલા ઉત્તરપ્રદેશના હાથરસમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સત્સંગ સમારોહમાં નાસભાગ થતા લોકોના જીવ ગયા હતા. હાથરસના ફુલરઈ ગામમાં બનેલી આ ઘટનામાં 122 જેટલા લોકોના મોત થઈ ગયા છે.. મૃત્યુ પામેલા લોકોમાં મોટા ભાગે બાળકો તેમજ મહિલાઓનો સમાવેશ હતો. પીડિત પરિવારને મળવા રાહુલ ગાંધી આજે હાથરસ ગયા હતા.    

ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી સીએમએ  

ઉત્તરપ્રદેશના હાથરસમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી.. સત્સંગમાં આવેલા લોકો દુર્ઘટનાનો શિકાર બન્યા.. હાથરસમાં જે દુર્ઘટના બની તે ચર્ચાનો વિષય છે. એવી માહિતી પણ સામે આવી છે કે ભોલેબાબા (જેમના સત્સંગમાં) લોકો ભેગા થયા હતા તેમનું નામ એફઆઈઆરમાં સામેલ નથી.. એવી પણ માહિતી સામે આવી છે કે ભોલે બાબાનું કહેવું છે કે તે જ્યારે ઘટના બની ત્યારે તે ત્યાં હાજર ના હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ઈજાગ્રસ્તોની ખબર અંતર પૂછવામાં આવી.. તે બાદ આજે રાહુલ ગાંધી હાથરસ પહોંચ્યા હતા અને પીડિત પરિવાર સાથે મુલાકાત કરી હતી. 


   

રાહુલ ગાંધી મળ્યા પીડિત પરિવારને  

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી આજે હાથરસમાં બનેલી દૂર્ઘટનાના પીડિત પરિવારોને મળવા માટે અલીગઢ પહોંચ્યા હતા... અલીગઢના પીલખાના ગામમાં હાથરસ અકસ્માતનો ભોગ બનેલા પરિવારને મળ્યા બાદ તેઓ હાથરસ પહોંચ્યા. આ દુર્ઘટનામાં અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે.. અનેક પરિવારના માળા વિખેરાઈ ગયા છે. જ્યારે પીડિત પરિવારને મળવા રાહુલ ગાંધી પહોંચ્યા હતા ત્યારે પીડિત પરિવારની આંખોમાંથી આંસુ છલકાઈ આવ્યા હતા.  



સંસદમાં આ મુદ્દો ઉઠાવવામાં આવશે 

પીડિત પરિવાર સાથે મુલાકાત કર્યા બાદ રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા પણ આપી છે... રાહુલ ગાંધીએ કહ્યું કે આ મુદ્દાને સંસદમાં ઉઠાવશે. ન્યાય અપાવાની કોશિશ કરવામાં આવશે તેવી વાત રાહુલ ગાંધીએ કરી હતી. મહત્વનું છે કે રાહુલ ગાંધી દ્વારા મુદ્દાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે. આવતી કાલે રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે. એવી માહિતી પણ સામે આવી છે કે રાજકોટ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોને મળવા જઈ શકે છે...  



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.