Uttar Pradesh : રૂમ બંધ કરી હીટર ચાલુ રાખીને સૂતો હતો પરિવાર, પિતા અને ત્રણ મહિનાના બાળકનું થયું મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-27 15:10:23

શિયાળાની સિઝનમાં અનેક લોકો હિટર ચાલુ રાખીને સૂઈ જતા હોય છે. ગેસ વાળું રૂમ હિટર ચાલુ રાખવાને કારણે 35 વર્ષના એક વ્યક્તિનું અને 3 મહિનાના બાળકનું મોત થઈ ગયું છે. આ ઘટના છે ઉત્તર પ્રદેશના નોયડાની. પરિવાર ગેસ વાળું રૂમ હિટર ચાલુ કરીને સૂઈ ગયા અને હિટરમાં રહેલા ગેસને કારણે ગુંગળામણ થઈ અને પિતા અને તેમના બાળકનું મોત થઈ ગયું.

man three month old daughter dies due to suffocation gas room heater toxic smoke noida

ઉત્તરપ્રદેશના આ વિસ્તારમાં બની ઘટના!

ઠંડીથી બચવા માટે અલગ અલગ રસ્તાઓ લોકો અપનાવતા હોય છે. બહુ બધા સ્વેટર પહેરીને અથવા રજાઈ ઓઢીને લોકો સુઈ જતા હોય છે. પરંતુ અનેક લોકો ઠંડીથી બચવા માટે હિટર શરૂ કરતા હોય છે. હિટર શરૂ હોય છે અને ઠંડીના લાગે તે માટે થઈ ઘરની બારીઓ બંધ રાખવામાં આવે છે. ત્યારે ગેસવાળા હિટરનો પ્રયોગ કરવાને કારણે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના ઉત્તરપ્રદેશના સેક્ટર-63 પોલીસ સ્ટેશન વિસ્તારના છીજરસી વિસ્તારમાં બની હતી. મૃતકની ઓળખ સમ્મુ ખાન તરીકે થઈ છે. તે યુપીના પીલીભીતનો રહેવાસી હતા. તે પત્ની ઉઝમા અને પુત્રી સાથે નોઈડામાં ભાડાના રૂમમાં રહેતો હતો. તે અહીં દરજીનું કામ કરતો હતો.    


ક્યારે બની ઘટના? 

આ જે ઘટના બની છે તે 26 જાન્યુઆરીએ બની છે. મીડિયા રિપોર્ટ અનુસાર એલપીજી ગેસ સિલિન્ડર વાળું રૂમ હિટર ચાલુ કરીને પરિવાર સૂઈ ગયો. બીજા દિવસે સવારે પડોસીઓને તેમને બેભાન અવસ્થામાં જોયા. પડોશી તેમને તરત હોસ્પિટલ લઈ ગયા. ત્યાં હાજર ડોક્ટરે બાળકને અને પિતાને મૃત ઘોષિત કર્યા. યુવકની પત્નીની હાલત ગંભીર છે અને તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના અંગે 26 જાન્યુઆરીએ પોલીસને જાણ કરવામાં આવી. પ્રાથમિક તપાસમાં આ દુર્ઘટના હિટરને કારણે સર્જાઈ છે તેવું માનવામાં આવી રહ્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.