Uttar Pradesh : રૂમ બંધ કરી હીટર ચાલુ રાખીને સૂતો હતો પરિવાર, પિતા અને ત્રણ મહિનાના બાળકનું થયું મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-27 15:10:23

શિયાળાની સિઝનમાં અનેક લોકો હિટર ચાલુ રાખીને સૂઈ જતા હોય છે. ગેસ વાળું રૂમ હિટર ચાલુ રાખવાને કારણે 35 વર્ષના એક વ્યક્તિનું અને 3 મહિનાના બાળકનું મોત થઈ ગયું છે. આ ઘટના છે ઉત્તર પ્રદેશના નોયડાની. પરિવાર ગેસ વાળું રૂમ હિટર ચાલુ કરીને સૂઈ ગયા અને હિટરમાં રહેલા ગેસને કારણે ગુંગળામણ થઈ અને પિતા અને તેમના બાળકનું મોત થઈ ગયું.

man three month old daughter dies due to suffocation gas room heater toxic smoke noida

ઉત્તરપ્રદેશના આ વિસ્તારમાં બની ઘટના!

ઠંડીથી બચવા માટે અલગ અલગ રસ્તાઓ લોકો અપનાવતા હોય છે. બહુ બધા સ્વેટર પહેરીને અથવા રજાઈ ઓઢીને લોકો સુઈ જતા હોય છે. પરંતુ અનેક લોકો ઠંડીથી બચવા માટે હિટર શરૂ કરતા હોય છે. હિટર શરૂ હોય છે અને ઠંડીના લાગે તે માટે થઈ ઘરની બારીઓ બંધ રાખવામાં આવે છે. ત્યારે ગેસવાળા હિટરનો પ્રયોગ કરવાને કારણે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના ઉત્તરપ્રદેશના સેક્ટર-63 પોલીસ સ્ટેશન વિસ્તારના છીજરસી વિસ્તારમાં બની હતી. મૃતકની ઓળખ સમ્મુ ખાન તરીકે થઈ છે. તે યુપીના પીલીભીતનો રહેવાસી હતા. તે પત્ની ઉઝમા અને પુત્રી સાથે નોઈડામાં ભાડાના રૂમમાં રહેતો હતો. તે અહીં દરજીનું કામ કરતો હતો.    


ક્યારે બની ઘટના? 

આ જે ઘટના બની છે તે 26 જાન્યુઆરીએ બની છે. મીડિયા રિપોર્ટ અનુસાર એલપીજી ગેસ સિલિન્ડર વાળું રૂમ હિટર ચાલુ કરીને પરિવાર સૂઈ ગયો. બીજા દિવસે સવારે પડોસીઓને તેમને બેભાન અવસ્થામાં જોયા. પડોશી તેમને તરત હોસ્પિટલ લઈ ગયા. ત્યાં હાજર ડોક્ટરે બાળકને અને પિતાને મૃત ઘોષિત કર્યા. યુવકની પત્નીની હાલત ગંભીર છે અને તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના અંગે 26 જાન્યુઆરીએ પોલીસને જાણ કરવામાં આવી. પ્રાથમિક તપાસમાં આ દુર્ઘટના હિટરને કારણે સર્જાઈ છે તેવું માનવામાં આવી રહ્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.