Uttar Pradesh : રૂમ બંધ કરી હીટર ચાલુ રાખીને સૂતો હતો પરિવાર, પિતા અને ત્રણ મહિનાના બાળકનું થયું મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-27 15:10:23

શિયાળાની સિઝનમાં અનેક લોકો હિટર ચાલુ રાખીને સૂઈ જતા હોય છે. ગેસ વાળું રૂમ હિટર ચાલુ રાખવાને કારણે 35 વર્ષના એક વ્યક્તિનું અને 3 મહિનાના બાળકનું મોત થઈ ગયું છે. આ ઘટના છે ઉત્તર પ્રદેશના નોયડાની. પરિવાર ગેસ વાળું રૂમ હિટર ચાલુ કરીને સૂઈ ગયા અને હિટરમાં રહેલા ગેસને કારણે ગુંગળામણ થઈ અને પિતા અને તેમના બાળકનું મોત થઈ ગયું.

man three month old daughter dies due to suffocation gas room heater toxic smoke noida

ઉત્તરપ્રદેશના આ વિસ્તારમાં બની ઘટના!

ઠંડીથી બચવા માટે અલગ અલગ રસ્તાઓ લોકો અપનાવતા હોય છે. બહુ બધા સ્વેટર પહેરીને અથવા રજાઈ ઓઢીને લોકો સુઈ જતા હોય છે. પરંતુ અનેક લોકો ઠંડીથી બચવા માટે હિટર શરૂ કરતા હોય છે. હિટર શરૂ હોય છે અને ઠંડીના લાગે તે માટે થઈ ઘરની બારીઓ બંધ રાખવામાં આવે છે. ત્યારે ગેસવાળા હિટરનો પ્રયોગ કરવાને કારણે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના ઉત્તરપ્રદેશના સેક્ટર-63 પોલીસ સ્ટેશન વિસ્તારના છીજરસી વિસ્તારમાં બની હતી. મૃતકની ઓળખ સમ્મુ ખાન તરીકે થઈ છે. તે યુપીના પીલીભીતનો રહેવાસી હતા. તે પત્ની ઉઝમા અને પુત્રી સાથે નોઈડામાં ભાડાના રૂમમાં રહેતો હતો. તે અહીં દરજીનું કામ કરતો હતો.    


ક્યારે બની ઘટના? 

આ જે ઘટના બની છે તે 26 જાન્યુઆરીએ બની છે. મીડિયા રિપોર્ટ અનુસાર એલપીજી ગેસ સિલિન્ડર વાળું રૂમ હિટર ચાલુ કરીને પરિવાર સૂઈ ગયો. બીજા દિવસે સવારે પડોસીઓને તેમને બેભાન અવસ્થામાં જોયા. પડોશી તેમને તરત હોસ્પિટલ લઈ ગયા. ત્યાં હાજર ડોક્ટરે બાળકને અને પિતાને મૃત ઘોષિત કર્યા. યુવકની પત્નીની હાલત ગંભીર છે અને તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના અંગે 26 જાન્યુઆરીએ પોલીસને જાણ કરવામાં આવી. પ્રાથમિક તપાસમાં આ દુર્ઘટના હિટરને કારણે સર્જાઈ છે તેવું માનવામાં આવી રહ્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.