Uttar Pradesh : રૂમ બંધ કરી હીટર ચાલુ રાખીને સૂતો હતો પરિવાર, પિતા અને ત્રણ મહિનાના બાળકનું થયું મોત, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-27 15:10:23

શિયાળાની સિઝનમાં અનેક લોકો હિટર ચાલુ રાખીને સૂઈ જતા હોય છે. ગેસ વાળું રૂમ હિટર ચાલુ રાખવાને કારણે 35 વર્ષના એક વ્યક્તિનું અને 3 મહિનાના બાળકનું મોત થઈ ગયું છે. આ ઘટના છે ઉત્તર પ્રદેશના નોયડાની. પરિવાર ગેસ વાળું રૂમ હિટર ચાલુ કરીને સૂઈ ગયા અને હિટરમાં રહેલા ગેસને કારણે ગુંગળામણ થઈ અને પિતા અને તેમના બાળકનું મોત થઈ ગયું.

man three month old daughter dies due to suffocation gas room heater toxic smoke noida

ઉત્તરપ્રદેશના આ વિસ્તારમાં બની ઘટના!

ઠંડીથી બચવા માટે અલગ અલગ રસ્તાઓ લોકો અપનાવતા હોય છે. બહુ બધા સ્વેટર પહેરીને અથવા રજાઈ ઓઢીને લોકો સુઈ જતા હોય છે. પરંતુ અનેક લોકો ઠંડીથી બચવા માટે હિટર શરૂ કરતા હોય છે. હિટર શરૂ હોય છે અને ઠંડીના લાગે તે માટે થઈ ઘરની બારીઓ બંધ રાખવામાં આવે છે. ત્યારે ગેસવાળા હિટરનો પ્રયોગ કરવાને કારણે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના ઉત્તરપ્રદેશના સેક્ટર-63 પોલીસ સ્ટેશન વિસ્તારના છીજરસી વિસ્તારમાં બની હતી. મૃતકની ઓળખ સમ્મુ ખાન તરીકે થઈ છે. તે યુપીના પીલીભીતનો રહેવાસી હતા. તે પત્ની ઉઝમા અને પુત્રી સાથે નોઈડામાં ભાડાના રૂમમાં રહેતો હતો. તે અહીં દરજીનું કામ કરતો હતો.    


ક્યારે બની ઘટના? 

આ જે ઘટના બની છે તે 26 જાન્યુઆરીએ બની છે. મીડિયા રિપોર્ટ અનુસાર એલપીજી ગેસ સિલિન્ડર વાળું રૂમ હિટર ચાલુ કરીને પરિવાર સૂઈ ગયો. બીજા દિવસે સવારે પડોસીઓને તેમને બેભાન અવસ્થામાં જોયા. પડોશી તેમને તરત હોસ્પિટલ લઈ ગયા. ત્યાં હાજર ડોક્ટરે બાળકને અને પિતાને મૃત ઘોષિત કર્યા. યુવકની પત્નીની હાલત ગંભીર છે અને તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના અંગે 26 જાન્યુઆરીએ પોલીસને જાણ કરવામાં આવી. પ્રાથમિક તપાસમાં આ દુર્ઘટના હિટરને કારણે સર્જાઈ છે તેવું માનવામાં આવી રહ્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 



ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા..

સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના જેમાં તે નાતની, જાતની વાત કરે છે. અનેક લોકો આજના જમાનામાં એવા હોય છે જે નાત, જાતને કારણે લોકો સાથે ભેદભાવ કરતા હોય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..