ઉત્તર પ્રદેશના હજરતગંજમાં પોલીસે ગાડી જપ્ત કરી તો ન્યાયાધીશના પુત્રે કર્યો હોબાળો, વીડિયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-08-20 20:29:57

 ઉત્તર પ્રદેશના હજરતગંજમાં પોલીસે ગાડી જપ્ત કરી તો ન્યાયાધીશના પુત્રે કર્યો હોબાળો, વીડિયો વાયરલ


ઉત્તર પ્રદેશના હજરતગંજનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ બૂમાબૂમ કરતો જોવા મળે છે. શનિવારે ઉત્તર પ્રદેશના હજરતગંજમાં ટ્રાફિક પોલીસે નો પાર્કિંગ ઝોનમાંથી એક ગાડી ઉઠાવી હતી. પોલીસને તો ખબર ન હોય કે આ ગાડી કોની છે કોની નહીં તેમના માટે તો બધા બરાબર કહેવાય તો તેમણે તો ગાડી ઉઠાવીને કાર્યાલયમાં ટેકાવી દીધી. પછી ગાડીનો જે માલીક હતો એ તે ટ્રાફિક પોલીસના કાર્યાલય પહોંચ્યો હતો અને ત્યાં બૂમાબૂમ કરવા લાગ્યો હતો. તે કહી રહ્યો હતો કે તમને દેખાતું નથી આ ગાડી પર ન્યાયાધીશ લખવામાં આવ્યું છે. અડધી કલાક તકરાર ચાલી છતાં પોલીસે ગાડી ન છોડી પછી ઉચ્ચ પોલીસ અધિકારીએ મધ્યસ્થતા દાખવી અને નો પાર્કિંગમાં ગાડી રાખવા બદલ હોબાળો કરનાર વ્યક્તિ પાસેથી 11 રૂપિયાનો દંડ વસુલ્યો હતો. આવું એટલા માટે થયું કારણ કે હાલ યૂપીના લખનઉમાં 11 જગ્યા પર નો પાર્કિંગ મામલે કાર્યવાહી ચાલી રહી છે અને જેની પણ ગાડી નો પાર્કિંગમાં જોવા મળે તે જપ્ત કરી રહી છે. 


ચાર થપ્પડ પડશે ત્યારે કાર છોડીશ


લખનૌમાં નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલી કાર ઉપાડીને મેરઠમાં તૈનાત જજના પુત્ર ગુસ્સે થઈ ગયા. શનિવારે પાર્ક રોડ પર પાર્કિંગ યાર્ડમાં યુવકએ હોબાળો મચાવ્યો હતો. યુવકના હંગામાનો વીડિયો વાયરલ થયો હતો. યુવક ટ્રાફિક પોલીસને ધમકાવી રહ્યો હતો. યુવકે બૂમ પાડી કે તમે લોકોએ કાર કેવી રીતે ઉપાડી... હું આવું કરીશ. પોલીસ સ્ટેશનમાં ચાર થપ્પડ પડશે ત્યારે કાર છોડી દઈશ...?


યૂપી હાઈકોર્ટની ઘટના સામે આવી હતી


ઉલ્લેખનિય છે કે દિલ્લીથી પ્રયાગરાજની રેલ યાત્રામાં યૂપી હાઈકોર્ટના ન્યાયમૂર્તિ ગૌતમ ચૌધરી બેઠા હતા, એસી કોચ ટ્રેન ત્રણ કલાક મોડી ચાલી અને બાકી પણ અનેક સમસ્યા ન્યાયાધીશને થઈ કે નાસ્તો નહોતો મળ્યો વગેરે તો તેમણે આ વાતનો ખુલાસો માગ્યો હતો. પણ જેવી આ વાત સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી કે ન્યાયાધીશ પોતાના વિશેષાધિકારોનો ફાયોદ ઉઠાવી રહ્યા છે ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જજ પોતાની જાતને સિસ્ટમથી ઉપર ન સમજે.  



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?