ઉત્તર પ્રદેશના હજરતગંજમાં પોલીસે ગાડી જપ્ત કરી તો ન્યાયાધીશના પુત્રે કર્યો હોબાળો, વીડિયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-08-20 20:29:57

 ઉત્તર પ્રદેશના હજરતગંજમાં પોલીસે ગાડી જપ્ત કરી તો ન્યાયાધીશના પુત્રે કર્યો હોબાળો, વીડિયો વાયરલ


ઉત્તર પ્રદેશના હજરતગંજનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ બૂમાબૂમ કરતો જોવા મળે છે. શનિવારે ઉત્તર પ્રદેશના હજરતગંજમાં ટ્રાફિક પોલીસે નો પાર્કિંગ ઝોનમાંથી એક ગાડી ઉઠાવી હતી. પોલીસને તો ખબર ન હોય કે આ ગાડી કોની છે કોની નહીં તેમના માટે તો બધા બરાબર કહેવાય તો તેમણે તો ગાડી ઉઠાવીને કાર્યાલયમાં ટેકાવી દીધી. પછી ગાડીનો જે માલીક હતો એ તે ટ્રાફિક પોલીસના કાર્યાલય પહોંચ્યો હતો અને ત્યાં બૂમાબૂમ કરવા લાગ્યો હતો. તે કહી રહ્યો હતો કે તમને દેખાતું નથી આ ગાડી પર ન્યાયાધીશ લખવામાં આવ્યું છે. અડધી કલાક તકરાર ચાલી છતાં પોલીસે ગાડી ન છોડી પછી ઉચ્ચ પોલીસ અધિકારીએ મધ્યસ્થતા દાખવી અને નો પાર્કિંગમાં ગાડી રાખવા બદલ હોબાળો કરનાર વ્યક્તિ પાસેથી 11 રૂપિયાનો દંડ વસુલ્યો હતો. આવું એટલા માટે થયું કારણ કે હાલ યૂપીના લખનઉમાં 11 જગ્યા પર નો પાર્કિંગ મામલે કાર્યવાહી ચાલી રહી છે અને જેની પણ ગાડી નો પાર્કિંગમાં જોવા મળે તે જપ્ત કરી રહી છે. 


ચાર થપ્પડ પડશે ત્યારે કાર છોડીશ


લખનૌમાં નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલી કાર ઉપાડીને મેરઠમાં તૈનાત જજના પુત્ર ગુસ્સે થઈ ગયા. શનિવારે પાર્ક રોડ પર પાર્કિંગ યાર્ડમાં યુવકએ હોબાળો મચાવ્યો હતો. યુવકના હંગામાનો વીડિયો વાયરલ થયો હતો. યુવક ટ્રાફિક પોલીસને ધમકાવી રહ્યો હતો. યુવકે બૂમ પાડી કે તમે લોકોએ કાર કેવી રીતે ઉપાડી... હું આવું કરીશ. પોલીસ સ્ટેશનમાં ચાર થપ્પડ પડશે ત્યારે કાર છોડી દઈશ...?


યૂપી હાઈકોર્ટની ઘટના સામે આવી હતી


ઉલ્લેખનિય છે કે દિલ્લીથી પ્રયાગરાજની રેલ યાત્રામાં યૂપી હાઈકોર્ટના ન્યાયમૂર્તિ ગૌતમ ચૌધરી બેઠા હતા, એસી કોચ ટ્રેન ત્રણ કલાક મોડી ચાલી અને બાકી પણ અનેક સમસ્યા ન્યાયાધીશને થઈ કે નાસ્તો નહોતો મળ્યો વગેરે તો તેમણે આ વાતનો ખુલાસો માગ્યો હતો. પણ જેવી આ વાત સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી કે ન્યાયાધીશ પોતાના વિશેષાધિકારોનો ફાયોદ ઉઠાવી રહ્યા છે ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જજ પોતાની જાતને સિસ્ટમથી ઉપર ન સમજે.  



સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.

ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.