ઉત્તર પ્રદેશના હજરતગંજમાં પોલીસે ગાડી જપ્ત કરી તો ન્યાયાધીશના પુત્રે કર્યો હોબાળો, વીડિયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-08-20 20:29:57

 ઉત્તર પ્રદેશના હજરતગંજમાં પોલીસે ગાડી જપ્ત કરી તો ન્યાયાધીશના પુત્રે કર્યો હોબાળો, વીડિયો વાયરલ


ઉત્તર પ્રદેશના હજરતગંજનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ બૂમાબૂમ કરતો જોવા મળે છે. શનિવારે ઉત્તર પ્રદેશના હજરતગંજમાં ટ્રાફિક પોલીસે નો પાર્કિંગ ઝોનમાંથી એક ગાડી ઉઠાવી હતી. પોલીસને તો ખબર ન હોય કે આ ગાડી કોની છે કોની નહીં તેમના માટે તો બધા બરાબર કહેવાય તો તેમણે તો ગાડી ઉઠાવીને કાર્યાલયમાં ટેકાવી દીધી. પછી ગાડીનો જે માલીક હતો એ તે ટ્રાફિક પોલીસના કાર્યાલય પહોંચ્યો હતો અને ત્યાં બૂમાબૂમ કરવા લાગ્યો હતો. તે કહી રહ્યો હતો કે તમને દેખાતું નથી આ ગાડી પર ન્યાયાધીશ લખવામાં આવ્યું છે. અડધી કલાક તકરાર ચાલી છતાં પોલીસે ગાડી ન છોડી પછી ઉચ્ચ પોલીસ અધિકારીએ મધ્યસ્થતા દાખવી અને નો પાર્કિંગમાં ગાડી રાખવા બદલ હોબાળો કરનાર વ્યક્તિ પાસેથી 11 રૂપિયાનો દંડ વસુલ્યો હતો. આવું એટલા માટે થયું કારણ કે હાલ યૂપીના લખનઉમાં 11 જગ્યા પર નો પાર્કિંગ મામલે કાર્યવાહી ચાલી રહી છે અને જેની પણ ગાડી નો પાર્કિંગમાં જોવા મળે તે જપ્ત કરી રહી છે. 


ચાર થપ્પડ પડશે ત્યારે કાર છોડીશ


લખનૌમાં નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલી કાર ઉપાડીને મેરઠમાં તૈનાત જજના પુત્ર ગુસ્સે થઈ ગયા. શનિવારે પાર્ક રોડ પર પાર્કિંગ યાર્ડમાં યુવકએ હોબાળો મચાવ્યો હતો. યુવકના હંગામાનો વીડિયો વાયરલ થયો હતો. યુવક ટ્રાફિક પોલીસને ધમકાવી રહ્યો હતો. યુવકે બૂમ પાડી કે તમે લોકોએ કાર કેવી રીતે ઉપાડી... હું આવું કરીશ. પોલીસ સ્ટેશનમાં ચાર થપ્પડ પડશે ત્યારે કાર છોડી દઈશ...?


યૂપી હાઈકોર્ટની ઘટના સામે આવી હતી


ઉલ્લેખનિય છે કે દિલ્લીથી પ્રયાગરાજની રેલ યાત્રામાં યૂપી હાઈકોર્ટના ન્યાયમૂર્તિ ગૌતમ ચૌધરી બેઠા હતા, એસી કોચ ટ્રેન ત્રણ કલાક મોડી ચાલી અને બાકી પણ અનેક સમસ્યા ન્યાયાધીશને થઈ કે નાસ્તો નહોતો મળ્યો વગેરે તો તેમણે આ વાતનો ખુલાસો માગ્યો હતો. પણ જેવી આ વાત સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી કે ન્યાયાધીશ પોતાના વિશેષાધિકારોનો ફાયોદ ઉઠાવી રહ્યા છે ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જજ પોતાની જાતને સિસ્ટમથી ઉપર ન સમજે.  



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .