ઉત્તર પ્રદેશના હજરતગંજમાં પોલીસે ગાડી જપ્ત કરી તો ન્યાયાધીશના પુત્રે કર્યો હોબાળો, વીડિયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-08-20 20:29:57

 ઉત્તર પ્રદેશના હજરતગંજમાં પોલીસે ગાડી જપ્ત કરી તો ન્યાયાધીશના પુત્રે કર્યો હોબાળો, વીડિયો વાયરલ


ઉત્તર પ્રદેશના હજરતગંજનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ બૂમાબૂમ કરતો જોવા મળે છે. શનિવારે ઉત્તર પ્રદેશના હજરતગંજમાં ટ્રાફિક પોલીસે નો પાર્કિંગ ઝોનમાંથી એક ગાડી ઉઠાવી હતી. પોલીસને તો ખબર ન હોય કે આ ગાડી કોની છે કોની નહીં તેમના માટે તો બધા બરાબર કહેવાય તો તેમણે તો ગાડી ઉઠાવીને કાર્યાલયમાં ટેકાવી દીધી. પછી ગાડીનો જે માલીક હતો એ તે ટ્રાફિક પોલીસના કાર્યાલય પહોંચ્યો હતો અને ત્યાં બૂમાબૂમ કરવા લાગ્યો હતો. તે કહી રહ્યો હતો કે તમને દેખાતું નથી આ ગાડી પર ન્યાયાધીશ લખવામાં આવ્યું છે. અડધી કલાક તકરાર ચાલી છતાં પોલીસે ગાડી ન છોડી પછી ઉચ્ચ પોલીસ અધિકારીએ મધ્યસ્થતા દાખવી અને નો પાર્કિંગમાં ગાડી રાખવા બદલ હોબાળો કરનાર વ્યક્તિ પાસેથી 11 રૂપિયાનો દંડ વસુલ્યો હતો. આવું એટલા માટે થયું કારણ કે હાલ યૂપીના લખનઉમાં 11 જગ્યા પર નો પાર્કિંગ મામલે કાર્યવાહી ચાલી રહી છે અને જેની પણ ગાડી નો પાર્કિંગમાં જોવા મળે તે જપ્ત કરી રહી છે. 


ચાર થપ્પડ પડશે ત્યારે કાર છોડીશ


લખનૌમાં નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલી કાર ઉપાડીને મેરઠમાં તૈનાત જજના પુત્ર ગુસ્સે થઈ ગયા. શનિવારે પાર્ક રોડ પર પાર્કિંગ યાર્ડમાં યુવકએ હોબાળો મચાવ્યો હતો. યુવકના હંગામાનો વીડિયો વાયરલ થયો હતો. યુવક ટ્રાફિક પોલીસને ધમકાવી રહ્યો હતો. યુવકે બૂમ પાડી કે તમે લોકોએ કાર કેવી રીતે ઉપાડી... હું આવું કરીશ. પોલીસ સ્ટેશનમાં ચાર થપ્પડ પડશે ત્યારે કાર છોડી દઈશ...?


યૂપી હાઈકોર્ટની ઘટના સામે આવી હતી


ઉલ્લેખનિય છે કે દિલ્લીથી પ્રયાગરાજની રેલ યાત્રામાં યૂપી હાઈકોર્ટના ન્યાયમૂર્તિ ગૌતમ ચૌધરી બેઠા હતા, એસી કોચ ટ્રેન ત્રણ કલાક મોડી ચાલી અને બાકી પણ અનેક સમસ્યા ન્યાયાધીશને થઈ કે નાસ્તો નહોતો મળ્યો વગેરે તો તેમણે આ વાતનો ખુલાસો માગ્યો હતો. પણ જેવી આ વાત સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી કે ન્યાયાધીશ પોતાના વિશેષાધિકારોનો ફાયોદ ઉઠાવી રહ્યા છે ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જજ પોતાની જાતને સિસ્ટમથી ઉપર ન સમજે.  



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.