Uttar Pradesh : ચિતા પર માતાનો શવ હતો અને દીકરીઓ મિલકતની વહેંચણીને લઈ ઝઘડતી રહી! જાણો શું હતો સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2024-01-17 10:27:53

કહેવાય છે કે માતા-પિતા અને તેના સંતાનનો સંબંધ એક નિસ્વાર્થ સંબંધ હોય છે. પરંતુ હવે તો કળિયુગ આવી ગયો છે કે માતા પિતાને પણ બાળકો પૈસા માટે ભૂલી ગયા છે! પૈસો તો માણસને માણસાઈ પણ ભુલાવી શકે છે. પૈસો માણસને શું શું કરાવી શકે એનું એક ઉદાહરણ ઉત્તરપ્રદેશથી સામે આવ્યું છે. યુપીના મથુરામાં માતાના અવસાન બાદ દીકરીઓ વચ્ચે જમીનની વહેંચણીને લઈને વિવાદ થયો હતો. માતાનો મૃતદેહ સ્મશાનમાં 8 થી 9 કલાક પડ્યો રહ્યો અને દીકરીઓ ત્યાં જમીન માટે બાઝતી રહી. 

માતાનો મૃતદેહ સ્મશાનમાં પડ્યો રહ્યો અને દીકરીઓ ઝઘડતી રહી!

ઉત્તરપ્રદેશના મથુરાથી માનવતાને શરમાવે એવી એક ઘટના સામે આવી છે. એક મામલો સામે આવ્યો છે જેમાં 85 વર્ષીય મહિલા પુષ્પાના મૃતદેહને 8થી 9 કલાક સુધી ચિતા પર રાખવામાં આવી પરંતુ તેમના અંતિમ સંસ્કાર ન થયા. કારણ કે તેમની દીકરીઓ જમીન માટે ઝઘડતી રહી. માતાના મૃત્યુ બાદ તેની ત્રણ દીકરીઓ વચ્ચે જમીનને લઇને ઝઘડો થયો તો એક દીકરીએ હઠ કરી કે મને મારો ભાગ નહિ મળે ત્યાં સુધી અંતિમ સંસ્કાર નહીં કરવા દે. એ ઝઘડામાં અને ઝઘડામાં 8 થી 9 કલાક સુધી સ્મશાનમાં માંનો મૃતદેહ પડ્યો રહ્યો. 

માતાની મિલકતની વહેંચણીને લઈ થયો ઝઘડો!

મૃતક પુષ્પાને કોઈ પુત્ર નથી. તેમને માત્ર ત્રણ દીકરીઓ છે. જેમના નામ મિથિલેશ, સુનીતા અને શશી છે. છેલ્લા કેટલાક દિવસોથી પુષ્પા મોટી પુત્રી મિથિલેશના ઘરે રહેતી હતી. મિથિલેશે તેની માતાને લગભગ દોઢ વીઘા જમીન વેચવા માટે મનાવી લીધા હતા અને આ વાત બીજી બે દીકરીઓને ખબર પડી ગઈ તો માંના મૃત્ય બાદ બંને એ ખેલ શરુ કર્યા. મોટી બહેનને દોષી ઠેરવીને તેની માતાના અંતિમ સંસ્કાર અટકાવ્યા. બંને બહેનોએ મિથલેશ સાથે તેમની માતાની મિલકતની વહેંચણીને લઈને ઝઘડો કર્યો.


પોલીસે આવી બહેનો વચ્ચે કરાવી સૂલેહ

બંને બહેનો સુનીતા અને શશિએ માંગ કરવાનું શરૂ કર્યું કે તેમની માતાની બાકીની મિલકત તેમના નામે ટ્રાન્સફર કરવામાં આવે તો જ એ અંતિમ સંસ્કાર થવા દેશે બહેનો વચ્ચે આ લડાઈ લાંબા સમય સુધી ચાલતી રહી. જેના પર સ્મશાન પર કામ કરતા લોકોએ પોલીસને જાણ કરી અંતે સાંજે 6.00 વાગ્યાના સુમારે ત્રણેય બહેનો વચ્ચે લેખિત કરાર થયો હતો, જેમાં મૃતકની બાકીની મિલકત શશી અને સુનિતાના નામે ટ્રાન્સફર કરવામાં આવશે તેવું લખવામાં આવ્યું હતું. ત્યારબાદ અંતિમ સંસ્કાર થયા. આ સમગ્ર ઘટનાને લગભગ 8 થી 9 કલાક જેટલો સમય લાગ્યો અને મૃતદેહને સ્મશાનમાં રાખવામાં આવ્યો.


પ્રોપર્ટી માટે થઈ રહ્યા છે ઝઘડા! 

માના મરવાનું દુઃખ તો સાઈડમાં રહ્યું પણ આ તો પ્રોપર્ટી માટે ઝઘડિયા. આ તો ઝાડ પડ્યું અને જગ્યા થઇ જેવી વાત છે એટલે આ લોકો તો એની માના મરવાની રાહ જોતા હતા કે માં મરે તો પૈસા અને જમીન મળે... કળિયુગમાં હજુ આવા કિસ્સા સાંભળવા મળે તો ચોંકતા નહિ હવે પ્રોપર્ટી માટે થવું નોર્મલ છે!



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.